Page #1
--------------------------------------------------------------------------
________________
મસુરિ જેન ગ્રંથમાળા પુ૫, ૨૩.
શ્રી યશોવિજચજી
Ibollebic lol is
છે દાદાસાહેબ, ભાવનગર, ફોન : ૦૨૭૮-૨૪૨૫૩૨૨
૩૦૦૪૮૪૬
શોભનમુનિ
અને તેમની કૃતિ.
: લેખક : મુનિ રાજ શ્રી હિ માં શુ વિ જ ય જી.
: દ્રવ્ય સહાયક : પાડિવ ( સીરોહી સ્ટેટ-મારવાડ ) વાળા.
શેઠ લંબાજી ઉમાજી.
925-
9006@@
-: પ્રકાશક :
દીપચંદ બાંઠીયા મંત્રી શ્રી વિજયધર્મસૂરિ જૈન ગ્રંથમાળા,
છોટા સરાફ ઉજજૈન ( માલવા )
4
ડે ધર્મ સં. ૧૩
વીર સં. ૨૪ ૬૧
વિક્રમ સં. ૧૮૮૧
કિંમત ત્રણ આના.
a
me%2C.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaray
Page #2
--------------------------------------------------------------------------
________________
વિ....ષ... નું... સાં... ક.લી...યું
(ભનમુનિનું જીવન) શેભનમુનિનું શ્રે કવિત્વ... ... ••• શોભનના પૂર્વજો અને તેનું પ્રારંભિક જીવન ધારાનગરી
••• ••• ••• • • • દટાએલું ધન મળ્યું ... ઉપકારનો બદલો શેભન; બ્રાહ્મણ મટી શ્રમણ થયે ... .. શેભનમુનિની પ્રગતિ ••• ... ... ધનપોળને ક્રોધ અને જૈન સાધુને વિહાર બંધ સંઘની વિનતિ અને શબનમુનિનું ધારામાં જવું ધનપાળને પ્રતિબંધ અને બે ભાઈઓની ભેટ .. જયારે ધનપાળ જૈન ધર્મ સ્વીકારી પિતાનું જીવન જૈન ધર્મને સેપે છે . ધનપાળને ટૂંક પરિચય માળવામાં જૈન સાધુઓ ... શેભનમુનિનું વ્યક્તિત્વ . શેભનમુનિની કૃતિ ... શબનમુનિનું અવસાન ...
(ઐતિહાસિક આલોચના) મતભેદનું કંઇક ગામની પરીક્ષા શોભનના પિતા શોભનમુનિના ગુરુ ••• ... શેભનનું ગૃહસ્થ કુટુંબ . શેભનસ્તુતિચતુર્વિશતિકાની ટીકાઓ.. ઉપયોગી પરિશિષ્ટો ••• .. •••
મુદ્રક-શાહ ગુલાબચંદ લલુભાઈ–મહેદય પ્રિ. પ્રેસ. દાણાપીઠ–ભાવનગર. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #3
--------------------------------------------------------------------------
________________
શ્રી વિજયધર્મસૂરિ.
सन्म वि. स. १८२४ . भा .
દીક્ષા સં. ૧૯૪૩
ભાવનગર.
०००००००००००००००००००००००००००.०..०००००
०००००००००००
०००००००००
TID10
०००००००००००००००००००००००००००००००००००
००००००००००००००
००००००००००००००००००००००००००
આચાર્ય પદ સં. ૧૯૬૪
નિર્વાણ સ. ૧૯૭૮ आशी.
शिवपुरी. सत्पाथोजविकासवासरकरो गाम्भीर्यरत्नाकरो
धर्मोद्धारिसमाजदेशसुखदः प्रानन्दकन्दाम्बुदः । श्रद्धाज्ञानचरित्रनिर्मलबलः कुन्देन्दुकीयोज्ज्वलः मूरिः श्रीविजयादिधर्ममुनिपः स्याद् भूयसे श्रेयसे ॥
-अनेकान्ती.
શ્રી મહાદય પ્રેસ-ભાવનગર.
Page #4
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #5
--------------------------------------------------------------------------
________________
મહાકવિ શોભનમુનિ
અને તેમની કૃતિ.
કવિ” જગત્ની એક અનેરી વિભૂતિ છે. કવિત્વ શક્તિ કુદરતની અપૂર્વ બક્ષિસ છે. હજારે ધનાલ્યો કે રાજાઓ જગતને જે લાભ ન આપી શકે તે લાભ ધારે તો એક સાચો કવિ આપી શકે છે. કવિને “કવિત્વ શક્તિ” શોધવા જવું પડતું નથી. સ્વયમેવ તે શક્તિ સાચા કવિને વરવા આવે છે. આ કુદરતી કવિજ જગતને અવનો આનંદ આપી શકે છે. “કવિ” જગતના ગમે તેવા પદાર્થોનું સૂકમતમ નિરીક્ષણ કરી તે પદાર્થોને પિતાની કલ્પના શક્તિથી વર્ણવી સુંદર બનાવે છે, અને તે દ્વારા તેમાં તે અને રસ ઉત્પન્ન કરે છે. એ જ કવિની ખરી પૂબી છે. “ જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ ” એ લેક કહેવતની પણ આવા કવિ માટે જ સાર્થક્તા ગણું શકાય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #6
--------------------------------------------------------------------------
________________
મહાકવિ ભનમુનિ અને તેમની કૃતિ. જેમ એક રાજા કે ધની અમુક દેશ કે કાળને માટે જ સરજાયેલ હોય છેતેમ કવિ નથી હોતો. સાચે કવિ તે તમામ જગત્ અને બધા કાળ માટે સરજાયેલે હોય છે, કેમકે તે પિતાના યશ:–શરીરથી સદા જીવતો જાગતો રહી, પોતાની પાછળ મુકેલી કૃતિને લાભ જગતને સતત આપતો જ રહે છે. કવિ મનુષ્યલોકમાં પણ પોતાની અનુપમ પ્રતિભાથી સાક્ષાત્ સ્વર્ગનો અનુભવ કરી બીજાને પણ તેને સાક્ષાત્કાર કરાવવામાં સમર્થ હોય છે. આ જ કવિ સાચે કવિ કહી શકાય, અન્યથા “વવા: પા: મૃતા: ” ( કવિઓ વાંદરા છે. ) ની કહેવત લાગુ પડે. -
આવા કુદરતી જન્મસિદ્ધ શ્રેષ્ઠ કવિઓ આ ભારતમાં થતા આવ્યા છે, તેમાં જેનોએ મેટો હિસ્સો આપ્યો છે. દરેક જમાનામાં હિન્દની એકેએક ભાષામાં જૈન મુનિઓ અને ગૃહસ્થાએ સુંદરતમ કાવ્ય રચના કરી જગતને ચકિત કરી નાખ્યું છે. સંસ્કૃત, પ્રાકૃત ગુજરાતી અને કાનડી ભાષામાં તો કેટલાક જૈન કવિએનું નામ અઢારમી સદી સુધી મેખરે રહ્યું છે. આપણા પ્રસ્તુત સ્તુતિકાર આ “શ્રી શેભન સુનિ” પણ
તેવા વિશેષ કુદરતી કવિઓ પૈકીના એક શ્રેષ્ઠ શોભન મુનિનું કવિ હતા, એમ માનવામાં તેમની ઉપલબ્ધ શ્રેષ્ઠ કવિત્વ. એક જ “નિનસ્તુતિ ચતુર્થેરાતિ” કૃતિ આપણને
પ્રેરે છે. તેમની બીજી કૃતિઓ જડી નથી, અને કદાચ તેમણે ન પણ બનાવી હોય; છતાં પ્રસ્તુત કૃતિથી જ તેમને શ્રેષ્ઠ કવિ કહેવામાં કોઈપણ જાતનો વાંધો નથી.
જેમનાં ઘણું કાવ્યે મળતાં હોય તે જ મોટા કવિ છે” આવી માન્યતા સાચી નથી. પોતામાં કવિત્વ શક્તિ સારામાં સારી હોવા છતાં કેટલાક મહાકવિઓ ગમે તે કારણે એક પણ કાવ્ય કે મહાકાવ્ય બનાવ્યા વગર જ આ જગત્ છોડીને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #7
--------------------------------------------------------------------------
________________
શ્રી શબનમુનિના જીવન ઉપર પ્રકાશ. ચાલ્યા જાય છે, કેટલાએક બીજા વિષયના ગ્રંથો બનાવવામાં આનંદ કે લાભ માની કાવ્યના ગ્રંથે થોડા બનાવે છે. અથવા બનાવતા ય નથી. આવા અનેક દાખલા મળે છે. આવી અવસ્થામાં તેવા કુદરતી કવિઓને આપણે “કવિ” નહિ માનીએ તો એક મેટી ભૂલ જ ગણાય, ભયંકર અન્યાય જ થાય, એમ મારું માનવું છે. જે તેમ ન હોય તે “ સિદ્ધસેન દિવાકર ” કે જેઓનું “કલ્યાણ મંદિર સ્તોત્ર સિવાય બીજું એક પણ કાવ્ય અત્યાર લગી મળ્યું નથી, છતાં તેમને માટે, હજારે લેકનાં કાવ્યે રચનાર આચાર્ય શ્રી હેમચંદ્ર જેવા મહાન કવિ “કસિદ્ધસેન વવવ:” (સિ. હૈ. ૨–૨-પૃ૦ ૭૨) કહી તેમને મહાકવિનું માન આપે છે, તેથી એમ માનવું જોઈએ કે કવિતા બનાવવી જુદી વસ્તુ છે અને કવિત્વ શક્તિ હોવી જુદી વસ્તુ છે. આપણા “ શોભન મુનિ ” પણ તેવા જ કવિ હતા, કે જેઓ શબ્દાલંકાર અને ભક્તિના પૂરથી છલકતી
નિનસ્તુતિવતુર્વેતિ ' નામની એક જ કૃતિ જગતને આપી તરુણવયમાં સ્વર્ગવાસી થયા છે. તેમની પ્રસ્તુત કૃતિની આલેચના કરવાનું કામ આગળ ઉપર રાખી, આ કૃતિના કર્તા ( શોભનમુનિ ) ના જીવન ચરિત્ર તરફ હું વાચકને લઈ - જવા માગું છું.
શ્રી શોભન મુનિના જીવન ઉપર પ્રકાશ.
અત્યાર લગી પ્રકાશિત થએલ જૂના અને નવા ગ્રંથમાં શ્રી શોભન મુનિનું જીવન ચરિત્ર બહુ જ ટૂંકાણમાં, અને તે પણ અપૂર્ણ મળે છે. તેમના જન્મસ્થાન, માતા, પિતા અને ગુરુનાં નામના સંબંધમાં અનેક ગ્રંથકાર જુદા જુદા મત આપે છે, પણ મને તે આમના જીવનના વિષયમાં મહાકવિ ધનપાળ (શોભન
મુનિના વડીલ ભાઈ) ના ગ્રંથ, પ્રભાવક રારિત્ર અને પ્રબંધ * ચિંતામણિ વધુ પ્રામાણિક લાગે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #8
--------------------------------------------------------------------------
________________
મહાકવિ શોભનમુનિ અને તેમની કૃતિ. શેભન મુનિનું જીવન ભિન્ન ભિન્ન બે પ્રકારના સંસ્કારોથી ઘડાયું
છે–જન્મથી તેમનામાં વૈદિક સંસ્કાર શેભનના પૂર્વજે પાવાયા છે અને દીક્ષા પછીથી જેન અને તેનું પ્રારં- સંસ્કારેએ તેમાં અપૂર્વ સુધારણ કરી ભિક જીવન. નવું તેજ ઉત્પન્ન કર્યું છે. જન્મથી તેઓ
વૈદિક બ્રાહ્મણ હતા. સહુ પહેલાં આપણે તેમના ભાઈ ધનપાળની કૃતિ “તિલકમંજરી” તરફ નજર નાખીશું. મહાકવિ ધનપાળ પોતાને પરિચય આપતાં તેમાં લખે છે –
મધ્યદેશ કે જેને આજકાલ સંયુક્ત પ્રાંત ( યુ. પી. ) કહેવામાં આવે છે, તેમાં આવેલા “સાંકાય” નગરને રહેવાસી
દેવર્ષિ ' બ્રાહ્મણ હતે. તેનો પુત્ર “સર્વદેવ” થયે, જે શાસ્ત્રકળા અને ગ્રંથ રચવામાં નિપુણ હતો. આ સર્વદેવને બે પુત્રો થયા, માટે “ધનપાળી” અને નાના “શેભન”. આપણું ચરિત્રનાયક આ જ શોભન છે. ધનપાળના પિતા સર્વદેવ, “ભેજ” ની
ધારા” (ધાર) નગરીમાં આવી રહ્યા હતા. તેમના બંને પુત્રોને જન્મ કયાં થયે, તેને નક્કી ખુલાસે જે કે આપણને મળતો નથી, પણ અનુમાનથી કહી શકાય કે, સર્વદેવ ઘણું વર્ષોથી ધારામાં આવી રહ્યા હશે, આ હિસાબે આ બંને તેમના પુત્રોને જન્મ ધારામાં થયેલ હોય એમ લાગે છે. જે વખતે રાજા “ભેજ ” માળવાનું રાજ્ય કરતો હતો તે
વખતની “ધારા” નગરી ઘણી જાહોજલાલીધારાનગરી. વાળી હતી. અનેક વીરે, વિદ્વાને અને ધના
ત્યોથી તે નગરી શોભી રહી હતી. વિદ્યાના १. आसीद् द्विजन्माऽखिलमध्यदेशे प्रकाशसाझाश्यनिवेशजन्मा ।
अलब्ध देवार्षरिति प्रसिद्धिं यो दानवर्षित्वविभूषितोऽपि ॥ ५१ ॥ રાવતી, રા: વાણું, વ ર વો ૨ મિr ag: I तस्याऽऽत्मजन्मा समभून्महात्मा, देवः स्वयंभूरिव सर्वदेवः ॥ ५२ ॥"
તિલકમંજરીની પીઠિકા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #9
--------------------------------------------------------------------------
________________
દટાયેલું ધન મળ્યું.
