________________
જૈનયુગ
૪૩૬
થવાથી ઘણી લકીકત મળી આવી છે. ૧૪જ્ઞાનસારછ કરીને એક મસ્તમુનિ શ્રીખરતર ગચ્છમાં થઇ ગયા તેમણે આનંદધનજીની ચેાવીશીપર બાલાવમેધ રચ્યા છે; અને દેવચ’દ્રજીની ‘સાધક સાધજ્યાં રે નિજ સત્તા શંક ચિત્ત' એ પદથી શરૂ થતી સાધુ પદપરની સ્વાધ્યાયપર ટખા રચ્યા છે. તેમણે તેમાં શ્રી આનંદધનજી, શ્રી યશાવિજયજી, જિનરાજસૂરિ, દેવચ’દ્રજી, અને મેાહનવિજયના સંબંધમાં ગુજરાતમાં પડેલી કહેવત જણાવી છે તે અતિ ઉપયોગી છે; દેવચંદ્રજીની ઉક્ત
સ્વાધ્યાયની પહેલી કડી પર વિવેચન કરતાં તેના સંબંધમાં જણાવે છે કેઃ—
૩૨. ‘એ કવિરાજના (દેવચ’દ્રજીની) યોજનાના એજ સુભાવ છે. તેજ વાતને ગઢપર્—ગેની પાછે, પાછે'ની આગે હાંકતા ચાલ્યા જાય (છે) તે તમે પોતે વિચાર (કરી) લેન્થે. સંબંધ વિરૂદ્ધ અંગે પાંગ ભંગ કવિતા વારંવાર એક પદ ગુ ́થાણા તે પુનરૂતિ દૂષણ કવિતા એ એહીજ સિઝાયમે તમેહી જોઇ લેજ્ગ્યા. એક નિજપદ દા જાગા (જગ્યાએ) ગુથ્યા છે તે ગિણુ (ગણી) લેન્ત્યા; એકલા મૃજતે દૂષણુ મત દેજ્યું. બીજું એહુને (એમને) છુટક લિખત સપ્ત નયાયશ્રયી સપ્તભ’ગ્યાશ્રયી ચુસ્ત છે, સ્વરૂપના કથનની યેાજના તેમાં તે (પણ) ગટર પટર છે; એ વિના બીછ સહિજ છૂટક યાજના સટંક છે; યેાજના કરવી એ પિણુ વિદ્યા ન્યારી છે. કૌમુદી કર્તાયે શિષ્યથી આદ્ય ક્ષ્ાક કરાયા, આપથી ન થયા. વલી એ વાત ખુલી ન લિખુ' તે એ લિખત વાંચવાલા મૂખ શેખર જાણે એ કારણે લિખું
27
૩૩. આ પરથી દેવચંદ્રજીના સબંધમાં જ્ઞાન સારજી જેવા અધ્યાત્મી પુરૂષ જે કહે તે ઉપેક્ષ-મૂર્તિ ણીય નથી. અધ્યાત્માને અધ્યામીજ વિશેષ
વૈશાખ ૧૯૮૩
અને યથાયાગ્ય પિછાણી શકે; તેથી જ્ઞાનસારજીનેા અભિપ્રાય બહુ વજનદાર અને પ્રામાણિક ગણાય. અને તે મત એ છે કે-આત્મસ્વરૂપનું કથન કરતાં ગટરરપણું આવે છે એટલે કે આગળનું પાછળ અને પાછળનુ' આગળ એમ થાય છે. વિચારની સાંકળ બરાબર રહેતી નથી—તેમાં પુનરૂતિ દોષ પણ થઇ જાય છે. તે સિવાયના લખાણમાં તેમનું ગટરટરપણું દેખાતું નથી-તેમાં સટકપણું એટલે નિશ્ચિતાર્થપણું જોવાય છે-કેટલાંક છૂટાં લખાણામાં સાનય અને સતભંગીને ચુસ્તપણે વળગી રહેવાનું દેખાય છે તેમાં ગટરપણું આવી જાય છે. સટકયાજના-શૃંખલાબદ્ધ વિચારી ને યાજવાએ વિદ્યા -કળા ન્યારી -સૌની પાસે હાતી નથી-વિરલા પાસે હાય છેઃ—
૧૪-જ્ઞાનસાર–ખરતરગચ્છમાં જિનલાભ સુરિના શિષ્ય રત્નરાજના શિષ્ય થયા. તેમણે સ. ૧૮૬૧ ના પાષ સુદ ૭ સામે જયપુરમાં દ’ડક ભાષા ગર્ભિત સ્ત॰. તેજ વર્ષના માધ માસમાં તેજ સ્થળે જીવ વિચાર ગભિત સ્ત॰ તેમજ સ. ૧૮૬૧ માં નવતત્વ ભાષા ગર્ભિત સ્ત॰ રચેલ છે તે ઉપરાંત આનઢધનજીની ચાવીસી પર વિચારપૂર્વક ખાલાવધ રચ્યા છે અને તેમ કરતાં જ્ઞાવિમલસૂરએ તેના પરજ બાલાવબાધ કર્યાં છે તેના પણ દેષ બતાવ્યા છે.
