Book Title: Kshapak Shreni Arthadhikar Ane Paschim Skandh Arthadhikar
Author(s): Hemchandravijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________ 274 કિટ્ટિકરણોદ્ધા અભાવ છે, એટલે ત્યાં સંક્રમદ્રવ્યની વહેંચણી શી રીતે થાય છે તે બતાવાય છે - સંજવલન લોભની ત્રીજી સંગ્રહકિટ્રિમાં સંક્રમદ્રવ્યની વહેંચણી - સંક્રમદ્રવ્યના અધસ્તનશીર્ષીયદ્રવ્ય વગેરે પાંચ પ્રકાર પૂર્વે બતાવ્યા છે. ફરી તે પાંચ પ્રકારને યાદ કરી લઇએ -1) અધસ્તનશીર્ષીયદ્રવ્ય 2) અપૂર્વઅધસ્તનકિટ્રિદ્રવ્ય 3) અપૂર્વઅંતરકિટિદ્રવ્ય 4) ઉભયચર્યદ્રવ્ય 5) મધ્યમખંડદ્રવ્ય. આ પાંચ પ્રકારના દ્રવ્યમાંથી અપૂર્વઅધસ્તનકિઠ્ઠિઓ, પૂર્વકિઠ્ઠિઓ, અપૂર્વઅંતરકિઠ્ઠિઓ વગેરે દરેકમાં શી રીતે દ્રવ્ય અપાય છે? તે હવે જોઇએ - સંજવલન લોભની ત્રીજી સંગ્રહકિટ્ટિની નીચે જે અપૂર્વઅધસ્તનકિઠ્ઠિઓ કરી તેમાં સૌ પ્રથમ જઘન્ય કિષ્ટિમાં અપૂર્વઅધતનકિથ્રિદ્રવ્યમાંથી એક અપૂર્વઅધતનકિટ્રિદ્રવ્ય, મધ્યમખંડદ્રવ્ય(સંક્રમદ્રવ્યનું)માંથી એક મધ્યમખંડદ્રવ્ય અને ઉભયચયદ્રવ્યમાંથી સર્વ પૂર્વ-અપૂર્વ કિટિ જેટલા ચયોનું દ્રવ્ય આવે. આ દ્રવ્ય સૌથી વધારે છે. ત્યાર પછી બીજી અપૂર્વઅધસ્તનકિષ્ટિમાં એક અપૂર્વઅધસ્તનકિદિદ્રવ્ય, એક મધ્યમખંડદ્રવ્ય અને 1 ન્યૂન સર્વ કિટ્ટિ પ્રમાણ ઉભયચયદ્રવ્ય આવે. એટલે બીજી અપૂર્વઅધસ્તનકિષ્ટિમાં દીયમાન દ્રવ્ય તેની પૂર્વેની (પ્રથમ) અપૂર્વઅધસ્તનકિટ્ટિના દીયમાન દ્રવ્ય કરતા એક ઉભયચયદ્રવ્ય (અનંતમા ભાગ) જેટલું ઓછું છે. ત્રીજી વગેરે સર્વ અપૂર્વઅધસ્તનકિઠ્ઠિઓમાં પણ આ પ્રમાણે એક-એક અપૂર્વઅધસ્તનકિટ્રિદ્રવ્ય, એક-એક મધ્યમખંડદ્રવ્ય અને એક-એક ન્યૂન પ્રમાણ ઉભયચયદ્રવ્ય અપાય છે. આમ થતા સર્વ અપૂર્વઅધસ્તનકિટિઓમાં ઉત્તરોત્તર એક એક ઉભયચર્યદ્રવ્ય (અનંતમા ભાગ) જેટલુ દ્રવ્ય ઓછુ આવે. આમ ચરમ અપૂર્વઅધસ્તનકિષ્ટિ સુધી દ્રવ્ય અપાઈ જાય