Book Title: Kshapak Shreni Arthadhikar Ane Paschim Skandh Arthadhikar
Author(s): Hemchandravijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________ 258 કિટ્ટિકરણાદ્ધા અસંખ્યગુણ હોય છે. કષાયપ્રાભૃતચૂર્ણિમાં કહ્યું છે કે - નાગો સંવામિન્નમણિયાતો પHIો મધ્યા જિદ્દી વ્યક્તિન્નતિ તાકો સુસુ મોકાસુ, તં ના વિડિયંતસુ ચ સંવિભિંતરે રા' - ભાગ 15, પાના નં. 255, ૨પ૬ બંધાતા દલિકમાંથી જે અપૂર્વકિઠ્ઠિઓ થાય છે, તે કેટલી થાય છે? અને ક્યાં ક્યાં થાય છે? તે બતાવાય છે - પ્રથમ સંગ્રહકિટ્ટિમાં નીચેની અને ઉપરની અસંખ્યાતમા ભાગની કિઠ્ઠિઓ તો બંધાતી જ નથી. વચ્ચેની જે કિઠ્ઠિઓ બંધાય છે તેમાં જઘન્યકિટ્રિથી પલ્યોપમના અસંખ્યાત પ્રથમ વર્ગમૂળ જેટલી કિઠ્ઠિઓ પસાર થયા પછી એક અપૂર્વકિટ્ટિની રચના થાય છે, એટલે કે પલ્યોપમના પ્રથમ વર્ગમૂળને અસંખ્યથી ગુણતા જે આવે તેટલી કિઠ્ઠિઓ જે પસાર થઇ ગઇ તેમાંથી છેલ્લી કિટ્ટિ અને ત્યાર પછીની કિટ્ટિની વચ્ચે તે છેલ્લી કિટ્ટિ કરતા અનંતગુણ રસવાળી અને ત્યાર પછીની કિષ્ટિ કરતા અનંતગુણહીન રસવાળી અપૂર્વકિટ્ટિ કરે છે. ત્યાર પછી ફરી તેટલી જ કિઠ્ઠિઓ પસાર થયા પછી ત્યાર પછીની કિટ્ટિ પૂર્વે અપૂર્વકિટ્ટિ કરે છે. એમ યાવતુ બંધાતી ઉત્કૃષ્ટ કિટ્ટિથી નીચે પલ્યોપમના અસંખ્યાતા પ્રથમ વર્ગમૂળ જેટલી કિઠ્ઠિઓની પૂર્વે ચરમ અપૂર્વકિટ્ટિ થાય છે. આ અપૂર્વકિઠ્ઠિઓ પૂર્વકિઠ્ઠિઓના અસંખ્યાતમા ભાગ પ્રમાણ થાય છે. | બંધાતી પૂર્વ કિટ્ટિ બંધાતા દલિકમાંથી થતી અપૂર્વકિઠ્ઠિઓ == - અસંખ્ય ૪/પલ્યોપમ હવે બંધાતા દલિકમાંથી પૂર્વકિઠ્ઠિઓમાં અને અપૂર્વકિઠ્ઠિઓમાં અપાતા દ્રવ્યની પ્રરૂપણા કરાય છે - બંધાતી જઘન્ય પૂર્વકિટ્રિમાં દલિક ઘણુ આપે. ત્યારપછી બીજી પૂર્વકિટ્ટિમાં દલિક વિશેષહીન (અનંતમો ભાગ હીન) આપે. ત્યાર પછી ત્રીજી પૂર્વકિટ્ટિમાં દલિક વિશેષહીન આપે. એમ યાવત્ પલ્યોપમના અસંખ્ય પ્રથમ વર્ગમૂળ જેટલી કિઠ્ઠિઓ સુધી ઉત્તરોત્તર પૂર્વકિટ્રિમાં વિશેષહીન દલિક આપે. ત્યાર પછી અપૂર્વકિષ્ટિ આવે છે. એટલે એ પ્રથમ અપૂર્વકિષ્ટિમાં પૂર્વેની પૂર્વકિષ્ટિ કરતા અનંતગુણ દલિક આપે. ત્યાર પછી પૂર્વકિષ્ટિ આવે છે. એટલે પ્રથમ અપૂર્વકિષ્ટિ કરતા તેમાં અનંતગુણહીન દલિક આપે. ત્યાર પછીની પૂર્વકિટ્રિમાં વિશેષહીન દલિક આપે. એમ યાવત્ બીજી અપૂર્વકિષ્ટિ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી ઉત્તરોત્તર પૂર્વકિષ્ટિમાં વિશેષહીન દલિક આપે. ત્યાર પછી બીજી અપૂર્વકિટ્ટિમાં પૂર્વેની પૂર્વકિટ્ટિ કરતા અનંતગુણ દલિક આપે. ત્યાર પછીની પૂર્વકિષ્ટિમાં અનંતગુણહીન દલિક આપે. ત્યાર પછી ત્રીજી અપૂર્વકિટ્ટિ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી ઉત્તરોત્તર પૂર્વકિટ્ટિમાં વિશેષહીન દલિક આપે. આ ક્રમે બધી બંધાતી કિટિઓમાં દીયમાન દલિકની વક્તવ્યતા જાણવી. સંક્રમતા દલિકમાંથી પણ અપૂર્વકિટ્ટિઓની રચના કરે છે. તેમાંથી બારે સંગ્રહકિઠ્ઠિઓમાં તથા અગિયાર સંગ્રહકિટ્રિઅંતરોમાં કિઠ્ઠિઓની રચના કરે છે. સંગ્રહકિટ્રિઅંતરોમાં એટલે કે સંજવલન ક્રોધની પ્રથમ સંગ્રહકિષ્ટિ સિવાય દરેક સંગ્રહકિટ્ટિની જઘન્ય કિટ્ટિની નીચે જે કિઠ્ઠિઓ થાય છે તે અપૂર્વઅધતનકિટ્ટિ કહેવાય છે. તેમાં