Book Title: Pavagadhthi Vadodarama Prakat Thayel Jiravala Parshwanath
Author(s): Lalchandra Bhagwan Gandhi
Publisher: Abhaychandra Bhagwan Gandhi

View full book text
Previous | Next

Page 129
________________ ૧૧૬ પાવાગઢથી વડોદરામાં છે. એ ડષભજિનેશ્વર–ચૈત્યગૃહમાં કવિ અમરકીર્તિગણિએ વિ. સં. ૧૨૭૪ માં રચેલા “છકમ્યુએસો” નામના ગ્રંથને સધિત કરી ગાયકવાડ એ. સિરીઝદ્વારા પ્રકાશિત કરાવવા મહારે વર્ષોથી પ્રયત્ન ચાલુ છે. તે ઉલ્લેખના આધારે “જૈનસિદ્ધાન્ત ભાસ્કર” ભા. ૧, અંક ૩ જામાં છે. હીરાલાલજીએ અમરકીર્તિગણિ ઔર ઉનકા ષટ્કર્મોપદેશ” નામને લેખ લખે જણાય છે. “તેજપાળને વિજય’ પુસ્તક મંગાવી વાંચ્યું જણાવનાર પ્રેમીજીની દષ્ટિ કદાચ હારા તે ઉલ્લેખ ઉપર નહિ પડી હોય! એથી ઉપર્યુક્ત માસિકને લેખ વાંચવા ભલામણ કરી લાગે છે. શ્રીયુત પ્રેમીજીએ સન્ ૧૯૧૨ ના માર્ચ મહિનાના અંતમાં પાવાગઢની યાત્રા કર્યા પછી, તેનું વિવરણ જૈનહિતૈષી (ભાગ ૯, અંક ૧૨)માં હિંદીમાં પ્રકાશિત કરેલું-તેમાં તેમને થયેલા ભાસ પ્રમાણે “ઉક્ત સ્થાન(પાવાગઢ) પર પહેલાં શ્વેતાંબર મંદિર રહ્યાં હશે એ વાતને ન છૂપાવ્યા બદલ તેમને પાઠકે ધન્યવાદ આપશે (જો કે શ્રીજેન જે. કે. તરફથી સં. ૧૯૬૫– સન ૧૯૦૯ માં પ્રગટ થયેલ “જૈન શ્વેતાંબર-ડીરેકટરી” (ગુજરાત) ભાગ ૧ અને ૨ ના પૃ. ૩૮૯માં તથા પૃ. ૩૬૭ માં ત્યાં શ્વેતાંબરી મંદિરે હોવાથી તે તીર્થ તરીકે ગણાતું હેવાને તથા છેવટે ત્યાં જેન વસ્તી નહીં હોવાથી, વ્યવસ્થા બરાબર નહીં સચવાયાથી, આશાતના બહુ થતી હોવાથી ત્યાંથી મૂળનાયક ભીડભંજન પાર્શ્વનાથની પ્રતિમાને વડોદરામાં લાવી દાદા પાર્શ્વનાથના દેરાસરમાં બિરાજમાન કર્યાને અને ત્યાંના મંદિરની શિલિક કપડવંજમાં જમે હોવાને” સ્પષ્ટ ઉલ્લેખ કરેલ હત). એ નિવેદનમાં ઉત કરેલા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162