Book Title: Papni Saja Bhare Part 08
Author(s): Arunvijaymuni
Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh

View full book text
Previous | Next

Page 25
________________ ૩૫૮ “અરે, પ્રારબ્ધ તે ઘેલું રહે એ દૂર માંગે છે, ન માંગે દાડતું આવે, ન વિશ્વાસે કદી રહેજે, રહેજે શાંતિ સંતોષે, સદા ય નિર્મળ ચિરો, ઘડી જાયે ભલાઈ ની, મહાલક્ષ્મી ગણી લેજે. ભાગ્યમાં તે પૂર્વ જન્મપતિ પદય સારે હોય તો જ ભાગ્ય તમારી સાથે કદમ મીલાવે છે. અને જ્યાં સુધી પુણ્યોદય છે ત્યાં સુધી તે કોલસા પણ હીરાસેનું-ચાંદીની જેમ ચમકશે અને જ્યારે પુણ્ય પરવારશે ત્યારે ઘરમાં પડેલા હીરા-મેતી, સોનું-ચાંદી પણ કોલસા જેવા બની જશે. મુસાફરીમાં નાસ્તાનો ડબ્બો સાથે હોય તો તે ભૂખને દૂર કરી શકે છે અને અત્યંત ભૂખમાં ત્રણ દિવસનો નાસ્ત જે એક દિવસમાં પૂરે કરી દઈએ તે પછી બે દિવસ ભૂખ્યા રહેવાને સમય આવે તે જ વાત અહીંયા છે. પુણ્ય પરવારે ત્યારે સારા-સારા રાજા પણુ રંક બની ગયા, શેઠ-શ્રીમંત તવંગર બની ગયા અને પુણ્યોદય થતાં જ દીન-દુઃખી, રંક પશુ–મહાન બની ગયા. રાજય પ્રાપ્ત કર્યું. પેથડ શ્રાવકની શ્રીમંતાઈ અને ત્યાગ : ગુજરાત રાજ્યના કાંકરેજ પાસેના કોઈ ગામમાં પેથડ નામનો એક ઓસવાળ ગૃહસ્થ રહેતું હતું. છેકરાને દૂધ પીવડાવવાની પણ શક્તિ ન હતી. એટલે ગરીબ હતે. કઈ રીતે મુશ્કેલીથી પિતાનું જીવન ગુજારતા હતા. એક દિવસ ગામમાં પધારેલા આચાર્ય ભગવંત ધર્મઘોષસૂરી મહારાજે અપરિગ્રહના મહિમાને ઉપદેશ આપીને સંઘને સમજાવ્યું કે યથાશક્તિ ધન-સંપત્તિની ઈચ્છા સીમિત મર્યાદિત કરવી જોઈએ. જો કે આજે ધન-સંપત્તિ એટલી વધારે નથી તો પણ ભાવિમાં ન રાખવાની મર્યાદા રાખવાથી આશા–ઈચ્છા સીમિત થઈ જાય છે. આચાર્યશ્રીએ પેથડને પણ પરિગ્રહનું પરિમાણ કરવાની પ્રતિજ્ઞા લેવા માટે કહ્યું... ભાગ્યશાળી! તમે પણ લઈ લે. પેથડે કહ્યું–ગુરુજી! હું તે આમ પણ દરિદ્ર છું. એક હજાર તે મારા માટે બહુ થઈ ગયા. ગુરુજીએ કહ્યું–ભાગ્યશાળી ! ભાવિને, પૂરી જિંદગીને વિચાર કરીને પચ્ચકખાણ લેજે. આજે નથી પરંતુ સમજે કે કાલે ભાગ્ય ખૂલી જાય તે? – પછી જિંદગીમાં એક હજારથી વધારે નહીં રાખી શકે. આથી સમજીને નિયમ લેજે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42