Book Title: Kshapak Shreni Arthadhikar Ane Paschim Skandh Arthadhikar
Author(s): Hemchandravijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 368
________________ 342 સયોગીકેવળી ગુણસ્થાનક ( કિષ્ટિકરણાદ્ધા - અપૂર્વસ્પર્ધકકરણ સમાપ્ત થયા પછીના સમયે કિઠ્ઠિઓ કરવાનો પ્રારંભ કરે છે. તે અંતર્મુહૂર્ત સુધી કરે છે. કિટ્ટિ એટલે શું ? કહ્યું છે - ‘મથ વિટ્ટીશિતિ : પાર્થ ? ૩વ્યો, પર્વોત્તરવૃદ્ધિ વ્યવયિત્વાઇનન્તપુI(સી ) દીનૈશ્નવાસ્થાને યોજાન્યRUામ્ !' - કર્મપ્રકૃતિના સત્તાપ્રકરણની ગાથા પપની ઉપા. યશોવિજયજી કૃત ટીકા. સ્પર્ધકોમાં જે એક એક અધિક અવિભાગ વાળી વર્ગણાઓ છે તેને એવી રીતે અસંખ્ય ગુણહીન રસવાળી કરી નાંખવી કે જેથી તેમાં એકોત્તરવૃદ્ધિનો ક્રમ ન રહેતા ઉત્તરોત્તર અસંખ્યગુણ અવિભાગ રહે. આને કિષ્ટિ કહેવાય છે. જઘન્ય અપૂર્વસ્પર્ધકની જઘન્ય વર્ગણામાં રહેલા વીર્યા કરતા ઉત્કૃષ્ટ કિષ્ટિના વિર્યાણુ અસંખ્યગુણહીન છે. સ્પર્ધક અને કિરિનો ભેદ - સ્પર્ધકોમાં એક એક અધિક અવિભાગવાળા આત્મપ્રદેશોની વણાઓ હોય છે. કિટ્ટિઓમાં એક એક અધિક અવિભાગવાળા આત્મપ્રદેશોની વર્ગણાઓ હોતી નથી. એક કિષ્ટિમાં રહેલ આત્મપ્રદેશોમાં સરખા અવિભાગ હોય છે. પૂર્વ-પૂર્વ કિટ્ટિથી ઉત્તરોત્તર કિટ્ટિમાં અસંખ્યગુણ અવિભાગ હોય છે. તાત્પર્ય એ છે કે જઘન્ય કિટ્ટિમાં જેટલા અવિભાગવાળા આત્મપ્રદેશો છે તેથી એક અધિક અવિભાગવાળા આત્મપ્રદેશો હોતા નથી, બે અધિક અવિભાગવાળા આત્મપ્રદેશો હોતા નથી, ત્રણ અધિક અવિભાગવાળા આત્મપ્રદેશો હોતા નથી, પરંતુ જઘન્ય કિટ્ટિના દરેક આત્મપ્રદેશ ઉપર રહેલા અવિભાગ કરતા અસંખ્યગુણ અવિભાગવાળા આત્મપ્રદેશો હોય છે. તે આત્મપ્રદેશોની બીજી કિટ્ટિ સમજવી. એમ ઉત્તરોત્તર કિઠ્ઠિઓમાં અસંખ્યગુણ અવિભાગ હોય છે. ( કિષ્ટિકરણવિધિ - ત્તત્ર પૂર્વIઈનામપૂર્વક્ષાન વધસ્ત યા મતિવાસ્તવિમા - परिच्छेदा ये तेषामयं योगजधर्मानुग्रहादसङ्ख्येयान् भागानाकर्षति, असङ्ख्येयभागं चैकं स्थापयति एकं વાસઃધ્યેયમા નીવપ્રદેશાનામાવતિ, વં સર્વ સ્થાપતિ ' - સંક્રમકરણ ભાગ 1, પાના નં. 131. પ્રથમ સમયે પૂર્વસ્પર્ધકો - અપૂર્વસ્પર્ધકોની પ્રથમ વર્ગણાના વીર્યાણુમાંથી અસંખ્યાતા બહુભાગને ખેંચે છે અને એક અસંખ્યાતમો ભાગ રાખે છે, જીવપ્રદેશોનો એક અસંખ્યાતમો ભાગ ખેંચે છે અને શેષ સર્વ ત્યાં રાખે છે. એટલે કે કિટ્ટિકરણોદ્ધાના પ્રથમ સમયે સર્વજીવપ્રદેશોના એક અસંખ્યાતમા ભાગ જેટલા આત્મપ્રદેશો લઈ તેમાંથી અસંખ્યાતા બહુભાગ વિર્યાણુઓનો નાશ કરી કિઠ્ઠિઓ બનાવે છે. તેનો વિધિ આ પ્રમાણે છે - સર્વ જીવપ્રદેશોના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ પ્રદેશો લઈ તેમાંથી કિઠ્ઠિઓની રચના કરે છે. અપૂર્વસ્પર્ધકની જઘન્ય વર્ગણામાં જેટલા વીર્યાણુ છે તેના કરતા ઉત્કૃષ્ટકિટ્ટિમાં વીર્યાણુ અસંખ્યગુણહીન છે. અહીં આત્મપ્રદેશોની વહેંચણીનો ક્રમ આ પ્રકારે છે- જઘન્ય કિટ્ટિ વિષે સૌથી વધુ આત્મપ્રદેશો છે, ત્યાર પછીની કિટ્રિમાં વિશેષહીન આત્મપ્રદેશો છે, એમ સર્વોત્કૃષ્ટ કિટ્ટિ સુધી ઉત્તરોત્તર કિટ્રિમાં વિશેષહીન આત્મપ્રદેશો છે. ચરમ કિષ્ટિ કરતા અપૂર્વસ્પર્ધકની પ્રથમ વર્ગણામાં અસંખ્યગુણહીન આત્મપ્રદેશો છે. ત્યાર પછી પૂર્વસ્પર્ધકની ચરમવર્ગણા સુધી ઉત્તરોત્તર વર્ગણામાં વિશેષહીન આત્મપ્રદેશો છે.

Loading...

Page Navigation
1 ... 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388