Book Title: Pavagadhthi Vadodarama Prakat Thayel Jiravala Parshwanath
Author(s): Lalchandra Bhagwan Gandhi
Publisher: Abhaychandra Bhagwan Gandhi
View full book text
________________
પ્રકટ થયેલા જીરાવલા પાર્શ્વનાથ ૧૧ (૨૩ મા પાર્શ્વનાથ)ની મુખ્ય પ્રતિમાઓ હતી. એ બને દેની અંજન–શલાકા પ્રતિષ્ઠા વિ. સં. ૧૧૧૨ માં વૈશાખ
શુ. ૫ ગુરુવારે આચાર્ય ગુણસાગરસૂરિ દ્વારા થઈ હતી-તેમ જણાવ્યું છે. પ્રસ્તુત જીરાવલી પાર્શ્વનાથની તે પ્રતિષ્ઠાના પહેલી પત્ની ભેલીથી માણિક્ય નામનો પુત્ર અને બીજી પત્ની કમલાઈથી હીર અને વીર નામના ૨ પુત્ર થયા હતા. વ્યવહારીઓથી શોભતા એક નગર સ્તંભતીર્થ(ખંભાત)માં વસતા મેઘાશાહ અગ્રણી તરીકે પ્રખ્યાત થયા હતા. તેમણે પાવકાચલ(પાવાગઢ)ના શણગારરૂપ શંભવજિનનાં મંદિર(જે સંબંધમાં “તેજ પાલનો વિજય” પુસ્તકના પ્રાસ્તાવિકમાં અહે પ્રમાણે દર્શાવ્યાં છે)માં કલિકાલને નાશ કરનારી ૮ દેવકુલિકાઓ કરાવી હતી–
“પાવવા -શ્રીરામવતિના ..
તેના ફેવરિટ સ્ત્રિજ્ઞાતા: કૃતા. ” તે મેઘાશાહે પુષ્કળ દ્રવ્ય ખર્ચીને પારકપુરેશ્વર(જિન)ના જીર્ણ ચૈત્યને નવું કર્યું હતું. તેમણે દર્શનથી ઉદ્વેગને દૂર કરનારીમનહર ૨૪ તીર્થકરેની પ્રતિમાઓ કરાવી હતી, તથા સુરત્રાણ (સુલતાન) પુરમાં ઉજજવલ વિશાલ શાલા (ઉપાશ્રય) કરાવી હતી, તથા માહિન્દ્રો નદીના તટ(મહીકાંઠા )પર ૨૪ વાર અમારિ કરાવી સર્વ પ્રકારની હિંસાને નિવારી હતી, ઘણી તીર્થયાત્રાઓ અને ઘણું સંધભક્તિ કરી હતી. તે જ મેઘાશાહે તપાગણરૂપી આકાશમાં સૂર્ય જેવા યુગપ્રધાન સેમસુંદરસૂરિના કૃત–ભક્તિ તરફ પ્રેરતા સદુપદેશને સાંભળી હર્ષિત થઈ સિદ્ધાંત વગેરે લાખ ગ્રંથ( કે) લખાવતાં વિ. સં. ૧૪૯૮ માં લખાવેલ અને ચિકેશ( જ્ઞાનભંડાર )માં સ્થાપેલ પુસ્તક (સૂક્ષ્માર્થવિચારસાણિ–તાડપત્રપુસ્તિકા હાલ જેનશાનશાળા વિજાપુરમાં વિદ્યમાન)ની ૨૧ કેવાળી પ્રાંત પ્રશસ્તિમાં એ ઉલ્લેખ છે [ જુઓ
જૈનસાહિત્ય-પ્રદર્શન-પ્રશસ્તિસંગ્રહ-તાડપત્ર-વિભાગ પૃ. ૯-૧૦]. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com