Book Title: Jain Satyaprakash 1939 09 SrNo 50
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 26
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir www.kobatirth.org શ્રી જૈન સત્ય પ્રકાશ [ ૨૪ ]= કે એ સામગ્રીના અભાવે જ ગૂજરાતના ઇતિહાસનું યથાસ્થિત ચણતર થયું છે, અને એ વાત નિષ્પક્ષપાતપણે સંખ્યાબંધ પ્રસિદ્ધ જૈનેતર સાક્ષરેએ સ્વમુખે જાહેર કરી છે. જ્યારથી મહાત્મા ગાંધીજીએ અહિંસામાં રહેલી અમાપ શક્તિનું હિંદને અને જગતને ભાન કરાવ્યું અને એ હથિયાર કાયરનું નહિ પણ શૂરાનું છે એવું દલીલપુરસર સાબીત કરી દેખાડયું ત્યારથી ગૂજરાતના રાજવીઓમાં મહારાજા કુમારપાળનું સ્થાને એર દીપી ઉઠયું. એથી શ્રીમદ્ હેમચંદ્રસૂરિની પ્રતિભા કઈ જુદી જ નજરે દુનિયાને દેખાવા માંડી. કાયર લેખાતા ને ભાજીખાઉ વાણિયા તરીકે ટીકા પામતા જેન મંત્રીશ્વરે મુંજાલ, ઉદાયન કે શાંતુ મહેતાનાં વૃતાન્તો અને તેઓએ દર્શાવેલી વીરતાનાં ઉદાહરણ પ્રસિદ્ધિ પામ્યાં ત્યારે ઇરાદા પૂર્વક દાડેલે ગુજરાતના પતનને પડદે ચીરાઈ ગયે, અને જગતના પ્રાજ્ઞ વર્ગની નજરે જેનોની અહિંસા કઈ જુદા જ સ્વાંગમાં ચઢી. એ કઈ નમાલાની શકિતહીનતાથી નથી આગળ આવી પણ એ પાછળ તો ક્ષત્રિય કુલાવસેને સળંગ અને ગારવવંતે ઈતિહાસ છે એમ જગતે જાણ્યું. શ્રી મહાવીરદેવની અહિંસા તો કઈ જ્વલંત વસ્તુ છે. શ્રીમદ હેમચંદ્રસૂરિની પ્રતિભા સાચે જ અનોખી ભાત પાડે છે અને મહારાજા કુમારપાળનું રાજ્ય એને અનુપમ દાખલા રૂપ છે. એમના રાજ્યકાળના પ્રત્યેક બનાવો પર વિચાર કરતાં, એમણે આદરેલા દરેક સુધારા પર ધ્યાન આપતાં માત્ર જેને જ નહિ પણ જેનેતરને પણ કહેવું પડે તેમ છે કે તે એક સાચે જૈન રાજવી હતા. પક્ષપાતના ચસ્મા ઉતારી તેને આખા રાજ્યકાળ જોવામાં આવે તો એ માહેશ્વરી હતો એમ કહેનાર પણ એને સાચા આહંત તરીકે જોઈ શકે તેમ છે. જરૂર છે માત્ર સાંપ્રદાયિક્તાના ચશ્મા ઉતારી યથાર્થ તેલન કરવાની! પ્રબંધચિંતામણિમાં એવી સંખ્યાબંધ નોંધે છે કે જે ઉપરથી શૈવધર્મને પ્રભાવ જણાઈ આવે. જે મેરૂતુંગસૂરિને કેવળ જૈનધર્મની જ યશગાથા ગાવી હતી તો તેઓ આ વાત શા સારૂ પિતાને ગ્રંથમાં લખત ? હેમચંદ્રસૂરિની વિદ્વત્તા અને ચમત્કારી શકિત માટે એમની કૃતિઓ જ સાક્ષી પૂરે તેમ છે. એ સામે જે ભાવબહસ્પતિનાં નામે શાસ્ત્રી મહાશય ગણગણી ઉઠે છે તેમની એકાદ કૃતિ તો રજુ કરે ! જે ભાવબહસ્પતિજી પ્રખર વિદ્વાન હતા અને અન્યને વાદમાં જીતવાની શકિત ધરાવતા હતા તે શા માટે એ સંબંધી એકાદ ધ સરખી પણ નથી મળતી ? કેવળ પ્રશસ્તિ કે જે તેમની જ પ્રેરણાથી તૈયાર કરાઈ હોય, તેના જોરે કૂદવું એ ભાજબી કેમ ગણાય ? ક્યાં પ્રશસ્તિઓમાં મરજી માફક વિશેષ નથી લગાડવામાં આવતાં ? એવી તે જૈન દેવાલયોમાંથી સંખ્યાબંધ પ્રશસ્તિઓ મળી શકે તેમ છે કે જેમાં પરમાન કુમારપાળ મહારાજાના રાજ્યકાળને ઉલ્લેખ કરાયો હોય. એટલું નિશ્ચિત છે કે મહારાજા કુમારપાળ શરૂઆતમાં પોતાના પૂર્વજોની માફક માહેશ્વર–શૈવધર્મી હતા, પણ શ્રીમદ્ હેમચંદ્રસૂરિજીના ઉપકાર હેઠળ આવ્યા પછી અને તેઓશ્રીની મીઠી વાણી સાંભળ્યા-જૈનધર્મનાં ઉમદા તો સમજ્યા-પછી આહંત દર્શન [ અનુસંધાન પૃષ્ઠ ૨૫ માં ] For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54