SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ નવતત્ત્વ પ્રકરણ / સંકલના સંવરમાં દૃઢ ઉપયોગ કર્યા વગર જીવ વીતરાગ થઈ શકે નહિ. તેથી વીતરાગ થવા માટે આશ્રવ અને સંવરનો સૂક્ષ્મ બોધ અતિ આવશ્યક છે. વળી, જીવની એકાંતે હિતકારી અવસ્થા મોક્ષઅવસ્થા છે. તેથી મોક્ષનું સ્વરૂપ જાણવું આત્મા માટે અતિ આવશ્યક છે, માટે તત્ત્વાર્થાધિગમસૂત્રમાં પૂ. વાચકવર શ્રી ઉમાસ્વાતિજી મહારાજ સાહેબે સ્વોપજ્ઞ ભાષ્યમાં જે મોક્ષનું વર્ણન કર્યું છે અને મોક્ષમાં કેવા પ્રકારનું સુખ છે તેને સ્પષ્ટ કરવા અર્થે “સુખ” શબ્દથી વાચ્ય સુખ ચાર પ્રકારે છે તેમ બતાવેલ છે અને તે ચાર પ્રકારના સુખમાં મોક્ષનું સુખ કેવા પ્રકારનું છે તેની સ્પષ્ટતા કરેલ છે. તેથી અમોએ તત્ત્વાર્થભાષ્યનો તે વિભાગ પ્રસ્તુત ગ્રંથમાં શબ્દશઃ લખીને તેનું ભાષાંતર કરેલ છે, જેથી પૂર્વના મહાપુરુષોનાં વચનથી મોક્ષના સ્વરૂપનો યથાર્થ બોધ થાય. છઘસ્થતાને કારણે આ ગ્રંથના વિવેચનમાં વીતરાગ પરમાત્માની આજ્ઞાવિરુદ્ધ કે ગ્રંથકારશ્રીના આશયવિરુદ્ધ અજાણતાં કંઈ પણ લખાયું હોય તો ત્રિવિધે ત્રિવિધે “મિચ્છા મિ દુક્કડ' માંગું છું. - પ્રવીણચંદ્ર ખીમજી મોતા, વિ. સં. ૨૦૬પ, અષાઢ સુદ-૧૩ તા. ૫-૭-૦૯, રવિવાર ૩૦૨, વિમલવિહાર, સરસ્વતી સોસાયટી, પાલડી, અમદાવાદ-૭. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005541
Book TitleNavtattva Prakaran
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy