________________
८
નિગોદમાં એવો અનંતાનંત કાળ નારકીથી અનંતગુણાં દુઃખમય જન્મમરણાદિ અનુભવતાં, પછી ત્યાંથી છૂટીને વ્યવહારનિગોદ આદિમાં એજ મહામોહના ઉદયને લઇને અનંત પુદ્ગલપરાવર્ત વીતાવ્યા ! જેમાં કૃષ્ણપક્ષીય અમાસ જેવા મનુષ્યભવ પણ પામ્યા અને હારી ગયા. હવે આજે જો સર્વજ્ઞશાસનની પ્રાપ્તિ થઇ છે તો એથી આસન્નભવી બનીને પંચસૂત્રના મહા પ્રકાશથી પશુ જીવનને પાર કરી આ ઉત્તમભવને અજવાળીને પરમેશ્વરના શાસન-રજવાડામાં પ્રથમસૂત્ર બતાવેલ માર્ગનું આરાધન કરીએ, તો પાપનો ક્ષય કરી સહજાનંદી ગુણોના બીજનું ભાજન બનાય. ત્યાં સમ્યગ્દર્શનના શુક્લપક્ષીય પૂનમ-ચાંદની જેવા પ્રકાશમાં પુણ્યાનુબંધી પુણ્યોદય વધારતા જવાય, અને મોહનો ક્ષય થતાં અંતે મોક્ષનો પૂર્ણિમા-ચંદ્ર પ્રકાશી ઊઠે. એ સામર્થ્ય આ સૂત્રમાં છે.
સંસારી જીવોમાં મોટો ભાગ બાળ-અજ્ઞાન હોય છે. પરંતુ જે મધ્યમ કોટિના મધ્યસ્થ સત્યગવેષક જીવો છે, તેમાં ય અતિ અલ્પસંખ્યાક જીવો ગંભીર સ્યાદ્વાદસમુદ્રમાં ઊતરે છે. એમને પ્રારંભે ભલે નાની પણ શુક્લપક્ષીય બીજચંદ્રરેખાનો પ્રકાશઉદય થતાં એ આ પંચસૂત્રના સહારે પૂનમપ્રકાશરૂપે ઝળહળી બાહ્યાત્મામાંથી ઠેઠ પરમાત્મદશાએ પહોંચાડે છે.
મૂળ પંચસૂત્ર રાજાની જેમ પંડિતોને આનંદ સાથે ૨ક્ષણ આપે છે. આ. શ્રી હરિભદ્રસૂરિ જેવા મહાપ્રાર્શે એ 'વૃત્તિ' રચવાથી વ્યક્ત કર્યું. એના પરની વિવેચના 'ઉચ્ચપ્રકાશના પંથે' મધ્યમ કોટિના જીવોને મંત્રની જેમ સમાધિ-હેતુ બને છે; અને એમાંનાં બાળ-ભોગ્ય દૃષ્ટાંતો અજ્ઞાનીને પણ જ્ઞાની બનાવે એવા સૌભાગ્યવંતી સ્ત્રીની શિખામણ જેવા છે.
દ્રવ્યાનુયોગ, ચરણકરણાનુયોગ વગેરે અનુયોગમાં સમર્થ આચાર્યોએ અનેક શાસ્ત્રો રચ્યા; તેમાં જેમ 'તત્ત્વાર્થાધિગમ' મહાશાસ્ત્ર અતિગંભી૨રૂપે પ્રખ્યાત છે, એમ આ 'પંચસૂત્ર' પણ તેની તુલના કરે એવું છે; એ વસ્તુ સમર્થ આચાર્ય શ્રી હરિભદ્રસૂરિજીની વૃત્તિ કહે છે, 'પ્રવવનસાર પૃષ સંજ્ઞાનયિાયોત્' અર્થાત્ સમગ્ર આર્હત શાસ્ત્રોનો સાર આ પંચસૂત્ર છે, કેમકે એમાં સમ્યગ્ જ્ઞાનક્રિયાનો ખજાનો સંક્ષેપમાં ભર્યો છે. 'ગીતા' જેવા શાસ્ત્ર ગંભીર