Book Title: Kshapak Shreni Arthadhikar Ane Paschim Skandh Arthadhikar
Author(s): Hemchandravijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________ 14 અનિવૃત્તિકરણ અસંખ્યગુણહીન અને પરસ્પર તુલ્ય થાય છે. અહીં સ્થિતિબંધનું અલ્પબદુત્વ આ પ્રમાણે છે - ક્ર. | પ્રકૃતિ સ્થિતિબંધનું અલ્પબદુત્વ 1 | મોહનીય અલ્પ સ્થિતિબંધનું પ્રમાણ પલ્યોપમ/અસંખ્યાત પલ્યોપમ/અસંખ્યાત પલ્યોપમ/અસંખ્યાત અસંખ્યગુણ (પરસ્પર તુલ્ય) અસંખ્યગુણ (પરસ્પર તુલ્ય) નામ, ગોત્ર જ્ઞાનાવરણ, દર્શનાવરણ, અંતરાય | 4 | વેદનીય અસંખ્યગુણ પલ્યોપમ/અસંખ્યાત આ ક્રમે હજારો સ્થિતિબંધ પસાર થાય છે. ત્યારપછી જ્ઞાનાવરણ, દર્શનાવરણ, અંતરાયનો સ્થિતિબંધ નામ-ગોત્રના સ્થિતિબંધથી પણ નીચે જાય છે. એ વખતે વેદનીયનો સ્થિતિબંધ નામ-ગોત્રના સ્થિતિબંધથી વિશેષાધિક થાય છે. અત્યાર સુધી નામ-ગોત્રના સ્થિતિબંધ કરતા જ્ઞાનાવરણાદિ ત્રણ ઘાતકર્મોનો સ્થિતિબંધ અસંખ્યગુણ થતો હતો, હવેથી જ્ઞાનાવરણાદિ ત્રણ ઘાતી કર્મોનો સ્થિતિબંધ નામ-ગોત્રના સ્થિતિબંધથી અસંખ્યગુણહીન થાય છે. અહીં સ્થિતિબંધનું અલ્પબદુત્વ આ પ્રમાણે છે - સ્થિતિબંધનું અલ્પબદુત્વ ક. | પ્રકૃતિ મોહનીય 1 અલ્પ સ્થિતિબંધનું પ્રમાણ પલ્યોપમ/અસંખ્યાત પલ્યોપમ/અસંખ્યાત અસંખ્યગુણ (પરસ્પર તુલ્ય) જ્ઞાનાવરણ, | દર્શનાવરણ, અંતરાય 3 | નામ, ગોત્ર 4 | વેદનીય | અસંખ્યગુણ (પરસ્પર તુલ્ય) વિશેષાધિક પલ્યોપમ/અસંખ્યાત પલ્યોપમ/અસંખ્યાત હવેથી સ્થિતિબંધનો ક્રમ આ પ્રમાણે જ રહેશે. સ્થિતિસત્તા વક્તવ્યતા - સ્થિતિબંધનો ઉપર કહ્યા મુજબનો છેલ્લો ક્રમ થયા પછી હજારો સ્થિતિઘાત વીત્યા પછી સત્તાગત સાતે કર્મોની સ્થિતિસત્તા અસંજ્ઞીના સ્થિતિબંધ તુલ્ય થાય છે. ત્યારપછી હજારો સ્થિતિઘાત વીત્યા પછી ચઉરિન્દ્રિયના સ્થિતિબંધ તુલ્ય સ્થિતિસત્તા થાય છે. ત્યાર પછી હજારો સ્થિતિઘાત વીત્યા પછી તે ઇન્દ્રિયના સ્થિતિબંધ તુલ્ય સ્થિતિસત્તા થાય છે. ત્યારપછી હજારો સ્થિતિઘાત વીત્યા પછી 1. સ્થિતિબંધ અને સ્થિતિઘાતનો કાળ સમાન છે. એટલે “હજારો સ્થિતિબંધ વીત્યા પછી કે “હજારો સ્થિતિઘાત વીત્યા પછી’ કહેવું બંને તુલ્ય છે, પરંતુ અહીં હવેથી સ્થિતિઘાત શબ્દ બધે વાપરવાનું કારણ એ છે કે હવે સ્થિતિસત્તાની વક્તવ્યતા ચાલે છે અને સત્તામાં સ્થિતિ સ્થિતિઘાત દ્વારા ઓછી થતી જાય છે.