Book Title: Karm Tari Gati Nyari Tarangvati
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 338
________________ સુખશાંતિ મળે જ નહીં ! આવા સંસારથી અમે થાકેલા છીએ, માટે ભગવન્! અમે આપની નિશ્રામાં જિનવચનથી ભાષિત મોક્ષમાર્ગે ચાલીએ. ને વિવિધ તપ-નિયમનું ભાતું વાપરતાં વાપરતાં મોક્ષ તરફ ઝડપી પ્રયાણથી આગળ વધીએ, એમ ઇચ્છીએ છીએ.” અમારી આ માગણી સાંભળીને મહાત્મા કહે છે, “ભાગ્યવાન ! તમોએ બહુ સારો વિચાર કર્યો. જિનેશ્વર ભગવાન કહે છે, કે જે અહિંસા-સત્ય-શીલ-બ્રહ્મચર્ય આદિ વ્રતો સદાચારો અને સંયમની સાધના કરે છે, એ સંસારના સર્વ દુઃખોથી મુક્ત થાય છે. “અગર આટલે ઊંચે આર્ય માનવભવે ચડ્યા પછી પણ જો સેંકડો અધમ ભવોની પરંપરામાં અધઃપતન પામી ફસાઈ મરવાનું ઇચ્છતા ન હો, તો પાપકર્મોને સદંતર તિલાંજલિ આપી દો, અને ધર્મ-કર્મમાં ભગીરથ પુરુષાર્થ કરો. "नज्जइ धुवं तु मरणं, न नज्जइ होहिती कया तं ति / जाव जीवियं न जायइ, ताव वरं मे कओ धम्मो // " અર્થાત્ મૃત્યુ નિશ્ચિત્ત છે એ સમજાય છે. પરંતુ એ નથી સમજાતું કે એ ક્યારે થશે ? માટે જ્યાં સુધી જીવિત હાથમાંથી જાય નહિ ત્યાંસુધીમાં તમારે ધર્મ કરી લેવો શ્રેયસ્કર છે.” પ્ર.- તરંગવતી અને પમદેવને ચોરપલ્લીમાં દુ:ખનો અનુભવ તો થયેલો, પરંતુ ત્યાં સંસાર પર આટલો વૈરાગ્ય ન ઊછળ્યો તે અહીં કેમ ઊછળ્યો ? ચોરપલ્લીમાંથી છૂટવા છતાં વૈરાગ્ય નહિ ! ને અહીં કેમ વૈરાગ્ય? : ઉ.- કારણ એ હતું કે પોતાના દુઃખ કરતાં અહીં આ મુનિએ પોતાની જે હકીકત કહી, એમાં પૂર્વ ભવથી બધું જાણવા મળ્યું કે ગતભવના પારધીપણામાં પણ પોતાના હાથે હણાઈ ગયેલા નિર્દોષ પંખેરાની ચિતામાં પશ્ચાત્તાપથી જાતે પડીને બળી મરવાનું,...તેમજ આ ભવમાં પણ વ્યસનના છંદથી ચોર બનેલાએ પલ્લીમાં કેદ લાવેલ તરંગવતીના મુખે પૂર્વ ભવ સાંભળી જાતિસ્મરણ જ્ઞાન થયું. ને જ્ઞાન થવાથી બંનેને છોડાવ્યા પછી હવે ચોર-જીવન નહિ સંસારી શાહુકાર-જીવન પણ નહિ, કિન્તુ સીધું સાધુ-જીવન જ લઈ લીધું ! ઉપદેશક મુનિ અંગેની આ બધી વિગત જાણવા મળી, એ તરંગવતીપદ્મદેવ માટે હૈયાને ચોંકાવનારી અને આંચકો આપનારી હતી ! પોતાના ધર્મીપણાને શરમ લગાડનારી હતી ! કે પૂર્વના પંખેરાના ભાવમાં ઘોર દુઃખ કર્મ ! તારી ગતિ ન્યારી 333

Loading...

Page Navigation
1 ... 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370