________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રભુ શ્રી મહાવીરનું તત્વજ્ઞાન
લેખક :–આચાર્ય મહારાજ શ્રી વિજયલબ્ધિસૂરિજી
( ગતાંકથી ચાલુ ) અપૂર્વકરણ ગુણસ્થાનક ક્ષેપક અને ઉપશમ શ્રેણિની ભૂમિકા છે. જીવન આહલાદને આ અપૂર્વ અવસર છે. અધ્યાત્મજીવનની જવાની છે. ક્ષપકણિથી આ ગુણસ્થાનકમાં રહેલ ભવ્યાત્મા, અંતમુહૂર્તમાં કેવલજ્ઞાનની પ્રાપ્તિ કરી શકે છે અને મુક્તિ પણ લઈ શકે છે. તેનું સ્વરૂપ નીચે મુજબ છે.
स्थितिघातरसघातगुणश्रेणिगुणसंक्रमापूर्वस्थितिबन्धात्मकानामर्थानां विशुद्धिप्रकर्षादपर्वतया निर्वर्तनमपर्वकरणगुणस्थानम् । प्रचुरमानाया ज्ञानावरणीयादिकमस्थितेरपवर्तनाभिधकरणेन तनूकरणं स्थितिघातः । प्रचूररसस्य तेनैव करणेन तनूकरणं रसघातः । तेनैव करणेनावतारितस्य दलिकस्य प्रतिक्षणमसंख्येयगु. णवृद्धया विरचनं गुणश्रेणिः । बध्यमानशुभप्रकृतिष्वबध्यमानाशुभप्रकृतिदलिकत्त्य विशुद्धितो नयनं गुणसंक्रमः। विशुद्धिप्रकर्षण गुयाः कर्मस्थितेर्लघुतया बन्धनमपूर्वस्थितिबन्धः । अन्तर्मुहूर्त्तकालमेतत् । अत्रस्थो जीवः क्षपक उपशमकश्चेति द्विविधः ।
અર્થ –સ્થિતિઘાત, રસઘાત, ગુણશ્રેણિ, ગુણસંક્રમ, અપૂર્વ સ્થિતિબન્ધરૂપ અને વિશુદ્ધિના પ્રકર્ષથી અપૂર્વ પણ બનાવે તેનું નામ અપૂર્વકરણ ગુણસ્થાન છે. જ્ઞાનાવરણીયાદિ અધિક પ્રમાણવાલી કર્મસ્થિતિને અપવર્તન કરવડે ઓછા પ્રમાણુવાલી કરવી તેને સ્થિતિઘાત કહે છે. ઘણું રસવાલા કર્મને તે જ કરણવડે અલ્પ કરી નાખે તેનું નામ રસઘાત. તે જ કરણવડે અવતારિત દલને પ્રતિક્ષણે અસંખેય ગુણ વૃદ્ધિવડે રચે તેનું નામ ગુણણિ છે. બધાંતી શુભ પ્રવૃતિઓમાં નહિ બંધાતી એવી અશુભ પ્રકૃતિના દલીને વિશુદ્ધ કરવાનું નામ ગુણસંક્રમ છે. વિશુદ્ધિના પ્રકર્ષવડે ભારે કર્મની સ્થિતિને લઘુપણે બાંધે તે અપૂર્વ સ્થિતિબંધ. આ ગુણસ્થાનકની સ્થિતિ અંતર્મુહૂર્ત કાળ સુધીની હોય છે. અહીં રહેલ જીવ મેહનીય કર્મ આદિ પ્રકૃતિઓને ખપાવતે ક્ષપક કહેવાય છે, અને મેહનીય પ્રકૃતિને ઉપશમાવતે ઉપશમક કહેવાય છે. ઉપશામકની શ્રેણિને ઉપશમ કહે છે અને ક્ષેપકની શ્રેણિને લપક કહે છે. હવે અનિવૃત્તિગુણથાનકને કહે છે.
अन्योन्याध्यवसायस्थानव्यावृत्त्यभावविशिष्टसूक्ष्मसंपरायापेक्षस्थूलकषायोदयवत् स्थानमनिवृत्तिकरणगुणस्थानम् । अन्तर्मुहूर्त्तकालमेतत् । अस्त्रस्थोऽपि द्विविधः क्षपक उपशमकश्चेति । क्षपक श्रेणिस्थो क्षपकः। अयं दर्शनावरणीयप्रकृतित्रिक नामप्रकृतित्रयोदशकं मोहनीयप्रकृतिविंशतिं चात्र क्षपयप्ति । उपशमश्रेणिस्थ उपशमकः । मोहनीयप्रकृतिविंशतिमेवोपशमयत्ययम् ।।
અથ–પરસ્પરના અધ્યવસાયસ્થાનની નિવૃત્તિના અભાવવાવું અને સમસપરાયની અપેક્ષા સ્થૂલ કક્ષાયના ઉદયવાનું સ્થાન અનિવૃત્તિકરણ ગુણસ્થાનક કહેવાય છે. આ ગુણસ્થાનકની સ્થિતિ અંતર્મ દત કાળની છે. અહીં રહેલો જીવ પણ ઉપશમક અને ક્ષપક એમ બે પ્રકારે હોય છે. ક્ષેપક શ્રેણિમાં રહેલ ક્ષપક કહેવાય. તે દર્શનાવરણીયની ત્રણ નામની તેર અને મેહનીયની વીસ પ્રકૃતિઓને અહીં ખપાવે છે. અને ઉપશમણિમાં
For Private And Personal Use Only