Book Title: Jain Panch Mahavrat
Author(s): Jain Shwetambar Terapanthi Sabha
Publisher: Jain Shwetambar Terapanthi Sabha
Catalog link: https://jainqq.org/explore/023321/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ થતી ઉ ઉ ઉ ઉ ઉ ) શ્રી જૈન પાંચ મહાવ્રત 40-3 પ્રકાશક : જેન વેતાંબર તેરાપ'થી સભા ૧૫૬ ક્રોસ સ્ટ્રીટ, સુતાપટી ત્રીજે માળે, કલ ક્ષેત્તા, પી પી જ સહાયક : ચોધરી કસ્તુરચંદજી સુરજમલજી વડનગર (માળવા) મણિી મુદ્રક : નટવરલાલ વીમાવાળા ‘ગાંડીવ’ મુદ્રણાલય, હવાડિચા ચકલા, સુરત BESTURVERS Page #2 -------------------------------------------------------------------------- ________________ શુદ્ધિપત્રક શુદ્ધ ૧૧ લીટી અશુદ્ધ હીગુલ હીરાલુક પ્રકારના પ્રકારને વેદનાને વેદનાતે એ મુક અમુક પંચવણાં પંચવર્ણ મર્યાવા : મર્યાદા આરમાં આરામાં નહીં. પાલવા નહી પાલવા નીહજ નહી જ છેલ્લી : જેવ જેવા શાસ્ત્રોકન શાસ્ત્રોકત ત્યાગ ત્યાગ ૨૩ ૧૬ ૨૧ Page #3 -------------------------------------------------------------------------- ________________ છેલલી જમાવ્યા જગછી જમાડયા જેગથી જભ અપરા ઉદેશ જબ અપાર ઉપદેશ મજાને પાધરી તારે ૧૪ મજાના પધરી તરે માગશે ચાહુગનિ ડયા દડ માણસો ચીડુગતિ ક Rડ ક દ હ દ શ્રત ભેલતા પાવ* ઓચારંગ બોલતા પાવે ૧૫ આચાર્ગ ૨ ધનસાન ધમસાન Page #4 -------------------------------------------------------------------------- ________________ હ૪ રેવે વરતાં વરતારી આકુશ અંકુશ જેવ એવે આણ્યા લવ આ લેવે વહીરણ થાહિજી માંહિજી લીરાવ લિરાવે પસડા ઇશડા વધિરણ ૧૬. ૧૯ ૧૦૪ ૧૦૯ ૧૦૯ દીસે ૧૧૦ ૧૧૨ ૧૧૯ ૧૨૦ દીસ ખયાવ ભેગવ ભગવ મહાવન ભગવ બધારો પુછાવ ગૃહસ્થરી પરૂપે ખપાવે ભગવે ભેગવે મહાવ્રત ભગવે બગારો ૧૨૧ ૧૨૨ ૧૪ છે . ૨૩ ૨૩ પુછાવે ગૃહસ્થની ૧૨૩ Page #5 -------------------------------------------------------------------------- ________________ ૧૨૩ અણચાર ૧૨૪ ખેટ ૧૨૬ ૧૯ દતુરા ૧૨૭ ૧૩૭ ૧ ૧૩ છેલ્લી અણાચાર ખોટી ફીતુરા ૧૨૭ અપાશરા થાપે કહેવી અપશરા થપે ૧૩૩ ૧૩૬ કહેની ૧૪૪ પત્ર પાત્ર Page #6 -------------------------------------------------------------------------- ________________ છે નમ: દેહરો. ભવ ભ્રમણકો ટાલવા, પંથ શોધે સબ કેય, (પણ) હે પ્રભુ તેરાપંથકો, સમજ્યા વીન શું હોય. | વાંચકજનને આ ઉપરને દેહરે વાંચીને સાધારણ રીતે જીજ્ઞાસા અથવા વિચાર થાય કે તેરાપંથ” કે જેને ખાસ સમજવાની બાબત આ દેહરામાં લખવામાં આવી. છે, તે શું છે? તેરાપંથ એટલે શું તે ખાસ સમજવાની મૂળ અગત્યતા હોવાથી અત્રે તેને ખુલાસે નીચે મુજબ આપવામાં આવે છે પાંચ મહાવ્રત. પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ આ તેર બેલ શ્રી પ્રભુજીએ પ્રરૂપ્યા છે તે બધા પરિપૂર્ણ રીતે પાળે અથવા તેનું મનન કરે તે જ તેરાપંથ. એ તેરાપંથ શબ્દ હિંદુસ્તાની ભાષાને છે કે જેને ગુજરાતી ભાષામાં તેરા એટલે તમારા કહેવાય છે એટલે હે પ્રભુ! આ પંથ તમારો છે મારું કાંઈ નથી. આપની આજ્ઞામાં ચાલે તે આપને પંથ એટલે તે તેરાપંથ. આ શબ્દ નિષ્પક્ષપાતીઓને માટે વિશ્વ પ્રેમી છે. પ્રભુના નામને પંથ આના ઉપર કોઈનું મારાપણું કે વડાપણું નથી. વિશ્વવ્યાપી દ્રષ્ટિથી જોતાં તેરાપંથ એટલે તમારો પંથ એ નામ જે આપવામાં આવેલ છે તે એગ્ય અને બંધ એસ્ત હોવાથી દરેક પ્રકારે વ્યાજબી ગણાય. Page #7 -------------------------------------------------------------------------- ________________ ઉપર જણાવેલાં પાંચ મહાવ્રત કયાં ક્યાં! તે કહે છે. ૧ હિંસા ૨ જૂઠ ૩ ચેરી ૪ મૈથુન ૫ પરિગ્રહ, આ પાંચને ત્યાગ કરવા તેનું નામ પાંચ મહાવ્રત અંગીકાર કરેલાં કહેવાય. પ્રથમ મહાવ્રતમાં અહિંસા પરધર્મ છે. જૈન સાધુને હિંસાના ત્યાગ સર્વથા પ્રકારે એટલે ત્રણ કરણ અને ત્રણ રોગથી (નવ કેટિએ) જાવજીવ સુધીના ત્યાગ હોય છે. પ્રશ્ન–નવ કેટિએ પચ્ચખાણ કેવી રીતે થાય? ઉત્તર–પિત કરે નહિ, બીજા પાસે કરાવે નહિ. કરતાં પ્રત્યે અનુદે નહિ એટલે સારૂં સમજે નહિ. આ ત્રણ નામ કરણનાં છે. મન, વચન અને કાયા આ ત્રણનું નામ ગ છે. અકેક ચાગની ઉપર ત્રણ ત્રણ કરણ ગણવાથી કુલે નવ કેટીએ પચ્ચખાણ નીચે મુજબ થાય – " (૩) છકાય જીવની હિંસા મને કરી કરે નહિ, છ કાય જીવની હિંસા મને કરી કરાવે નહિ, છકાય જીવની હિંસા મને કરી અનુદે નહિ આ ત્રણ કરણ મનનાં થયાં. (૩) છકાય જીવની હિંસા વચને કરી કરે નહિ. છ કાય જીવની હિંસા વચને કરી કરાવે નહિ. છ કાય જીવની હિંસા વચને કણ અનુમોદે નહિ. Page #8 -------------------------------------------------------------------------- ________________ આ ત્રણ કરણ વચનનાં થયાં. . (૩) છકાય જીવની હિંસા કાયાએ કરી કરે નહિ, છકાય જીવની હિંસા કાયાએ કરી કરાવે નહિ, છકાય જીવની હિંસા કાયાએ કરી અનુદે નહિ આત્રણ કરણ કાયાનાં થયાં. મન, વચન, અને કાયાના મળી નવ કોટિએ જીવ હિંસા કરવાના ત્યાગ થયા. પ્રશ્ન-જીવ કેટલા પ્રકારના છે? ઉત્તર–છ પ્રકારના છે. તેનાં નામઃ પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુક ય. વનસ્પતિકાય, અને ત્રસકાય. ૧ પ્રશ્ન–પૃથ્વીકાય કેને કહેવાય? ‘ઉત્તર–જમીન ખેડેલી માટી, હીરા, માણેક, રત્ન ગેરૂ, ગોપીચંદન, મુરદહિંગુલ, હડતાલ વગેરેને ૨ પ્રશ્ન–અપકાય કોને કહેવાય? ઉત્તર–કુવા, તળાવ, વાવ, વગેરેનું પાછું ૩ પ્રશ્ન-તેઉકાય કોને કહેવાય? ઉત્તર–અગ્નિ, દેવતા વગેરેને. ૪ પ્રશ્ન-વાયુકાય કોને કહેવાય? ‘ઉત્તર–હવાને. ૫ પ્રશ્ન વનસ્પતિકાય કેને કહેવાય? Page #9 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર –ઝાડ, પાન, કુલ, ફળ, લીલેત્રી વગેરેને. ૬ પ્રશ્ન-ત્રસકાય કોને કહેવાય? ઉતર—–કીડા, માખી, મચ્છર ગાય, ભેંસ, પશુ, પક્ષી, સ્ત્રી, પુરૂષ, વગેરે હાલતા ચાલતા જ.. સાધુને છકાય જીવની હિંસા નહિ કરવાનાં પચ્ચખાણુ સર્વ પ્રકારે છે. જે દિવસથી તેઓએ છકાય જીવની હિંસા નહિ કરવાનાં પચ્ચખાણ કર્યા ત્યારથી તેઓ અભયદાની થયા એટલે બધા જીવોને પિતાના આત્મવતુ લેખી તેને ભય ઉપજાવવાના કાયથી નિવૃત થયા, સુયંગડાંગ સૂત્રમાં પણ કહ્યું છે કે સાધુ છકાયના જીના પિતા સમાન છે અને છકાય પુત્ર સમાન છે. પ્રશ્નઃ–પંચેન્દ્રિય જીવને શાતા થતી હોય અને એકેન્દ્રિય આદિ અનંત જીવોનું બલિદાન આપવું પડતું હોય તે તેમાં સાધુ ધમ પુન્ય પ્રરૂપી શકે કે નહિ? . ઉતર–છકાય પૈકીની એકપણ કાયની હિંસા થતી હોય તે કામમાં સાધુને આદેશ અથવા ઉપદેશ આપ કલપે જ નહિ કારણ કે