Book Title: Jain_Satyaprakash 1941 09 10 11
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 6
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દી પો સવ-અંક અંગે શ્રી મહાવીર નિર્વાણ વિશેષાંક” અને “શ્રી પર્યુષણ પર્વ વિશેષાંક –એ બે વિશેષાંકના અનુસંધાનમાં વીરનિ સં. ૧૦૦૦ થી વીરનિ સં. ૧૭૦૦ સુધીના જેન ઈતિહાસની વિગતોથી સભર આ ત્રીજો સચિત્ર વિશેષાંક– દીત્સવી અંક પ્રગટ કરતાં અમને આનંદ થાય છે. આ રીતે સળંગ જૈન ઈતિહાસ રજુ કરવાની ભાવનામાં અમે એક કદમ આગળ વધીએ છીએ. આ દીપોત્સવી અંક સાથે “શ્રી જૈન સત્ય પ્રકાશ'સાતમું વર્ષ શરૂ થાય છે. આ અંકમાં વીરનિ ૧૦૦૦ પછીનાં સાત વર્ષને ઇતિહાસ સંગ્રહવાને અમે પ્રયત્ન કર્યો છે. અમારા આ પ્રયત્નને સફળ બનાવવા અમારી વિનંતીને સ્વીકાર કરી ને પૂજ્ય મુનિ મહારાજેએ તથા જૈન-જૈનેતર વિદ્વાનેએ લેખે મોકલી આપ્યા છે તે સૌને અમે આભાર માનીએ છીએ. આ અંકમાંની હકીકત અંગે એટલું જણાવવું જરૂરી છે કે જેને ઇતિહાસના અભ્યાસીને તેના અભ્યાસમાં ઉપયોગી થાય તેટલી વધુમાં વધુ હકીકતોનો સંગ્રહ આમાં કરવામાં આવ્યો છે. આમાંની હકીકત અંગે અતિહાસિક દૃષ્ટિએ મતાંતર ન જ હોય એમ ન કહી શકાય; કઈ કઈ બાબતમાં અભિપ્રાયભેદ હેવાને પણ સંભવ છે. અત્યારના અત્યંત મેંઘા ભાવોમાં આ રીતે આટલે દળદાર-૨ પર પાનાંને સચિત્ર અંક આપ શક્ય ન હોવા છતાં અમે એ સાહસ કર્યું છે. આ વિશેષાંકના ખર્ચ પેટે અમારી વિનંતીથી અમદાવાદના શ્રીમાનું શેઠશ્રી જમનાભાઈ ભગુભાઈ વતી શ્રીમતી શેઠાણી સાહેબ માણેકબેને તથા શેઠશ્રી બબાભાઈ શેઠે સારી એવી રકમની મદદ આપવાનું વચન આપ્યું છે તે માટે અમે તેમને આભાર માનીએ છીએ. અને આશા રાખીએ છીએ કે બાકીનું ખર્ચ પણ શ્રીસંઘના કેઈ ઉદાર ગૃહસ્થ તરફથી મળી રહેશે. અંક ધાર્યા કરતાં વધુ વિલંબથી બહાર પડે છે તે માટે અમે સૌની ક્ષમા માગીએ છીએ. અમને આશા છે આ અંકમાંની સમૃદ્ધ સામગ્રી એ વિલંબને ભુલાવી દેશે, અને વાચકોને શ્રીજોન સત્ય પ્રકાશને વધુને વધુ અપનાવવા પ્રેરશે. અસ્તુ! – તંત્રી For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 263