Book Title: Papni Saja Bhare Part 08
Author(s): Arunvijaymuni
Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh

View full book text
Previous | Next

Page 6
________________ ૩૩૯ જીવ ઘેર નરકમાં પણ ગયા છે. જીવે ઘણું દુઃખ પણ સહન કર્યું છે. આ શરીર તે અહીં પડયું રહ્યું, માટીમાં મળી ગયું, બળીને રાખ થઈ ગયું. પરંતુ જે ધન-પૈસાના કારણે અથવા પૌગલિક વસ્તુઓના કારણે જીવે જે રાગ-દ્વેષ કર્યા છે, તેના કારણે જીવેના જન્મ બગડયા, ગતિ બગડી, નરકમાં જવું પડયું. મહાદુઃખ તીવ્ર વેદના સહન કરવી પડી. અંતે ગતિ–ભવ-જન્મ તે જીવના જ બગડ્યા. પુદ્ગલનું શું બગડયું? આ રીતે પુગલના રાગના તમાચા ખાઈને જીવે પિતાને સંસાર અનન્તકાળથી બગાડયો છે. આટલું દુઃખ સહન કર્યું તે પણ જીવ તે પુદ્ગલને સારી રીતે કેમ સમજી શકતા નથી? પુદ્ગલના રાગને શા માટે છોડી દેતો નથી? ગધેડાની લાત ખાઈને પણ બુધ્ધ ગધેડાને સંબંધ-વિચાર છોડી કેમ નથી દેતા? ધન સંપત્તિ તીવ્ર રાગના કારણે કેટલા ય જન્મ બગાડયા પછી પણ આજે ય મનુષ્ય નથી તો ધન-સંપત્તિને ત્યાગ કર્યો ! નથી તે તેના રાગનો ત્યાગ ક? શું કારણ છે? તીવ મેહ છે. પરંતુ એક વાત ચોક્કસ સમજી લેજે કે, આજે અથવા કાલે જ્યારે પણ જલદી અથવા મેડેથી અંતે છોડવું તે પિતાને જ પડે છે. જીવને પુગલનો રાગ છેડે જ પડશે નહિ તે દુઃખી થતાં રહેશે, સંસારમાં જન્મ-મરણના ચક્રમાં પરિભ્રમણ ચાલુ જ રહેશે. એક વાત નિશ્ચિત છે કે પુદગલ તમને નહીં છોડે તે તે જડ છે. તેમ જ જ્ઞાનાદિ ગુણવાળા ચેતન છે આથી સમજીને તમારે જ છેડવું પડશે. જે યુવાને થાંભલાને પકડ છે અને પછી પણ તે “બચાવે....બચાવો” બૂમ પાડે છે તે તે મૂર્ખ છે અરે ભાઈ.. સીધી વાત છે કે થાંભલાએ યુવાનને નથી પકડયે તે તે જડ છે. યુવાને જ થાંભલાને પકડયો છે. આથી તેણે જ છે. જોઈએ. બચાવે.. બચાવે....ની બૂમ નિરર્થક છે, વ્યર્થ છે, અનાદિ મમત્વ ભાવે રાગબુદ્ધિએ આપણી ભવ પરંપરા બગાડી છે. પરિગ્રહ શું છે? સંસ્કૃતમાં “ગ્રહ ધાતુ ગ્રહણ કરવાના અર્થમાં છે. તેને જુદા જુદા ઉપસર્ગે લાગીને જુદા જુદા શબ્દ બને છે સંગ્રહ=સંગ્રહ, આગ્રહ, વિગ્રહ, અભિગ્રહ દુરાગ્રહ, કદાહ, હઠાગ્રહ, ઉપગ્રહ પરિગ્રહુ, વિગેરે ધાતુ તે એક જ છે પરંતુ ઉપસર્ગોના બદલવાથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42