તેઓ છે કાય જીવના પિતા સમાન છે અને તેમને છકાય પુત્ર સમાન છે અને સાધારણ રીતે જે પિતા પિતાપણાને ધર્મ પાળતા હોય તે મોટા દીકરાના રક્ષણ માટે નાના દીકરાનું ભેક્ષણ થતું હોય તેવા કામમાં ધમપુન્ય છે. Page #10 -------------------------------------------------------------------------- ________________ મ એવા પ્રકારના ઉપદેશ ન જ આપી શકે. માટે શુદ્ધ આચાર વિચારવાળા જૈન સાધુને એવા પ્રકારના ઉપદેશ આપવા છાજેજ નહિ. પ્રશ્નઃ—કાઇ એમ કહે કે એકેન્દ્રિયની અપેક્ષાએ પચેન્દ્રિયની પુન્યાઇ અનતગણી વધારે છે તે પછી પચેન્દ્રિયના પાષણ માટે એકેન્દ્રિયની હિંસા થાય તે કાર્ય માં સાધુ ધર્મ પ્રરૂપે તેા શું વાંધા ? ઉતરઃ—એકેન્દ્રિય અને પંચેન્દ્રિયની પુન્યામાં અનંત ગણા ક્રૂર છે તે તેની ઇન્દ્રિએની અપેક્ષા એ છે પરંતુ અસખ્યાત પ્રદેશીજીવ જેવા મનુષ્યમાં છે તેવા જ કીડીમાં છે અને તેવા જ એકેન્દ્રિયમાં છે અને વેદના પણ જેવી મનુષ્યને મારવાથી થાય તેવીજ કીડીને થાય છે અને તેવી જ એકેન્દ્રિય વગેરે જીવાને થાય છે. વેદના એકેન્દ્રિયથી માંડી ૫ ચેન્દ્રિય જીવાને સરખી થાય છે તે બાબતનેા સૂત્રના દાખલેો કહે છે, શ્રી આચાર`ગ સૂત્રના પહેલા અધ્યયનના બીજા ઉદ્દેશામાં શ્રી ગૌતમસ્વામીએ શ્રીમહાવીર ભગવાનને પૂછ્યુ` છે કે હે પ્રભુ! પૃથ્વીકાય જીવને આંખ, કાન, નાક, માઢું કાંઇ નથી તેમજ સુખદુઃખનું સાન નથી ત્યારે એ જીવાને વેદના શી રીતે થતી હર્શે ? - પણ Page #11 -------------------------------------------------------------------------- ________________ નહિ?” ભગવાન શુ તે બીચાર ભગવાને કહ્યું કે હે ગૌતમ! આના ઉપર મનુષ્યને દાખલે આપું, તે ધ્યાનપૂર્વક સાંભળ કઈ એક પુરૂષ જપે તે દિવસથી આંધળો હોય બહેરે હોય અને મુંગે હોય, તેને કઈ બત્રીશ વરસનો યુવાન પુરૂષ પિતાના એક હાથમાં તલવાર અને બીજા હાથમાં ભાલો લઈને તે પુરૂષને હણે તે તેને વેદના થાય કે નહિ?” ત્યારે ગૌતમસ્વામી બોલ્યા “હે ભગવાન! તેને અત્યંત વેદના થાય, પણ તે બીચારો જન્મને આંધળે અને મુંગે હોવાથી કાંઈ બેલી શકે નહિ” ત્યારે ભગવાન બેલ્યા, “હે ગૌતમ! તેવી જ રીતે એકેન્દ્રિય જીવોને આંખ, કાન, નાક, મેટું વગેરે કાંઈ નથી. પરંતુ વેદનાને જેવી આંખના આંધળા અને મોઢાના મુંગા પંચેન્દ્રીય જીવને થાય છે તેવીજ વેદના પૃકાય આદિ એકેન્દ્રિય જીવને થાય છે.” ફકત પુન્યાઇ આશ્રી ઇન્દ્રિમાં ફેર હોય છે તેથી પુન્યાઈને હીસાબે એકેન્દ્રિય ગરીબ અને પંચેન્દ્રિય ભાગ્યવાન થયેલ છે. પરન્તુ સાધુને તે ગરીબ અને ભાગ્યવાનના પક્ષપાત રહિત જે ધર્મ હોય તે પ્રરૂપે જોઈએ કારણ કે તેઓ તે છકાય જીવના પિતા સમાન છે. અને જે તેઓ પિતા સમાન થઈને એવી ભાષા બોલે કે જેમાં મોટા દીકરા પંચેન્દ્રિય જીવના રક્ષણ માટે નાના દીકરા એકેન્દ્રિય અનત જીને નાશ થાય. (જે તેવા કાર્યોમાં ધર્મ, પુન્યની પ્રરૂપણ કરે તે) તે તેઓ છ કાય જીવના પિતા કહેવાય નહિ પણ પિતાપણાની પિતાની ફરજ ચુકયા કહેવાય. Page #12 -------------------------------------------------------------------------- ________________ વળી સાધુનું નામ છે કાચના પ્રતિપાળ છે તે પછી એકેન્દ્રિય મારી પચેન્દ્રિયને પેાષવામાં પુન્ય છે એવી પ્રરૂપણા કરવાથી છ કાય જીવના પ્રતિપાળના જે દાવા ધરાવે છે તે ખાટા થઈ જાય છે. પછી તે તેનુ નામ ફકત પંચેન્દ્રિય પ્રતિપાળ છે એમ કહેવાય અને છ કાય પ્રતિપાળના જે દાવા છે તે રાખી શકે જ નહિ. તેમને છ કાય પ્રતિપાળના દાવા ખરી રીતે રાખવે! જ હાય તેા કેઇપણુ આરભવાળાં કાર્યો કે જેમાં જીવહિંસા રહેલી છે તેમાં પુન્ય થાય છે એવી પ્રરૂપણા તેથી કરાય જ નહિ, એટલા માટે જ ભગવાને સાધુને જીવહિ‘સાનાં નવ કાટીએ પચ્ચખાણ કરવાનું ફરમાવેલ છે. ઇતિ પ્રથમ મહાવ્રતની વ્યાખ્યા ખીજું મહાવ્રત બીજા મહાવ્રતમાં સાધુને જાવજીવ સુધી નિવદ્ય, સત્ય ભાષા એલવી જોઇએ અને જૂઠું નહિ ખેલવાના ઉપર મુજબ નવ કેાટીએ પચ્ચખાણુ હાય છે. પ્રશ્નઃ—ધમ ઠેકાણે સાધુથી જૂઠું ખેલાય કે નહિ ? -તરેઃ—ન જ મેલાય કારણ ધમ જેવા સ્થાનમાં જૂહુ ખેલાય તેા પછી સત્ય અધમ ને ઠેકાણે ખેલાશે કે ? જૂહું ઉત્તમ શું તે Page #13 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્ન : બાબતમારણે છેલ્લા સંસારમાં અનેક ઠેકાણે બોલાય છે પણ ધર્મની બાબતમાં જૂઠું ન જ બેલાય. પ્રશ્નઃ—કેટલાએક એમ કહે છે કે સાધુ, સાધવી. એક ગામથી બીજા ગામ જતા હોય અને મારગમાં એક પારધિ (શિકારી) સાધુને પૂછે કે આ રીતે તમે હરણને જતાં જોયું છે? તે વખતે હરણના જીવન રક્ષાને માટે સાધુએ જૂઠું બોલવું કે હરણને આ રસ્તેથી જતાં જોયું નથી. આચારગ સૂત્રને આશ્રય લઈ આવા કામમાં જૂઠું બેલવામાં વાંધો નથી એમ કહે છે તે કેમ? . ઉતર–એમ કહેનારા શાસ્ત્રના અર્થને અનર્થ કરે છે આચારંગ સૂત્રમાં તે એમ કહ્યું છે કે સાધુએ હરણને જોયું હોય તે મૌન રહેવું પણ જૂઠું બોલવું નહિ. કદાચ પારધિ (શીકારી) સાધુને પરીસહ આપે તે તેઓએ સહન કરે. કારણ કે, હરણને નથી જોયું એમ જે કહે તે તેઓના બીજા મહાવ્રતનો ભંગ થાય અને હરણને જોયું એમ કહે તે પેલે શિકારી માણસ હરણને મારવા જાય તે પહેલું મહાવ્રત તુટે પણ મિાન રાખે તે કઈ પણ મહાવ્રત તુટે નહિ. શાખ. સૂત્ર, આચારંગ, અધ્યયન ૧૨ ગાથા ૩ વળી દશ વિકાલિક સૂત્રના છઠું અધ્યયનની Page #14 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૧૨માં પણ એમ કહે છે કે સાધુને પિતા માટે અથવા બીજા માટે જૂઠું બોલવું કપે નહિ. તે ગાથા ૧૨ લખીએ છીએ. अण्पाणड्डा परछावा, कोहावा जइवा भया । हिंसगं न मुसं बुया नो विअन्न वयावए । તે પછી હરણને માટે જૂઠું કેમ બેલાય? ઇતિ બીજું મહાવ્રત. ત્રીજી મહાવ્રત ત્રીજા મહાવ્રતમાં સાધુને ચોરી કરવાનાં પચ્ચખાણુ ઉપર પ્રમાણે નવ કેટિએ સમજવાં. પ્રશ્ન –ચેરી કેટલા પ્રકારની ? ઉત્તર –બે પ્રકારની સચેત અને અચેત વસ્તુની. પ્રશ્નઃ–સચેત એટલે શું? ઉતર–સચેત એટલે જીવ સહિત પ્રશ્ન:–અચેત એટલે શું? ઉતર– નિવ, અચેતમાં આહાર, પાણી, વસ્ત્ર, પાતરાં, પુસ્તક વગેરે ધણુની આજ્ઞા વગર સાધુએ ગ્રહણ કરવાં નહિ. સચેતમાં શિષ્ય, શિષ્યણી કરવાં, તે પણ દીક્ષા લેવા વાળાના માતા પિતા આદિ કુટુંબીઓની આજ્ઞાથી, Page #15 -------------------------------------------------------------------------- ________________ ૧૦ વગર આજ્ઞાએ મુડી પાડવાથી સચેતની ચેરીટ ગણાય. જો તેના ઘરવાળા આજ્ઞા આપતા હાય તાપણુ દીક્ષા લેવાવાલાને નવતત્વનું જાણપણું, પ્રતિક્રમણ વગેરેનું જ્ઞાન તા એછમાં આ જોઇએ જ. જેથી તે જીવ અજીવને ઓળખી શકે જીવ, અજીવને એળખ્યા વિના સચમની ઓળખ નથી. શાખ, સૂત્ર દશવકાલિક, અધ્યયન ૪ ગાથા ૧૨ નો નીચેવિન યાબર, अ जीवेवि नयाणइ, जीवाजीवो अयाणतो, कहंसो નાહી ય સંગમ, ॥