સુગંધી વાતાવરણથી મહેકી રહી હતી. દેશ વિદેશના નામી પંડિતાને ત્યાં ગર્વ ઉતરી જતા હતેા. સારા વિદ્વાન્ કિવઓને લાખાનાં ઇનામ અને માટી ઇજ્જત એનાયત કરવામાં આવતાં હતાં. સરસ્વતી અને લક્ષ્મી બન્નેના ત્યાં સાથે વાસ હતેા.
રાજા ‘ લેાજ ’ કેવળ ચેાગ્ય રાજાજ નહિ પણ, એક અઠંગ વિદ્વાન્ અને રસિક કવિ પણુ હતા કે જેના વ્યાકરણની ઈર્ષ્યાથી ગુજરાતના રાજા સિદ્ધરાજજયસિંહે શ્રી હેમચંદ્રાચાય ને પ્રાર્થના કરી ‘ સિદ્ધહેમન્તન્દ્રરાવ્યાનુરાસન ’ અનાવરાવ્યું. ( જૂએ આ વ્યાકરણની મારી પ્રસ્તાવના ). તે સાચા વિદ્વાનેાના પાષક અને અનુમેાદક હતા; તેથી સર્વદેવ પંડિત આ નગરીમાં રહેતા હતા. આવા વિદ્યાવ્યાસંગના સ્થાનમાં રહેવાથી તેના બન્ને પુત્રાને પણ વધારે અનુભવ મેળવવાના અવસર મળી આવ્યેા. ધનપાળ અને શાલનને તેના પિતા પાસેથી પરંપરા પ્રાપ્ત વિદ્યા તેા મળીજ હતી; પણ સાથે સાથે ત્યાંના જુદા જુદા પંડિતાના સમાગમથી તેમનો વિદ્યામાં ઘણું! સારા વધારા થયા. ધીમે ધીમે આ બન્ને ભાઇઓએ પેાતાની પ્રતિભાથી ધારાના પડતા અને ભાજરાજાના હૃદયમાં માનવંતુ સ્થાન મેળવ્યું. તેઓ બન્ને આખા ય માલવાના પડિતામાં પંકાવા લાગ્યા.
વિદ્યાના માટે ઘણે ભાગે હમેશાં મને છે તેમ સદેવ પંડિત ઉપર લક્ષ્મીદેવી પ્રસન્ન ન હતાં. તેના પિતાએ ઘરમાં પુષ્કળ ધન દાટ્યું હતું, પરન્તુ તે કયે સ્થળે દાટવુ છે ? તેની ખખર સર્વ દેવને નહિ હતી. તે પેાતાના ઘરમાં દટાયેલું ધન મેળવવા ચાહતા હતા. એક દિવસે તપસ્તેજ અને વિદ્વત્તાથી શાભતા શ્રીમહેન્દ્રસૂરિ' ધારામાં આવ્યા. તેમના મહિમા અને પાંડિત્યની વાત રાજા પ્રજા અને પડતામાં ફેલાઇ. સ`વદેવે આ આચાર્ય ને સમાગમ કર્યા. આચાર્ય ઉપર તેને પ્રેમ અને વિશ્વાસ વધતા ચે. આચાર્ય આગળ તેણે પેાતાની ગરીબાઈની વાત ૧ પ્રશ્નધચિંતામણિમાં વર્ધમાનસૂરિ આવ્યાનું લખ્યું છે, તેની આલેાયના આગળ કરીશું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
દટાયલું ધન મળ્યું.
www.umaragyanbhandar.com
Page #10
--------------------------------------------------------------------------
________________
મહાકવિ શોભનમુનિ અને તેમની કૃતિ. કાઢી પોતાના ઘરમાં દટાએલ ધનને બતાવવા સાગ્રહ વિનતિ કરી. તે આચાયે તેના ઘરમાં દટાયેલ ધન બતાવ્યું. સૂરિજીએ બતાવેલા સ્થળમાં સર્વદેવને મોટી ધનરાશિ પ્રાપ્ત થઈ. ધનના આનંદથી તે ગાંડે ઘેલો થઈ ગયે. ધન અગ્યારમાં પ્રાણ છે. બાળકથી વૃદ્ધ, મૂર્ખથી પંડિત, બધા ય જેની રાતદિવસ ઝંખના કરે છે તેનાથી કેમ આનંદ ન થાય?
સર્વદેવ, પંડિત હવા સાથે પૂરેપૂરો કૃતજ્ઞ હતો. સૂરિજીના ઉપકારને બદલે આપવા તે ચાહતો હતો. તેણે મળી આવેલા ધનને અર્ધો ભાગ લેવા સૂરિજીને પ્રાર્થના કરી, પણ તેઓ તે પંચમહાવ્રતધારી જૈનાચાર્ય હતા. પરિગ્રહથી તદ્દન દૂર રહેનાર નિગ્રન્થ; ધનને શું કરે? એક કોડી પણ સૂરિજીએ લીધી નહિ. અંતે સર્વદેવની પ્રાર્થનાથી સૂરિજીએ એક રસ્તો બતાવ્યો:– “ઉપકારને બદલે આપ જ હોય તે તારા બે પુત્રોમાંથી એક પુત્ર મને આપ, જેથી જગતમાં તારું પણ નામ થાય. ” આ ઉત્તર સાંભળી સર્વદેવ પુત્રપ્રેમને લીધે સંકોચાયો, પણ ઉપકારને બદલે આપવાનો વિચાર તેને બેચેન બનાવતો હતે. પ્રભાવક ચરિત્રકાર લખે છે કે –તે વિચારમાં તેનું આખું વર્ષ વીતી ગયું. અંતે તીર્થમાં જઈ મહેન્દ્રસૂરિના ઉપકારનો બદલો નહિ આપવા સંબંધી પોતાના પાપને ધોવાનો વિચાર કરી સર્વદેવે પ્રસ્થાન કર્યું. પ્રસ્થાન સમયે ધનપાળે કારણ પૂછતાં ઉત્તરમાં સર્વદેવે જણાવ્યું કે –“મારું ઋણ ચુકાવવા બેમાંથી એક પુત્રની જૈનાચાર્ય માગણી કરે છે. આ ઋણ ચુકાવ્યા વગર હું મરી જઉં તો મારી સદગતિ થાય નહિ; તેથી તે પાપ ધેવા તીર્થમાં જઉં છું.” પિતાની વાત સાંભળી ધનપાળ ચમક અને ધથી સર્વદેવને
કહેવા લાગ્યો કે –“તમે પિતાના પુત્રને ઉપકારનો બદલો. જેન દીક્ષા અપાવી આપણે કુળને કલંકિત
કરવા માંગે છે? આપણા કુળમાં શુદ્ધ યજ્ઞયાગાદિ વેદપાઠ કરનાર બ્રાહ્મણે થયા છે. બ્રાહ્મણે અને શ્રમShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #11
--------------------------------------------------------------------------
________________
શોભન, બ્રાહ્મણ મટી શ્રમણ થશે. ણામાં હંમેશાંથી વિરોધ ચાલતો આવે છે. આવી અવસ્થામાં જેન સાધુને તમે પુત્ર કેમ આપી શકે ? જો તમે તેમ કરશે તે હું તમારે પણ સંબંધ છેડી દઈશ. ” પુત્રનાં આવાં અનાદરવાળાં વચન સાંભળી સર્વદેવનો ગભરાટ વધે છે, ત્યારે તે વખતે સર્વદેવને નાના પુત્ર “શોભન' પિતા પાસે જઈ કહે છે કે –“પિતાજી તમે કંઇ પણ ચિંતા કરશે નહિ. ઉપકાર વાળવાની તમારી પ્રતિજ્ઞા હું પૂરી કરીશ.' શેભન ” તેના પિતાને એક સાચે ભક્ત પુત્ર હતો. “Tોરારા રાયસી” ના સિદ્ધાન્તમાં માનનારો હતો. સાથે સાથે જન સાધુનાં અહિંસા, તપ અને સંયમનું મહત્ત્વ પણ તે સમજતો હતો, તેથી તેણે પિતાની પ્રતિજ્ઞા પૂરી કરવાનું બીડું ઝડપ્યું. પ્રતિજ્ઞાને પૂરી કરાવનારાં પુત્રનાં અમૃતમય વચને સાંભળી
| સર્વદેવના હૃદયમાં આનંદની ઉમિઓ ઉછશાસન બ્રાહ્મણ ળવા માંડી. પુત્ર ઉપર પ્રસન્ન થઈ સર્વદેવે મટી શ્રમણ થશે. આશીર્વાદપૂર્વક પોતાને પુત્ર સૂરિજીને સ.
શેભન “ બ્રાહ્મણ ” મટી “ શ્રમ ” થયે. મહેન્દ્રસૂરિ, આ નવા શિષ્ય સાથે અન્યત્ર વિહાર કરી ગયા. બહુ થોડા જ સમયમાં જેનાગમાદિ વિવિધ પ્રકારની વિદ્યા ભણાવી સૂરિજીએ પોતાના આ નવા શિષ્યમાં અનુભવ અને પાંડિત્યનું નવું તેજ ઉમેર્યું. ગુરુસેવા કરી શોભનમુનિએ એક બાજુ સમ્યગ્દર્શન
સાથે સમ્યગ્રજ્ઞાન મેળવ્યું અને બીજી બાજુ શેભન મુનિની ચારિત્રની સંપત્તિ મેળવી. પૂર્વની વિદ્વત્તામાં પ્રગતિ. આ વસ્તુઓ ઉમેરાતાં તેઓ મહાન પ્રભાવ
શાળી બની ગયા. થોડા વર્ષોમાં પોતાના પ્રાંતમાં જ નહિ, પણ દૂર દૂરના અનેક પ્રાંતમાં શોભનની કીર્તિ ફેલાણી. શિષ્યની વધતી જતી કીર્તિને જોઈ મહેન્દ્રસૂરિનું હૃદય
આનંદથી ઉછળવા લાગ્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #12
--------------------------------------------------------------------------
________________
મહાકવિ શોભનમુનિ અને તેમની કૃતિ.
આ માજી ધનપાળની સખત મનાઇ છતાં શાલને જૈન સાધુ પાસે દીક્ષા લીધી હાવાથી ધનપાળે ધનપાળના ક્રોધ, પિતા ઉપર ક્રુદ્ધ થઈ પિતા સાથેનેા સબ ંધ અને જૈન સાધુના છાડી દીધા. તે જૈન સાધુઓના પહેલાં કરતાં વિહાર બધ. વધારે કટ્ટર દુશ્મન બની ગયા. તેણે ભાજરાજાના કાન ભંભેરી માળવામાં જૈન સાધુને નહિ વિચરવા રાજ હુકમ કઢાવ્યેા. ભારતમાં ધર્મદ્વેષને લીધે પેાતાની સત્તા અને શક્તિઓના ખાટા ઉપયાગ કરવાના દાખલા આવી જ રીતે મનતા હતા. માળવામાં જૈન શ્રમણા ( મુનિએ ) નાં દર્શન દુર્લભ થયાં. આ વાતને જોતજોતામાં ખાર ખાર વર્ષનાં વહાણાં વહી ગયાં. જૈન સાધુએના વિહાર ખંધ હાવાથી માળવાના જૈન
લેાકેામાં સર્વત્ર ઉદાસીનતા અને દુઃખની લાગણી ફેલાઇ.
