Book Title: Pragnav Bodh Part 01 - Pages From 001 to 200
Author(s): Bramhachari, Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 163
________________ (૧૫) ત્રણ આત્મા ૧૪૩ વ્યાવહારિક જીવોના ભેદ જાણી, ચોરાશી લાખ જીવયોનિના દુઃખમાંથી નિવૃત્ત થવા અર્થે બહિરાત્મા, અંતરઆત્મા અને પરમાત્મા; એમ ત્રણ આત્માનું સ્વરૂપ જાણવું જરૂરનું છે. તે આ પાઠમાં જણાવવામાં આવે છે : | (૧૫) ત્રણ આત્મા (અપૂર્વ અવસર એવો ક્યારે આવશે?—એ રાગ) જય શ્રી સદ્ગુરુ રાજચંદ્ર દયોદધિ, આ પામર પર અતિ કર્યો ઉપકાર જો; કોટિ ઉપાય પણ બદલો દેવાય નહિ, પરમ પદ દર્શાવી દ્યો સહકાર જો. જય૦૧ અર્થ – શ્રીમદ્ રાજચંદ્ર સદ્ગુરુ ભગવંતનો જગતમાં સદા જયજયકાર હો કે જે દયોદધિ કહેતાં દયાના ઉદધિ અર્થાત સમુદ્ર છે. જેણે મારા જેવા પામર પર અતિ ઉપકાર કર્યો છે. કરોડો ઉપાય કરીને પણ જેનો બદલો આપી શકાય એમ નથી, એવા પરમકૃપાળુ પરમાત્મા મને હવે પરમપદ અર્થાતુ શુદ્ધ આત્મપદના દર્શન કરાવવા સહાયતા આપો. દયાના ભંડાર એવા શ્રી રાજચંદ્ર પ્રભુ જગતમાં સદા જયવંત વર્તા. ||૧|| ભવ ભવ ભમતાં જે પદ જીવ ન પામિયો, ગુરુ-કુપા વિણ કેમ કરી સમજાય જો; તેથી શ્રીમદ્ રાજચંદ્ર-ચરણે રહ્યો, સ્તવન નમન કરી યાચું મોક્ષ-ઉપાય જો. જય૦૨ અર્થ - અનંતકાળથી સંસારમાં ભમતા જે શુદ્ધ આત્મપદને જીવ પામ્યો નથી, તે પદ ગુરુની કૃપા વિના કેમ સમજાય? “સગુરુના ઉપદેશ વણ, સમજાય ન જિનરૂપ.” -શ્રીમદ્ રાજચંદ્ર તેથી શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુના ચરણકમળમાં વાસ કરીને રહ્યો છું. તેમનું ભાવથી સ્તવન, નમન કરીને મોક્ષપ્રાપ્તિના ઉપાયની યાચના કરું છું. પરમકૃપાળુ સગુરુદેવનો સદા જય હો. રા. શુદ્ધ સ્વરૂપે નિજ અખંડિત આતમા, સમજી અનુભવવાનો સહજ પ્રકાર જો; અપૂર્વ કરુણા કરી આવા કળિકાળમાં દર્શાવ્યો છે, કરવા અમ ઉદ્ધાર જો. જય૦ ૩ અર્થ - શુદ્ધ સ્વરૂપની અપેક્ષાએ પોતાનો આત્મા અખંડ છે. તે કદી ખંડિત થયો નથી. તે શુદ્ધ સ્વરૂપને સમજી, તેને અનુભવવાનો જે સહજ પ્રકાર છે જેણે અપૂર્વ કરુણા કરીને અમારા ઉદ્ધાર માટે આવા કળિકાળમાં પણ દર્શાવ્યો એવા પરમકૃપાળુ પરમાત્માનો જગતમાં સદા જય જયકાર હો. વા. તે જ સમજવા ત્રણ ભેદો વિચારીએ બાહ્ય દશા, અંતર, પરમાતમરૂપ જો, ટાળી બાહ્ય દશા અંતર્થી સાથએ પરમાતમ-પદ નિર્મળ નિજ ચિદ્રુપ જો. જય૦ ૪ અર્થ - તે શુદ્ધસ્વરૂપને જ સમજવા માટે હવે ત્રણ ભેદોનો વિચાર કરીએ. તે આત્માની બહિરાત્મદશા, અંતરઆત્મદશા અને પરમાત્મદશા છે. બહિરાત્મદશાને ટાળી, અંતરઆત્મદશા પામીને પરમાત્મપદની સાધના કરીએ કે જે પોતાના આત્માનું સહજ નિર્મળ ચિદ્રપ એટલે જ્ઞાનસ્વરૂપ છે. એવા નિર્મળ જ્ઞાનસ્વરૂપને પામેલા શ્રીમદ્ રાજચંદ્ર સદ્ગુરુ ભગવંત જગતમાં સદા જયવંત વર્તા. ૪

Loading...

Page Navigation
1 ... 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200