Book Title: Navtattva Prakaran
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 13
________________ નવતત્ત્વ પ્રકરણ / સંકલના સંવરમાં દૃઢ ઉપયોગ કર્યા વગર જીવ વીતરાગ થઈ શકે નહિ. તેથી વીતરાગ થવા માટે આશ્રવ અને સંવરનો સૂક્ષ્મ બોધ અતિ આવશ્યક છે. વળી, જીવની એકાંતે હિતકારી અવસ્થા મોક્ષઅવસ્થા છે. તેથી મોક્ષનું સ્વરૂપ જાણવું આત્મા માટે અતિ આવશ્યક છે, માટે તત્ત્વાર્થાધિગમસૂત્રમાં પૂ. વાચકવર શ્રી ઉમાસ્વાતિજી મહારાજ સાહેબે સ્વોપજ્ઞ ભાષ્યમાં જે મોક્ષનું વર્ણન કર્યું છે અને મોક્ષમાં કેવા પ્રકારનું સુખ છે તેને સ્પષ્ટ કરવા અર્થે “સુખ” શબ્દથી વાચ્ય સુખ ચાર પ્રકારે છે તેમ બતાવેલ છે અને તે ચાર પ્રકારના સુખમાં મોક્ષનું સુખ કેવા પ્રકારનું છે તેની સ્પષ્ટતા કરેલ છે. તેથી અમોએ તત્ત્વાર્થભાષ્યનો તે વિભાગ પ્રસ્તુત ગ્રંથમાં શબ્દશઃ લખીને તેનું ભાષાંતર કરેલ છે, જેથી પૂર્વના મહાપુરુષોનાં વચનથી મોક્ષના સ્વરૂપનો યથાર્થ બોધ થાય. છઘસ્થતાને કારણે આ ગ્રંથના વિવેચનમાં વીતરાગ પરમાત્માની આજ્ઞાવિરુદ્ધ કે ગ્રંથકારશ્રીના આશયવિરુદ્ધ અજાણતાં કંઈ પણ લખાયું હોય તો ત્રિવિધે ત્રિવિધે “મિચ્છા મિ દુક્કડ' માંગું છું. - પ્રવીણચંદ્ર ખીમજી મોતા, વિ. સં. ૨૦૬પ, અષાઢ સુદ-૧૩ તા. ૫-૭-૦૯, રવિવાર ૩૦૨, વિમલવિહાર, સરસ્વતી સોસાયટી, પાલડી, અમદાવાદ-૭. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 182