જેનેામાં ધર્મપ્રેમ અને આત્માભિમાન જાગવાથી માળવાના સંઘે શ્રી મહેન્દ્રસૂરિ પાસે જઇ માળવાની ધર્મ સ‘બધી કેાડી સ્થિતિ કહી સભળાવી અને તેમને ત્યાં પધારી ભાજની અયેાગ્ય આજ્ઞા બંધ કરાવી, જૈનશાસનની પ્રભાવના કરવા વિનતિ કરી. આ બધી વાત ગુરુપાસે બેઠેલા શાલનને બહુ જ ચીવટથી સાંભળતા હતા. તે વખતે તેએ ગુજરાતમાં હતા.
શાભનનિ ભણી ગણીને એક અસાધારણુ વિદ્વાન થઇ ગયા હતા. સચાટ ઉપદેશ આપવાની શક્તિ તેમસઘની વિનતિ નામાં સહજે આવી ગઇ હતી, તેથી ગુરુએ અને શાલન ચેાગ્ય ગણી તેમને ‘ વાચનાચાય ' પદ મુનિનું ધારામાં આપ્યું હતું. પેાતાના દેશના ( માળવાના )
જવું. લેાકેાની વિનતિ સાંભળી તેમને લાગી આવ્યુ કે:~ આ બધું મારા જ નિમિત્તે થયું છે માટે ગમે તેમ કરીને મારે જ આના પ્રતિકાર કરવા જોઈએ. ’ શાશનમુનિ; ડરપેાક અને સુખમાં મસ્ત રહેનાર સાધુ ન હતા, કે જેથી કર્મો ઉપર અથવા કલિકાલ ઉપર દોષ દઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #13
--------------------------------------------------------------------------
________________
સંધની વિનતિથી શોભનમુનિનું ધારામાં જવું. નિરાશ થઈ બેસી રહે. તેમનામાં હિમ્મત હતી, શાસનની દાઝ હતી અને ગમે તેવાને સમજાવવાની વિદ્વત્તા પણ હતી. તેથી માળવામાં જઈ બગડેલી સ્થિતિને સુધારવાની પોતાની ઈચ્છા શોભન મુનિએ ગુરુ આગળ કહી બતાવી. ગુરુએ તેમને હરેક રીતે મેગ્ય સમજી ત્યાં જઈ સુધારો કરવા આજ્ઞા આપી. બસ, પછી શું ?
ફુઈ વૈોપવિષ્ટ ” “ભાવતું હતું ને વૈધે કહ્યું ” જેવું થયું. ગુરુની આશિક્ મેળવી કેટલાક સાધુઓને સાથે લઈ શેલનમુનિએ ધારા ભણ વિહાર લંબાવ્યો. ઉગ્ર વિહાર કરી થોડી મુદતમાં તેઓ ધારાનગરીમાં પ્રવેશ કરતા દેખાયા. લોકો તેમને અનિમેષ દષ્ટિએ ચકિત થઈ જોતા હતા. “અરે ! આ જૈન સાધુઓ અહીં કયાંથી? શા માટે આવ્યા? હમણાં રાજપુરુષો એમને પકડશે. રાજા ગુસ્સે થઈને કોણ જાણે શું કરશે. ?” આમ જ્યાં ત્યાં લેકે આપસમાં અનેક પ્રકારની વાતો કરતા દેખાતા હતા. જેન ધર્મના દ્વેષી કેટલાક લકોને ઈર્ષ્યા થવા લાગી, જ્યારે જેને આનંદથી ઉભરાવા લાગ્યા.
પ્રવેશ કરતી જ વખતે રાજવાડામાં જતો કવિ ધનપાલ રસ્તામાં મળ્યું. જેને સાધુઓને જોઈ તેમનું ઉપહાસ કરવા એક વાય તેણે કહ્યું:-અર્વમત્ત મન્તનમસ્તે ! ” અર્થાત્:-ગધેડા જેવા દાંતવાળા હે મહારાજ ! તમને નમસ્કાર થાઓ. ઘણા વર્ષો વીતી જવાથી શોભનમુનિને તે પોતાના ભાઈ તરીકે ઓળખી શકે નહિ, પણ શેાભનમુનિએ તે ધનપાલને ઓળખી લીધો હતો તેથી ઉપહાસવાળા વાક્યને અનુકૂળ ચમત્કારયુકત ઉપહાસપૂર્વક શબનમુનિ બેલ્યા કે –“પિતૃષTTહ્ય ! વયય ! સુવું તે?” અર્થાત્—વાંદરાના વૃષણ (અંડકોશ) જેવા મુખવાળા હે મિત્ર ! તું સુખમાં તો છેના ?. પોતાના કરતાં વધુ ચમત્કારવાઈ શંભનનું પ્રતિવાક્ય સાંભળી ધનપાળ ચમક ને ઝાંખે પડી બે કે, “હું તમારી વાકય ચતુરાઈથી પરાસ્ત થયે છું. આપ કોણ છે? કયાંથી આવે છે ? અને તેના મહેમાન છો ?” શોભને
અમે તમારા જ મહેમાન છીએ” એમ કહી ધનપાળને વધારે મુંઝવણમાં નાખે. શોભનમુનિની વિદ્વત્તાથી આકર્ષાઈ પોતાના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #14
--------------------------------------------------------------------------
________________
મહાકવિ શોભનમુનિ અને તેમની કૃતિ. માણસ સાથે ધનપાળે શોભનમુનિને ઉપાશ્રયે મોકલ્યા. ધારાવાસિઓમાં હજુ કોઈપણ જાણી શક્યું ન હતું કે આ બંને એક જ માતાના પુત્ર સગા ભાઈ છે. ધારાની સ્થિતિ સુધારવા શોભનમુનિના મનમાં અનેક સંક૯૫
વિકલ્પ થવા લાગ્યા. તેઓ બાહોશ અને ધનપાળને પ્રતિ- યુક્તિબાજ હતા. તેમણે પોતાના સાધુઓને બોધ અને બે ધનપાળને ત્યાં ગોચરી લેવા મોકલ્યા. પ્રશાંત ભાઈઓની ભેટ. આકૃતિવાળા બે જૈન મુનિઓએ જૈન ધર્મના
કટ્ટર દુશ્મન ધન પાળના ઘેર જઈ ધર્મલાભને પવિત્ર નાદ સંભળાવ્યું. ધનપાળ તે વખતે સ્નાન કરતો હતો. તેની સ્ત્રીએ સાધુને કહ્યું કે “અહીં ખાવાનું નહિ મળે, ચાલ્યા જાવ.” ધનપાળે પોતાની સ્ત્રીને કહ્યું કે –“અતિથિને નિરાશ કરે તે મોટો અધર્મ છે, માટે કંઈને કંઈ તો આપ.” તે સ્ત્રી ત્રણ દિવસનું દહીં લાવી મુનિને આપવા લાગી. મુનિએ પ્રશ્ન કર્યો કે -બહેન, આ કેટલા દિવસનું છે?” ઉત્તરમાં તે ચિડાઈને બોલી “ આમાં જીવડાં (પરા) પડી ગયાં છે શું? લેવું હોય તો લો નહિ તો રસ્તો પકડે.” મુનિ બેલ્યા કે:-“બહેન તમે ન કામ ક્રોધ શા માટે કરે છે? અમારે આચાર છે માટે પુછીએ છીએ. હવે રહી જીવડાની વાત. તેના ઉત્તરમાં કહેવાનું કે -બે દિવસ ઉપરાંત દહીંમાં ખટાશ વધતી જાય છે, તેથી તેમાં તે રંગના જી ઉતપન્ન થાય છે એમ જેન શાસ્ત્રો કહે છે. તેની સાક્ષાત્ પ્રતીતિ કરવી હોય તો અલત લાવી દહીંમાં નાખે.” ધનપાળ ત્યાં આવી આ બધી વાત રસપૂર્વક સાંભળતો હતો. તેણે કેતુક જેવાની ખાતર અથવા તત્ત્વ નિશ્ચય કરવાની ખાતર અલતો મંગાવી દહીંમાં નાખ્યા. ડી વારમાં જ તેમાં કેટલાક તે જ વર્ણના–દહીંના રંગના જંતુઓ ઉપર ચાલતા દેખાયા. ધનપાળનું હદય આ દ્રશ્ય જોઈ પીગળ્યું. બહુ આશ્ચર્ય થતાં તેના હૃદયે પલટે ખાધે. જૈન ધર્મની શ્રદ્ધાનું તેનામાં બીજ રોપાયું. જાણે શાસ્ત્રાર્થમાં પરાસ્ત થયો હોય; તેમ નગ્ન થઈને તે મુનિને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #15
--------------------------------------------------------------------------
________________
૧૧
ધનપાળને પ્રતિબંધ અને બે ભાઈની ભેટ. કહેવા લાગ્યું કે, આપ કોણ છો ? કેમના શિષ્ય છે? કયાં ઉતર્યા છે. મુનિએ ચગ્ય ઉત્તર આપ્યા પછી મુનિઓની સાથે જ ધનપાળ ઉપાશ્રય ભણી ચાલ્ય.
શેભન મુનિએ પિતાની યુતિથી જે સુંદર પરિણામ ધાર્યું હતું તે જ આવ્યું. તે પરિણામને સાક્ષાત્કાર કરવાની તેઓ વાટ જોઈ રહ્યા હતા. ધનપાળને દૂરથી આવતો જોઈ પોતાના હેોટા ભાઈ સમજી, અથવા તેને વધુ આકર્ષવા તેઓ (શાભનમુનિ) થોડા સામે આવ્યા. ધનપાળને મધુર વચનથી શોભનમુનિએ બાલાવ્યા, અને માનપૂર્વક તેને સમાન આસને બેસાડ્યો. જ્યારે ધનપાળને ખબર પડી કે આતો “મારે નાનો ભાઈ શેભન છે ” ત્યારે તેનું હૃદય પ્રેમ અને લજજાથી વિચિત્ર પ્રકારનું બન્યું, તેમાં શ્રદ્ધા અને વાત્સલ્યનાં પૂર ઉછળવા લાગ્યાં. જૈન ધર્મ અને જૈન સાધુ ઉપર તેનું માન વધ્યું. ધનપાળે શેભનમુનને કહ્યું કે --“તમે જૈન દીક્ષા લઈ આપણું કુળને ખરેખર અજવાળ્યું છે. તમને ધન્ય છે, તમે મહાત્મા છે, શાસ્ત્રના પારંગત છે, માટે મને સાચે ધર્મ બતાવો.' શેલનમુનિને જોઈતું હતું તેજ થયું. તેઓએ પ્રશાન્ત, ગંભીર અને પ્રેમાળ વચનથી જેન ધર્મના સર્વવ્યાપિ અકાટ્ય સિદ્ધાન્તો અને આચારને મહાકવિ ધનપાળને સુંદર પરિચય કરાવ્યો. ધનપાળ એક મહાન પંડિત તો હતો જ એટલે જેન સિદ્ધાન્તો સમજવામાં તેને મુશ્કેલી પડી નહિ, કેમકે જૈન ધર્મ સાચા બુદ્ધિશાળીઓને માટે જેટલે જલદીથી સુકર અને આદરણીય થઈ શકે છે તેટલે અનભિ-અલ્પબુદ્ધિવાળાઓ માટે નહિ. શોભનમુનિનો શેભન અને સાત્વિક ઉપદેશ સાંભળી આનંદ
પૂર્વક અતિ ભાવુક શબ્દોથી ધનપાળે કહ્યું જ્યારે ધનપાળ કે:- આજે મેં સાચો ધર્મ જ છે જેનધર્મ સ્વી માટે અત્યારથી જ હું તે જૈન ધર્મ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #16
--------------------------------------------------------------------------
________________
મહાકવિ ભનમુનિ અને તેમની કૃતિ. કારી પોતાનું સ્વીકારી તેનું શરણું લઉં છું. પહેલાં જીવન જૈનધર્મને જેન ધર્મને દ્વેષ કરી આ પ્રદેશમાં બાર સેપે છે. વરસ સુધી જેન સાધુના વિહાર બંધ
કરાવ્યું તે મેં માટે અપરાધ કર્યો છે. અત્યારે હું તે મારી ભયંકર ભૂલને પશ્ચાત્તાપ કરું છું.” આખાય માળવામાં પંકાયેલ વિદ્વાન કવિ ધનપાળ ઉપર શોભનમુનિના ઉપદેશની કેટલી સચોટ અસર થઈ હશે તેનું અનુમાન, તેના શ્રદ્ધા, ભક્તિ અને નમ્રતાથી ભરેલા આ શબ્દોથી સહેજે કરી શકાય છે.
