Book Title: Mantra Chintamani
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Pragna Prakashan Mandir

View full book text
Previous | Next

Page 13
________________ ૧૩ સદી ચિંતાને (અને ચિતાન) પણ યુગ છે, એવા અમારા વિધાનના સમર્થન માટે અમે આજે અનેક પશ્ચિમના સમર્થ વિચારકેને ટાંકી શકીએ છીએ. કેલન વિલ્સન જેવા ચિતકને “આઉટ સાઈડર” અને બીએન્ડ ધ આઉટ સાઈડર જેવા ગ્રંથે લખવા પડ્યા છે. અને સાર જેવા વિચારકને પણ વ્યથા વ્યક્ત કરવી પડી છે. અલ્ટસ હકસલીએ “ધ ડોર્સ ઓફ પરસેપ્શન' નામના ગ્રંથમાં કહ્યું છે કે “ઘણુ માનવીઓ (હવે) માને છે કે આત્મસાક્ષાત્કારને અગમ્ય રોમાંચક અનુભવ કરવાની રાસાયણિક ચાવી ભલી ગઈ છે. ઉપવાસ, તિતિક્ષા, મત્રના જપ અતિ પ્રાચીનકાળથી આવા પ્રકારની સ્થિતિ લાવવા વપરાય છે અને હાલ આવા સાધનોનાં બદલે મીસેટાઈન નામનું રસાયણ વાપરીને સાક્ષાત્કારના કારને વધુ વિસ્તૃત બનાવી શકાય છે અને સમાધિ સ્થિતિ જેવી પ્રબુદ્ધ અને ચિત્તલયની અવસ્થા અનુભવી શકાય છે. એલ. એસ ડી. સંપ્રદાયના નામે જાણીતા થયેલા સંપ્રદાયે તે એક ડગલુ આનાથી આગળ ભર્યું છે.” યોગ-સમાધિ અને મંત્ર જપ)ને ઘણે ગાઢ સંબંધ છે. પાંતજલ મતથી “ગસ્તુ ચિત્તવૃત્તિનિરોધઃ” ની વ્યાખ્યા પ્રમાણે વેગમાં ચિત્તને કાચબાની જેમ સકેરી લેવાને ઉદ્દેશ્ય છે. યોગ એટલે જાદુઈ ચમત્કાર કે હવામાં ઉડ્ડયનના ખ્યાલ છોડી દેવા જોઈએ. આવું માત્ર વિષે છે. માત્ર મનને ઉર્ધ્વરેતસ બનાવે છે. મંત્ર મનને નિયંતા બને છે. જેમ પિતાના કાર્યમાં કુશળતા હેય-શૌન. પર્મg સૌરા -તેમ મંત્રનો પણું સાધક કે પ્રાગત ઉચ્ચ આધ્યાત્મિક સાધક બને છે. આજે પણ વિજયા (ભાગ) કે ગાંજો લઈ તેની મસ્તીમાં મસ્ત બની વિહરનારા જે ભ્રમ, આનદ અને ભ્રાંતિદર્શન કરે છે, તેઓ સમાધિને અનુભવ કર્યાની વાત કરે છે, તે યથાર્થ નથી. મંત્રના પ્રયોક્તા કે સમર્થકે ઘણી વાર કહેતા હોય છે “દુનિયામાં એવો કેઈ પણ પદાર્થ નથી કે જે મંત્રસાધના દ્વારા સિદ્ધ ન થાય.”

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 375