ત્યારે ત્રીજી સંગ્રહકિષ્ટિનું અપૂર્વઅધસ્તનકિશ્ચિદ્રવ્ય પૂર્ણ થઈ જાય છે. ત્યાર પછી ચરમ અપૂર્વઅધસ્તનકિટ્ટિની ઉપર પ્રથમ પૂર્વકિટ્રિમાં મધ્યમખંડદ્રવ્યમાંથી એક મધ્યમખંડદ્રવ્ય અને ઉભયચર્યદ્રવ્યમાંથી જેટલી કિષ્ટિ પૂર્વે પસાર થઈ ગઈ તેટલી કિષ્ટિ હીન સર્વકિટ્ટિ પ્રમાણ ચય જેટલુ દ્રવ્ય આવે. અહીં આની પૂર્વેની કિટ્ટિ (અંતિમ અપૂર્વઅધસ્તનકિટ્ટિ) કરતા એક અપૂર્વઅધસ્તનકિટ્રિદ્રવ્ય અને એક ઉભયચર્યદ્રવ્ય જેટલુ દ્રવ્ય ઓછું આવ્યું. એટલે અંતિમ અપૂર્વઅધસ્તનકિટ્ટિના દીયમાન દ્રવ્ય કરતા પ્રથમ પૂર્વકિષ્ટિનું દીયમાન દ્રવ્ય અસંખ્યગુણહીન આવે, કેમકે અપૂર્વઅધસ્તનકિટ્રિદ્રવ્ય મધ્યમખંડદ્રવ્યથી અસંખ્યાતગુણ છે. ત્યાર પછી બીજી પૂર્વકિટ્ટિમાં એક અધસ્તનશીર્ષીયદ્રવ્ય, એક મધ્યમખંડદ્રવ્ય તથા ઉભયચયદ્રવ્યમાંથી પૂર્વે ગઈ તેટલી કિષ્ટિ હીન સર્વ કિટ્ટિ પ્રમાણ ચય જેટલુ દ્રવ્ય આવે. આમ અહીં બીજી પૂર્વકિટ્ટિમાં પ્રથમ પૂર્વકિષ્ટિ કરતા એક અધસ્તનશીષચયદ્રવ્ય જેટલું દ્રવ્ય વધ્યું અને એક ઉભયચર્યદ્રવ્ય જેટલું દ્રવ્ય ઘચ્યું. એટલે સરેરાશ એક અધસ્તનશીર્ષચયદ્રવ્ય ન્યૂન એક ઉભયચર્યદ્રવ્ય જેટલુ દ્રવ્ય ઘટ્યુ. ઉભયચયદ્રવ્ય અને અસ્તનશીર્ષીયદ્રવ્ય બન્ને અનંતમા ભાગ જેટલા છે, તેમાં પણ ઉભયચયદ્રવ્ય અધતનશીર્ષીયદ્રવ્ય કરતા વધુ છે. તેથી બીજી પૂર્વકિટ્ટિનું દીયમાન દ્રવ્ય પ્રથમ પૂર્વકિટ્ટિના દીયમાન દ્રવ્ય કરતા અનંતમો ભાગ ઘટ્યુ. આ જ રીતે ત્રીજી વગેરે પૂર્વકિટિઓમાં ઉત્તરોત્તર એક એક વધુ અધસ્તનશીર્ષીયદ્રવ્ય, ઉત્તરોત્તર એક-એક ઓછુ ઉભયચયદ્રવ્ય (એટલે સરેરાંશ અનંતમો ભાગ ઘટતા ક્રમનું દ્રવ્ય) અને એક-એક મધ્યમખંડદ્રવ્ય અપૂર્વઅંતરકિષ્ટિ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી અપાય છે. (એટલે કે પલ્યોપમના પ્રથમ વર્ગમૂળના અસંખ્યાતમાં ભાગ જેટલી પૂર્વકિઠ્ઠિઓ સુધી, કેમકે ત્યાર પછી અપૂર્વઅંતરકિટ્ટિ થાય છે.)