Book Title: Pavagadhthi Vadodarama Prakat Thayel Jiravala Parshwanath
Author(s): Lalchandra Bhagwan Gandhi
Publisher: Abhaychandra Bhagwan Gandhi

View full book text
Previous | Next

Page 61
________________ ४८ પાવાગઢથી વડોદરામાં સૂરિએ કરી હતી, તે પ્રતિમા વડોદરામાં દાદાપાશ્વનાથજીના દેહરામાં છે(બુદ્ધિ. જૈનપ્રતિમાલેખસંગ્રહ ભા. ૨, લે. ૧૩૦). વિ. સં. ૧૫૦૩માં ઉપર્યુક્ત શાલિભદ્રસૂરિના પટ્ટ પર થયેલા ઉદયચંદ્રસૂરિએ પ્રતિષ્ઠિત કરેલ પાર્શ્વનાથ-બિંબ (ધાતુ-મૂર્તિ) ટ્યૂનિક(જર્મની)ના જાદુઘરમાં જણાય છે પૂ. નાહર-જૈનલેખસંગ્રહ નં. ૧, લે. ૩૬]. વિ. સં. ૧૫ર૭ માં ઉપકેશજ્ઞાતિના શ્રાવકોએ આત્મશ્રેય માટે કરાવેલ અને જીરાપલ્લીથગછના ભ. શાલિભદ્રસૂરિના પટ્ટધર ભ. ઉદયચંદ્રસૂરિએ પ્રતિષ્ઠિત કરેલ શાંતિનાથ-બિંબ લખનમાં શાંતિનાથ-જિનમંદિરમાં છે (પૂ. નાહર-જૈનલેખસંગ્રહ નં. ૨, લે. ૧૫૦૬). વિક્રમની ૧૬મી સદીમાં વિદ્યમાન બ્રહ્મર્ષિએ રચેલી સુધર્મગચ્છ-પરીક્ષા(પાઈ ગા. ૧૦૬)માં ૮૪ ગચ્છનાં સ્થાનનાં નામે દર્શાવતાં “હારેજા, જીરાઉલા નામ” સૂચવ્યું છે. જીરાઉલગચ્છના ભ. દેવરત્નસૂરિના પરિવારના મુનિ સોમકલશે લખેલ રાજવલ્લભની ચિત્રસેન-પદ્માવતી કથા( વિ. સં. ૧૫૨૪)ની પ્રતિ પાટણમાં જૈનસંઘના ભંડાર( ડા. ૭૬)માં છે. વિ. સં. ૧૯૦૨ માં જાઉરનગરમાં જીરાઉલગચ્છમાં લખાયેલ શ્રાદ્ધપ્રતિક્રમણ સૂત્રવૃત્તિ( અર્થદીપિકા)ની પ્રતિ જેનાનંદ-પુસ્તકાલય, સૂરતમાં છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162