Book Title: Jivannu Amrut
Author(s): Bhavyasundarvijay, Sanyambodhivijay
Publisher: Jainam Parivar

View full book text
Previous | Next

Page 22
________________ મન:પર્યવજ્ઞાનના બે પ્રકાર છે. ૧) ઋજુમતિ અને ૨) વિપુલમતિ. ઋજુમતિ મન:પર્યવજ્ઞાન કરતાં વિપુલમતિ મન:પર્યવજ્ઞાનથી વસ્તુ વધારે સ્પષ્ટ જાણી શકાય છે. જેને વિપુલમતિ મન:પર્યવજ્ઞાન થાય, તેને તે જ ભવમાં અવશ્ય કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે, અર્થાત્ તે ચરમશરીરી હોય છે. નિયમ મોક્ષમાં જાય છે. એક જીવને મન:પર્યવજ્ઞાન ઉત્કૃષ્ટથી દેશોન ક્રોડ પૂર્વ (૧ પૂર્વ = ૭૦,૫૬૦ અબજ વર્ષો સુધી રહી શકે. સંપૂર્ણ વિશ્વમાં મન:પર્યવજ્ઞાની જીવોની કુલ સંખ્યા ઓછામાં ઓછી ૨ હજાર અને વધુમાં વધુ ૯ લાખ હોઇ શકે. પ્રશ્ન - મન:પર્યવજ્ઞાનથી માત્ર મન જ દેખાય છે, બીજા દ્રવ્યો નહીં. તો પછી દિવાલ પાછળ રહેલી વ્યક્તિનું મન દેખાય, તેથી વિચાર જણાય; પણ વ્યક્તિ તો દેખાતી નથી, તો પછી તે વિચાર કોના છે, તે કેવી રીતે જણાય ? ઉત્તર - વિશિષ્ટ શ્રુતજ્ઞાનના બળથી. (ઇતિ શ્રીજયઘોષસૂરય:) હાલ ભરતક્ષેત્રમાં મન:પર્યવજ્ઞાનનો વિચ્છેદ થયેલો છે. જ્ઞાનનું સ્વરૂપ

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54