આ પછી તત્કાલ મહાકવિ ધનપાળે, શેભન મુનિની સાથે મહાવીર પ્રભુના મંદિરમાં જઈ ભાવપૂર્વક પ્રભુની સ્તુતિ કરી વિધિપૂર્વક જૈન ધર્મ સ્વીકાર્યો. ધન પાળના જીવનમાં આજે મહાન પરિવર્તન થયું. એક વખત જેનધર્મને મહાન વિરોધી બ્રાહ્મણ પંડિત આજે જેનધર્મનું શરણ સ્વીકારી ચુસ્ત જેન બને છે. હવેથી ભેજરાજાને માનીતે રાજપંડિત અને બાણના બીજા અવતાર સમે ધનપાળ કવિ પિતાની વિદ્વત્તા અને યશ જેનધર્મને આપવા નિર્ણય કરે છે. ધનપાળના આવા મહાન પરિવર્તનને યશ: અને પુણ્ય આપણું ચરિત્ર નાયક શેભન મુનિને જ છે. શેભનમુનિના જીવનમાં આ એક મહાન કાર્ય થયું. ઘણુ વખતની તેમની ભાવના સફળ થતાં તેમના આત્મામાં આનંદ અને સંતોષ થયા. તેઓ પિતાનું સફળ જીવન વિશેષ સફળ માનવા લાગ્યા. પહેલાંના સાધુઓમાં શાસન સેવા કે પ્રભાવના કરવાની કેવી ભાવના અને શક્તિ હતી તે આ બનાવથી પાઠકે જાણી શકશે. જેન સંઘમાં આ બનાવથી ચોમેર આનંદ ફેલાયે. દેશપરદેશમાં વીજળીના વેગે આ સમાચાર ફરી વળ્યા. હિંદભરમાં શ્રીશાભનમુનિનું નામ વધારે મશહૂર અને પ્રભાવિક બન્યું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #17
--------------------------------------------------------------------------
________________
ધનપાળને ટૂંક પરિચય.
૧૩
સિદ્ધસારસ્વતકવિ ધનપાળનું જીવન દિવસે દિવસે વધારે ધાર્મિક થતું ગયું. તે શ્રદ્ધાથી શુદ્ધ શ્રાવકધનપાળના ટૂંક ધર્મને પાળવા લાગ્યા. તેણે રાજા ભેાજને પરિચય. સમજાવી માલવામાં જૈન સાધુના વિહાર છૂટા કરાવ્યેા. કલ્પના શક્તિ અને શબ્દાર્થની પ્રોઢતામાં કાદંબરીને પણ ટક્કર મારે તેવી નવ રસથી પૂ ‘તિલકમ‘જરી’ નામની જૈન આખ્યાયિકા ( કથા ) અનાવી તેણે જૈન સાહિત્ય અને પેાતાના જીવનને યશસ્વી કર્યાં. તે ઉપરાંત સત્યપુરીય મહાવીરેાત્સાહ, વીરસ્તવ, પાઇયલચ્છીનામમાળા, ઋષભપચાશિકા અને સાવર્યાવહી વિગેરે ગ્રંથા પણ ધનપાળ કવિએ બનાવ્યા કે જે સંસ્કૃત પ્રાકૃતના સાહિત્યમાં આજે પણ ઊંચું સ્થાન ભેગવે છે. તેના સમયમાં ધનપાળ, એક મહાકાવ અને પ્રચંડ પંડિત તરીકે મનાતા હતા. કાલકવિશ્વ વિગેરે પડિતાને તેણે પરાસ્ત કર્યા હતા.
તે
મુંજરાજા તેને પુત્ર તરીકે માનતે. અને ભાજરાજા તેના ખાસ મિત્ર અને મહેરબાન હતા. સરસ્વતીનું ટાઇટલ તેને મુજરાજા તરફથી મળ્યું હતું. ( જુએ તિ. મ. ૫૩ ) સર્વત ંત્રસ્વતંત્ર સર્વ શાસ્રપારંગત શ્રીહેમચદ્રાચાય જેવાએ પણ ધનપાળની બનાવેલી કવિતાથી જૈનમદિરમાં જિનેઘરની બહુમાનપૂર્વક સ્તવના કરી હતી. ‘હેમકોષર’ ‘હેમકાવ્યાનુશાસન’અને ‘હૈમછન્દોનુશાસન'’ની વૃત્તિમાં
૧ કુમારપાળ પ્રબંધમાં હેમાચાર્યે ધનપાળની બનાવેલ સ્તુતિ ખેાલ્યાના ઉલ્લેખ છે.
(6
""
૨ ××× વ્યુત્પત્તિર્ધનપાહતઃ । ××× હેમકેાષની સ્વાપજ્ઞ ટીકા. ૩ હેમકાવ્યાનુશાસનના અર્થમેમિન્નાનાં મન્નાડમન્નમ્યાં યુવૃત્તિ: સૂત્રની સ્વેાપનવૃત્તિ ( અધ્યાય ૫, પેજ ૨૩૧ નિર્ણય સાગરની આવૃત્તિ )'ાં તિમંત્તીની ભૂમિકાના માલ્યપ્રમાવઃ પ્રમવો” બીજા
: ’
r
''
પદ્યને ઉદાહરણ તરીકે ટાંકયુ છે.
૪ ટૈમષ્ઠોનુશાસનના પાંચમા અધ્યાયના સાલમા “પ્રાચનચિ..."
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #18
--------------------------------------------------------------------------
________________
૧૪
મહાકવિ શોભનમુનિ અને તેમની કૃતિ. પણ ધનપાળ અને તેની કવિતાને ઉલેખ મળી આવે છે. આ ઉપરથી સમજાય છે કે, ધનપાળ દઢ સમ્યકત્વી, આદર્શ કવિ તથા સમર્થ વિદ્વાન હતો. “મવિયસત્તા ” નો કર્તા ધનપાળ; આ ધનપાળથી જુદે છે. અન્યાન્ય ગ્રંથોમાં ધનપાળનું જીવન લાંબુ અને ઘણું રસિક છે, પણ આ સ્થળે અપ્રસ્તુત હોવાથી મને લખવાની જરૂર જણાતી નથી. પાઠકો અહીં તે આટલાથી જ સંતોષ માની લેશે એવી આશા રાખું છું. અસ્તુ. હવે આપણે ફરી પ્રસ્તુત વાત ઉપર આવીશું. શેભન
મુનિના મહાન પ્રયત્નથી આખા માળવામાં માળવામાં જૈન જૈન સાધુઓના સમૂહો વિચારવા લાગ્યા. સાધુઓ. માળવાના જેમાં નવું જીવન આવ્યું. ઠેર
ઠેર ધાર્મિક ઉત્સવ થવા લાગ્યા. સંઘની વિનતિથી શેભનમુનિના ગુરુ ધારાનગરીમાં પધાર્યા. શિષ્યના (૫-૧૬ ) સૂવની પવૃત્તિમાં ( શ્રી આનંદસાગરજી સંપાદિત આવૃત્તિ પૃ. ૩૬ માં ) તિલકમંજરી (પૃ. ૧૭૭ ) નું “ શુક્રવરિળ વરસાવી.....” પધ મળી આવે છે.
તિમંગ ઉપર શાંતસૂરિએ વિક્રમની ૧૧ મી સદીમાં ટિપણુ રચ્યું. પાટણના પલિવાલ ધનપાલે વિ. સં. ૧૨ ૬૦ માં તિ. મં. ને સાર પધમાં ઉતાર્યો. લક્ષ્મીધર પંડિતે વિ. સં. ૧૨૮૧ માં એક બીજો સાર ૧૧૮૮ અનુષ્યપ
કોમાં બનાવ્યું છે. (છપાઈ ગયો છે). અઢારમી સદીમાં પદ્મસાગરગણિએ તિ. મું. ઉપર વૃત્તિ અને વીસમી સદીમાં ૫ લાવણ્યવિજયજીએ ટીકા બનાવી છે. વિશેષ માટે જુએ શ્રી જિન વિ. નો “તિલકમંજરી ” લેખ. મહાકવિ ધનપાળ માટે મેરૂતુંગાચાર્ય કહે છે –
વજન ધનપરી ચન્દ્રને મથર્ચ ૨ | सरसं हृदि विन्यस्य कोऽभून्नाम न निर्वृतः १ ॥१॥"
-પ્રબંધચિંતામણિ પૃ૦ ૪૨. ૧ પ્રાચીત ધારા અને ત્યાંનાં સ્થાને વિષે માહિતી માટે જુઓ ઇવીસન ૧૮૩૩ના જુનના શારદા 'ના અંકમાં છપાએલ “ ભોજરાજાની ધારા નગરી ” નામને હારે લેખ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #19
--------------------------------------------------------------------------
________________
શોભન મુનિનું વ્યક્તિત્વ.
૧૫ પ્રયાસની થએલી સફલતા અને સર્વત્ર ફેલાયેલી શિષ્યની કીર્તિને જોઈ ગુરુના આનંદનો પાર રહ્યો નહિ. ધનપાળે પિતાના ખર્ચે ધારામાં ત્રષભદેવનું જૈન મંદિર બંધાવી તેની પ્રતિષ્ઠા શેભનમુનિ અને તેમના ગુરુ પાસે કરાવી. માળવામાં બીજાં પણ અનેક ધાર્મિક કાર્યો કરી શેભનમુનિએ ગુરુ સાથે ગુજરાત તરફ વિહાર કર્યો. સંસ્કારી કુટુંબમાં જન્મ્યા હોવાથી અને એગ્ય ગુરુના સમા
ગમથી શોભનમુનિમાં ઊંચા પ્રકારનું વ્યક્તિશાસનમુનિનું – પ્રગટયું હતું. તેમના વ્યક્તિત્વ માટે વ્યક્તિત્વ, ધનપાળ કવિ “ચતુર્વિરાતિ’ની ટીકામાં
લખે છે કે –“ શરીરથી રૂપાળ, ગુણથી ઉજ્વલ, સુંદર નેત્રવાળે શેભન નામને સર્વદેવને પુત્ર હતો; કે જે કાતંત્ર વ્યાકરણનાં ગૂઢ તને જાણકાર હતો, જૈન બૈદ્ધ તમાં નિષ્ણાત હતો અને સાહિત્ય શાસ્ત્રને અઠંગ વિદ્વાન હેઈ, કવિઓને માટે ઉદાહરણભૂત હતો. કુમારાવસ્થામાં જ શોભને કામને પરાસ્ત કર્યો, પાપના વ્યાપારને ત્યાગ કર્યો અને અહિંસા ધર્મને સારી પેઠે પાલન કર્યો હતો.” શોભનમુનિની બુદ્ધિ તીક્ષણ હતી. ભાવના ઉદાત્ત હતી. જીવન
ભવ્ય અને રસિક હતું. કાવ્ય સાહિત્યમાં તે શેભનમુનિની તેઓ ઘણા જ આરપાર ઉતરી ગયા હતા. કતિ. તેના ફળ સ્વરૂપમાં તેઓએ મામોગવિગ્રોધ
નૈવતને !” થી શરૂ થતી ૯૬ *લેકની લ્હાની પણ વિવિધ જાતના અલંકારથી પૂર્ણ ચમત્કાર વાળી એક કૃતિ બનાવી. આમાં પ્રત્યેક તીર્થકર, (ચોવીસે તીર્થકર) જૈનાગમ અને સેળ વિદ્યાદેવીઓ વિગેરેનું કાવ્યની પદ્ધતિથી વર્ણન છે. આ કૃતિની અંદર શબ્દાલંકાર, અને તેમાંય ખાસ કરીને યમક ” અને “અનુપ્રાસ’ની અનેરી છટા જોવામાં १ "कातन्त्रतन्त्रोदिततत्त्ववेदी यो वुद्धयौद्धाऽऽहततत्त्वतत्त्वः ।
साहित्यविद्यार्णवपारदर्शी निदर्शनं काव्यकृतां बभूव ॥ ४ ॥ શાન સ્તુતિની ધનપાલ કૃત ટીકાના ૧ થી ૭ સુધી લેકે ઉપયોગી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #20
--------------------------------------------------------------------------
________________
૧૬
મહાકવિ શેાનમુનિ અને તેમની કૃતિ.
આવે છે. કોઇ ઠેકાણે મધ્યાન્ત યમક, કોઇ સ્થળે આદિમધ્ય યમક ( મધ્યાન્ત યમકની સાથે ), કેાઇ જગ્યાએ આદ્યન્ત યમક, કાઇ પદ્યમાં સંયુતાવૃત્તિ ચમક અને કોઇ સ્થળે અસંયુતાવૃત્તિ યમક વિગેરે અલંકારો ગાઠવ્યા છે.
