Book Title: Kshapak Shreni Arthadhikar Ane Paschim Skandh Arthadhikar
Author(s): Hemchandravijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________ 318 કિટ્ટિવેદનાદ્ધા એમ સંજવલન લોભની બીજી સંગ્રહકિષ્ટિની ચરમ બાદરકિષ્ટિ સુધી ઉત્તરોત્તર કિષ્ટિમાં દશ્યમાન દ્રવ્ય અનંતમો ભાગ ન્યૂન છે. ( ૯માં ગુણસ્થાનકના ચરમ સમય સુધી દશ્યમાન દ્રવ્યનો આ જ સંભવિત ક્રમ જાણવો. આ પ્રમાણે સંજવલન લોભની બીજી સંગ્રહકિટ્ટિને વેદતા જે સૂક્ષ્મકિઠ્ઠિઓ થાય છે તેનું વિધાન કહ્યું. સંજવલન લોભની બીજી સંગ્રહકિટ્ટિની પ્રથમ સ્થિતિની ત્રણ આવલિકા બાકી રહે ત્યાં સુધી જ બીજી સંગ્રહકિટ્ટિનું દલિક ત્રીજી સંગ્રહકિટ્રિમાં સંક્રમે છે, ત્યાર પછી તેમાં સંક્રમતુ નથી, પણ સર્વ સૂક્ષ્મકિઠ્ઠિઓમાં જ સંક્રમે છે. અહીં બીજી સંગ્રહકિષ્ટિની પ્રથમ સ્થિતિની ૩આવલિકા શેષે બીજી સંગ્રહકિટ્ટિના દ્રવ્યનો ત્રીજી સંગ્રહકિટ્ટિમાં સંક્રમ થવાનો નિષેધ કરવાનો હેતુ આ પ્રમાણે છે- સંજ્વલન લોભની પ્રથમસ્થિતિની ત્રણ આવલિકા શેષ રહે તે વખતે ચરમ સમયનું દલિક જે ત્રીજી સંગ્રહકિટ્ટિમાં ગયુ તે એક આવલિકા સુધી તેમ જ પડ્યુ રહે છે. ત્યાર પછી બીજી આવલિકામાં તેદ્રવ્ય સૂક્ષ્મકિટ્ટિમાં સંક્રમે છે. બીજી આવલિકાના ચરમ સમયે બીજી સંગ્રહકિટ્ટિની ચતુચ્ચરમ (છેલ્લેથી ચોથી) આવલિકાના અંતિમ સમયનું સઘળુ દલિક સૂક્ષ્મકિઠ્ઠિઓ રૂપે પરિણમે છે. તે જ સમયે બીજી સંગ્રહકિટ્ટિની પ્રથમસ્થિતિની એક આવલિકા બાકી રહેવાથી તેનો ઉદયવિચ્છેદ થાય છે અને અનિવૃત્તિ બાદરભંપરાય ગુણસ્થાનકનો પણ વિચ્છેદ થાય છે. એટલે સંજ્વલન લોભની બીજી સંગ્રહકિટ્ટિની પ્રથમ સ્થિતિની ત્રણ આવલિકા શેષ સંક્રમેલુ સઘળુ દ્રવ્ય અનિવૃત્તિ બાદરસપરાય ગુણસ્થાનકના ચરમ સમયે સૂક્ષ્મકિટ્ટિઓરૂપે પરિણમે છે. અનિવૃત્તિબાદરસપરાય ગુણસ્થાનકના ચરમ સમય પછી ત્રીજી સંગ્રહકિટ્ટિનું દ્રવ્ય શેષ રહેતું નથી. હવે જો પ્રથમસ્થિતિની ત્રણ આવલિકા શેષ રહે ત્યાર પછી પણ ત્રીજી સંગ્રહકિટ્ટિમાં દ્રવ્ય આવવાનું ચાલુ રહે તો અનિવૃત્તિબાદરjપરાય ગુણસ્થાનક પછી પણ તેની સત્તા રહી જાય. પણ એ ઇષ્ટ નથી, કેમકે સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનકના પ્રથમ સમયે સંજ્વલન લોભની બીજી સંગ્રહકિટ્ટિની પ્રથમ સ્થિતિની સમય ન્યૂન ચરમ આવલિકા અને બે સમય ન્યૂન બે આવલિકાનું બંધાયેલું દલિક - આટલા બાદર કિષ્ટિના દલિક (બીજી સંગ્રહકિષ્ટિના દલિક) સિવાય બાદરકિઠ્ઠિઓનું અન્ય દલિક હોતુ નથી. સંજવલન લોભની બીજી સંગ્રહકિટ્ટિની પ્રથમસ્થિતિની બે આવલિકા શેષ રહે ત્યારે આગાલ-પ્રત્યાગાલનો વિચ્છેદ થાય છે. સંજવલન લોભની બીજી સંગ્રહકિટ્ટિની પ્રથમ સ્થિતિની સમયાધિક આવલિકા બાકી રહે ત્યારે 1) બાદર સંજવલન લોભની જઘન્ય સ્થિતિઉદીરણા થાય છે. 2) અનિવૃત્તિ બાદર સંપરાય ગુણસ્થાનકનો ચરમસમય થાય છે. 3) સંજવલન લોભની બીજી સંગ્રહકિટ્ટિની પ્રથમસ્થિતિની ચરમ આવલિકાની કિઠ્ઠિઓ અને સમય ન્યૂન બે આવલિકામાં બંધાયેલ કિટ્ટિઓ સિવાય સંજવલન લોભની બીજી સંગ્રહકિટ્ટિનું સર્વ દ્રવ્ય તથા ત્રીજી સંગ્રહકિષ્ટિનું સર્વ દ્રવ્ય સૂક્ષ્મકિઠ્ઠિઓરૂપે પરિણમે છે.