________________
પ૭
કે બે ઘડીની સામાયિક ભાંગવાવાળે, ખુલ્લા ગૃહસી કરતાં ઘણું જ નરસો ગણાય. તે પછી સાધુને તે જીદગીની સામાયિકનાં પચ્ચખાણ હોય છે, તે પચ્ચખાણને ભાંગવાવાળા તે ગ્રહણ કરતાં સારા શી રીતે હોઈ શકે ! ન જ થઈ શકે સારાને બદલે સાધારણ રીતે ઠગારા તે કહી શકાય અને એવાને જે સારા માની ધર્મ ગુરૂ સમજે તેને ભગવાને મિથ્યાત્વી કહ્યા છે. શાખ,-સૂત્ર, ઠાણુગ ઠાણાં ૧૦માં એમ જણાવેલ છે કે અસાધુને સાધુ સરઘે તે મિથ્યાત્વ લાગે માટે ફકત વેષ જોઈને સારા ગુરૂ તરીકે માનવા નહિ. વિતરાગનાં ફરમાન મુજબનું સાધુપણું પાળે છે કે નહિ તે બાબતની પ્રથમ તપાસ કરવી, નહિ પાળે તેની કરણી તે જાણે એમ કહીને વેષધારીને ગુરૂ માનવા નહિ.
જેમ સંસારમાં કુંભારને ત્યાંથી તાવડી ખરીદ કરવી હોય ત્યારે તેને ઘણું કરીને બે ત્રણ વખત કેરાથી વગાડી લેવામાં આવે છે પણ કુટેલી જાણ જોઈને કઈ લે નહિ, તે મુજબ ડાહ્યા અને સમજી માણસેએ ધર્મગુરૂની બાબતમાં પણ પરીક્ષા કરવી, કે આ સાધુની શ્રધા, આચાર, શાસ્ત્રોકત પ્રમાણે અખંડ છે કે કેમ! જે અખંડ રીતે પાળવાવાળા હેય તે તે ગુરૂ છે, પણ જો તે ચારિત્ર અખંડ શાળવાવાળા ન હોય અને માત્ર કુટેવી તાવડી જેવા