Book Title: Papni Saja Bhare Part 08
Author(s): Arunvijaymuni
Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh

View full book text
Previous | Next

Page 39
________________ ૩૭૨ ન્યાયે જે આત્માની પ્રીતિ થઈ જાય તે પાપથી ભીતિ બની રહે. સાપ તે દેહને–એક ભવને નાશ કરે છે. જ્યારે પાપ તે અનંતા જન્મને નાશ નોતરે છે. આત્માને સત્યાનાશ નેતરે છે. માટે પાપને નાશ કરવા કટીબદ્ધ થવું જોઈએ. પણ હા પાપને પ્રવૃત્તિમાં ત્યાગ કરેલો હશે, પણ જે વૃત્તિમાં પાપ બેઠું હશે તે આજ નહીં તે કાલ તે બમણા વેગથી બહાર આવવાની શકયતા ઉભી રહે છે. એટલે પ્રવૃત્તિમાં પાપના ત્યાગની સાથે વૃત્તિમાં પાપ ત્યાગની જમાવટ કરી લેવી જોઈએ. સામાન્યથી દરેક જ દુઃખથી ડરે છે. દુઃખથી ડરે તે જન પાપથી ડરે તે આર્ય અને સંસારના સુખ (જે સૌથી મોટું પાપ છે તે)થી ડરે તે જૈન. હવે જે જૈનત્વને વિકાસ થશે તે સંસારના સુખની લાલસા ઓછી થતાં તેના માટે જ થતા પરિગ્રહ ઉપર પણ કાપ મુકાશે. વૃત્તિની અંદર સાંસારિક સુખની કામના ઓછી કરવી અત્યંત જરૂરી છે. તે માટે સાચા આત્મિક સુખની ઝાંખી કરવી પડશે. ટૂંકમાં પ્રવૃ. ત્તિમાં અઢાર પાપ સ્થાનકે ત્યાગ એ વૃત્તિની સેાળ સંજ્ઞાના નાશ માટે છે. પરિગ્રહ સંજ્ઞાને નાશ થાય તે પરિગ્રહનું પાપ પણ બંધ થઈ જાય. અને આ સંજ્ઞાનાશ માટે જ દાનાદિ ચાર ધર્મનું વિધાન છે. દાનધર્મથી પરિગ્રહ સંજ્ઞાને નાશ થાય છે. શીલધર્મથી ચૌથન સંજ્ઞાને નાશ થાય છે. તપધમથી આહાર સંજ્ઞાને નાશ થાય છે. ભાવધર્મથી ભય સંજ્ઞાનો નાશ થાય છે. જગતમાં દેખાય છે કે જે ખાડામાં પડયા હોઈએ, તે ખાડાને ટેકે લેવા પૂર્વક જ આપણે ઉભા થઈ શકીએ છીએ. તે પરિગ્રહના ખાડામાં પડેલા છે જે દાન ધર્મને ટેકે લઈ લે તો તે તેમાંથી બહાર: નીકળી શકે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42