Book Title: Karm Tari Gati Nyari Tarangvati
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 331
________________ તેમ કરીને ય પરણેલાને પાળવાના;” તે જિંદગીના છેડા સુધી પાળવાનો ભાર ! એનું મનને ભારે બંધન ! પરંતુ “હું ઉત્તમ મનુષ્યભવ તથા જિનશાસન અને દેવગુરુને વરેલો, માટે મારે એ દેવ-ગુરુ તથા જિનશાસનની આરાધના જરૂર પડ્યે ભૂખ્યા રહીને અને કષ્ટ વેઠીને પણ આ જિદગીના છેડા સુધી કર્યે જ જવાની.” આ બંધન હૈયા પર નથી હોતું, તેથી જ દેવ-ગુરુ-ધર્મને ભૂલીને પત્ની અને એના પરિવારને સંભાળવાનો અહર્નિશ ખ્યાલ અને એનું જ જીવન રહે છે ! પરંતુ એ જેલખાનાના બંધન જેવા પત્ની અને એના પરિવારને ભૂલીને દેવ-ગુરુ-ધર્મની આરાધના કરવાનો ભાવ મન પર નથી લેતો ! જો માંડ માંડ મળેલા આવા અતિ દુર્લભ જૈન માનવભવમાં પણ આ ખ્યાલ ન આવે કે “મારી પરણી બેસવાની ભૂલથી હું આ માયાનાં અને પાપોનાં ખોટા બંધનોમાં પડેલો છું,' તો પછી જીવનો ઉદ્ધાર ક્યાં ? અને ક્યારે ? કમનસીબી તો એ છે કે સ્ત્રી એ જેલખાનું છે, અને એની તથા એના પરિવારની, જિંદગીના છેવાડા સુધી પાપાચરણો કરી કરીને, સંભાળ કરવાની એ બધી પ્રવૃત્તિમાં જેલખાનાની જેલરથી બળાત્કાર કરાવાતી ગુલામીની પ્રવૃત્તિઓ જેવી છે, આ જ મનમાં ઊતરતું નથી ! પછી સમકિત ક્યાં પામવાનું? જુઓ જગતમાં સ્ત્રીની પાછળ માણસોએ કેવાં કેવાં ભયંકર અપકૃત્યો નથી કર્યા ? અને ક્યાં જીવનભર પાપ-જીવનો નથી ચલાવ્યા ? પત્નીના પાપે કેવાં કેવાં અપકૃત્ય ? : (1) મહાઉપકારી મા-બાપથી છોકરો જુઆરું કરે છે, એ કોના પાપ ? કહો, પત્નીનાં જ પાપે. (2) કુંવારા સારી રીતે સલાહ-સંપથી રહેનારા સગા ભાઈઓ પછીથી જદા પડી અલગ ઘર માંડી એક બીજાને આર્થિક સહકાર પણ ન આપે એવા બને છે, એ કોના પાપે ? ભાઈઓને પોતાને તો પરસ્પર કોઈ ખટરાગ ઊભો થયો નથી હોતો; છતાં હવે પરસ્પરને અલગ અલગ ઘર માંડવાની તથા અલગ વેપાર કરવાની ને અલગ મૂડી કરવાની જરૂર લાગે છે તે માત્ર સ્ત્રીનાં જ પાપે ને ? (3) ત્યારે માણસ સારું કમાયા પછી એમાંથી મોટો હિસ્સો દેવગરનાં ચરણે ધરી દઉં' એ વિચાર નથી આવતો એ કોનાં પાપે ! કહો, એ જ પત્ની - તરંગવતી 326

Loading...

Page Navigation
1 ... 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370