Book Title: Kshapak Shreni Arthadhikar Ane Paschim Skandh Arthadhikar
Author(s): Hemchandravijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 316
________________ 290 કિટ્ટિકરણોદ્ધા પરિણમે છે. આમ થતા સંજવલન માયાની પ્રથમ સંગ્રહકિટ્ટિનું સર્વદ્રવ્ય પૂર્વે હતુ તેના કરતા લગભગ 19 ગણુ થાય, કેમકે સંજવલન માનની ત્રીજી સંગ્રહકિષ્ટિનું 18 ગુણ દ્રવ્ય તેમાં આવ્યું. આમ સંજવલન માનની ત્રીજી સંગ્રહકિટ્ટિની વેદનાદ્ધા પૂર્ણ થાય છે. સંજવલન માયાની પ્રથમ સંગ્રહકિરિની વેદનાદ્ધા - સંજવલન માનની ત્રીજી સંગ્રહકિટ્ટિની વેદનાદ્ધા પૂર્ણ થયા પછીના સમયે સંજવલન માયાની પ્રથમ સંગ્રહકિષ્ટિના દલિકોને બીજી સ્થિતિમાંથી ખેંચી તેની સંજવલન માયાની પ્રથમ સંગ્રહકિટ્ટિની વેદનાદ્ધા કરતા એક આવલિકા અધિક જેટલી પ્રથમ સ્થિતિ કરે છે અને વેદે છે. અહીં પણ બધો અધિકાર પહેલાની જેમ જાણી લેવો. સંક્રમવિધિ અને સંગ્રહકિટ્ટિની અવાંતરકિટ્ટિ અને તેના દલિકોના અલ્પબદુત્વો યથાસંભવ જાણવા. સંગ્રહકિટ્ટિની અવાંતરકિઢિઓનું અલ્પબદુત્વ આ પ્રમાણે છે - 1) સંજવલન માયાની બીજી સંગ્રહકિટ્ટિની અવાંતરકિઠ્ઠિઓ અલ્પ છે. 2) તેના કરતા સંજવલન માયાની ત્રીજી સંગ્રહકિટ્ટિમાં અવાંતરકિઠ્ઠિઓ વિશેષાધિક છે. 3) તેના કરતા સંજવલન લોભની પ્રથમ સંગ્રહકિટ્ટિમાં અવાંતરકિઠ્ઠિઓ વિશેષાધિક છે. 4) તેના કરતા સંજવલન લોભની બીજી સંગ્રહકિટ્ટિમાં અવાંતરકિઠ્ઠિઓ વિશેષાધિક છે. 5) તેના કરતા સંજવલન લોભની ત્રીજી સંગ્રહકિષ્ટિમાં અવાંતરકિઠ્ઠિઓ વિશેષાધિક છે. 6) તેના કરતા સંજવલન માયાની પ્રથમ સંગ્રહકિટ્ટિમાં અવાંતરકિઠ્ઠિઓ સંખ્યાતગુણ છે. સંજવલન માનની પ્રથમ સંગ્રહકિટ્ટિની પ્રથમ સ્થિતિની બે આવલિકા શેષ રહે ત્યારે આગાલપ્રત્યાગાલનો વિચ્છેદ થાય છે. સંજવલન માયાની પ્રથમ સંગ્રહકિષ્ટિની પ્રથમ સ્થિતિની સમયાધિક આવલિકા શેષ રહે ત્યારે 1) સંજવલન માયાની પ્રથમ સંગ્રહકિટ્ટિની જઘન્ય સ્થિતિઉદીરણા થાય છે. 2) સંજવલન માયાની પ્રથમ સંગ્રહકિટ્ટિનો ઉદયવિચ્છેદ થાય છે, અર્થાત્ ઉદયનો ચરમસમય થાય છે. 3) સંજવલન માયા-લોભનો સ્થિતિબંધ દેશોન (અંતર્મુહૂર્ત ન્યૂન) 25 દિવસ પ્રમાણ થાય છે. 4) સંજવલન માયા-લોભની સ્થિતિસત્તા દેશોન (અંતર્મુહૂર્ત ન્યૂન) ૨૦માસ પ્રમાણ થાય છે. 5) શેષ ત્રણ ઘાતી કર્મોનો સ્થિતિબંધ વર્ષપૃથક્ત પ્રમાણ થાય છે. 6) શેષ ત્રણ ઘાતી કર્મોની સ્થિતિસત્તા સંખ્યાતા હજાર વર્ષ પ્રમાણ થાય છે. 1-2. અહીં કષાયમામૃતાચૂર્ણિમાં દેશોન કહ્યું છે, ક્ષપણાસારમાં અંતર્મુહૂર્ત ન્યૂન કહ્યું છે, બન્નેનો અર્થ એક જ હોય એમ લાગે છે.

Loading...

Page Navigation
1 ... 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388