________________
અંક ૩, ]
કવિવર સમયસુંદર
____ संवति १६४९ प्रमिते श्रावण शुक्ल १३ दिने सन्ध्यायां कश्मीरदेश विजयमुद्दिश्य श्री राजश्री रामदास वाटिकायां कृतप्रथमप्रयाणेन श्री अकब्बर पातशाहिना जलालदीनेन अतिजात साहिजाने श्री सिलेम सुरत्राण सामंतमंडलिकराजराजिविराजित!जसभायां अनेकवैयाकरणताकिविद्वत्तमभट्टसमक्षं अस्मद् गुरुवरान् युगप्रधानखरतर-भट्टारकश्री जिनचन्द्र सूरीश्वरान् आचार्य श्रीजिनसिंहसूरिप्रमुखकृतमुखसुखशिष्यव्रातपरिकरान् असमानसन्मानबहुदानपूर्व समाहूयायमष्टलक्षार्थी ग्रन्थो मत्पादि वाचयांचकेऽवक्रेण चेतसा । ततस्तदर्थश्रवण समुत्पन्नप्रभूतनूतनप्रमोदातिरेकेण संजातचित्तचमत्कारेण बहुप्रकारेण श्रीसाहिना बहु प्रशंसापूर्व · पढ्यतां सर्वत्र विस्तार्यतां सिद्धिरस्तु' इत्युक्त्वा च स्वहस्तेन गृहीत्वा एतत् पुस्तकं मम हस्ते दत्वा प्रमाणी कृतोऽयं ग्रन्थः । अतः सोपयोगित्वात् श्रीसाहिनापि समुद्दिश्यार्थमाह-राजा श्री अकब्बरः नोऽस्मभ्यं सौख्यं सुखं ददते प्रजानामिति ।
એટલે-સંવત ૧૯૪૯ ના શ્રાવણ સુદ ૧૩ દિને સાંજે કાશ્મીર દેશ પર વિજય કર્યો તે નિમિત્તે શ્રીરાજ શ્રી રામદાસ ( રામદાસ તે જણાય છે કે જેણે સં. ૧૬પર માં સેતુબંધ (રાવણવહે) ની ટીકા રચી છે અને જેને માટે પ્રાજ્ય ભટ્ટની રાજતરંગિણિમાં વિશેષ ઉલ્લેખ મળી આવે છે) ની વાડીમાં શ્રી અકબર બાદશાહ-જલાલદીને પ્રથમ પ્રયાણ કરી અતિ ખાનદાન શાહજાદા શ્રી સલીમ (પાછળથી જહાંગીર બાદશાહ) સુલતાન સામંત મંડલિક રાજાઓથી વિરાજિત રાજસભામાં અનેક વ્યાકરણીઓ તાર્કિક વિદ્વત્તમ ભટ્ટ-પંડિત સમક્ષ અમારા ગુરૂવર યુગપ્રધાન ખરતર ભટ્ટારક શ્રી જિનચંદ્ર સૂરીશ્વરને આચાર્ય શ્રી જિનસિંહસૂરિ વગેરે આણેલા શિષ્ય સમુદાય સહિતને અતિશય સન્માન આપીને બોલાવી આ અષ્ટલક્ષાથી ગ્રંથ મારી પાસે શુદ્ધ ચિત્તથી વંચાવ્યો, ત્યારપછી તેના શ્રવણથી તેને અતિ નવીન પ્રમાદને અતિરેક થતાં ચિત્તમાં ચમત્કૃતિ થતાં બહુ પ્રકારે શ્રી બાદશાહે બહુ પ્રશંસા કરી અને “સર્વત્ર વાંચી અને વિસ્તાર કરે” એમ કહી સ્વહસ્તે તેને લઈને આ પુસ્તક મારા હાથમાં આપી આ ગ્રંથ પ્રમાણ ભૂત કર્યો. પછી પોતે જેના અર્થ કરવા ચાહે છે તે પદ લઈ રાજા એટલે બાદશાહ અકબર તે નઃ એટલે આપણને પ્રજાને સૌખ્ય આપે છે. આ ગ્રંથની અંતે કવિએ “અકબર ગુણ વર્ણન અષ્ટક ” મૂકેલ છે તે ખાસ અવગાહવા યોગ્ય છેઆ વિસંવાદ શતક સં. ૧૬૮૫ આમાં સૂત્ર આદિમાં પરસ્પર જે વિરોધ ભાસે છે તે બતાવ્યું છે.
सूत्र प्रकरण टीका प्रबंध संबंध चारु चरितेषु ।
ડર વિસંવાઢા દEI gશતા ફરતે || પી. પી. ૩ પૃ. ૨૯૦. વિશેષ સંગ્રહ સં. ૧૬૮૫ લૂણકર્ણસરમાં.
આ રચવામાં શ્રી જિનસિંહ સૂરિના શિષ્ય ઉપાધ્યાય સમયરાજ ગણિએ (મદુવિર્ધક ગુરૂ-કે જે મારા વિદ્યાગુરૂનાજ શિષ્ય થાય) મારા પર અનુગ્રહ કરેલો છે એમ પોતે સ્વીકારે છે.
Aho! Shrutgyanam