Book Title: Jivannu Amrut
Author(s): Bhavyasundarvijay, Sanyambodhivijay
Publisher: Jainam Parivar

View full book text
Previous | Next

Page 48
________________ અનુમિતિ – જે બે વસ્તુ વચ્ચે અવિનાભાવ સંબંધ હોય, તેમાંની એકને જોતા, બીજી પણ છે જ એવું જ્ઞાન થાય તે. [બે વસ્તુ સાથે જ રહેતી હોય, એકના વગર બીજી ન જ રહેતી હોય તે અવિનાભાવ સંબંધ. દા. ત. અગ્નિના અભાવમાં ધૂમાડો ન રહે. ] દા.ત. ધૂમાડો દેખાવાથી જ “આગ લાગી છે' તેવું જ્ઞાન થઇ જાય છે. • સમ્યગુ-મિથ્યા શ્રુત સમ્યક્ શ્રત – જૈન શાસનના શાસ્ત્રો. મિથ્યા ભૃત – અન્ય ધર્મોના શાસ્ત્રો, લોકિક ગ્રંથો અથવા સમ્યક્ શ્રુત - સમકિતી જીવનું જ્ઞાન - ભલે તે કોઇપણ વિષયનું હોય. મિથ્યા શ્રુત - મિથ્યાત્વી જીવનું જ્ઞાન - ભલે તે જૈન ધર્મનું હોય. (જ્ઞાનાવરણ કર્મ બાંધવાના કારણો) ૧) જ્ઞાનના ઉપકરણો (પુસ્તક, પેન, કાગળ વિ.) ની આશાતના ખાતાં-પીતાં-સૂતાં વાંચવા. જે ગમે ત્યાં રખડતા મૂકવા, ફેંકવા. • પગ લગાડવો, થૂક લગાડવું. • કાગળ પર ખાવું. • કાગળ ફાડવા, સાપડા વિગેરે પડવાથી તૂટવા. • ઉપકરણો તરફ પગ કરીને અનાદરથી બેસવું, સૂવું. ૨) એંઠા મોં બોલવું. ૩) બહેનોએ અંતરાય (M.C.)માં વાંચવું-લખવું વિગેરે. ૪) ભણનારાને અંતરાય કરવો. * ભણતો હોય તો અવાજ કરવો. (ઉપાશ્રયમાં મોબાઇલ પર વાત કરવી.) પુસ્તક વિગેરે ખોવાડી, બગાડી નાખવા. * ભણતાં હોય તે સમયે વિશિષ્ટ કામ ન હોય તો પણ વાતો કરવી, બોલાવવા. ૫) ભણવા-ભણાવવાની અનુકૂળતા હોવા છતાં આળસ કરવી. ૬) જ્ઞાનીની-ગુરુની-શિક્ષકની નિંદા-અવહેલના-મશ્કરી કરવી, તેમને હેરાનપરેશાન કરવા. ૭) શ્રુતજ્ઞાન-જિનવચનની ‘આ બધું બોગસ છે' વિગેરે રૂ૫) નિંદા કરવી. જ્ઞાનનું સ્વરૂપ

Loading...

Page Navigation
1 ... 46 47 48 49 50 51 52 53 54