Book Title: Jain Satyaprakash 1939 09 SrNo 50
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 33
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રાણકપુર અ'ક ૧ ] = =[ ૩૧ ] કક્ષાએ શોધી મળે તેમ નથી. મદુરા (દક્ષિણ)નું મંદિર ઘણું મોટું છે પણું રાણકપુરજીની જેમ વ્યવસ્થિત તેનું બાંધકામ નથી. રાણકપુરજીના મંદિરમાં ગમ એકસરખાપણું હોવાથી સામાન્ય પ્રેક્ષક પણ કયા દ્વારે થઈ પડેલો તે ભૂલી જાય અને થાંભલાની ગણત્રીમાં પણ એક્કસ ભૂલે જ એવી તેની વિચિત્રતા છે એ જિનાલયમાં બે શિલ્પી કાયમ માટે જર્ણોદ્ધારનું કામ કરતા હતા, પણ છેલ્લા ૭૫ વર્ષથી એ પ્રથા બંધ જેવી હતી. હાલ ચારેક વર્ષથી એના જીર્ણોદ્ધારનું કામ શેઠ આણંદજી કલ્યાણજીએ લાખના ખર્ચે ચાલુ કરેલ છે. પણ તેમાં બધાં ભૂમિમંદિરે હાથ ન લાગે ત્યાં સુધી ખરેખર જીર્ણોદ્ધાર થવો મુશ્કેલ જ કહેવાય, કારણકે ભયરાના પાટડા તૂટી ગએલા હોય અને તે ઉપર જ જીર્ણોદ્ધાર થાય તે તેથી ભોંયરાના પાટડાનું ભવિષ્યમાં જોખમ સમાએલું છે. એ દેરાસરને ફરતું સુમારે ૪૫ એકરનું ગામ જે રાજ્ય તરફથી ભેટમાં મળેલું તેનાં તામ્રપત્ર પેઢીમાં મોજુદ હતાં. તે જમીનમાંની સરહદ દર્શક સ્થંભ (પિલર્સ) બનાવી લેવાયા છે. મુખ્ય મંદિરની સામે પશ્ચિમમાં ચુનાકામથી છેલ્લી પચીશીમાં બનેલું નગારખાનું અને નાને સરખો ભાગ છે. એક કુવો ધર્મશાળામાં અને એક બહારના ચોગાનમાં છે. એ કુવાનાં પાણી માસામાં કાયમ પીવાથી બળનું દર્દ થાય છે. તેને માટે આ દેશમાં ડામ (બ્લીસ્ટર સિવાય બીજી દવા કરાતી નથી. એથી શેઠ આ. ક, એ એક મોટું ટાંકું વરસાદનું પાણી ભરવા માટે બનાવવું જરૂરી છે. જે સમયે અહમદશાહે અમદાવાદ વસાવ્યું તે સમયમાં જ આ મોટા મંદિરનું બાંધકામ થએલું છે. - જ્યારે મુખ્ય મેળા ભરાય છે ત્યારે નજીકનાં બારેક ગામના ચેકીયાત રસ્તામાં એક માટે અગાઉ દશેક વર્ષ પર આવતા, પણ પંડયાઓની ખટપટને લીધે કે સંધના મતભેદના લીધે કેટલાક ગામના ચોકીદાર આવતા નથી, છતાં સાદરી, મ દ, રાજપુર, મુંડારા, લાટારા વગેરેના આવે છે. તેમને ઘઉંચણની ઘુઘરી અને થોડુંક અફીણું આપવામાં આવે છે. રોકડ નાણું કે બીજે કઈ લાગ આપવાનો રિવાજ નથી જ. એમાં મેણુ, ભોળીઆ-રાજપુત વગેરે જાતના ચોકીદારે આવે છે. સાદરી ગામ વચ્ચે સુકલી નદી વહેતી હોવાથી ગામના કૃષિકર અને વેપારી એમ પૂર્વ પશ્ચિમ બે ભાગ પડેલા છે. મૂછાળા મહાવીર-ઘાણેરાવ, નાડલાઈડુંગર ઉપર બે દેવળો છે તે શેત્રુંજય ગિરનાર નામના છે, એમ ૧૧ જિનાલયવાળાં એ ગામો અને નાડોલ તથા વકાણની પંચ તીથમાં જનારને વાહન ચોકી માટે કારખાનામાંથી માહીતી અને બંદેબસ્ત કરી આપવામાં આવે છે. નાડોલમાં ૪ ફૂટના એક સળંગ કટીને પત્થરમાંથી બનાવેલ દેરાસર દર્શનીય છે. પંડયાઓએ ખુશામતના જોરે આ પંચતીથમાં જેનેતર મૂતિઓ આધુનિક પચીસીમાં ગોઠવી દીધી છે, એ ભવિષ્યમાં મોટા ઝગડાનું કારણ થવા સંભવ સમજી ચેતવું જરૂરી છે. શ્રીરાણપુરછમાં પ્રતિષ્ઠા વખતે ૧૦૦૮ શ્રી સમસુંદરસૂરિ પટ્ટધર મુનિસુંદર (સહસ્ત્રીવધાની) સૂરિ આદિ ૫૦૦ શિષ્યો સાથે આવેલ ત્યારે જે થાંભલાવાળી પિષધશાળામાં રહેલા તે એટલી મોટી હતી કે તેમાં ૮૪ થાંળલાની જરૂર પડે ત્યાં એટલી શ્રાવકેની For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54