Book Title: Kshapak Shreni Arthadhikar Ane Paschim Skandh Arthadhikar
Author(s): Hemchandravijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________ અનિવૃત્તિકરણ | ક. | પ્રકૃતિ સ્થિતિસત્તાનું અલ્પબદુત્વ | સ્થિતિસત્તાનું પ્રમાણ મોહનીય અલ્પ પલ્યોપમ/અસંખ્યાત નામ, ગોત્ર અસંખ્યગુણ (પરસ્પર તુલ્ય) પલ્યોપમઅસંખ્યાત જ્ઞાનાવરણ, દર્શનાવરણ, | અસંખ્યગુણ (પરસ્પર તુલ્ય) પલ્યોપમ/અસંખ્યાત અંતરાય 4 | વેદનીય અસંખ્ય ગુણ પલ્યોપમ અસંખ્યાત વળી હજારો સ્થિતિઘાત પસાર થાય ત્યારે જ્ઞાનાવરણાદિ ત્રણ ઘાતકર્મોની સ્થિતિસત્તા નામ-ગોત્રની સ્થિતિસત્તા કરતા પણ નીચે જાય છે, એટલે કે અત્યાર સુધી જ્ઞાનાવરણાદિ ત્રણ ઘાતકર્મોની સ્થિતિસત્તા નામ-ગોત્રની સ્થિતિસત્તા કરતા અસંખ્યગુણ હતી, હવે ત્રણ ઘાતકર્મોની સ્થિતિસત્તા નામ-ગોત્રની સ્થિતિસત્તા કરતા અસંખ્યગુણહીન થાય છે. તે વખતે વેદનીયની સ્થિતિસત્તા નામ-ગોત્રની સ્થિતિસત્તા કરતા વિશેષાધિક હોય છે. અહીં અલ્પબદુત્વ આ પ્રમાણે છે - સ્થિતિસત્તાનું અલ્પબદુત્વ | સ્થિતિસત્તાનું પ્રમાણ | - અલ્પ પલ્યોપમ/અસંખ્યાત | હ | પ્રકૃતિ મોહનીય જ્ઞાનાવરણ, દર્શનાવરણ, અંતરાય નામ, ગોત્ર 4 | વેદનીય અસંખ્યગુણ (પરસ્પર તુલ્ય) પલ્યોપમ/અસંખ્યાત | U પલ્યોપમ/અસંખ્યાત | અસંખ્યગુણ (પરસ્પર તુલ્ય) | વિશેષાધિક પલ્યોપમ/અસંખ્યાત આ પ્રમાણે સ્થિતિસત્તાનો પણ ક્રમ પલટાઈ ગયો. ઉપર કહ્યા પ્રમાણે સ્થિતિસત્તાનો છેલ્લો ક્રમ થયા પછી હજારો સ્થિતિઘાત પસાર થાય ત્યારે અસંખ્યાતસમયમબદ્ધની ઉદીરણા શરુ થાય છે. અસંખ્યાતસમયપ્રબદ્ધની ઉદીરણાનું સ્વરૂપ “ઉપશમનાકરણ, વિસ્તૃત ગુજરાતી વિવેચન, ભાગ-૧'માં ગાથા ૪૦ના વિવેચનમાં પાના નં. 160 ઉપર અમે વિસ્તારથી બતાવ્યું છે. તે ત્યાંથી જાણી લેવું. કષાય 8 તથા વિણદ્ધિ 3 વગેરે 16 પ્રકૃતિની ક્ષપણા - અસંખ્યાતસમયપ્રબદ્ધની ઉદીરણા શરૂ થયા પછી હજારો સ્થિતિઘાત પૂર્ણ થાય ત્યારે આઠ કષાયો (અપ્રત્યાખ્યાનાવરણ 4, પ્રત્યાખ્યાનાવરણ 4) ને બધ્યમાન પરપ્રકૃતિમાં સંક્રમાવીને તેની ક્ષપણાનો પ્રારંભ કરે છે. હજારો સ્થિતિઘાત દ્વારા પરપ્રકૃતિમાં સંક્રમાવી તેનો નાશ કરે છે.