Book Title: Kutrim Diksha Pravrutti Kem Atkavi Shakay
Author(s): Balchandracharya
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 12
________________ ૧૨ અગ્ય દીક્ષા એટલે શું? વર્ષને પ્રશ્ન હાથ ધરે તેથી આ મુદ્દાઓને અંત આવે તેમ લાગતું નથી. અને બાલદીક્ષાને અંગે આ ઝગડે પણ નથી, આ ઝગડા અયોગ્ય અને નકલી (કૃત્રિમ) દીક્ષાને લીધે છે. હવે એ પ્રશ્ન ઉઠે અયોગ્ય દીક્ષા એટલે શું? મારા મત પ્રમાણે દીક્ષા દેતી લેતી વખતે યોગ્ય અગ્યને નિર્ણય થઈ શકતો નથી. અને તે વખતે યોગ્ય અગ્યપણું જોવામાં આવે છે તે બહારની દૃષ્ટિથી જ. શાસ્ત્રકારોએ પણ દીક્ષા માટે ગ્ય અયોગ્ય નિર્ણય આપ્યો છે તે વ્યવહારૂ દષ્ટિ રાખીને જ આ છે. દીક્ષા લેતી દેતી વખતે કેટલાક યોગ્ય જણાય છે, તે કાલાંતરથી અયોગ્ય પણ નિવડે છે-દીક્ષા મુકીને ચાલ્યા પણ જાય છે–દીક્ષાના વેષમાં અનાચાર પણ સેવે છે. એવા દાખલા શાસ્ત્રમાં તથા વર્તન માનમાં પણ ઘણું મળી શકે તેમ છે. તેવી જ રીતે દીક્ષા માટે અગ્ય દેખાય, જડ કે મુરખ લાગે તેવામાં પણ કેટલાક સારા વિદ્વાન અને ત્યાગીઓ નિવડી આવે છે. એવા દાખલા ઘણું મળી શકે તેમ છે. માટે દીક્ષાના સંબંધમાં ગ્ય અગ્યને વિચાર કરવામાં આવે છે તે વ્યવહારૂ છે. તે ઉપાય સાચે ઠરી શકતા નથી, અને આ કલેશ માડવા સમર્થ નથી. જે યુવક પક્ષ એમ ઈચ્છત હોય કે ભલે અમારામાં ફેશનવાળા રહે, કંદમૂળ ખાનારા તે ભલે ખાય, હોટેલના દરવાજા જેનારા તે જુવે, અનાચાર સેવનારા તે સેવે, અનીતિનું જીવન ગુજારનાર ભલે તેવું જીવન ગુજારે. પણ અમારા ત્યાગી સાધુ વર્ગ ત્યાગમાંગ જ રહેવું જોઈએ. તે એમ કેઈ દિવસ પણ થવાનું નથી, કારણ શ્રાવક અને સાધુઓમાં પરસ્પર અન્ય આશ્રય સંબંધ રહેલો છે. સાધુઓને ત્યાગમાર્ગથી પાડનાર શ્રાવક વર્ગજ છે. વળી આ દીક્ષાને ઝગડે ગુર્જર ભાષા-ભાષી પ્રાંતનેજ છે-આખા હિંદુસ્થાનને નથી. પંજાબ, માલવા, મારવાડ, મેવાડ, બંગાલ આદિ પ્રદેશમાં આ ઝગડે ટકી શકતા નથી. ગુજરાત અને તેની પાસેના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32