૨૨॥ માટે જીવાદિક નવત-ત્ત્વના જાણપણા વગર દીક્ષા આપે તે ભગવાનની આજ્ઞાની ચારી કહેવાય. ''' ิ ખાસ પેાતાને વળી દીક્ષા લેવાવાળા વૈરાગ્ય ભાવથી દીક્ષા લે છે. કે કેમ એ બાબતની દીક્ષા આપવાવાળાએ તપાસ કરવી, કારણ કે ભૂખે મરતા અથવા કરજ એટલે દેવુ... પતાવવાને અર્થે લેતે, તે કાંઇ. દીક્ષા પાળી શકે નહિ, તેથી આવા માણસે દીક્ષાને માટે અપેાગ્ય કહેવાય અને અચેાગ્યને દ્વીક્ષા આપવાથી દીક્ષા આપનારને ચામાસી દંડ આવે. શાખ સૂત્ર નિસીત ઉદ્દેશે. ૧૧. તેથી વૈરાગ્યની પરીક્ષા કર્યાં વગર દીક્ષા આપે તે થાય વળી તે પ્રભુની આજ્ઞાની ચારી કરનાર M શાસ્ત્ર અનુસારે દંડને પાત્ર મા ભગ કરનાર એટલે Page #16 -------------------------------------------------------------------------- ________________ કહેવાય. માટે વૈરાગ્યની તપાસ કર્યા વગર દીક્ષા આપવી કપે નહિ. વૈરાગ્યની કસોટીમાં પાસ થયા પછી તેની પ્રકૃતિ સંબંધી તપાસ કરવી કારણ કે બહુ ક્રોધી હોય તે જણા જણાથી લડે અને વિષયી. હેય તે ગામે ગામ ભવાડા ઉઠે, અને તેથી જૈન શાસન નિદાય, ઇત્યાદિક અનેક બાબતની તપાસ કર્યા પછી દીક્ષા આપવી તે સિવાય એમની એમ આપવાથી. જીની આજ્ઞાની એરી લાગે અને ત્રીજું મહાવ્રત તૂટે. ઈતિ ત્રીજી મહાવ્રત મહાવ્રત ચેાથું થા મહાવ્રતમાં સાધુને કુશિલનાં પચ્ચખાણ: ઉપર પ્રમાણે નવ કેટિએ સમજવાં. પ્રશ્ન –-કુશિલ કેટલા પ્રકારનાં ઉત્તર–ત્રણ પ્રકારનાં દેવતા, દેવાંગના સંબંધી, - મનુષ્ય મનુષણ સંબંધી, તિર્યંચ તિર્યંચ સંબંધી. આ ત્રણે પ્રકારનાં કુશિલ સેવવાના સાધુને સર્વ પ્રકારે ત્યાગ હોય છે. પ્રશ્ન-બ્રહ્મચારી સાધુ એકલી સ્ત્રી, અથવા એકલી સાધ્વીથી વાત કરી શકે કે નહિ? Page #17 -------------------------------------------------------------------------- ________________ "ઉત્તર-દશ વિકાલિક સૂત્ર અધ્યયન ૮ ગાથા ૫૬ માં ભગવાને કહ્યું છે કે એક વરસની ડેરી જેના હાથ, પગ, નાક, કાન કાપેલાં હોય તે પણ બ્રહ્મચારી સાધુએ તે સ્ત્રીથી એવી હાલતમાં પણ વાત કરવી નહિ. પ્રશ્ન –તે પછી એકલી સ્ત્રી હોય અને બીજું કંઈ પાસે ન હોય તે સાધુ વહેરી શકે કે નહિ? - ઉત્તર–બીજી સ્ત્રી કે બીજે પુરૂષ કેઇપણ ન હોય તે સાધુને વહેરવું કપે નહિ, કારણ કે બીજાઓને તેઓના શિયળવ્રતમાં શંકા ઉપજે અને કોઈ પૂછે તે સાધુએ એમ કહેવું કે બેન તું એકલી છે માટે અમને વહેરવું ક૯પે નહિ. પ્રશ્ન –આવા દુષ્કર બ્રહ્મચર્યવ્રત પાળવા સારૂ ખાવા, પીવા વગેરેની મર્યાદા રાખવી પડે કે નહિ? ઉત્તર-મર્યાદા વગર બ્રહ્મચર્યવ્રત પાળવું ઘણું મુશ્કેલ છે માટે જ તેરાપંથી મત સંશાધક આચાર્ય વર્ય શ્રી ભીખનજી સ્વામી તથા શ્રી જીતમલજી મહારાજ આદિ પુરૂષોત્તમ પુરૂષોએ પણ સમુદાયમાં ખાવાપીવાની બાબતમાં કારણ સિવાય સાંજની વખતે ગરમ આહારની ગોચરી ન કરવી આદિ અનેક મર્યાદા બાંધેલી છે. આમ કરવાથી હંમેશાં ઉણાદરી તપ ચાલુ રહે અને સંયમ સુખેથી પાળી શકાય. Page #18 -------------------------------------------------------------------------- ________________ ૧૩ પ્રશ્ન –કેટલાક સાધુ (નામધારી) એવી પ્રરૂપણા કરે છે કે શ્રાવકને “સદાર સંતોષીએ અવશેષ મેહુણું વિહં પચ્ચખામી” આ પ્રમાણેના. ત્યાગ હોય છે તેમાં સદાર સંતોષવી એ તેને ગુણ છે અને તે આજ્ઞામાં છે. આ બરાબર છે? ઉત્તર–નહિં, સદારા છેડી બીજીના ત્યાગ કર્યો તે ગુણ છે. સદારા ભેગવવામાં તે પાપ છે. અવ્રત છે. જે કઈ તેવી પ્રરૂપણ કરે છે તેનું ચેથું વ્રત બીજે કરણે તૂટે છે. ઈતિ એથે મહાવ્રત પાંચમું મહાવ્રત પાંચમાં મહાવ્રતમાં સાધુને નવજાતને પરિગ્રહ, રાખવાનાં પચ્ચખાણ ઉપર પ્રમાણે નવ કેટિએ સમજવાં નવજાતના પરિગ્રહની વિસ્તારપૂર્વક વ્યાખ્યા. " નવજાતિના પરિગ્રહનાં નામ:-હિરણ્ય, સુવર્ણ, ધન, ધાન્ય, ખેત્ર, વ, દ્વિપદ, ચૌપદ, અને કુંભી ધાતુ. (૧) હીરણ્ય –એટલે ચાંદી, રૂપિયા, નેટ વગેરે. (૨) સુવર્ણ-એટલે સોનું, ગીની વગેરે. સાધુએ પોતાના કામ માટે અથવા પરના કામ Page #19 -------------------------------------------------------------------------- ________________ માટે પિતાની પાસે રાખવું નહિ, બીજા પાસે રખાવવું નહિ અને રાખે તેને અનુમોદવું નહિ. મનથી, - વચનથી અને કાયાથી. : પ્રશ્ન–સાધુ પિસ્ટ કાર્ડ, કવર, ટિકિટ વગેરે ટપાલ વહેવાર લખવા સારૂ રાખે કે નહિ? ઉત્તર–રાખવા કલ્પ નહિ. કારણ કે કાર્ડ, કવર, ટિકિટ વગેરે એક જાતની નેટની નોટજ છે. જેમ કાગળની કરન્સી નોટ ગવર્નમેન્ટના સિક્કાથી ચાલે છે તેમ કાર્ડ, કવર, ટિકિટ વગેરે ગવર્નમેન્ટના સિકકાથી જ ચાલે છે. પ્રશ્ન–સાધુને પિતાના ગુરૂ અથવા શ્રાવકને સમાચાર લખવા હોય તે? ઉત્તર–ગમે તે સમાચાર લખવા હોય પણ લીધેલાં મહાવત તૂટે તે શી રીતે ટપાલ લખાય? પ્રશ્નઃ-ટપાલ વહેવાર કરવાથી મહાવ્રતમાં એટલે બધે શું વધે આવે છે? ઉત્તર – (૧) પહેલાં તે મહાવ્રત જ તૂટી જાય છે, કારણ કે સાધુને પરિગ્રહ રાખે નહિ અને ટપાલ વહેવાર કરે તેને થોડાંઘણું કાર્ડ, કવર, ટિકિટ વગેરે પાસે રાખવાં પડે. (૨) બીજું કાર્ડ, કવર વગેરેને રેલવે ગાડીને વિહાર પણ કરાવવું પડે. સાધુ રેલવે ગાડીમાં બેસે નહિ પણ ટપાલ વહેવાર Page #20 -------------------------------------------------------------------------- ________________ ૧૫ કરનારનાં કાર્ડ કવરને રેલવે ગાડીમાં બેસાડવાં જ (મેકલવાં જ) પડે. સાધુને તેથી સ્વારી કરવાના જે ત્રણ કરણ અને ત્રણ જોગથી પચ્ચખાણ હેાય તે તુટી જાય છે. (૩) ત્રીજું ગૃહસ્થીના હાથમાં આપીને કાર્ડ, કવર ટપાલના ભૂંગળામાં નખાવવાં પડે છે તેથી ગ્રહસ્થી પાસે કામ કરાવવા રૂપ જે ૨૮ (અઠ્ઠાવીસ)મુ· અણુાચાર છે તે તેને લાગે. (૪) ચેાથુ' ટપાલ વહેવાર કરનાર સાધુઓને ગ્રહસ્થી કરતાં વધારે ચિંતા અને ઉપાધિ સેાગવવી પડે છે એ દેખીતી વાત છે. આજે ગ્રહસ્થીને પાંચ કાગળા લખવા હાય તેા ખરચના ભયથી તે ત્રણ કાગળથી ચલાવી લે છે. પણ પણ સાધુ મહારાજશ્રીને ટપાલ વહેવાર કરતાં કેટલા પૈસા ખરચાય છે તેની ચિંતા કરવાની હાતીજ નથી કારણ પેાતાને તેા બ્યાપાર્જત કરવાની ચિંતા છેજ નહિ. પૈસા ટકાને આમાં જે ધુમાડા થાય છે તે તે ગ્રહસ્થીઆને જ થાય છે. ગ્રહસ્થીને પાંચ કાગળમાં ચાલતુ. હાય તા ટપાલ વહેવાર કરનાર સાધુને ૧૫ (પંદર) કાગળ તા સહેજે જોઈએ કારણ ગ્રહસ્થને તે એમુક જ ઘરની સભાળ રાખવાની હાય પશુ ટપાલ વહેવાર કરવાવાળા કહેવાતા સાધુ - Page #21 -------------------------------------------------------------------------- ________________ મહારાજને તે ઘણે ઠેકાણની સંભાળ રાખવી રહી. દાખલા તરીકે અમુક શ્રાવ-- કજીને કાગળ નથી આવ્યું, માંદા હતા તેમને કેમ છે ને કેમ નહિ માટે તેમને એક કાગળ લખે. અમુક શ્રાવકજી આવવાના હતા તે કેમ નથી આવ્યા માટે એક કાગળ તેમને લખે. અમુક લેખ, છાપાં છપાવવાનાં હતાં તે હજુ બહાર કેમ નથી પડયાં માટે એક કાગળ ત્યાં લખે, અમુક લહીયા (લખનાર) પાસે સૂત્ર લખાવવાનું કહ્યું હતું તે હજી કેમ નથી લખાયું એક કાગળ ત્યાં લખો. અમુક ચેપડીઓ લખાવવાની હતી પણ હજુ રૂપિયાની સગવડ થઈ નથી માટે એક કાગળ અમુક શેઠિયાને ત્યાં લખે ઈત્યાદિ અનેક ઠેકાણે કાગળ લખવાને ધંધે ટપાલ વહેવાર કરનાર સાધુને ભેટે ભાગે દરરોજ ચાલુ રહે છે અને તેને લીધે ગ્રહસ્થ પાસે ઉપર જણાવ્યા પ્રમાણે કામ પણ કરાવવું પડે છે. ટપાલને રેલ ગાડીને વિહાર કરાવવું પડે થોડાંઘણું કાડ, કવર વગેરે પણ તેઓને પાસે રાખવાં પડે. આથી અનેક દેષનાં કારણો ઉભાં થાય માટે પાંચ મહાવ્રત Page #22 -------------------------------------------------------------------------- ________________ ૧૭ ધારી સાધુ મહારાજને ટપાલ વહેવાર કરે ક૯પે નહિ. પ્રશ્ન-હિરણ્ય અને સુવર્ણ, (પરિગ્રહ)ના ત્યાગ થયા પછી છાપાં, ચોપડી કે હેન્ડબીલ છપાવવા સારૂ કે પુસ્તક ભંડાર માટે એકઠાં કરવા સારૂ સાધુ ઉપદેશ દ્વારા રૂપિયા પૈસા એકઠા કરી કરાવી શકે કે નહિ? ઉત્તર–સાધુને કઈ પણ બાબત સારૂ પરિગ્રહ ભેગે કરાવવાને આદેશ, ઉપદેશ આપવાનું કપે નહિ. પછી છાપાં, ચોપડી કે હેન્ડબીલ ગમે તે બાબત હેય. છપાવવા સારૂ પરિગ્રહ ભેગો કરાવવાની બાબત તે દૂર રહી પણ સુ.સાધુને પોતાના પાંચ મહાવ્રતને હિસાબે તે છપાવવાને આદેશ ઉપદેશ પણ આપ કપે નહિ. એટલું જ નહિ પરંતુ પ્રફ સુધારવા જેવું પણ કામ કપે નહિ. તેમ છતાં જે કઈ સાધુ નામ ધરાવી તે કરે તે તેનાં લીધેલાં પાંચ મહાવ્રતને ભંગ થાય. ડાહ્યા હોય તે હૃદયથી વિચારી જે. (૩) ધન ધનપરિગ્રહ એટલે બીજું ધન તે સાયું પાસે શું હેય? વસ્ત્ર, પુસ્તક, પાતરાં વગેરે સાધુ જે મર્યાદા ઉપરાંત રાખે તે ધન પરિગ્રહનું પાપ Page #23 -------------------------------------------------------------------------- ________________ १८ લાગે અને તેથી પાંચમું મહાવ્રત તુટે છે. રાખવાની પ્રશ્નઃ—વસ્ત્ર, પુસ્તક, પાતરાં વગેરે સાધુને માટે શાસ્ત્રમાં શુ' મર્યાદા છે કે જેથી ધન પરિગ્રહનું પાપ તેને તેને નહિ લાગે અને સાધુનું મહાવ્રત કુશળ રહે ? ઉ-તર:-વ્યવહાર સૂત્રના ૨ (બીજા) ઉદેશેામાં કહ્યું છે તેમજ આચારગ સૂત્રમાં પણ કહ્યું છે કે એક સાધુને ત્રણ પછેડી રાખવી કલ્પે અને ત્રણ પાતરાં રાખવાં કલ્પે શાસ્ત્રની આ મર્યાદા મુજમ રાખે તેા સાધુને ધન પરિગ્રહનું પાપ લાગે નહિ અને લીધેલાં મહાવ્રત તૂટવાને બદલે કુશળ રહે, કારણુ કે પ્રભુજીની આજ્ઞા છે; પરન્તુ ઊલ્લ ઘીને વધારે રાખવામાં આવે તે મહાવ્રત તૂટે, અને પરિગ્રહધારી કહેવાય, પ્રશ્નઃ—વસ્ત્ર, પુસ્તક, પાતરાં વગેરે. સારાં હાય અને પાછળથી મન ગમતાં જોઇએ તેવા મલતાં ન જાણે તેા અવસરે કપાટ ભરીને રાખી મૂકવામાં શું વાંધે ? આસા ઉત્તર:—શાસ્ત્રાક્ત મર્યાદા મૂકીને રાખવાથી, જીન આજ્ઞાની ચારી લાગે અને તેથી ત્રીજી મહાવ્રત તૂટે અને બીજું ધન પરિગ્રહ લાગે. Page #24 -------------------------------------------------------------------------- ________________ કારણ કે મર્યાદા ઉપરાંત જે વસ્ત્ર, પુસ્તક, પાત્રો ઈત્યાદીક રાખે તે પરિચહધારી કહેવાય આથી પાંચમું મહાવત તટે વળી ઉપર બતાવ્યા મુજબ વસ્તુના કપાટ, પટારા ભરીને રાખી મૂકવામાં આવે તે દરરોજ તેનું પડીલેહણ થાય નહિ અને પડલેહણ કર્યા વગર ડાં પણ વસ્ત્ર, પાતરાં વગેરે - સાધુ રાખે તે નિસીત સૂત્રના બીજા ઉદેશાના બેલ ૫૯માં તેઓને લઘુ માસિક પ્રાયશ્ચિત કહેલ છે તે લાગે જ માટે જ - સાધુને કપાટ, પટારા યા ભંડાર ભરીને વસ્ત્ર, પુસ્તક પાતરાં વગેરે રાખી મૂકવાં કપે નહિ. રાખે તે ધનપરિગ્રહધારી કહેવાય અને ઉપર બતાવ્યા પ્રમાણે અનેક દેષ લાગે તેથી ચારિત્ર રહિત થાય. (૪) ધાન્ય –એટલે અનાજ ઘઉં, ચણા વગેરે સાધુ પિતાના કામ માટે અથવા પારકાના કામ માટે રાખે નહિ, બીજા પાસે રખાવે નહિ અને રાખતાને અનુમોદ નહિ. મનથી, વચનથી અને કયાથી. (૫) ખેત્ર -એટલે ખેતર વગેરે ઉઘાડી જમીન. -સાધુ ઊઘાડી જમીન પિતાની કરી રાખે નહિ, બીજા પાસે રખાવે નહિ, લખતાને અનુમોદે નહિ, મનથી, -વચનથી અને કાયાથી. Page #25 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્ન–સાધુને માટે વાડ બાંધ્યા હોય અથવા સંડાસ (જાજરૂ) બાંધ્યા હોય તેમાં સાધુ - ઠલે, માત્ર (લઘુનીત, વડીનીતી જાય કે નહિ? ઉતર–સાધુને માટે વાડા અથવા સંડાસ બાંધ્યા હોય તેમાં તેઓને ઠલે, માત્રે જવું કલ્પ નહિ અને જો તેમાં જાય તે ચારિત્રને ભંગ થાય. માટે જ ભગવાને આચારંગ સૂત્રના ૧૨ (બારમા) અધ્યયનના પાંચમા ઉદેશામાં કહ્યું છે કે જે ગામમાં ઠલે, માત્ર જવાની ખુલ્લી નિર્વઘ જગ્યા ન હોય ત્યાં સાધુએ ચોમાસું કરવું નહિ , પ્રશ્ન-ઉપકાર વધારે થતે દેખાતું હોય તો? ઉતર–ગમે તેટલે ઉપકાર થતું હોય તે પણ રહેવું કપે નહિ સાધુએ પોતાના સંયમરૂપી ઘરને પહેલાં તપાસવું. ઘર બાળીને અજવાળું કરે તે માણસ મૂખે કહેવાય. (૬) વઘુપરિગ્રહ એટલે બાંધેલાં મકાન. '' પ્રશ્ન–સાધુ સ્થાનક ઉપાસરા બંધાવવાને ઉપદેશ ન આપી શકે કે કેમ? | ઉતર–નહિ. વળી એમ પણ કહે નહિ કે તમારા ગામમાં સ્થાનક, ઉપાશ્રય નથી Page #26 -------------------------------------------------------------------------- ________________ માટે ઉપાશ્રય કરાવવો જોઈએ. અને જે સાધુ એમ કહે છે તે સાધુને વલ્થ પરિગ્રહનું પાપ લાગે અને બીજા કારણે પાંચમું મહા વ્રત તૂટે. શ્ન–સાધુના ઉપદેશ વગર કેઈ ગૃહસ્થ પિતાની મેળે તેઓને માટે મકાન બંધાવ્યાં કે વેચાતાં લીધાં હોય તે કપે કે નહિ? ઉતર–સાધુ માટે કઈ ગૃહસ્થ ઉપાશ્રય બંધાવ્યો હોય અથવા વેચાતે લીધે હેય અથવા ભાડે રાખ્યું હોય અથવા સ્થાપિત રાખ્યું હોય (આ મકાન હંમેશાં મુનિ મહારાજ માટે છે અને એને બીજા કેઈ કામમાં વાપરવું નહિ) તે એવા પ્રકારનાં સ્થાનક મકાન અથવા ઉપાશ્રયમાં સાધુને ઉતરવું કપે નહિ. અને જે કોઈ ઉતરે તે તેનાં પાંચ મહાવ્રતમાં વધુ પરિગ્રહ નામનું વ્રત ત્રીજે કરણે તુટે. કારણ કે સાધુ માટે બંધાવેલા સ્થાનકને તેઓ ભગવે તે તેઓને અનુદવાની ક્રિયાનું પાપ લાગે. વળી આધાકમાં સ્થાનકનો દોષ આચારંગ સત્રમાં બતાવેલ છે તે સુત્ર શાખથી નીચે બતાવીએ છીએ. - સાધુ માટે છકાય જીવની હિંસા કરી મકાન બંધાવે Page #27 -------------------------------------------------------------------------- ________________ અને તેમાં સાધુ રહેતા દ્રવ્યથી તે સાધુ કહેવાય કારણકે સાધુને વેષ પહે છે માટે, પણ ભાવથી તે ગૃહસ્થી જ કહેવાય. શાખ, સૂત્ર આચારંગ અધ્યયન ૧૧ (અગિયારમુ), ઉદેશે ૩ (ત્રણ), બેલ ૧૫ (પંદર) મામાં આ બાબત કહેલી છે. વળી બીજે પણ અનેક ઠેકાણે તીર્થકર દેવે કહ્યું છે કે સાધુને માટે બનાવવાના ભાવ ભેગા કરી સ્થાનક, ઉપાશ્રય બંધાવ્યા હોય તેમાં સાધુએ ઉતરવું નહિ, તે પછી તેને માટે સ્થાનક ઉપાશ્રય સારૂ ફાળા કરાવવાનો અધિકાર હોય જ કયાંથી? પ્રશ્ન –કેટલાએક એમ કહે છે કે સાધુ ઘેડાજ કહે છે કે અમારે માટે સ્થાનક ઉપાશ્રય બંધાવે. ગૃહસ્થી પિતાની મેળે બંધાવે તેમાં અમને (સાધુ) રહેવામાં શું વાં? ઉતર–સંસારમાં જમાઈ સુરગૃહે જમવા જવાનો હોય ત્યારે શ્વસુરપક્ષ બદામને શીર બરણી વગેરે બનાવે છે, તે વખતે જમાઈ ડું જ કહે છે કે મારે માટે મિષ્ટાન્ન બનાવે. તે સાસરે જમવા જાયા છે ત્યારે સાસરાવાળા તેને માટે સારાસારાં, મિષ્ટાન બનાવે છે પણ જે તે પહેલેથી જ શ્વસુરપક્ષને કહી દે કે મારે આજે દાળ, રોટલી બે દ્રવ્ય સિવાય બીજા દ્રવ્ય કામમાં લેવાનાં પચ્ચખાણ છે તે પછી તેઓ. Page #28 -------------------------------------------------------------------------- ________________ ૨૩ મજ સાધુ ન ફેકટ કેનાલ નહિ બદામને શીરે બરફી વગેરે બનાવે નહિ કારણ ઘરને માલ ફેકટ કણ ગુમાવે. તેમ જ સાધુ પહેલાં જ કહી દે કે અમારે માટે સ્થાનક ઉપાશ્રય - બંધાવશે નહિ કારણ કે અમને કપે નહિ તેમ છતાં જે બંધાવશો તે તમારા ઘરને માલ ગુમાવશે અને દુર્ગતિનાં ખાતાં બાંધશે આમ સાધુ ખુલ્લું કહે તે પછી કેઈપણ શ્રાવક પિતાને માલ ગુમાવી પાપમાં ઉતરે નહિ પણ સાધુ પિતે અ૯૫ પાપ, બહુ નિર્જર દેખાડી ગામે ગામ સ્થાનક ઉપાશ્રયને ઉપદેશ આપી ઉતારા કરાવે છે. એમ કરવાથી એક ઘરની મમતા છોડી અનેક ઘરની મમતા લાગે છે. તે કારણથી સાધુને નિયત કાયમી સ્થાનક–ઉપાશ્રય નજ જોઈએ. વખત પર હાટ, હવેલી, બંગલે એટલે જે સુજતું મળે તેમાં સાધુજીએ અપ્રતિબંધ પણે રહેવું પણ સાધુને એકજ મકાનમાં ઉતારવાનો પ્રતિબંધ ન જ હોય. જે પ્રતિબંધ રાખે તે વત્યુ પરિગ્રહનું પાપ લાગે અને પાંચમું મહાવ્રત તુટે. ૭. દ્વિપદ પરિગ્રહ–એટલે દાસ, દાસી, નોકર, યાકર, વગેરે સાધુ રાખે નહિ, રખાવે નહિ અને Page #29 -------------------------------------------------------------------------- ________________ ૨૪ રાખતાં પ્રત્યે અનુદે નહિ, મનથી, વચનથી અને કાયાથી. પ્રશ્ન–સાધુ ગૃહસ્થી પાસે બેજ ઉચકાવે કે નહીં? તેમજ ડાળી ઉપડાવે કે નહિ? વિહાર કરતી વખતે ભૈયા વગેરે નાકર ચાકર ઇત્યાદિક મંગાવે કે નહિ? કપડાં ધવરાવે કે નહિ? પગ ચંપી કરાવે કે નહિ? ઉતર–સાધુ ગૃહસ્થી પાસે બેજ ઉચકાવે નહિ અને ડોળી ઉપડાવે નહિ. ઉચકાવે તે માસી પ્રાયશ્ચિત એટલે ચાર મહિનાનું સાધુપણું જાય. શાખ સૂત્ર નિમિત્ત ઉદેશે ૧૨. બેલ ૪૫. કપડાં વગેરે ધવરાવે તેમજ પગપંચી કરાવે તે અઠ્ઠાવીસમું અણાચાર દેષ લાગે. શાખ સૂત્ર દશ વિકાલિક અધ્યન ૩. વળી સાધુ ગૃહસ્થી પાસે પગચંપી કરાવે તે માસી પ્રાયશ્ચિત લાગે. શાખ સૂત્ર નિસીત ઉદેશે ૧૫. માટે સાધુએ ગૃહસ્થી પાસે કોઈ કામ કરાવવું નહિ. પ્રશ્ન–સાધુ પગારદાર પંડિત પાસે ભણે તે - દ્વિપદ પરિગ્રહ લાગે કે નહિ ? ઉતર–સાધુ માટે પગાર આપી પંડિત રાખે તે તે તેની પાસે ભણવું નહિ પણ જેમ કેઈ પાસે રોટલી હોય અને તે જેમ વગર મૂલ્ય આપે Page #30 -------------------------------------------------------------------------- ________________ તેમ કોઈ પાસે વિદ્યા હેય ને તે આપે તે તેની પાસે ભણવું પણ સાધુ પગારદાર પંડિત રાખે નહિ રખાવે નહિ અને રાખે તેની પાસે ભણે તે દ્વિપદી પરિગ્રહનું પાપ લાગે. વળી પંડિતના પગારની સગવડ પણ કરવી પડે. આ હિસાબે બીજાને પરિગ્રહ • રખાવે તેથી બીજે કરણે પાંચમું મહાવ્રત તૂટે. ૮ ચિપદ પરિગ્રહ–એટલે ગાય, ભેંસ, ઘેડા, હાથી, બકરાં ઈત્યાદિક સાધુ પિતે રખે નહિ, રખાવે નહિ, અને રાખતાં પ્રત્યે અનુમે દે નહિ. મનથી વચનથી અને કાયાથી, પ્રશ્ન–સાધુ ગૃહસ્થને એમ કહે કે નહિ કે તમારે આટલી ગાય, ભેંસે તે રાખવી જ જોઈએ? ઉતર–ગાય, ભેંસ ચપદ પરિગ્રહમાં છે તેને સાધુએ પિતે રાખવી છેડી અને પછી બીજાને રાખવાને ઉપદેશ કરે તે બીજે કરણે ચપદ પરિગ્રહનું પાપ લાગે અને પાંચમું મહાવ્રત તૂટે. પ્રશ્ન-કેટલાએક એમ કહે છે કે આણંદ શ્રાવક ચાલીસ હજાર ગાયે રાખી હતી અને વીરપ્રભુએ રખાવી હતી તે તેમનું મહાવ્રત કેમ તૂટ્યું નહિ? ન ઉતર–આણંદ શ્રાવકે ચાલીશ હજાર ગાયે Page #31 -------------------------------------------------------------------------- ________________ પિતાની ઈચ્છાથી રાખી છે પણ મહાવીર સ્વામીએ તેને રાખવાનું કહ્યું નથી. અને મહાવીર સ્વામીએ રખાવી હતી તે તેઓ આણંદ શ્રાવકને એમ કહેત કે, હે, આણંદ. તું ચાલીસ હજારની મર્યાદા કેમ કરે છે. વધારે રાખશે તે વધારે પુન્ય થશે. પણ ભગવાનને ઉપદેશ રાખવાનો ન જ હોય. ભગવાન પાસે કઈ યથાશક્તિ ત્યાગ કરે તેનાં તેને પચ્ચખાણ આપે છે. ભગવાન પાસે આવીને કોઈ કહે કે મને પાંચ ગાય ઉપરાંત રાખવાના પચ્ચખાણ આપે તે ભગવાન પચ્ચખાણ કરાવે કારણ કે ભગવાનને ઉપદેશ વ્રત વધારવાને હેય. અત્રત વધારવાને ઉપદેશ ભગવાનને હેય જ નહી. માટે જ જ્ઞાની જણે વિચારવું કે આણંદ શ્રાવકને ચાલીશ હજાર ગાયે રાખવાને ઉપદેશ પ્રભુએ આપ્યું જ નથી. ઢાહ્યા હેય તે વિચારી જેજે. ૯ કુંભી ધાતુની વ્યાખ્યા-કુંભી ધાતુમાં ત્રાંબુ, પિત્તળ, ખંડ ઈત્યાદિ સાધુ પિતે રાખે નહિ, રખાવે નહી રાખતાને અનુમોદે નહિ. મનથી વચનથી અને કાયાથી. પ્રન–સાધુને ધાતુ માત્ર રાખવી નહિ તે પછી. કઈ સાધુની આંખે ચશ્માં આવ્યાં હોય તે Page #32 -------------------------------------------------------------------------- ________________ ચશ્માં પહેરે કે નહિ ? ઉત્તર–સાધુએ ચશ્માં રાખવાં નહિ કારણ કે પ્રશ્ના વ્યાકરણ સૂત્રના અધ્યયન ૧૦માં કહ્યું છે. સાધુએ કાચ, પથથર, સેનું, રૂપું, પિત્તલ વગેરે રાખવું નહિ. તે પછી ચમાં કેમ રખાય? પ્રન–કેઈ કહે ચશ્માં તે જ્ઞાન ધ્યાનની વૃદ્ધિ | માટે રાખીએ છીએ. ઉત્તર –ભગવાનની આજ્ઞા કુશળ રાખીને જ્ઞાન ધ્યાનની વૃદ્ધિ કરવામાં આવે, તે જ લેખામાં ગણાય, પણ આજ્ઞાન ભંગ થાય