Book Title: Mahavirni Sadhnano Marm
Author(s): Chandrahas Trivedi, 
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 167
________________ જ્ઞાનસમાધિ એટલે શુદ્ઘ ઉપયોગ; સાક્ષીભાવ, દૈષ્ટાભાવ; પણ આ બાબતમાં ઘણી ગેરસમજ પ્રવર્તે છે. સાક્ષીભાવમાં ઇન્દ્રિયોના વિષયો રહે પણ ખરા. તેને રોકવાનું અશક્ય હોય અથવા આવશ્યક ન પણ લાગે. અનુકૂળ-પ્રતિકૂળ, સુગંધ-દુર્ગંધ, પ્રશંસા-નિંદા આ બધી વસ્તુઓને રોકી શકાતી નથી. ઇન્દ્રિયો ઇચ્છે કે ન ઇચ્છે પણ તેને ઇન્દ્રિયો ગ્રહણ કરી લે છે. ગ્રહણ કરવાથી જ્ઞાનસમાધિ તૂટતી નથી; પણ તે તૂટે છે વિષયો તરફ રાગ અને દ્વેષ થવાથી. ઘટના તો ઘટતી જ રહે છે પણ દૃષ્ટા તેનાથી અલિપ્ત રહે છે; પછી ભલેને તે ઘટના પોતાના શરીર ઉપર ઘટતી હોય. પ્રિયતા અને અપ્રિયતાની સામગ્રીનો સંપર્ક બની રહે છતાંય આપણું તેના પ્રતિ આકર્ષણ કે અનાકર્ષણ ન રહે એ સાધના કઠોર છે બહુ જ કઠોર છે. આ અવસ્થા ઘણી છેતરામણી પણ છે કારણ કે અંદર શું ભાવ છે તે તો માણસ પોતે જ જાણી શકે અને તેથી ઘણીવાર બહારના લોકો તો છેતરાઈ જાય, પણ સાધક પોતેય પોતાનાથી છેતરાઈ જાય છે. જાણીને તે કરે તો તો તે અન્યને છેતરે છે; પણ પોતાનેય ખબર ન રહે ત્યારે તો તે પોતે જ છેતરાય છે. તેથી તો જ્ઞાનસમાધિ બહુ જ સરળ છતાંય બહુ જ કઠિન સાધના છે. જ્ઞાનસમાધિ વિષેની વિચારણા પૂર્ણ કરતાં પહેલાં તેને આનુષંગિક એક બે વાતોનો ઉલ્લેખ કરી લેવાનું ઇષ્ટ છે. જ્ઞાનસમાધિ એટલે કોરું જ્ઞાન - સંવેદન વિનાનું જ્ઞાન. કેવળજ્ઞાન તો જ્ઞાનસમાધિનું પરિણામ છેપછીનું પગલું છે. સમાધિમાં સંકલ્પ-વિકલ્પની શૂન્યતા હોય છે પણ ધ્યેયની શૂન્યતા નથી હોતી. સમાધિના પ્રકર્ષથી ધ્યેયનું રૂપાંતર થઈ જાય છે. શાતા, જ્ઞાન અને શેયનું ત્રિક એક બની જાય ત્યારે સમાધિ ઘટિત થાય છે. જો સંકલ્પ વિકલ્પનો નિરોધ થાય અને ધ્યેયનો બોધ ન રહે તો તે સમાધિ ન કહેવાય. જ્ઞાનસમાધિમાં એકાગ્રતા બહુ મહત્ત્વની છે. એકાગ્રતા સાધન છે. તે ધ્યાનમાં પણ હોય અને સમાધિમાં પણ હોય. ધારણાનું પ્રકર્ષ ધ્યાન અને ધ્યાનનું પ્રકર્ષ સમાધિ. ધ્યાનની એકાગ્રતા અને સમાધિની એકાગ્રતાની તરતમતામાં ઘણો ફેર છે. જ્ઞાનસમાધિ Jain Educationa International For Personal and Private Use Only ૫૧ www www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198