________________
તેમની સાધનામાં બળ હતું. તેઓ સાધનાપથ ઉપર એકલા જ ચાલ્યા છે. એમનો કોઈ સહયોગી ન તો - કોઈ સાક્ષ ન હતો. તેમને કોઈનો આશ્રય ન હતો. તેમણે કોઈનું રક્ષણ સ્વીકાર્યું નથી. કોઈની સહાય વિના, કોઈના શરણ વિના પોતાના પરાક્રમથી, તેઓ સાધનામાર્ગ ઉપર સ્થિર ડગલાં ભરતા આગળ વધતા રહ્યા. તે સમયે તેમના મનમાં ન હતી જીવનની આશંસા કે ન હતો મૃત્યુનો ભય. પોતાના જ પુરુષાર્થ ઉપર નિર્ભર હોવાને કારણે તે આત્મોપલબ્ધિનો માર્ગ પણ કહેવાય છે. આ હતી તેમની તેજસ્વિતા જે આજ સુધી સાધનાપથ ઉપર અજવાળાં પાથરી રહી છે.
|
n
રાત્રિમાધિ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org