________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૩૩].
શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ પ
પરિષદને કરવો પડયો અને તેમ કરતી વેળા એ પરિષદે શ્રી ઋન્દિલસૂરિની માધુરી વાચનાને પ્રધાનપદ આપ્યું અને શ્રી નાગાર્જુનરિની વાલભી વાચનને ગૌણ પદ આપ્યું, એમ જણાય છે, કેમકે જેઈસકરંડગ સિવાયના પ્રાય: તમામ આગમે માધુરી વાચનાને અનુસરતા જોવાય છે.
મને એ જણાવતાં આનન્દ થાય છે કે મારા આ મંતવ્યનું સમર્થન કરનારી પંક્તિઓ ઈતિહાસગ્ન મુનિરાજશ્રી. કલ્યાણવિજયજીકૃત વીરનિર્વાણસિંવત ઔર જેન કાલગણના [૫ ૧] માં જોઈ શકાય છે. પ્રસ્તુત પંક્તિઓ નીચે મુજબ છે:
"गणिजी के इन उल्लेखों से यह बात स्पष्ट होती है कि उनके समय में महावीरनिर्वाणसंवत के विषय में दो मत थे। माथुरी वाचनानुयायी कहते यह अस्सीवा वर्ष है, तब वालभी वाचनावाला का कहना था, यह अस्सीवा नहीं, तेरानवेवां वर्ष है।"
આગળ જતાં આ જ પુરતકના પૃ. ૧૩૪ માં શ્રી. આયરક્ષિતસૂરિના સ્વર્ગગમનની સાલમાં જે બે મતાંતરે નોંધાયેલ છે તેમાં પણ ૧૩ને જ તફવાત છે. આવયનિજજુત્તિ અને એની ચૂર્ણિ જોતાં એ બનાવ વીરસંવત ૧૮૪માં બન્યા, જ્યારે વાલભસ્થવિરાવલી પ્રમાણે વીરસંવત્ ૧૯૭ માં બ.
વિશેષ આનન્દની વાત તે એ છે કે આ પ્રમાણે જે ૧૩ વર્ષને ફેર જેવાય છે તેનું મૂળ કારણ શું છે એ પણ આ પુસ્તકના ૧૪૪માથી ૧૪૭માં પૃષ્ઠમાં વિચારાયું છે. એનું તાત્પર્ય એ છે કે કેટલાક, વિકમના રાજ્યારોહણના સમયથી વિક્રમસંવત ગણુતા હતા તે કેટલાક રાહત્યારંભ બાદ તેર વર્ષમાં લેકેને ઋણમુક્ત બનાવી જે સંવત્સર ચાલુ કરાય ત્યાંથી ગણતા હતા.
અંતમાં એટલું હું ઉમેરીશ કે આ લેખમાં સુચવેલું મારું મંતવ્ય મેં હાલમાં છપાતા HRI yea's 134 “A comprehensive History of the Canonical Literature”માં રજુ કર્યું છે, પણ એ પુસ્તકને પ્રસિદ્ધ થતાં વાર છે તે એટલામાં આ સંબંધમાં મારા મંતવ્યનું સમર્થન કે નિરસન કરનારા ઉલ્લેખ વગેરે સપ્રમાણ રજુ કરવા તજજ્ઞાએ કૃપા કરવી જેથી એ સંબંધમાં ઘટતું થઇ શકશે. સાથે સાથે એ પણ ઉમેરીશ કે આહત આગમોનું અવલોકન યાને તસ્વરસિકચન્દ્રિકા (ભા. ૧) નામક પુસ્તકમાં પણ મેં આગમના સંબંધમાં કેટલાક વિચારો દર્શાવ્યા છે અને તેને પણ ઉપર્યુક્ત પુસ્તકમાં ઓછેવત્તે અંશે ગુંચ્યા છે તે એ વિચારોના સંબંધમાં પણ જે કંઈ સુચવવા જેવું જણાય તે સચવવા બહુશ્રતને મારી સાદર વિજ્ઞપ્તિ છે. સાંકડીશેરી, ગોપીપુરા, સુરત.
૭ મુંબઈની વિદ્યાપીઠ ઉપર આ પુસ્તકની મુદ્રણાલય પુસ્તિકા મોકલતાં એ વિદ્યાપીઠ એના પ્રકાશના પુરસ્કાર આપેલ છે.
૪ આ પુસ્તક મારી પાસેથી [સાંકડીશેરી, ગોપીપુરા, સુરત) દસ આનાની કિંમત મળી મળશે.
For Private And Personal Use Only