Book Title: Nayopdesh Part 02 Tarangini Tarni
Author(s): Yashovijay Gani, Lavanyasuri
Publisher: Vijaylavanyasuri Gyanmandir

View full book text
Previous | Next

Page 7
________________ ધ્રાંગધ્રાનિવાસી શ્રી પુરુષોત્તમદાસ સુરચંદ વોરાની જીવનરેખા શ્રી. પુરુષોત્તમદાસભાઈ સૌરાષ્ટ્ર દેશમાં આવેલા પ્રાંગધ્રા શહેરના વતની દશાશ્રીમાળી જ્ઞાતીય જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક શ્રી. સુરચંદભાઈના તથા માતુશ્રી ઉજમબાઈના સુપુત્ર છે. તેમને જન્મ વિ. સં. 1976 માં ફાગણ શુદ પૂર્ણિમાના પૂર્ણ ઉજજવળ દિવસે થયે હતે. તેઓશ્રીએ ધંધાને પ્રારંભ પંજાબમાં કરેલ અને વબળે આગળ વધી અને મુંબઈમાં વસી જનરલ મરચન્ટ અને કમીશન એજન્ટ તરીકે વેપારી આલમમાં સારી ખ્યાતિ સંપાદિત કરી છે. એટલું જ નહિ પરંતુ પાર્જિત લક્ષમીને સત્કાર્યોમાં છ લકમીની સાર્થકતાને સાધતા આયા છે. માનવજીવનની મહત્તાના મુખ્ય પાયારૂપ ઉદારતાના મહાન ગુણદ્વારા તેઓએ પ્રારંભિક “ઉદયકાળથી સ્વજીવનને ધન્ય બનાવ્યું છે એટલું જ નહિ પરંતુ વિશ્વના શ્રીમંતને આદર્શજીવન”. બનાવવા માટે તેમજ મળેલી લમીની સાર્થકતા માટે પ્રેરણા સમાપી રહ્યું છે. તેઓ હાલ મુંબઈ શહેરના પરા તરીકે ગણાતા " કાંદીવલી ”માં રહે છે. કાંદીવલી (મુંબઈ)માં આવેલા પોતાના બંગલામાં સમ્યગદર્શનની શુદ્ધિને કરનાર, આધિ, વ્યાધિ ને ઉપાધિરૂપ ત્રિવિધ તાપને હરનાર, પ્રભુપ્રેમ જગવનાર, સંસારસમુદ્ર તરવાના તરાપારૂપ, આદર્શ જૈન ગૃહમંદિર-ઘરદેરાસરની સ્થાપના કરી, સ્વકીય પ્રભુ ભકિત તેમજ ધર્મપ્રેમને પ્રદર્શિત કરેલ છે. કેળવણી ખાતામાં પણ અનેક સંસ્થાઓને સારી રકમ એનાયત કરી, આત્માના જ્ઞાન ગુણને વિકસાવવાને જગમાં દાખલો બેસાડ્યો છે. ધાર્મિક, સામાજિક તેમજ લોકપયોગી અનેક સંસ્થાઓમાં સમયે સમયે સારો સહકાર આપી તે તે સંસ્થાઓને સજીવન બનાવી ઉત્તેજિત કરી છે. - “જનની જન્મભૂમિષ રારિ જીવરી” આ ઉક્તિને શેઠશ્રીએ પિતાની જન્મભૂમિ પ્રાંગધ્રા શહેરમાં “પુરુષોત્તમદાસ સુરચંદ વેરા જૈન બેડીંગની સ્થાપના કરી સફળ કરી છે. જેમાં હરકોઈ જેને બાળક તેને લાભ લઈ શકે તેવી વ્યવસ્થા કરી હદયની વિશાળતા તેમજ ઉદારતાને પ્રકટ કરી છે. ઉક્ત બેડીંગના મકાનનું ઉદ્ઘાટન સૌરાષ્ટ્ર એકમના ઉપરાજ પ્રમુખ મંગલાકુળ શિરોમણિ ધ્રાંગધ્રાનરેશ શ્રીમાન મયૂરધ્વજસિંહજીના વરદ હસ્તે થયેલ છે. સંવત 2009 ના માહ વદ 7 ના રોજ શાસનસમ્રાટ તપાગચ્છાધિપતિ ભારતીય ભવ્યવિભૂતિ સર્વતંત્રરવતંત્ર બાળબ્રહ્મચારી મહાપ્રતાપી પરમ પૂજ્યપાદ જગદ્ગુરુ આચાર્યદેવ શ્રીમદ્ વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ સાહેબના પટ્ટાલંકાર વ્યાકરણવાચસ્પતિ, કવિરત્ન, શાસ્ત્રવિશારદ શાંતમૂર્તિ શાસન પ્રભાવક પરમપૂજ્ય આચાર્ય મ. શ્રીમદ્ વિજયલાવયસૂરીશ્વરજી મ. શ્રીની પિતાને ત્યાં પધરામણી કરાવી અને તે જ દિવસે પૂજ્ય સૂરીશ્વરજીના સદુપદેશથી બેટાદના જ્ઞાનમંદિરમાં તથા ન્યાયાચાર્ય ન્યાયવિશારદ જૈન ન્યાયના પ્રાણદાતા જૈન જગતના મહાન તિર્ધર પૂજ્યપાદ શ્રી યશોવિજ્યજી વાચકપ્રવર વિરચિત “નપદેશ” નામને જૈને ન્યાયને” અજોડ મહાગ્રંથ કે જેના ઉપર ‘નયામૃતતરંગિણી” નામની પણ ટીકા છે તથા તે મૂળગ્રંથ અને સ્વપજ્ઞ ટીકાનુસારી પૂજ્ય સૂરીશ્વરજીકૃત “તરંગિણતરણી' નામની ટીકા ( ઉક્ત બંને ટીકા સહિત, ઉકત “નપદેશ” ગ્રંથના બીજા ભાગના પ્રકાશન માટે રૂ. 4000) આપવાના કહ્યા છે. આ રીતે ખરેખર શેઠશ્રીએ સર્વતોમુખી દાનગંગાને વહેતી મૂકી, દાનધર્મને અપનાવી સ્વજીવન ધન્ય બનાવી રહ્યા છે, પરભવની અભંગ બેંકમાં નાણાંને જમા કરાવી રહ્યા છે. શેઠશ્રીન આદર્શ શ્રીમંત તરીકેનું જીવન જીવી સર્વનામની સાર્થકતાને પણ સાધી રહ્યા છે. શાસનદેવ તેમની આ સર્વતે મુખી દાનવીરતાને જીવનના ચરમ સમય સુધી સુરક્ષિત રાખે અને તેમનાં સંતાને પણ પિતાના વડીલના વારસાને અપનાવે ને આબાદ રાખે એ જ ભાવના, “શુભ ભવત"

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 282