તે કરણી લેખામાં નહિ અને જે ભગવાનની આજ્ઞા લેપી પાંચમું મહાવ્રત તોડીને ચમાં ચઢાવવામાં જ્ઞાન ધ્યાનની વૃદ્ધિ કઈ વ્યકિત સમજતી હોય તે તેને ન્યાયે કઈ સાધુને કાનમાં જખમ થયે હોય અને તેથી કાનમાં બહેરાશ વધીને એ સંભળાતું હોય ત્યારે વ્યાખ્યાન આપવામાં અને પ્રશ્નોત્તર કરવામાં ઘણું અડચણ પડતી જાણી તે વખતે જ્ઞાન ધ્યાનના વધારાનો લાભ લઈ. કાને બેટરી ચઢાવે તો પછી શું વાંધો! અને મોઢાનાં દાંત પડવાથી દાંતનું એકઠું ચઢાવે તે પછી શું વળે? દાંતનું ચોકઠું બેસાડવાથી સ્પષ્ટ ઉચ્ચારણ કરવામાં આવે અને કેસહેલાઈથી ધર્મ ઉપદેશ સમજાવવાને લાભ. Page #33 -------------------------------------------------------------------------- ________________ ઊઠાવી શકે એ પણ ધ્યાનના વધારા સારૂ જ છે. વળી કેઈ સાધુને પગમાં જખમ થયે હોય તે જ્ઞાન ધ્યાનના વધારા સારૂ રેલગાડીમાં વિહાર કરે તે શું વાંધે? કારણ કે ગામે ગામ ફરે તે ઘણું શ્રાવકને સમજાવે એ પણ જ્ઞાન, ધ્યાનના વધારા સારૂ જ છે. હવે વિચારે કે જે જ્ઞાન ધ્યાનના વધારા સારૂ ચમાં ચઢાવવામાં આવે તે પછી કાને સાંભળવા સારૂ બેટરી રાખે, અને સ્પષ્ટ ઉચ્ચારણ કરવા સારૂ દાંત બંધાવે અથવા દાંતનું ચેકડું ઘાલે અને ગામે ગામ ઉપકાર કરવા સારૂ પગમાં જખમને લીધે રેલગાડીમાં વિહાર કરે તે પછી સાધુપણું પાળવું શું મુશ્કેલ છે ? શાસ્ત્ર આજ્ઞા બહારનાં કાર્ય કરી જ્ઞાન, ધ્યાનને વધારે સમજે તે માણસની દ્રષ્ટિ પ્રભુ આજ્ઞા પાળવાની નથી એમ સમજવું જોઈએ અને જો આજ્ઞા પાળવાના ભાવ હોય તે એમ સમજે કે ગમે તેમ થાય પણ પ્રભુની આજ્ઞા તેડી ચશ્માં ચઢાવવાં નહિ. પૂર્વે કહ્યા તે પાંચ મહાવ્રત પૂર્ણ રીતે પાળે તેજ ગુરૂ કહેવાય અને પાંચ મવ્રતની અંદર એકપણ મહાવ્રત તૂટે તે સાથેના સાથે પાંચ મહાવ્રત તૂટી જાય છે. પ્રક્ષા–તે કેમ? ઉત્તર–ધારે છે કે એક સાધુએ ઉપદેશ આપી તે કઈ પણ કાર્ય સારૂ પરિગ્રહ બે કરાવ્યું અને Page #34 -------------------------------------------------------------------------- ________________ ભેગો થયા પછી ખુશી પણ થાય કે આપણું ઉપદેશથી કેવું મજાહનું ફંડ થયું. આમ કરવાથી પાંચમાં મહાવ્રતમાં સાધુનાં બે કરણ તૂટયાં એ એ હિસાબે પાંચમું મહાવ્રત તે ખલાસ થયું જ અને પરિગ્રહ છે ત્યાં આરંભ સમારંભ રહેલા છે. શાખ-સૂત્ર સુયગડાંગ. અધ્યયન-૧ ઉદેશ-૧ ગાથા૨. આ હિસાબે આરંભ, સમારંભ જે કાર્યમાં સમાયેલાં હોય તે કાર્યને સાધુ મુનિરાજ ઉપદેશ આપે તે તેનું પહેલું મહાવ્રત તુટે, બે મહાવ્રત ખલાસ થયાં પહેલું અને પાંચમું, પછી પૂછવાથી તે સાધુ કહે છે કે અમે પાંચ મહાવ્રતધારી છીએ એટલે જુઠું બોલ્યા કારણ કે પાંચમાંથી બે તે પહેલાં જ તેડી નાંખ્યાં એ હિસાબે બીજું વ્રત પણ ખલાસ થયું. હવે જુઠું બોલવાની પ્રભુની આજ્ઞા નથી તે હિસાબે આજ્ઞાની ચોરી થઈ. એટલે ત્રીજું વ્રત પણ ખલાસ થયું. હવે ચોથા . વ્રતની વાતમુશિલ બે પ્રકારનાં છે. એક તે સ્ત્રી પુરૂષના ભેગ સબંધી, બીજું આચાર કુશિલ, તે આરંભ અને પરિગ્રહની બાબતમાં આદેશ અને ઉપદેશ દ્વારા ભાગ લેવાય તે. આ કારણથી ચેાથું મહાવ્રત તુટયું કારણ કે Page #35 -------------------------------------------------------------------------- ________________ ૩૦ પરિગ્રહને ભેગા કરવાથી આચારનું કુશિલથયું અને જ્યારે પરિગ્રહના ફંડ સબંધી ઉપદેશ કર્યો ત્યારે પાંચમું મહાવ્રત શરૂઆતમાં તૂટવાથી પચે તુટે છે માટે જ સાધુ ચાર મહાવ્રતધારી કે ત્રણ વ્રતધારી કહેવાતા નથી એ રીતે દરેક મહાવ્રત ઉપર વિચાર કરવું જોઈએ કે એક મહાવ્રત તુટવાથી પાંચેના પાચેજ એકી સાથે તુટે છે. જેમ મેતીની માળાનું એક મેટી તુટી પડવાથી બધાં મેતા નીચે પડે છે તેમજ મહાવ્રતને હિસાબ સમજ. ઉપર બતાવ્યા પ્રમાણે પાંચ મહાવ્રત પાળવાવાળા - સાધુએ આઠ પ્રવચન માતાના બોલ પૂરી રીતે પાળવા જોઈએ કારણ કે સંયમરૂપી સંતાનની રક્ષા માટે - ભગવાને આઠ ધાય માતા કરેલ છે. પ્રશ્ન –આઠ પ્રવચન માતાનાં નામ કહે. ઉતર-ઇરિયા સમિતિ, ભાષા સમિતિ, એષણા સમિતિ આદાન ભંડમત નિક્ષેપણ સમિતિ ઉચ્ચાર પાસવણ જલ, સંઘાણ પરિઠાવણીઆ સમિતિ એ પાંચ સમિતિ છે. અને ત્રણ ગુપ્તિ છે તેનાં નામ. મન ગુપ્તિ વચન ગુપ્તિ અને કાય ગુપ્તિ. પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ મળી આઠ બોલને પ્રવચન માતાના Page #36 -------------------------------------------------------------------------- ________________ ૩ બેલ કહે છે. પ્રશ્ન-ઈરિયા સમિતિ એટલે શું? ઉતર–રિયા સમિતિ એટલે પોતાની દેહ પ્રમાણે દ્રષ્ટિ મૂકી જઈ જઈને ચાલવું મારગમાં ચાલતાં, વાત કરવી નહિ સબબ વાતે કરવાથી જેવામાં ધ્યાન રહે નહિ અને નીચું જોયા વગર દિવસે સાધુ જે ચાલે તે તે સાધુ છે કાયને ઘાતક કહેવાય. અને રાત્રે દેહ ચિંતા ટાળવા માટે બહાર જવું પડે તે ચરવળાથી પંજ્યા વગર પગ મૂકે નહિ. ઇતિ ઈરિયા સમિતિ પ્રશ્ન ભાષા સમિતિ એટલે શું? ઉત્તર ––ભાષા સમિતિ એટલે સાધુએ નિવધ સત્ય ભાષા બેલવી સાવધ ભાષા બોલવી નહિ એટલું જ નહિ પરંતુ સત્ય હેવા છતાં સાવધ હોય તે તે પણ બલવી નહિ. (ગાથા) -ભાષા વિચારીને નિધવ બલીએ કર્કશ કઠોર મુળમત બોલરે સાવધ ભાષા મતી બેલે સવારે મીઠા બોલેતા પહેલાં તેલ રે. શ્રી જન ગણધર તમને કહે રે. Page #37 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્ન–સાવધ ભાષા કેને કહેવી ? ઉતર–જે વાક્ય બોલવામાં પાપ લાગે એવી ભાષા બલવી નહિ. દાખલા તરીકે “ચુલે જોઈને સળગાવજે” “પાણી ગાળીને પીજે આ સાવધ ભાષા થઈ કારણ કે આમાં કાર્ય કરવાની આજ્ઞા આપી છે. નિવધ ભાષા બોલવામાં પાપ નહિ દાખલા તરીકે “જોયા વગર ચાલવું નહિ” અણગળ પાણી પીવું નહિ” આ ભાષા નિર્વધ થઈ કારણ કે આમાં કાર્ય કરવાની આજ્ઞા આપી નથી ફકત ઉપદેશ આપી પાપ ટળાવ્યું છે. દશવૈકાલીક સૂત્રના ૭મા અધ્યયનની ૪૭મી ગાથામાં કહ્યું છે કે ગૃહસ્થ તમે અહીં આવે અથવા અહીંથી જાઓ અથવા અહીં ઉભા રહે અથવા અહીં બેસી જાઓ અથવા અમુક કાર્ય કરે. આ ભાષા સાવધ હાવાથી સાધુએ બલવી નહિ. પ્રશ્નઃ—કોઈ મોટે પિસાવાળો શેઠીએ આવ્યો હોય છે? -ઉત્તર–ગમે તે માટે અને પિસાવાળા શેઠીએ હોય તેની સાધુને શું ગરજ છે કે જેથી ગરીબને તકલીફ આપી પૈસાવાળાને આગળ બેસાડે. સાધુને ગરીબ અને પૈસાવાળા બધાને સરખા ગણ કેઈને પણ આવે, જુએ, બેસે ઉઠે Page #38 -------------------------------------------------------------------------- ________________ એમ કહેવું કપે નહિ. સર્વને સરખે ધમ ઉપદેશ સાધુએ કરે. આવી રીતની સમિતિ ઉપરથી શુદ્ધ સાધુ તરતજ એળખી