Book Title: Kutrim Diksha Pravrutti Kem Atkavi Shakay
Author(s): Balchandracharya
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 6
________________ પ્રસ્તાવના. વિશેષતઃ મતાગ્રહ છે તે એક વખત અમારી જાણમાં પણ આવેલું છે. મુંબઈના યતિ સંમેલનના ટાઈમમાં એક વખતે અમે બન્ને જણાએ વાત કરતા હતા તે વખતે પ્રસંગવશ સ્વાભાવિક રીતે મેતીચંદભાઈ એમ બોલ્યા હતા કે “હું સંવેગી સાધુઓને રાગી છું, યતિઓને માનતે નથી છતાં પણ તમારા કામમાં મારી સહાનુભૂતિ છે. મારાથી બનતું હું કરીશ” તેવીજ રીતે ઠેઠ સુધી યતિ સંમેલનમાં ભાગ લીધો હતો. તે માટે તેઓને ધન્યવાદ પણ ઘટે છે. મને તેઓના કથન માટે કાંઈ પણ રેષ આવ્યો નથી. પોતાના દેષ તપાસનારને ખેડુ લગાડવાનું કાંઈ પણ કારણ નથી. યતિવર્ગ પતન માર્ગે ચાલે છે, હજી પણ સાવધાન થતું નથી આ માન્યતા હજી મારી છે. ત્યારે યોગ્ય કહેનારનું છેટું કેમ મનાય ? પણ એટલું તે મારી જાણમાં તે વખતે પણ આવી ગયું હતું કે-સાધુઓ ભલે સારા હોય કે ન હોય પણ નભાવી લેવા જોઈએ (કારણ ભક્તિ પંથને માર્ગજ તે છે) પણ તિઓમાં કઈ સારે નિવડી આવે તે પણ હું માનતો નથી એ વનિના એ શબ્દો વ્યક્તિગત સચ્ચારિત્રની ઉપેક્ષા કરનાર અને આખી સાધુસંસ્થા માટે રાગભાવ દર્શાવનાર હોવાથી મારે પણ એટલું તે કહેવું જ પડશે કે મોતીભાઈ ગુણા પૂજાસ્થાન' ના પૂજારી નથી પણ આખી સાધુ સંસ્થાના પૂજારી છે તેથી જ જુના વિચારમાંથી છટકી શક્યા નથી. છતાં મને આશા છે કે-તે સુજ્ઞ હોવાથી હવે તેવા વિચારોથી આગળ વધ્યા હશે તથા વધશે. કારણ નભાવી લેવાથીજ યતિવર્ગનું પતન થયું છે. અને નભાવી લેવાથી સાધુ સંસ્થાને હાસ થયા વગર રહેવાને નથી. નભાવિ લેવું એ અન્યાયને સહાય કરવા જેવું છે– નભાવી લેવું એ કાયરતા છે. આને મોતીચંદભાઈ જરૂર વિચાર કરશે. * ૭ આ નિબંધમાં યતિશ્રીપની સત્તાને જે ખ્યાલ આપવામાં આવેલ છે તેઓની સત્તા યુક્ત હતી કે અયુક્ત ? એ બતાવવા માટે તે ખ્યાલ આપવામાં આવેલું હતું એમ કેઈએ સમજવું નહી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32