Book Title: Jain Sahitya Sanshodhak Khand 02 Ank 03 to 04
Author(s): Jinvijay
Publisher: Jain Sahitya Sanshodhak Samaj Puna

View full book text
Previous | Next

Page 132
________________ ૩ર : જૈન સાહિત્ય સંશોધક [ખંડ રે, આ રીતે, જૈન પરંપરામાં મહાસેન પ્રદ્યોત વીતિયના ઉદાયનને આજ્ઞાંકિત થએલે માનવામાં આવે છે. ઉદાયનનું પાછલું જીવન. ઉદાયનના રાજકીય જીવન સંબંધમાં આટલી હકીકત પાછળના જૈન ગ્રંથમાં મળે છે, મૂળ ભગવતી સૂત્ર કે જેને ઉલ્લેખ ઉપર કરવામાં આવ્યો છે તેમાં ફક્ત એટલી જ બાબત વર્ણવી છે, કે જ્યારે શ્રી મહાવીર વીતિભયમાં આવ્યા ત્યારે ઉદાયન તેમને ધર્મોપદેશ સાંભળી તેમની પાસે દીક્ષા લઈ તેમને શિષ્ય બન્યા. આ દીક્ષા લેતી વખતે તેણે પિતાનું રાજ્ય કેને સેંપવું એ માટે એક વિલક્ષણ વિચાર કર્યો. રાજ્યને ખરે હકકદાર એને પુત્ર અભીતિકુમાર થતું હતું. પણ, રાજ્યાધિકાર ચલાવનાર મનુષ્ય ઘણા ભાગે દુર્વ્યસની અને દુરાચારી થઈ જાય છે અને એવા વ્યસની અને આચારહીન મનુષ્ય મરીને દુર્ગતિમાં જાય છે, તેથી પિતાને પુત્ર રખેને રાજ્યસત્તાના વેગે દુર્વ્યસની બની દુર્ગતિમાં જઈ પડે એવી બીકથી પુત્રને રાજ્ય ઉપર ન બેસાડતાં પિતાને ભાણેજ જે કેશીકુમાર કરીને હતું તેને બેસાડે. પિતાના આ કૃત્યથી અભીતિકુમાર બહુ નારાજ થયે અને તેથી પિતાની બધી માલમત્તા લઈ તે ત્યાંથી ચાલ્યો ગયો અને ચંપાના રાજા કુણિક પાસે ( કે જે તેને માસિયાઈ ભાઈ થતું હતું) જઈ રહ્યો. આ પ્રમાણે આખી જંદગી તે પિતા ઉપર વૈરભાવ રાખતા થકે ત્યાને ત્યાં જ મરી ગયે. નમુના ખાતર સૂત્રકારનાં કેટલાંક વચને અહિં આપું છું – तए णं से उदायणे राया समणस्य भगवओ महावीरस्स आतयं धम्म सोच्चा निसम्म हट्टतुढे उठाए। उट्टेइत्ता समणं भगवं महावीरं तिक्खुत्तो जाव नमंसित्ता एवं वयासी 'एवमेय भंते ! तहमेयं ! जहेयं तुम्भे वदह' त्ति......अहं देवाणुपियाणं अंतिए मुंडे भवित्ता जाव पव्वयामि।'...तए णं तस्स उदायणस्स रन्नो अयमेया. रूवे अन्भत्थिए...समुप्पजित्था-' एवं खलु अभीयीकुमारे ममं एगे पुत्ते इट्टे कंते जाव किमंगे पुण पासणयाए, तं जइणं अहं अभीयीकुमारं रज्जे ठावेत्ता समणस्त भगवओ महावीरस्स अंतियं मुंडे भवित्ता जाव पब्वयामि; ता णं अभीयीकुमारे रज्जे य रट्टे य जाव जणवए माणुस्सएसु य कामभोगेसु मुच्छिए गिद्धे મને જોવા મળી શક્યું નથી. આ લેખ ઉપરાંત, ઉષવદાતના નાસિકના એક પ્રાચીન લેખમાં બીજી લીટીમાં દશપુર એ સંસ્કૃત નામ વાપરવામાં આવેલું છે. (જુઓ આક. સ. વેસ્ટ. ઇ. પુ. ૪ પા. ૨૯, હે, પર નં. ૫ ); તથા મન્દસેરના જ એક બીજા લેખમાં એ નામ વપરાયેલું જોવામાં આવે છે. મિતિ ( વિક્રમ) સંવત ૧૩૨૧ (ઈ. સ. ૧૨૬૪-૬૫) ગુસ્વાર ભાદ્રપદ શુકલ પંચમી છે; તથા એ લેખ કિલ્લાના પૂર્વ તરફના પ્રવેશદ્વારના અંદરના દરવાજાની ડાબી બાજુએ ભીંત પર ચણે લીધેલા એક વેત પત્થર પર લખેલો છે. વળી, બહતસંહિતા ૧૪, ૧૧-૧૬ (જુઓ કનનો અહેવાલ જર્ન. સે. એ. સી. નૈ. સ. પુ. ૫ ૫, ૮૪ ) માં પણ અવંતિ સાથે આ સ્થળને પણ એ જ નામથી ઉલેખ કરેલો છે. Aho! Shrutgyanam

Loading...

Page Navigation
1 ... 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176