શકાય. | ઇતિ ભાષા સમિતિ. પ્રશ્ન—એષણ સમિતિ એટલે, શું? ઉતર–એષણ સમિતિ એટલે, વસ્ત્ર, પાત્ર, " આહાર પાણી દવા અને ઉતરવાની જગ્યા વગેરેની ચેખી રીતે તપાસ કરવી તે. કારણ કે સાધુ માટે કઈ પણ વસ્તુ બનાવી હોય અથવા વેચાતી લાવ્યા હોય તો તેઓને ગ્રહણ કરવી ક૯પે નહિ કારણ કે એષણા સમિતિવંત સાધુએ બેતાલીસ દોષ અને બાવન અનાચાર ટાળી ઉપરોકત વસ્તુ લેવી તેમ કહેલ છે તે નીચે મુજબ છે. તે બેતાલીસ દેષ કયા કયા છે તેનાં નામ વિગત સાથે કહે છે. શ્રાવકના જોગથી ૧૬ ઉદગમના દેશ ૧. આ ધાકમાં (અધોગતિમાં લઈ જતા દે) એટલે ખાસ સાધુ માટે આહાર, પાણી, વસ્ત્ર, પાત્રો, પાટ, પાટલા, સ્થાનક ઉપાશ્રયાદિક ૧૪ પ્રકારની વસ્તુમાંની કેઇપણ વસ્તુ બનાવીને સાધુને આપે અને સાધુ ભગવે Page #39 -------------------------------------------------------------------------- ________________ તે દેષ લાગે. ૨. ઉદેશિક એટલે સાધુને ઉદ્દેશી ભાવ ભેગા કરી બનાવેલી ૧૪ પ્રકારની વસ્તુ તેઓને આપે અને સાધુ તે લે અથવા ભેગવે તે દોષ લાગે. ૩. પુતીકર્મ એટલે ઉપરોક્ત દેષ વાળી વસ્તુને શુદ્ધ વસ્તુ સાથે જરા પણ ભેળ, સંભેળ કરીને આપે અને સાધુ તે લે તે દેષ લાગે. જ થાપીતે એટલે સાધુને માટે સ્થાપી રાખે કે અમુક વસ્તુ સાધુને માટે જ છે બીજા કોઈએ વાપરવી કે ભેગવવી નહિ. આવા પ્રકારની વસ્તુ આપે અને સાધુ તે લે તે દોષ લાગે. ૫. મિથ એટલે સચેત અને અચેત બેઉને ભેગી કરીને આપે અને સાધુ તે લે તો દેષ લાગે. ૧. પ્રેહણે પ્રહણે એટલે આઘા પાછી કરીને સાધુને આપે એને તે લે તે દોષ લાગે. કોઈ પણ વસ્તુ અંધારામાં હોય અને સાધુને હરાવવા સારૂ અજવાળું કરીને વસ્તુ આપે અગર વહેરાવે અને સાધુ તે લે તે દેષ લાગે. સાધુ સારૂ કઈ પણ વસ્તુ વેચાતી લાવીને આપે અને સાધુ તે લે તે દોષ લાગે. સાધુ સારૂ કેઈપણ વસ્તુ ઉધાર લાવી આપે અને સાધુ તે લે તે દેષ લાગે. કઈ પણ વસ્તુને અદલ બદલ કરી સાધુને Page #40 -------------------------------------------------------------------------- ________________ "જ ૧૨. उप આપે અને તે લે તે દેષ લાગે. સ ધુને સામું આણને આપે અને તે તે દેષ લાગે. સાધુને બારણું ઉઘાડીને આપે અને સાધુ લે તે દેષ લાગે. વસ્તુ ઉંચી નીચી હોય તે ઉતારતાં અજચણા થાય એવી જગ્યાએથી ઉતારીને સાધુને આપે અને સાધુ લે તે દોષ લાગે. નિર્બળ એટલે નબળા પાસેથી છીનવીને વસ્તુ સાધુને આપે અને તે લે તે દેષ લાગે. પારકી વસ્તુ ધણુને પુછ્યા વગર સાધુને આપે અને તે લે તે દેષ લાગે. " રાંધતી વખતે આંધણમાં સાધુ માટે વધારે ઓરે અથવા રાંધે અથવા નાંખે અને તે લે તે દેષ લાગે. સાધુના વેગથી ૧૬ ઉપાસના દેશ, સાધુ ધાવની માફક બાળકને રમાને કઈ વસ્તુ લે તે દેષ વાગે. દુરીની માફક ગૃહસ્થીને સગા સંબંધી વગેરેના સમાચાર કહીને સાધુ કઈ ચીજ યાએ તે દેષ લાગે. નિમિત્ત વગેરે કહીને લે તે સાધુને દેષ લાગે. ન્યાત જાત જણાવીને એટલે હું અમુક ૧૯ ૨૦. Page #41 -------------------------------------------------------------------------- ________________ જાત અથવા નાતને છું અથવા ગૃહસ્થીને સાધુ એમ કહે કે સંસાર પક્ષે તમે અને અમે અમુક અમુક સગાં સબંધી થઈએ છીએ એમ કહીને કેઈપણ વસ્તુ લે તે દેષ લાગે. . . - ગરીબી બતાવીને એટલે તમે અમને નહિ આપશે તે બીજું કોણ આપશે એમ કહીને લે તે સાધુને દેષ લાગે. - સાધુ વૈદપણું બતાવીને કઈ વસ્તુ લે તે દેષ લાગે. - ક્રોધ કરીને લે તે સાધુને દોષ લાગે. માન, અહંકાર કરીને લે તે દોષ લાગે. માયા, કપટ, ક્રિયા કરીને લે તે દેષ લાગે,' . લેભ કરીને લે તે દેષ લાગે. આગળ પાછળ આપનારના ગુણ ગાઈને લે એટલે કે તમો ઉદાર દિલના છે, દાનવીર માટે તમે આપ એમ કહીને યાચે તે દોષ લાગે. વિદ્યા, કામણ, વશીકરણ વગેરે કરીને લે તે દેષ લાગે. મંત્ર, વૈદપણું કરીને લે તે દેષ લાગે. ગોલી ચુરણ બનાવવાનું કહીને તે તે ૨૬. ૨૭. ૨૮. ૨૯. ૩૦. Page #42 -------------------------------------------------------------------------- ________________ ૩૭. ૩પ. દોષ લાગે. ૩૧. સુભાગ્ય દુર્ભાગ્યપણું બતાવીને કે તે દેષ લાગે. ગર્ભ પડાવીને લે તે દેષ લાગે. - સાધુ શ્રાવક બંનેના ચોગથી એષણના દસ દોષનાં નામે ૩૩. શંકા સહિત લે તે દેષ લાગે. ૩૪. સચેત (એટલે જીવ સહિત પૃથ્વી પાણી વગેરે)થી હાથ ખરડાયેલો હોય તેવા પાસેથી લે તે દોષ લાગે. સચેત ઉપર મૂકેલી વસ્તુ હોય તે વસ્તુ લે તે દેષ લાગે. ૩૬. ' સચેત કરી ઢાંકેલું હોય તે સાધુ લે તે દોષ લાગે. ૩૭. સચેતને સ્પર્શ થતો હોય એટલે અડકીને રહ્યું હોય અને તે લે તે દેષ લાગે.. ૩૮. આંધળા, પાંગળા પાસેથી લે તે દેષ લાગે. ૩૯. પૂરૂં શસ્ત્ર પરણમ્યું ન હોય એટલે પુરૂં અચેત નહિ થયું હોય તે લે તે દેષ લાગે (કાચું, પાકું) સચેત, અચેત ભેગી વસ્તુ હોય તે લે તે , : દેષ લાગે. . . . ! અજયણ થાય તેમ નાખતાં નાખતાં કેઈપણ Page #43 -------------------------------------------------------------------------- ________________ ૪ર. ૩. વસ્તુ વહેારાવે અને તે સાધુ લે તે દેખ લાગે. તરતનુ' લીંપેલું આંગણુ' હાય તે ઉપરથી લે તે દોષ લાગે. હવે બાવન અણુાચાર કયા કયા તેનાં નામ વિગત સાથે નીચે મુજબ. ૧ સાધુને ઉદેશીને એટલે સાધુના નિમિ-તે આરભ કરીને જે કાંઈ આહાર, પાણી, વસ્ત્ર, પાત્ર દવા, પાટ, પાટલા, સ્થાનક, ઉપાશ્રયાક્રિક ૧૪ પ્રકારની વસ્તુ મનાવી હોય તેને ભાગવે તે અણાચાર લાગે.. ૨ સાધુને માટે કોઇપણ વસ્તુ વેચાતી લાવીને આપે તેને ભાગવે તે અણુાચાર લાગે. ૩. જે ઘરનાં આહાર, પાણી વગેરે વહાય હાય તે જ તા અનાચાર લાગે. ઘરનાં મીજે પહેલે દિવસે દિવસે વહારે ૪ આહાર, પાણી, વસ્ત્ર, પાતરાં વગેરે ગૃહસ્થ સામુ` આણી મૂકે ને સાધુ ભાગવે તે અણુાચાર લાગે. *માંટ:-(દેષ નગર ૩૮ ) આંધળા, પાંગળા હાલી ચાલીને વહારાવે તે! અયત્ન થવાનેા સભવ છે માટે દોષ કલા જણાય છે પરંતુ જો તે સ્થિર રૂપે બેઠેલા ઢોય તે વખતે કાછ સુજતી રેટલી તેના હાથમાં વહેારાવવા સારૂ આપે અને તે વાસને તે તે લીધાના દોષનું કારણ સાધુને નથી.” Page #44 -------------------------------------------------------------------------- ________________ ૫ રાત્રે આહાર, પાણી ભરાવે તે અણચાર લાગે. ૬ નાન કરે એટલે નહાય તે અણાચાર લાગે. ૭ સુગંધી પદાર્થો, અત્તર, તેલ, ફૂલ આદિ ભગવે તે અણાચાર લાગે. ૮ પુષ્પાદિકની માળા ભેગવે તે અણાચાર લાગે. ૯ વાયરે (પવન) લેવા માટે વિંઝણે અથવા પંખે વગેરે હલાવે તે અણાચાર લાગે. ૧૦ આહાર, પાણી, ભેજણાદિક રાત્રે વાસી રાખે તે અણાચાર