C
આ કૃતિમાં ન્હાના મેાટા અનેક પ્રસિદ્ધ અને અપ્રસિદ્ધ છટ્ઠા છે કે જે વિદ્વાનાને જ્ઞાન અને આનદ્ન ઉત્પન્ન કરે છે. વિવિધ અલંકારા અને ઈંઢામાં પેાતાના ભાવા ગેાઠવવા તે કેટલી મુશ્કેલની વાત છે તે કવિતા બનાવનાર જ સમજી શકે તેમ છે. આ ગ્રંથ મનાવતી વખતે શેાલનમુનિનું ચિત્ત કેવુ એકાગ્ર અન્યું હતું? તેનુ એક ઉદાહરણ પ્રભાવક ચરિત્રમાં મળે છે. જ્યારે શાલનમુનિ પ્રસ્તુત · જિન સ્તુતિ ચતુર્વિશતિકા ’ બનાવતા હતા, તે અરસામાં તેઓ ગાચરી ( ભિક્ષા ) લેવા ગયા. ચાલતાં ચાલતાં પણ પ્રસ્તુત કૃતિ મનાવવાની એકાગ્રતામાં તેમનું ચિત્ત પરેવાએલું હતું, તેથી ખ્યાલ નહિ રહેવાથી તેઓ એક જ શ્રાવકના ઘરે ત્રણવાર ફ્રી ફ્રી ગૈાચરી ગયા. જ્યારે શ્રાવિકાએ શેાલનમુનિને પૂછ્યું કે, · આમ ફરી ફરી ગેાચરી આવવાનુ શું કારણ ? ’ઉત્તરમાં શેાલનમુનિએ કહ્યું કે:− અત્યારે કવિતા મનાવવામાં જ મારું મન પરાવાએલુ છે તેથી મને ખખર ન રહી કે હું કાને ત્યાં જઉં છું અને શું કરું છું ?' પૂછનાર માઇએ Àાલનમુનિના ગુરુની આગળ પણ આ વાત કહી. ગુરુ આ વાતથી ઘણા જ રાજી થયા અને શિષ્યની જ્ઞાનરસિકતાથી સતાષ પામી તેમણે શેાલન મુનિનાં વખાણ કર્યા....૨ શૈાલનમુનિને કવિતા અનાવવાના કેવે રસ હતા તે આ એક જ પ્રસંગથી વાચકે જાણી શકશે. ખુશીની વાત છે કે પ્રસ્તુત કૃતિની સુંદરતાથી આકર્ષાઇ ઘણા લેાકેા આ સ્તુતિ-‘ થાય ’ ને પ્રતિક્રમણાદિ ક્રિયાઓમાં ખેલે છે. પાક્ષિક આદિ પ્રતિક્રમણામાં આ પવિત્ર વિદ્વાનની થાય કરાય તે કેવું સારું થાય ?
દાખલ
૧ આ બધા યમકેાનાં લક્ષણે અને ઉદાહરણ વાગ્ભટાલ કાર, સરસ્વતીક ઠાભરણુ વિગેરે ગ્રન્થામાં છે.
૨ જી
મહેન્દ્રસૂરિ ચરિત્ર. ( પ્રભાવક ચરિત્રમાં ).
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #21
--------------------------------------------------------------------------
________________
શાભનમુનિનું અવસાન.
૧૭
અવસાન.
દુનિયામાં વિદ્વાન અને સજ્જના કાઇ કાઈ વાર જલ્દીથી જગતને છેાડી ચાલ્યા જાય છે. શાલનમુનિ શાસનમુનિનું માટે પણુ તેમજ થયું !. તેમને તાવના ભયંકર જીવલેણ રેાગ લાગુ પડ્યો, તેના પરિણામે યુવાવસ્થામાં તરત જ તેઓ મર્ત્ય (મનુષ્ય) લેાકને છેડી અમર્ત્ય લેાક ( સાધર્મ દેવલેાક ) ના અતિથિ થયા--સ્વર્ગવાસી થયા. દુર્ભાગ્યે તેમનુ આ મરણુ શા કારણથી, કયે સ્થળે અને કયે દિવસે થયુ ? તે જાણવાનુ ચાક્કસ સાધન અત્યારે આપણી પાસે નથી, પણ શ્રીમાન્ જિનવિજયજી સ’પાદિત પ્ર॰ ચિની આવૃત્તિના ‘ભેાજલીમ પ્રબંધ'માં પાઠ છે કે:-‘ શેાભનમુનિ, સ્તુતિ કરવાના ધ્યાનની એકાગ્રતાથી એક ખાઇને ત્યાં ત્રણવાર ( ગોચરી માટે ) જવાથી તે ખાઈની નજર લાગી અને તેથી શાભનસુનિ કાલ કરી ગયા–સ્વર્ગવાસી થયા.” મને લાગે છે કે જે બાઇને ત્યાં ત્રણવાર ગોચરી જવાનુ પ્રભાવક ચરિત્રના મતથી હું ઉપર લખી ગયા છું તેજ ખાઇની કદાચ શ્રી શેાલનમુનિને નજર લાગી હશે. આવા કારણથી સાધુનું મૃત્યુ થાય તેવા દાખલાઓ બહુજ વિરલ અને છે, પણ આમાં બે ઐતિહાસિક ગ્રંથાના પાઠ છે એટલે
*
આ વાતને આપણે જીઠ્ઠી કહેવાનું સાહસ તા નજ કરી શકીએ. ઉપર્યુ ક્ત કારણથી તેઓ ગુજરાતમાં ઘણે ભાગે ( પાટણમાં ? ) લગભગ ત્રીશથી ચાળીશ વર્ષની ઉંમરમાં અકાળે સ્વગવાસી થયા હશે ? એમ મારું અનુમાન છે.
સાહિત્ય ઢષ્ટિએ મહાત્ શક્તિ ધરાવનાર, અનેક ગ્રંથા લખવાની અને શાસનની સેવા કરવાની ઉદાત્ત ભાવનાવાળા આ તરુણુમુનિ જો વધુ જીવ્યા હાત તા કાવ્ય અને અલકારના અનેક સૈલિક ગ્રંથાના જૈન સમાજને વારસા આપી
१ इतश्च शोभनः स्तुतिकरणध्यानाद् एकस्या गृहे त्रिर्गमनात् तस्या दृष्टिदोषाद् मृतः । प्रान्ते निजभ्रातुः पार्श्वात् स्तुतीनां वृत्तिं कारयित्वा અનરાનાત્ સૌધર્મ ત્તઃ । પ્રબચિન્તામણિ પૃ. ૪૨.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #22
--------------------------------------------------------------------------
________________
૧૮
મહાકવિ ભનમુનિ અને તેમની કૃતિ. શકયા હેત, પણ કમનસીબે તેમ ન બન્યું ! ફક્ત તેમની પ્રસ્તુત જિન સ્તુતિ ચતુર્વિશતકા ' નામની એકજ કૃતિ આજના જૈન સમાજને વાસામાં મળી છે. જો કે તેમની આ એક કૃતિ પણ તેમના ઉજીવલ યશને કરનારી છે એમાં તો કઈ જાતને શક નથી.
ઐતિહાસિક આલેચના. પહેલાં હું લખી ગયે છું તેમ શ્રી શોભન મુનિના ગામ, ગુરુ, વિગેરેની બાબતોમાં અનેક ગ્રંથકારોના મતભેદો છે, તેમાં મુખ્ય આ છે
મતભેદનું કેષ્ટક.
ગ્રંથનું નામ.
ગ્રંથકાર.
ભિનનું શોભનના શોભનના ગામ. | પિતા. ! ગુરુ.
ધારા
સર્વદેવ
તિલકમંજરી | | કવિ ધનપાલ સ્તુતિ ચતુર્વિશતિકાની
| મહેન્દ્રસૂરિ લક્ષ્મીધર ની
પ્રભાવક ચરિત્ર | પ્રભાચંદ્રસૂરિ ઉપદેશપ્રાસાદ વિજયલક્ષ્મી સૂરિ ઉપદેશકલ્પવલિ સમ્યકત્વસતિકા | સંધતિલકસૂરિ આત્મપ્રબોધ જિનલાભસૂરિ પ્રબંધચિંતામણિ | મેરૂતુંગરિ
ઉજજેન સોમચંદ્ર જિનેશ્વરસૂરિ
અવન્તી સવ ધર | વિશાલા | સર્વદેવ ) વર્ધમાનસૂરિ
ઉપર લખેલા આઠ ગ્રંથમાં શોભનના ગામવિષે ચાર મત, પિતા વિષે ચાર, અને શેભનના દીક્ષા ગુરુ વિષે ત્રણ મત થવા પામ્યા છે. આમાં ક મત સાચે? એ પ્રશ્ન ઘણે ગુંચવણ ભરેલો છે. શ્રીયુત પ્રે. હીરાલાલ. આર. કાપડીયાએ “શાભનતતિ ? અને તેની ઘણું ટીકાઓના સંપાદન ઉપરાંત આ ગ્રંથનું ઘણું
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #23
--------------------------------------------------------------------------
________________
ગામની પરીક્ષા.
૧૯ લાંબું ગુજરાતી ભાષાન્તર કર્યું છે. લંબાણથી પ્રસ્તાવના લખવા છતાં શોભન મુનિના જીવન વિષે કઈ પણ જાતને નિર્ણય તેમણે કર્યો નથી. હું નથી સમજી શકતો કે આટલા મોટા પુસ્તકમાં તેઓએ શોભનના વિષયમાં મહત્વનું કેમ નથી લખ્યું? અસ્તુ.
જોકે અત્યારે વિસ્તારથી હું લખવા બેઠા નથી, છતાં આ સ્થળે આ સંબંધે હું થોડી વિચારણા કરવા યત્ન કરું છું. ઉપરના કેઝકથી જણાય છે કે જુદા જુદા ગ્રંથમાં શેભનના
પિતા સર્વદેવની નગરીનાં ધારા, ઉજજગામની પરીક્ષા, ચિની, અવતી અને વિશાલા એમ ચાર
નામે લખ્યાં છે. આચાર્ય શ્રી હેમચંદ્રના અભિધાનચિતામણિ કોષમાં અવની, વિશાલા અને પુષ્પકરડિની આ ત્રણે ઉજ્જયિની (ઉજજૈન) ના પર્યાય શબ્દો લખ્યા છે. આનાથી આટલે ખુલાસો તો થઈ જાય છે કે, અવન્તી અને વિશાલા આ બે ઉજજેનનાં અપર (પર્યાય) નામે છે. હવે શોભનની નગરી વિષે, ધારા (ધાર) અને ઉજજેન આ બે મત રહ્યા. ધારાના મતમાં પાંચ ગ્રંથ છે જ્યારે ઉજ્જૈનના મતમાં ત્રણ ગ્રંથ છે. આ બે મતભેદ ધરાવનાર ગ્રંથમાં એક બાજુ પ્રભાવકચરિત્ર, તિલકમંજરી, શેભનસ્તુતિટીકા જેવા ગ્રંથ છે અને બીજી બાજુ પ્રબંધચિંતામણિ છે. પ્રબંધ ચિંતામણિના ઉલેખને પ્રમાણ વગર વખેડી પણ કઢાય નહિ, તેથી મારો મત તે એ છે કે “પરમાર વંશીય રાજા મુંજ ઉજ્જૈનમાં રાજધાની રાખી માળવાનું રાજ્ય કરતો હતો, તેના ઉત્તરાધિકારી લેજે પણ
१" उज्जयिनी स्याद् विशालाऽवन्ती पुष्पकरण्डिनी।
અભિધાનચિન્તામણિ” ૪-૪ર ૨ હવઈકારાન્ત અવનિત શબ્દ માલવાદેશને વાચક છે, જુઓ હૈમકેષમાં (૪-૨૨).
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #24
--------------------------------------------------------------------------
________________
૨૦
મહાકવિ શબનમુનિ અને તેમની કૃતિ ત્યાં જ પ્રારંભમાં રાજધાની રાખી હતી, પણ ગુજરાત તરફના રાજાઓનાં આક્રમણે તે વખતે અવારનવાર થયાં કરતાં હતાં, તેથી રખેને ગુજરાતથી દાહોદ, ગોધરા, રાજગઢ, અને ધારાના રસ્તે થઈ ગુજરાતના રાજા માળવા ઉપર ચઢાઈ કરી આવે ? એવી આશંકાથી ભેજરાજાએ ધારમાં વધુ સ્થિરતા કરી બધાં દફતર ત્યાં આણ્યાં હોય? એટલે કે ધારાનગરીને રાજધાની કરી ત્યાં વધુ વખત જ રહેવા લાગ્યું હશે.” તે પછીના ઉલ્લેખમાં ભેજ ધારાધીશ-ધારાપતિ તરીકે ઓળખાય છે.
