Book Title: Manovigyan Author(s): Bhuvanratnasuri Publisher: Dharmnath P H Jainnagar S M P Jain Sangh View full book textPage 5
________________ એમાંથી ત્રણ સાધ્વીજીઓએ માસક્ષમણ, જેવી, મહાન તપશ્ચર્યા કરેલ અને એક શ્રાવિકાબેને ૩૧, ઉપવાસની તપસ્યા, કરેલ તેમજ શ્રી સંઘમાં ૫૧ અઠ્ઠાઈની મહાન તપશ્ચર્યાએ થએલ છે. ૧૫૦ જેટલા અઠ્ઠમ સંઘમાં થએલ છે. સિદ્ધિતપ પણ થએલ છે. " શ્રી સંઘે તપશ્ચર્યા નિમિત્તે ભવ્યાતિભવ્ય શાંતિસ્નાત્ર સહિત અષ્ટાબ્લિકા મહોત્સવ ઉજવેલ છે. મહત્સવ પર કળશ ચઢાવવારૂપ છેલ્લા દિવસે સ્વામિવાત્સલ્ય થએલ. ચાતુર્માસમાં સાંકળી અઠ્ઠમ પણ ચાતુર્માસ પર્યત ચાલુ રહ્યા હતા. અઠ્ઠમ તપ કરનાર દરેક તપસ્વીને રૂા. ૧૧૧ અને શ્રીફળ આપવા વડે બહુમાન કરવામાં આવતું હતું. પર્યુષણ મહાપર્વ પણ અનેરા ઉલ્લાસથી ઉજવાયા હતા. શ્રી કલ્પસૂત્રપરના વ્યાખ્યાને તેમજ કલ્પસૂત્રના છઠ્ઠા વ્યાખ્યાન પરથી શ્રી ગણધરવાદનું વ્યાખ્યાન સાંભળતા અત્રેના શ્રી સંઘમાં અપૂર્વ હર્ષોલ્લાસ છવાઈ ગએલ. આ રીતે ચાતુર્માસ સારી રીતે ઉજવાતા શ્રી સંઘમાં સૌને અપૂર્વ સંતેષ થએલ છે. પૂજ્યશ્રીના પ્રવચનને લાભ અત્રેના સંઘને અપૂર્વ મળેલ છે. છતાં કરેલું શ્રવણ સદાકાળ સ્મૃતિમાં રહેતું નથી. અમુક રહસ્યવાળી વાતે સ્મૃતિમાં રહી જાય એ જુદી વાત છે એટલે શ્રોતાઓના મનમાં એ વાત રહ્યા કરતી હતી કે કઈ પ્રકાશન પૂજ્યશ્રી તરફથી બહાર પડે તે વ્યાખ્યાની મૃતિ કાયમ જળવાઈ રહે. ' 'Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 462