Book Title: Mahakavi Shobhanmuni ane Temni Kruti
Author(s): Himanshuvijay
Publisher: Vijaydharmsuri Jain Granthmala

View full book text
Previous | Next

Page 16
________________ મહાકવિ ભનમુનિ અને તેમની કૃતિ. કારી પોતાનું સ્વીકારી તેનું શરણું લઉં છું. પહેલાં જીવન જૈનધર્મને જેન ધર્મને દ્વેષ કરી આ પ્રદેશમાં બાર સેપે છે. વરસ સુધી જેન સાધુના વિહાર બંધ કરાવ્યું તે મેં માટે અપરાધ કર્યો છે. અત્યારે હું તે મારી ભયંકર ભૂલને પશ્ચાત્તાપ કરું છું.” આખાય માળવામાં પંકાયેલ વિદ્વાન કવિ ધનપાળ ઉપર શોભનમુનિના ઉપદેશની કેટલી સચોટ અસર થઈ હશે તેનું અનુમાન, તેના શ્રદ્ધા, ભક્તિ અને નમ્રતાથી ભરેલા આ શબ્દોથી સહેજે કરી શકાય છે. આ પછી તત્કાલ મહાકવિ ધનપાળે, શેભન મુનિની સાથે મહાવીર પ્રભુના મંદિરમાં જઈ ભાવપૂર્વક પ્રભુની સ્તુતિ કરી વિધિપૂર્વક જૈન ધર્મ સ્વીકાર્યો. ધન પાળના જીવનમાં આજે મહાન પરિવર્તન થયું. એક વખત જેનધર્મને મહાન વિરોધી બ્રાહ્મણ પંડિત આજે જેનધર્મનું શરણ સ્વીકારી ચુસ્ત જેન બને છે. હવેથી ભેજરાજાને માનીતે રાજપંડિત અને બાણના બીજા અવતાર સમે ધનપાળ કવિ પિતાની વિદ્વત્તા અને યશ જેનધર્મને આપવા નિર્ણય કરે છે. ધનપાળના આવા મહાન પરિવર્તનને યશ: અને પુણ્ય આપણું ચરિત્ર નાયક શેભન મુનિને જ છે. શેભનમુનિના જીવનમાં આ એક મહાન કાર્ય થયું. ઘણુ વખતની તેમની ભાવના સફળ થતાં તેમના આત્મામાં આનંદ અને સંતોષ થયા. તેઓ પિતાનું સફળ જીવન વિશેષ સફળ માનવા લાગ્યા. પહેલાંના સાધુઓમાં શાસન સેવા કે પ્રભાવના કરવાની કેવી ભાવના અને શક્તિ હતી તે આ બનાવથી પાઠકે જાણી શકશે. જેન સંઘમાં આ બનાવથી ચોમેર આનંદ ફેલાયે. દેશપરદેશમાં વીજળીના વેગે આ સમાચાર ફરી વળ્યા. હિંદભરમાં શ્રીશાભનમુનિનું નામ વધારે મશહૂર અને પ્રભાવિક બન્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38