જ્યારે રાજા ભેજ ઉજજેસ્થી ધારા રહેવા ગયે તો તેના આશ્રિત પંડિતોએ પણ ત્યાંજ (ધારામાં) રહેવું જોઈએ, એટલે ધનપાલ, અને શેભનના પિતા પહેલાં ઉજજૈન રહેતા હશે ? અને પાછળથી રાજા ભેજની સાથે પોતાના પુત્રો ધનપાલ અને શોભનને લઈને તેઓ ધારામાં રહેવા ગયા હશે. એ હિસાબે ઉજજૈન અને ધારા આ બને નગરીમાં ધનપાળ તથા શોભન રહ્યા હતા એમ માનવામાં કશે બાધ નથી. મારા આ મતથી પ્રભાવક ચરિત્ર અને પ્રબંધચિંતામણિ વિગેરે ગ્રંથોના ઉલ્લેખોને પણ સમન્વય થઈ શકે છે. પ્રબંધચિંતામણિમાં પૂર્વકાલની દષ્ટિએ વિશાલા
૧ જુએ પ્રબંધચિંતામણિને ભેજભીમ પ્રબંધ.
૨ જુઓ સરસ્વતી કંઠાભરણની પ્રસ્તાવના તથા તિલકમંજરીની પ્રસ્તાવના. ભોજને રાજ્યકાલ વિક્રમ સં. ૧૦૬૭ થી ૧૧૧૧ સુધી છે.
૩ ભોજની રાજધાની ધારા (ધાર) માં હતી તે વિષે શાંતિસરિચરિત્ર, મહેન્દ્રરિચરિત્ર, સરાચાર્યચરિત્ર, અભયદેવસૂરિચરિત્ર, બિલ્ડણકવિનું વિક્રમાંકદેવચરિત્ર, ભેજભીમ પ્રબંધ, પાઈઅલછીનામમાળા, સરસ્વતી કંઠાભરણ, પ્રમેયકમલમાર્તડની પ્રસ્તાવના, રાજવંશાવલી અને હિંદુસ્તાની સૈમાસિક વિગેરે ગ્રંથો જેવા. વિસ્તારના ભયથી હું અહીં વધુ વિચાર કરતે નથી, તથા તે તે ગ્રંથોના પાઠ આપતા નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #25
--------------------------------------------------------------------------
________________
શોભનના પિતા. (ઉજજેની)ને અને પ્રભાવચરિત્રાદિમાં ઉત્તરકાળની દૃષ્ટિએ ધારાને ઉલ્લેખ છે એમ જણાય છે. શેનને માટે ઉલ્લેખ કરનારા જે જે ગ્રંથ છે, તેમાં જૂનામાં
- જૂના ગ્રંથ-શોભનના સગાભાઈ કવિ ધનશોભનના પિતા. પાલની તિલકમંજરી, શોભનસ્તુતિચ
વિંશતિકાની ટીકા, પ્રભાચંદ્રકૃત પ્રભાવકચરિત્ર અને પ્રબંધ ચિંતામણી જેવા અતિહાસિક ગ્રંથો છે. તે બધામાં શોભનના પિતાનું નામ “સર્વદેવ લખ્યું છે. સર્વદેવ નામ સિવાય બીજા નામવાળા ગ્રંથો ઘણું અર્વાચીન અને ઐતિહાસિક દષ્ટિએ મહત્વના નહિ હોવાથી તેમાં લખેલાં બીજાં નામે વિશ્વસનીય નથી. વળી ઉપદેશ પ્રાસાદમાં શોભનના પિતાનું નામ લીધર લખ્યું છે તો તે બ્રાન્તિમૂલક છે.
૧ શરુઆતમાં પ્રબંધ ચિંતામણિકાર “પુનાસમૃદ્ધિરાયાં વિશારાયાં પુરિ' કહે સર્વદેવની નિવાસ નગરી ઉજેન બતાવે છે; પણ જ્યારે શોભનમુનિ વિદ્વાન થઈ ફરી માલવામાં પોતાના ભાઈને પ્રતિબંધવા આવ્યા છે ત્યારે તેઓ ધારાનગરીમાં આવ્યા છે એ ઉલ્લેખ કરે છે. જેમ" अभ्यस्तसमस्तविद्यास्थानेन धनपालेन श्रीभोजप्रसादसम्प्राप्तसमस्तपण्डित. प्रष्टप्रतिष्ठेन निजसहोदरामर्षभावाद् द्वादशाब्दी यावत् स्वदेशे निषिद्धजैनदर्शनप्रवेशेन तद्देशोपासकैरत्यर्थमभ्यर्थनया गुरुष्वाहूयमानेषु सकलसिद्धान्तपारावारपारश्वा स 'शोभननामा' तपोधनो गुरूनापृच्छ्य तत्र प्रयातो धारायां प्रविशन् पण्डितधनपालेन राजपाटिकायां व्रजता तं सहोदरमित्यनुपलक्ष्य સોપાઉં મન્ત મન્ત! નમસ્તે તિ પ્રોબ્લે"...પ્રબંધચિંતામણિ (જિનવિજયજી સંપાદિત ) પૃ. ૩૬.
આનાથી પણ હરી કલ્પના મજબૂત થાય છે કે –ોભન વિગેરે પહેલાં ઉજજૈનમાં રહેતા હતા અને પાછળથી ધારામાં રહેવા આવ્યા. આમ માન
વાથી બને મને સમન્વય પણ થાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #26
--------------------------------------------------------------------------
________________
મહાકવિ શોભનમુનિ અને તેમની કૃતિ. શેભન મુનિના ગુરુ તરીકે ત્રણનાં નામે કોષ્ટકમાં દેખાય છે.
એક તો મહેન્દ્રસૂરિ, બીજા વર્ધમાનસૂરિ શોભન મુનિના અને ત્રીજા જિનેશ્વરસૂરિ ધનપાલ કવિએ ગુરુ,
સ્પષ્ટ રીતે એ ઉલ્લેખ કર્યો નથી કે સર્વદેવને
નિધિ કોણે બતાવ્યું. તેની શ્રદ્ધા કયા આચાર્ય ઉપર થઇ અને શોભને દીક્ષા કોની પાસે લીધી ? અત્યારે તે શેભનના વિષે વિગતવાર જૂનામાં જૂને ઉલ્લેખ પ્રભાવક ચરિત્રમાં મળે છે. તેમાં લખ્યું છે કે-શોભન મુનિના ગુરુ મહેન્દ્રસૂરિ હતા. આ આચાર્ય પાસેથી જ શેનના પિતાએ નિધાનનું સ્થાન જાણ્ય, ધર્મ પામ્યો અને આમને જ પોતાને શેભન નામને પુત્ર દીક્ષા આપવા સોંપે. આ વાતને પ્રમાણિત કરવા માટે સૂચનારૂપે સાધન તિલકમંજરી છે, કે જે શેભનના સગાભાઈ કવિ ધનપાળે બનાવી છે. તેણે તિલકમંજરીની પીઠિકામાં ઈન્દ્રભૂતિ, વ્યાસ વાલ્મિકાદિકવિઓની સ્તુતિ કરી શ્રી મહેન્દ્રસૂરિની પણ સ્તુતિ કરી છે. પોતાના સમયમાં શાંતિસૂરિ, સૂરાચાર્ય, અભયદેવસૂરિ, વર્ધમાનસૂરિ વિગેરે અનેક વિદ્વાન જૈનાચાર્યોની હસ્તી હોવા છતાં તેમની સ્તુતિ નહિ કરતાં આ આચાર્યની જ સ્તુતિ કરવામાં ધનપાલને તેમના ઉપર દઢ ધર્મરાગ અને શોભનના ગુરુ તરીકે સંબધ હોય એ ક૯૫ના સહેજે કરી શકાય છે. શેભનના ગુરુ આ મહેન્દ્રસૂરિ, કોના શિષ્ય હતા? કોની પરંપરામાં થયા? એમણે ક્યા અને કેટલા ગ્રંથ લખ્યા? તે વિષે હજી સુધી કાંઈપણ જણાયું નથી. પ્રભાવક ચરિત્રમાં મહેન્દ્રસૂરિને પ્રબંધ છે, તેનાથી તેઓ ચાંદ્રગચ્છના વિદ્વાન આચાર્ય હતા એટલું જણાય છે. ૧ જુઓ પ્રભાવક ચરિત્રમાં મહેન્દ્રસૂરિ ચરિત્ર. २ “ सूरिर्महेन्द्र एवैको वैबुधाराधितक्रमः ।
વસ્થામતિવ્રૌઢિ વિચિત્ વવઃ” | તિલકમંજરી ૩૪. 3 तत्रान्यदाययौ चान्द्रगच्छपुष्करभास्करः ।
શ્રી પ્રભુ પારદધા યુવાપયોજિક છે મહેન્દ્ર રિચરિત્ર લેક ૧૨.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #27
--------------------------------------------------------------------------
________________
શોભનમુનિના ગુરુ.
શાલનમુનિના ગુરુ વિષે બીજો ઉલ્લેખ ‘પ્રખધચિંતામણિ' માં છે, તેમાં શાભનના ગુરુ શ્રી વર્ધમાનસૂરિ લખ્યા છે, અને ત્રીજો ઉલ્લેખ ૮ સમ્યકત્વ સમતિકાટીકા ' ને છે. તેમાં શ્રી જિનેશ્વરસૂરિ જણાવ્યા છે.
૨૪
એ વાત તેા નક્કી છે કે: શાલનના સમયમાં શ્રીવધુ માનસુરિ વિદ્યમાન હતા. તેએ ઉદ્યોતનસૂરિના ઉત્તરાધિકારી તરીકે ભગવાન મહાવીરની ૩૯ મી પાટે બેઠા હતા, અને તેમના શિષ્ય જિનેશ્વરસૂરિ ૪૦ મી પાટે થયા, એમ જૂની પટ્ટાલિઆથી જણાય છે. પ્રબંધચિંતામણિ જેવા ગ્રંથના ઉલ્લેખની આપણે સર્વથા અવગણના તેા ન જ કરી શકીએ; તેથી એમ કલ્પના થાય છે કે, શ્રી વ માનસૂરિ સાથે પણ સદેવના પહેલાં સબંધ જોડાયેા હશે ? સર્વ દેવ સાધુભક્ત હતા, એટલે આ આચાર્ય થી પણ તેણે કઇક લાભ મેળવ્યેા હશે? અને મહેન્દ્રસૂરિ સાથે પાછળથી સંબંધ જોડાઇ વધ્યા હશે. અથવા વમાનસર પાસે શેાલનમુનિએ થાડું ઘણું અધ્યયન કર્યું હશે તેથી વ માનસૂરિના ઉલ્લેખમાં કાંઇક સત્યત્તા જણાય છે. જ્યારે વર્ષમાનસૂરિના ઉલ્લેખ શકય લાગે છે તેા તેમના શિષ્ય જિનેશ્વરસૂરિના ઉલ્લેખ ગુરુના સબંધથી પાછળના ગ્રંથામાં થવા સલવિત છે. ઘણા ગ્રંથકારા આવી ભૂલ સહેજે કરી બેસે છે એટલે સમ્યકત્વ સક્ષતિકા ’ ના ઉલ્લેખ તેવા જ હશે ? ’ એ બધું વિચારતાં શાલનના દીક્ષાગુરુ તા મહેન્દ્રસૂરિ જ હોવા જોઇએ; એમ મ્હારી કલ્પના છે. મતલખ કે તિલકમંજરીનેા સંવાદ હાવાથી અને પ્રભાવચરિત્ર, એ પ્રખધચિંતામણિ વિગેરે કરતાં વધુ પ્રામાણિક તથા જૂનું હાવાથી શાભનયુનિના દીક્ષાગુરુ તરીકે મહેન્દ્રસૂરિને માનવા વધારે ચેાગ્ય છે.
'
t
૧ જુ લતાન્છપટ્ટાવમિંત્ર' પૃ॰ ૨૦ ( શ્રીજિનવિજયજીસંપાદિત ).
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #28
--------------------------------------------------------------------------
________________
મહાકવિ ભનમુનિ અને તેમની કૃતિ. શેભનના દાદાનું નામ “દેવર્ષિ' હતું, જેઓ હેટા
દાની અને પંડિત તથા જાતથી બ્રાહ્મણ હતા. શોભનનું ગૃહસ્થ તેમના પુત્ર “સર્વદેવ” થયા, તેઓ વિદ્વાન કુટુંબ. કલાપ્રિય અને મહાકવિ હતા. સર્વદેવ; શેભન
મુનિના પિતા થતા હતા. મહાકવિ “ધનપાલ’ શોભનને ઑોટો ભાઈ હતો. તેમની સુંદરી” નામના એક બહેન હતી કે જેને માટે કવિ ધનપાલે વિક્રમ સં. ૧૦૨માં “ફમ૪છીનામમા” (કેશ) બનાવી છે, એમ તે ગ્રંથની પ્રશસ્તિથી જણાય છે. શોભનનું કુટુંબ લાંબાકાળથી વિદ્યાપ્રેમી તથા યશસ્વી હતું.