૩૪. ત્યારે આવી યોજના-સક વિચારાની
વ્યવસ્થિત સહજ ગુ'થણી કેાની પાસે છે? તા તેના ઉત્તર તેમણે આપેલી કહેવતમાંથી મળી આવે છેઃ—
‘ગુજરાતમાં એ કહેવત છે કે આનધન ટકશાલિ, ૧૫જિનરાજસૂરિ બાબા તે। અવષ્યવચની,
૧૫. જિનરાજસૂરિ—( બીજા ) પિતા શા. ધર્મસી, માતા ધારલદે, ગાત્ર ખેાહિત્થરા. જન્મ સ. ૧૬૭૬ વે શુ. છ, દીક્ષા બીકાનેરમાં સ. ૧૯૫૬ માગશર શુ. ૩ દીક્ષાનામ રાજસમુદ્ર, વાચક (ઉપાધ્યાય) પદ્મ સ’. ૧૬૬૪ અને રિપદ આસકરણે કરેલા મહેાત્સવપૂર્વક ખેડતામાં સ’. ૧૬૭૪ ફા શુ. છ. તેમણે ઘણી પ્રતિષ્ઠા કરીઃ દાખલા તરીકે થે શાહે ઉલ્હાર કરેલા શ્રી ચિંતામણિ પાર્શ્વનાથના ચૈત્યની પ્રતિષ્ઠા જેસલમેરમાં, સ. ૧૬૭૫ ના વૈશાખ શુદિ ૧૩ શુક્રે શત્રુ'ય પર અષ્ટમ ઉધ્ધારકારક અમદાવાદના સંધવી સામજી શિવ- જીએ ઋષભ અને ખીન્ન જિનેની ૫૦૧
બનાવરાવી તેની પ્રતિષ્ઠા કરી. ભાણવડમાં પાનાથ સ્થાપ્યા. સ. ૧૬૭૭ જે વિદે ૫ ગુરૂવારે ઉક્ત આસકરણે બનાવેલા મમ્માણી (સંગેમસરના) પથ્થરના સુંદર વિહાર (મદિર )માં મેડતામાં શાંતિનાથની મૂર્તિની પ્રતિષ્ઠા કરી. એવું કહેવાય છે કે તેમને અબકાદેવીએ વર આપ્યા હતા. તેમણે નૈષધીય કાવ્ય પર જૈનરાજી નામની વૃત્તિ રચી છે, અને ખીન્ન ગ્રંથા રચ્યા છે. ભાષાકૃતિમાં ધન્નાશાલિભદ્ર રાસ (?), ગજસુકુમાલ રાસ સં. ૧૬૯૯, ચાવીશી અને વીશી રચેલ છે. જૂએ મારા સંગ્રહ નામે જૈન ગૂર્જર કવિઓ. પૃ ૫૫૩ થી ૫૬૧. તેઓ સ. ૧૬૯૯ ના આષાઢ સુદિ ને દિને પાટણમાં સ્વર્ગસ્થ થયા.