શોભનના દાદા “સાંકાશ્ય નગરના હતા. આ નગર પૂર્વદેશમાં છે. અત્યારે ફકાબાદ જિલ્લામાં “સંકિસ” નામના ગામથી તે પ્રસિદ્ધ છે. સર્વદેવ વ્યવસાય–આજીવિકા માટે માલવાની રાજધાની ઉજયિની (ઉજજેન)માં આવી રહ્યા હતા. પાછળના સમયમાં જ્યારે જે ધારા (ધાર)માં સ્થિરતા કરવા માંડી ત્યારે તે ધારામાં રહેવા આવ્યા. શેભનમુનિની પ્રસ્તુત કૃતિ બહુ જૂની છે. જેને અને
વૈદિકમાં યમકદિ શબ્દાલંકારથી છલકાતી શેભનસ્તુતિ- આટલી જૂની કૃતિઓ બહુ જ ઓછી મળે છે. ચતુર્વિશતિકાની-શોભન સ્તુતિની અસર તે પછીના ઘણું કવિ
ટીકાઓ. વિદ્વાન ઉપર થઈ છે. મહાકવિ વાલ્મટ, અમર१ अलब्धदेवर्षिरिति प्रसिद्धिं या दानवर्षित्वविभूषितोऽपि...।
તિલકમંજરી બ્લેક ૫૧. ૨ અત્યારસુધી મળેલા પ્રાકૃતિકેમાં આ જૂનામાં જૂને પ્રાકૃતિકેષ છે.
૩ જુએ ઇન્ડિયન હિસ્ટોરિકલ કોટરલી ઈસ્વીસન ૧૯૨૮ પેજ ૧૪૨. “ સિદ્ધેશ્વકરાવાનુશાસનની લઘુવૃત્તિ ” માં એક ઠેકાણે લખ્યું છે કે “તારવ્યઃ પઢિપુત્રના માચિંતાઃ” (૭-૩-૬ ) નિજસંપાદિત આવૃત્તિના ૫૬૧ પેજમાં) આનાથી સ્પષ્ટ જણાય છે કે સાકાય છે કે પટનાથી ઉતરતું પણ સમૃદ્ધ નગર હતું, તથા મધ્યદેશમાં પ્રસિદ્ધ હતું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #29
--------------------------------------------------------------------------
________________
શેભનસ્તુતિચતુર્વિશતિકાની ટીકાઓ.
૨૫
ચંદ્રસૂરિ, કીનિરાજે પાધ્યાય, મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી વિગેરેની નેમિનિવણ, નેમનાથ મહાકાવ્ય, ઐન્દ્રસ્તુતિ આદિ કૃતિઓ શબનમુનિકૃત પ્રસ્તુત કૃતિના અનુકરણ અથવા પ્રેરણાનું ફલ છે.
શાસનસ્તુતિમાં અનેરી સુંદરતા અને ગંભીરતા હોવાથી અનેક આચાર્યો અને કવિઓએ શોખ કે પરોપકારાર્થે તે ઉપર ટીકાઓ બનાવી છે. જેમાંની નવ ટીકા તે આજકાલ જાણીતી છે. એનાથી પ્રસ્તુત કૃતિની મહત્તા ગંભીરતા અને પ્રસિદ્ધિ સહેજે સમજી શકાય તેમ છે. તે ટીકાકારોનાં નામે આ છે –
ધનપાલ, જયવિજયજી, રાજમુનિ, સભાગ્યસાગરસૂરિ, કનકકુશલગણિ, સિદ્ધિચંદ્રગણિ, દેવચંદ્ર, અજબસાગર અને એક બીજા અવચેરિકાર પૂર્વાચાર્ય ( આમના નામને પત્તો મળે નથી).
વીસમી સદીમાં પણ ડોકટર હરમન યાકેબી વિગેરે વિદ્વાનોએ અંગ્રેજી, હિન્દી, ગુજરાતી વિગેરેમાં આનાં ભાષાન્તરે કર્યા છે. મો. હીરાલાલ રસિકદાસ કાપડિયાએ સ્તુતિચતુર્વિશતિકાની અનેક ટીકાઆ સંપાદિત કરી છે. વિક્રમ સં ૧૯૭૫ મા શ્રીમાન અજિતસાગરસૂરિજી મહારાજે પણ “ સરલા ” નામની ટીકા તથા ગુજરાતી ભાષાન્તર કરેલ છે. જે થોડા ટાઈમમાં બહાર પડશે.
“ તારણ. ” અહીં મહાકવિ ભનમુનિની જીવનરેખા ટૂંકાણમાં આલેખી છે. તેમને સત્તા સમસ્થ ઈસ્વી ૧૧ મી સદીમાં છે. તેઓ જન્મથી બ્રાહ્મણ અને પાછળથી દીક્ષા લઈ જેનશ્રમણ (મુનિ) થયા હતા. રાજા ભેજ સાથે તેમના આખા કુટુંબને ઘણો મીઠો સંબંધ હતો.
શ્રી શાસનની સ્તુતિચતુર્વિશતિકાનાં સુંદર તથા છટાવાળાં ભક્તિ ભર્યા વને કવિઓને પ્રસન્ન કરનારાં છે. લોકે આને વધુ પ્રચાર કરી ગ્રંથકારને પણ ઓળખે એટલું ઈછી આ નિબંધને અહીં જ પૂરે કરું છું.
શ્રી શોભનમુનિની કૃતિનાં વિશિષ્ટ પદ્યો પરિશિષ્ટમાં આપ્યાં છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #30
--------------------------------------------------------------------------
________________
શ્રી શેભન સ્તુતિ ચતુર્વિશતિકાનાં વિશિષ્ટ પ.
- - આ નિબંધમાં શ્રી શોભન મુનિની કૃતિ ( સ્તુતિ ચતુર્વિશતિકા) નો પણ પરિચય આપ્યો છે. આનાં પડ્યો ભક્તિ કાવ્ય અને અલંકારની દષ્ટિએ ચમતકારવાળાં છે. તેનો રસાસ્વાદ વાચકે કરે તેવા આશયથી प्रस्तुत ति (श्रीजिनस्तुतिचतुर्विंशतिका) मांथी व्यय २ तथा છંદની દષ્ટિએ મહત્વનાં કેટલાંક પદ્યો ચુંટીને અત્રે આપવામાં આવે છે.
श्रीऋषभजिनस्तुतिः । भव्याम्भोजविबोधनैकतरणे ! विस्तारिकर्मावली
रम्भासामज ! नाभिनन्दन ! महानष्टापदाभासुरैः । भन्या वन्दितपादपद्म ! विदुषां संपादय प्रोज्झितारम्भासाम! जनाभिनन्दन! महान् , अष्टापदाभासुरैः ॥ १ ॥
शार्दूलविक्रीडितम् । (२)
श्रीरोहिणीस्तुतिः। विशिखशङ्खजुषा धनुषाऽस्तसत्
सुरभिया ततनुन्नमहारिणा । परिगतां विशदामिह रोहिणीं सुरभियाततनुं नम हारिणा
द्रुतविलम्बितम् । (३)
समस्तजिनवरप्रार्थना । विधुतारा ! विधुताराः !
सदा सदाना ! जिना ! जितापातापाः ।
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #31
--------------------------------------------------------------------------
________________
વિશિષ્ટપડ્યો.
तनुतापातनुतापा ! हितमाहितमानवनवविभवा ! विभवाः ! ॥१८॥
आर्यागीतिः ।
कालीदेवीस्तुतिः। नगदाऽमानगदा मा
महो ! महोराजिराजितरसा तरसा। घनघनकाली काली बतावतादूनदूनसत्रासत्रा ॥ २० ॥
आर्यागीतिः ।
श्रीसिद्धान्तस्वरूपम् । श्रान्तिच्छिदं जिनवरागममाश्रयार्थ
माराममानम लसन्तमसङ्गमानाम् । धामाग्रिम भवसरित्पतिसेतुमस्तमाराममानमलसन्तमसं गमानाम् ॥ २३ ॥
वसन्ततिलका । (६ )
श्रीजिनसमूहध्यानम् । ब्रजतु जिनततिः सा गोचरे (1) चित्तवृत्तेः
सदमरसहिताया वोऽधिका मानवानाम् । पदमुपरि दधाना वारिजानां व्यहार्षीत् सदमरसहिताया बोधिकामा नवानाम् ॥२६ ॥
मालिनीछन्दः ।
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #32
--------------------------------------------------------------------------
________________
२८
જિનસ્તુતિ ચતુર્વિશતિકાનાં
सिद्धान्तस्तुतिः। सिद्धान्तः स्ताद् अहितहतयेऽख्यापयद् यं जिनेन्द्रः
सद्राजीवः स कविधिषणापादनेऽकोपमानः । दक्षः साक्षाच्छ्रवणचुलुकैयं च मोदाद् विहायःसद्राजी वः सकविधिषणाऽपादनेकोपमानः ॥ ३१ ॥
मन्दाक्रान्ता । (८)
श्रीजिनेन्द्राणां स्तुतिः। जिनवरततिर्जीवालीनामकारणवत्सलाs
समदमहिताऽमारा दिष्टासमानवराऽजया । नमदमृतभुक्पङ्कत्या नूता तनोतु मतिं ममाऽसमदमहितामारादिष्टा समानवराजया ॥ ४२ ॥
। हरिणीछन्दः ।
जिनभारत्याः स्वरूपम् । नित्यं हेतूपपत्तिप्रतिहतकुमतप्रोद्धतध्वान्तबन्धा
ऽपापायाऽऽसाद्यमानाऽमदन ! तव सुधासारहृद्या हितानि । वाणी निर्वाणमार्गप्रणयिपरिगता तीर्थनाथ ! क्रियान् मेऽपापायासाद्यमानामदनत ! वसुधासार ! हृद्याहितानि ॥४७॥
स्रग्धरावृत्तम् । (१०)
समस्तजिनवराणां स्तुतिः। सदानवसुराजिता असमरा जिमा भीरदाः । क्रियासु रुचितासु ते सकलभारतीरा यताः ।
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #33
--------------------------------------------------------------------------
________________
विशिष्ट पंद्यो.
सदानवसुराजिता असमराजिनाभीरदा
क्रिया सुरुचितासु ते सकलभा रतीरायताः ॥ ५० ॥
( ११ )
श्रीचक्रधरायाः स्तुतिः ।
( १२ ) श्रीकपर्दियक्षराजस्मृतिः ।
याऽत्र विचित्रवर्णविनतात्मजपृष्ठमधिष्ठिता हुतात्समतनुभागविकृतधीरसमदवैरिव धामहारिभिः । तडिदिव भाति सान्ध्यघनमूर्धनि चक्रधराऽस्तु सा मुद्देऽसमतनुभा गवि कृतधीरसमदवैरिवधा महारिभिः ॥ ७२ ॥
द्विपदीछन्दः ।
द्विपं गतो हृदि रमतां दमश्रिया प्रभाति मे चकितहरिद्विपं नगे ।
वटाह्वये कृतवसतिश्च यक्षराट्
पृथ्वीछन्दः ।
"
प्रभातिमेचकितहरिद् विपन्नगे ॥ ७६ ॥ .
रुचिराछन्दः ।
( १३ )
श्रीगोरीदेव्याः स्तुतिः ।
अधिगतगोधिका कनकरुक् तव गौर्युचिताकमलकराजि तामरसभास्यतुलोपकृतम् ।
मृगमदपत्रभङ्गतिलकैर्वदनं दधती
૨૯
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
कमलकरा जितामरसभाऽस्यतु लोपकृतम् ॥ ८० ॥
तत्कुटकवृत्तम् ।
www.umaragyanbhandar.com
Page #34
--------------------------------------------------------------------------
________________
30
જિનસ્તુતિ ચતુરર્વિશતિકાનાં( १४ )
श्रीनेमिजिनस्तुतिः। चिक्षेपोर्जितराजकं रणमुखे यो लक्ष्यसंख्यं क्षणा
दक्षामं जन ! भासमानमहसं राजीमतीतापदम् । तं नेमिं नम नम्रनिर्वृतिकरं चक्रे यदूनां च यो दक्षामञ्जनभासमानमहसं राजीमतीतापदम् ॥ ८५ ॥
शार्दूलविक्रीडितम् । ( १५ )
अम्बादेव्याः स्तुतिः । हस्तालम्बितचूतलुम्बिलतिका यस्या जनोऽभ्यागमद्
विश्वासेवितताम्रपादपरतां वाचा रिपुत्रासकृत् । सा भूतिं वितनोतु नोऽर्जुनरुचिः सिंहेऽधिरूढोल्लसद्-- विश्वासे वितताम्रपादपरताऽम्बा चारिपुत्राऽसकृत् ॥ ८८ ॥
शार्दूलविक्रीडितम् ।
श्रीपार्श्वनाथस्तुतिः। मालामालानबाहुर्दधददधदरं यामुदारा मुदारा
ल्लीनाऽलीनामिहाली मधुरमधुरसां सूचितोमाचितो मा । पातात् पातात् स पार्थो रुचिररुचिरदो देवराजीवराजीपत्राऽऽपत्रा यदीया तनुरतनुरवो नन्दको नोदको नो॥ ८९॥
स्रग्धरावृत्तम् । (१७)
जिनेन्द्राणां स्तुतिः । राजी राजीववक्त्रा तरलतरलसत्केतुरङ्गत्तुरङ्ग
ज्यालव्यालग्नयोधाचितरचितरणे भीतिहद् याऽतिहया । Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #35
--------------------------------------------------------------------------
________________
ट
વિશિષ્ટ પશે. सारा साऽऽराजिनानामलममलमतेर्बोधिका माऽधिकामा
दव्यादव्याधिकालाननजननजरात्रासमानाऽसमाना ॥ ९०॥
सम्धरावृत्तम् ।
(१०)
जिनवाणीस्तुतिः। सद्योऽसद्योगभिद् वागमलगमलया जैनराजीनराजी
नूता नूतार्थधात्रीह ततहततमःपातकाऽपातकामा । शास्त्री शास्त्री नराणां हृदयहृदयशोरोधिकाऽबाधिका वाऽsदेया देयाद् मुदं ते मनुजमनु जरां त्याजयन्ती जयन्ती ॥९॥
स्रग्धरावृत्तम् । ( १९)
श्रीवैरोख्यादेव्याः स्तुतिः । याता या तारतेजाः सदसि सदसिभृत् कालकान्तालकान्ताऽ
पारिं पारिन्द्रराजं सुरवसुरवधूपूजिताऽरं जितारम् । सा त्रासात् त्रायतां त्वामविषमविषभृद्भूषणाऽभीषणा भीहीनाहीनाग्र्यपत्नी कुवलयवलयश्यामदेहाऽमदेहा ॥ ९२ ॥
( २० )
श्रीमहावीरजिनस्तुतिः । नमदमरशिरोरुहस्रस्तसामोदनिर्निद्रमन्दा
रमालारजोरञ्जिताहे ! धरीत्रीकृताs वन ! वरतमसङ्गमोदारतारोदिताऽनङ्गनार्याव
लीलापदेहेक्षितामोहिताक्षो भवान् । मम वितरतु वीर ! निर्वाणशाणि जातावतारो
धराधीशसिद्धार्थधाम्नि क्षमालङ्कताs बनवरतमसङ्गमोदारतारोदिताऽनङ्गनार्याव ! लीलापदे हे क्षितामो हिताक्षोभवान् ॥ ९३॥
अर्णवदण्डकच्छन्दः।
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #36
--------------------------------------------------------------------------
________________
શ્રી વિજયધર્મસૂરિ જૈન ગ્રંથમાળાનાં પુસ્તક.
૦
૦
૦
૦
૦.
નંબર. નામ.
ભાષા. કર્તા યા સંપાદક. કિંમત. ૧ વિજયધર્મસૂરિ સ્વર્ગવાસ પછી. ગુજરાતી. શ્રીવિદ્યાવિજય ૨-૮-૦ ૨ ધર્મવિયેગમાળા
સં. કાવ્ય. શ્રી હિમાંશુવિજય ૦–૨-૦ ૩ પ્રમાણુનયતત્ત્વાલેક (સટીક ) સં. ન્યાય ), ૦-૧૪-૦ ૪ શ્રાવકાચાર
હિન્દી શ્રીવિદ્યાવિજય. ૧-૪-૦ ૫ વિજયધર્મસુરિ કે વચનકુસુમ
૦-૪-૦ ગુજરાતી
૦-૪-૦ ૭ સેઇઝ ઑફ વિજયધર્મસુરિ અંગ્રેજી ડે. કો
૦-૪-૦ ૮ જયન્તપ્રબન્ધ
સંસ્કૃત-ગુ. શ્રી હિમાંશુવિજય ૦-૩-૦૦ વિજયધર્મસૂરિ અષ્ટપ્રકારી પૂજા હિન્દી શ્રીવિધાવિજય ૦-૪-૦ ૧૦ આબૂ (૭૦ ફેટા સાથે ) ગુજરાતી શ્રી જયન્તવિજય ૨૮-૦ ૧૧ વિજયધર્મસૂરિ
,, પી. કે. શાહ ૦–૨– ૧૨ શ્રાવકાચાર
શ્રીવિદ્યાવિજય :–૨–૦ ૧૩ શાણી સુલસા
ક ૦-૩-૦ ૧૪ સમયને ઓળખો ભાગ ૧ લે
૦-૧૨-૦ ૧૫ , ભાગ ૨ જે
૦-૧૦૦ ૧૬ એન આઇડીયલમંક
અંગ્રેજી એ. જે. સુનાવાલા ૫-૦-૦ ૧૭ સમ્યકત્વપ્રદીપ
ગુજરાતી ઉ. શ્રીમંગલવિજય ૦-૪-૦ ૧૮ વિજયધર્મસૂરિ અષ્ટપ્રકારી પૂજા
૦-૪-૦ ૧૮ જેની સપ્તપદાથી
સંસ્કૃત ન્યાય શ્રી હિમાંશુવિજય૦-પ-૦ ૨૦ બ્રહ્મચર્ય દિગદર્શન
ગુજરાતી શ્રીવિજયધર્મસૂરિ ૦-૩-૦ ૨૧
હિન્દી
૯-૩-૦
ગુજરાતી શ્રીવિદ્યાવિજય ૦-૬-૦ ૨૩ મહાકવિ શોભનમુનિ અને તેમની કૃતિ ગુજરાતી શ્રી હિમાંશુવિજય ૦-૩-૦ ૨૪ બ્રાહ્મણવાડા
, શ્રી જયંતવિજય ૦-૪૨૫ જેનતત્ત્વજ્ઞાન
ગુજરાતી શ્રીવિજયધર્મસૂરિ –૪–૦ ૨૬ ઉત્તરાધ્યયનસૂત્ર ભાગ ૪ થે.(કમળ સંયમી ટીકા)સં. શ્રીજયન્તવિજય૩-૮-૦ ૭ પ્રમાણનયતવાલેક–પ્રસ્તાવના સંસ્કૃત શ્રી હિમાંશવિજય --૦
૦.
૦
૦
૦
૨૨ વક્તા બને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #37
--------------------------------------------------------------------------
________________
વિશિષ્ટ પુસ્તકો.
لا
વક્તા બને: - ઢંકાઈ રહેલી વકતૃત્વ શક્તિને વિકાસ કરવાની ઇચ્છા રાખનાર હરકોઈ આ પુસ્તકને વાંચે. પિતાની અજબ વકતૃત્વ શક્તિથી હજારો મનુબેની સભાને ડેલાવનાર, રાજા મહારાજાને ચમત્કૃત કરનાર પ્રખર વક્તા મુનિરાજ શ્રી વિદ્યાવિજયજી મહારાજે પોતાના પચ્ચીસ વર્ષને અનુભવ આમાં નાખ્યો છે. સાધુ કે ગૃહસ્થ કોઈપણ ઉપદેશક આ પુસ્તકને વાંચી બોલવાની સારી શક્તિ મેળવી શકે છે. કિમત ૦-૬-૦ છે.
આબ:–(પહેલો ભાગ ) આબૂ પર્વત ઉપર રહેલાં જેન–અજેને દરેક પ્રસિદ્ધ સ્થલે વિષે આમાં પ્રામાણિક માહિતી આપી છે. ૭૫ ફટાઓ આ પુસ્તકમાં આપ્યાં છે. આ ગ્રંથના કર્તા મુનિરાજ શ્રી જયંતવિજયજી મહારાજ છે. કિંમત રૂા. ૨-૮-૦
સમયને ઓળખ–(ભાગ ૧-૨) સામાજિક કુરૂઢિઓ સામે બેઠે બળ જગાડનાર મુનિરાજ શ્રી વિદ્યાવિજયજી મહારાજના લખેલા અનેક ક્રાંતિકારી લેખો આ બન્ને ભાગમાં છે. બન્ને ભાગની કિંમત રૂ. ૧-૬-૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #38
--------------------------------------------------------------------------
________________ alc Philo lebit મુનિ શ્રી હિમાંશુવિજયજીનાં પુસ્ત Re ( સંશોધિત તથા રચેલાં. 1 પ્રમાણનયતત્ત્વાલક સટીક ( ન્યાય ):-વાદિ જેનામાં પ્રસિદ્ધ છે. આના ઉપર 5. રામગોપાલાચાર્ય થાય તેવી ટીકા છે. પહેલી જ વાર તે ટીકા સાથે મૂળ ગ્રંથને નવી પદ્ધતિએ સ"શાપિત કરવામાં આવ્યા છે. ખાસ કરી આની પ્રસ્તાવનામાં જેને ન્યાય વિષે સારો પ્રકાશ પાડ્યો છે. મૂળ ગ્રંથકારના જીવન વિષે તથા ગ્રંથ વિષે જાણવા જેવી ઘણી બાબતો આમાં લખી છે. કિંમત 14 આના. e 2 જેની સંતપદાથ (ન્યાય):-જૈન ન્યાયમાં પ્રવેશ કરવા માટે આ ગ્રંથ તકસંગ્રહની ગરજ સારે છે. આમાં જૈન પ્રમેય અને જેન પ્રમાણાનું વર્ણન ટૂંકાણમાં સુંદર રીતે કર્યું છે. દરેક વિદ્યાર્થીઓને ભણવામાં સુલભ પડે તે માટે આમાં ચાર પરિશિષ્ટો ગુજરાતીમાં યાયાં છે. પ્રસ્તાવનામાં ગ્રંથ અને ગ્રંથકારની આલોચના કરી છે. આના કર્તા શ્રી યશસ્વત સાગર ગણિ છે. કિંમત પાંચ આના. 3 સિદ્ધહેમચંદ્રશબ્દાનુશાસનલધુવૃત્તિ (વ્યાકરણ):- કલિકાળ સર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્યના વ્યાકરણની મહત્તા મેટામેટા વિદ્વાનો જાણી ગયા છે. આ વ્યાકરણ સિદ્ધરાજ સોલંકીની પ્રાર્થનાથી બન્યું છે સરલ અને પૂર્ણ છે નવી પદ્ધતિએ આને સંપાદિત કર્યું છે. વિવિધ દૃષ્ટિએ ઉપયોગી આમાં સાત પરિશિષ્ટો જ્યાં છે. મહત્ત્વની પ્રસ્તાવના અને વિષયાનુક્રમ પણ છે. કઠિન સ્થલે ટિપ્પણ પણ કર્યું છે. આ ગ્રંથને શ્રી આણદજી કલ્યાણની પેઢીએ બહાર પાડ્યો છે. ત્યાંથી રૂપીઆ કાા માં મળી શકે છે. = 4 ધર્મ વિયાગમાળા (કાવ્ય):-શ્રી વિજયધમસૂરિના નિર્વાણ પછી તેમના વિયોગથી આ કાવ્યની ઉત્પત્તિ થઈ છે. આમાં સંસ્કૃત વિગેરે સાત ભાષાઓનાં 77 પડ્યો છે. કાવ્યપ્રેમીઓ આને પસંદ કરે છે. કિં. દ). | 5 જયન્ત પ્રબંધા (ચરિત્ર ):-આમાં શાંતમૂતિ મુનિરાજ શ્રી જયંતવિજયજીનો ટ્રેક પરિચય છે. ગ્રંથ સંસ્કૃત ભાષાની કવિતામાં છે. ગુજરાતી અનુવાદ પણ સાથે જ છે. કિંમત ). અથવા. પ્રાપ્તિસ્થાન. જયોતિ કાર્યાલય-નગરશેઠ. | મંત્રીઃ-વિજયધમસૂરિ જૈન ગ્રંથમાળા મારકીટ રતનપોળ છેટા સરાફા ઉજ્જૈન (માળવા ) અમદાવાદ, નાટક-બીજાં' પુસ્તકો માટે ગ્રંથમાળાનું સુચીપત્ર મંગાવો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com