લાગે. ગૃહસ્થના વાસણમાં જમે તે અણાચાર લાગે. " ૧૨ રાજા રાજગાદીએ બેસે તે વખતનાં સરસ , આહારાદિક રાજપિંડ ભેગવે તે અણચાર લાગે. સદાવ્રત, દાનશાળા ધમાંદા વગેરેનાં આહાર પાડ્યું દવા વગેરે કોઈપણ વસ્તુ લે તે અણુચાર લાગે. શરીર પર તેલાદિ ચેળે તે અણાચાર લાગે. (કારણથી છૂટ) ૧૫ દાંત પખાળે તે મણાચાર લાગે. (કારણથી છુટ) ૧૬ ગૃહસ્થને સુખ શાતાદિક પૂછે તે અણાચાર લાગે. અરિસા એટલે કાચમાં મેટું જુએ તે અણાચાર લાગે. ૧૮ જુગાર રમે તે અણચાર લાગે. ૧ ચપાટ, પાનાં વગેરે રમે તે અણાચાર લાગે ૨૦ માચ્છા ઉપર છત્રી રાખે તે અJાચાર લાગે. Page #45 -------------------------------------------------------------------------- ________________ ૨૧ વૈદપણું કરે એટલે ગૃહસ્થને રેગાદિક ઉપર ગળી ચુર્ણ વગેરે ઔષધ બતાવે તે અણાચાર લાગે, ૨૨ પગમાં બૂટ વગેરે પહેરે તે અણાચાર લાગે. ૨૩ અગ્નિને આરંભ સમારંભ કરે તે અણચાર લાગે. ૨૪ જેના થકાનમાં ઉતર્યા હોય તે ધણીના ઘરનાં આહાર, પાણી, દવા વગેરે લે તે અણાચાર લાગે. ૨૫ ગૃહસ્થના આસન, પલંગ, માંચા, વગેરે ઉપર બેસે તે અણાચાર લાગે. ૨૬ રાગી, તપસ્વી, દુબળ એટલે અશકત એ ત્રણ સિવાય કારણ વગર ગૃહના અંતર ઘરમાં (એટલે બે મકાનની વચમાનું મકાન) બેસે તે અણાચાર લાગે. ૨૭ મેલાદિક દૂર કરવા સારૂ શરીરે પીઠી વગેરે ચોળાવે તે અણુચાર લાગે. ગૃહસ્થની વૈયાવચ કરે તથા ગૃહસ્થ પાસે વિયાવચ કરાવે તે અણાચાર લાગે. ૨૯ પિતાની જાતની ઓળખાણ કરાવીને એટલે હું અમુક જાતને છું તમે અમારા અમુક સગાં સંસાર પક્ષે થાઓ છે એમ કહી આહારદિક વહેરે તે અણચાર લાગે. ૩૦ મિશ્ર પાછું એટલે કંઈક કાચું અને કંઈક પાર્ક એવું ભેળસેળવાળું ભોગવે તે અણાચાર લાગે. ૨૮ Page #46 -------------------------------------------------------------------------- ________________ ૪૧ ૩૧ રાગ થયેા હૈાય ત્યારે ગૃહસ્થીનું શરણુ ઇચ્છે એટલે વૈયાવચ વગે૨ે ગૃહસ્થી પાસે કરાવવી ઈચ્છે તે અણુાચાર લાગે, ૩ર. મૂળા (૩૩) આદુ (૩૪) શેરડીના કાચા કટકા (૩૫) કદ (૩૬) મૂળ (૩૭) ખીજ (૩૮) કુળ (૩૯) સંચળ (૪૦) સિ ́ધવ (૪૧) કાચું મીઠું (૪૨) સમુદ્રનું મીઠુ... (૪૩) ખાડીનું મીઠું (૪૪) કાળુ મીઠું ઉપરાત નંબર ૩૨ થી નંબર ૪૪ સુધીની વસ્તુ સચેત ભાગવે તે અણુાચાર લાગે, ૪૫ ધૂપ કરે કરાવે તે અણુાચાર લાગે, ૪૬ વગર કારણે જાણી જોઈને ઊલટી કરે તે અણુચાર લાગે. ૪૭ વગર કારણે ગુહ્ય પ્રદેશ, ધૂવે તે એણાચાર લાગે, ૪૮ વગર કારણે રેચ એટલે જુલાખ લે તે અણુાચાર લાગે. ૪૯ વગર કારણે આંખમાં કાજળ, અંજન, સુરમા વગેરે આજે તેા અણુાચાર લાગે. ૫૦ દાતણ કરે વા મસ વગેરેથી રંગે તે અણુાચાર લાગે. ૫૧ તલાર્દિક કરી શરીરનુ` મન કરે તે અણુાચાર લાગે. પર શરીતની શુષા કરે તે અણુાચાર લાગે. Page #47 -------------------------------------------------------------------------- ________________ નોટ નંબર ૫ અને નંબર ૧૦ બાબતમાં નંબર પમાં સાધુ રાત્રે અહાર, પાણું આદિ ભગવે તે અણચાર લાગે એમ કહેલ છે. અને નંબર ૧૦માં આહાર, પાણી, ભેજનાદિક રાત્રે વાસી રાખે તે અણસાર લાગે એમ કહેલ છે માટે ઉપરોકત સ્ત્ર પ્રમાણે આહાર, પાણી, દવા વગેરે સાધુને રાત વાસી રાખવાં કે ભોગવવાં કપે નહિ. જે સાધુ વાસી રાખે અથવા ભેગવે તો નિશીત સૂત્રના ૧૦મા ઉદેશામાં ચોમાશી દંડ આવે એમ દર્શાવેલ છે વળી દશવૈકાલીક સૂત્રના છઠ્ઠા અધ્યનમાં સ્પષ્ટ જણાવ્યું છે કે તેવા સાધુને, સાધુ નહિ પણ ગૃહસ્થ માનવા. આ ઉપરાંત કોઈ શ્રાવિધિ વગેરે ગ્રંથનો આધાર લઈ પિતાને સગવડ પડતી વસ્તુઓ જેવી કે કસ્તુરી, અફીણ, ત્રિફળા ઝેરી કોપરું, કઠું કરી આતું, ભાંગ વગેરેને અણુહારી ગણીને, રાત વાસી રાખે અથવા ભગવે તે ઉપરોકત શાસ્ત્રની આજ્ઞાન ભંગ થાય અને તેથી ચારિત્ર નાશ પામે. માટે ખ્યાલ રાખ. જોઈએ કે કોઈ ગ્રંથકારે પિતાને ફાવતી અથવા મનગમતી વાત લખી જણાવી હેય પણ તે વિતરાગ પ્રભુનાં વચન સૂત્રથી વિરૂદ્ધ હોય છે તે માનવી નહિ. નેટ નંબર ૧૦–એમ તે રાજાદિક ને ઘેર ગોચરી જવું કલ્પ. શાખ-સૂત્ર અંતગડ, વર્ગ, ૩ અધ્યયન ૮. દેવકીના છએ દીકરા સાધુ હતા તેમણે શ્રીકૃષ્ણને ઘરેથી મોદક લાડુ. વહેર્યા હતા. ઈતિ બાવન આણુચાર સંપૂર્ણ ' ઉપરોક્ત દેષ ટાળીને આહાર પાણી ગ્રહણ કરનાર સાધુ અને એ પ્રમાણે આપનાર ગૃહસ્થ એ બન્નેની Page #48 -------------------------------------------------------------------------- ________________ ૪૩ શુદ્ધ ગતિ ભગવાને બતાવી છે. શાખ સૂત્ર દશવૈકાલિક,. અધ્યયન ૫, ઉદેશે ૧ ગાથા ૧૦૦, શુદ્ધ ગતિના ઈચ્છક શુદ્ધ સાધુ શુદ્ધ નિર્દોષ આહાર પાણી લે અને સમજુ શ્રાવક તે જ મુજબ આપે અથવા વહેરાવે કારણકે અશુદ્ધ આહારાદિક લેવાવાળા અને આપવાવાળા બન્નેને મહા દુઃખનાં કારણે પ્રભુજીએ બતાવ્યા છે. પ્રથમ અદ્ધ આહાર લેવાવાળાની શું દશા થાય. તે સૂત્ર શાખ સાથે નીચે લખીએ છીએ. | ઉતરાધ્યયન, અધ્યયન ૨૦, ગાથા ૪૭માં કહ્યું છે કે ઉત્તેશિક એટલે સાધુને ઉદ્દેશ રાખી બનાવેલું હોય તે, સાધુ માટે વેચાતી કેઈપણ વસ્તુ. આણી હોય તે, નિત્ય પિંડ એટલે રોજ રોજ એક ઘરના આહાર પાછું લેવાં તે, ઈત્યાદિક દેષની અંદર કેઇપણ દેષવાલી વસ્તુ સાધુ ગ્રહણ કરે છે તે સાધુ અગ્નિની માફક સર્વભક્ષી છે. અને તે અહીંઆથી. મારી દુગતિમાં જાય છે. - દશવૈકાલિક, અધ્યયન ૬માં ૧૮ સ્થાનકસંયમથી ભષ્ટ થવાનાં બતાવ્યાં છે. તેમાંનું ૧૩મું સ્થાનક એ છે કે આહાર ઉપાશ્રય, વસ્ત્ર, પાત્ર એ ચારે સાધુ માટે બનાવેલાં હોય અથવા વેચાતાં આણેલાં હોય, તેને જે ગ્રહણ કરે તે સંયમથી ભ્રષ્ટ છે. - ભગવતી, શતક ૧ ઉદેશે ૯ બોલ ૧૭માં કહ્યું છે કે આધા કર્મ એટલે સાધુ માટે ભાવ લેમ Page #49 -------------------------------------------------------------------------- ________________ કરી બનાવેલ હોય તે, જે કઈ શ્રમણ નીગ્રંથ ભગવે તે આયુષ્ય વજીને સાંત-કમના બંધન ગાઢાં બાંધવાવાળા છે અને તે અહીંથી મરીને ચતુગતિરૂપ સંસારમાં અનંતકાળ સુધી રખડશે ઈત્યાદિક અનેક દાખલા છે કે જેમાં અશુદ્ધ આહાર, પાણી ભેગવવાવાળા ધણીની દુર્દશા વર્ણવી છે. હવે શ્રમણ નીગ્રંથને આહાર, પાણી વગેરે ૧૪ પ્રકારનું દાન અશુદ્ધ જાણું જોઈને આપે, તે દાતારની દુર્દશા -સૂત્ર શાખથી વણવીએ છીએ. પ્રથમ તે ૧૪ પ્રકારનાં દાનની અંદરની કેઈપણ વસ્તુ શ્રાવક જાણું જોઈને અસુજતી વહેરાવે અથવા આપે છે તે આપનારનું બારમું વ્રત તૂટે, કારણ કે બારમાં વ્રતમાં શ્રાવકને અસુજતી વસ્તુ સાધુને આપવાનાં પચ્ચખાણ હોય છે. વળી અસુજતા આહારાદિક આપવાવાળા સાધુના વ્રતના લુંટારા કહેવાય. વળી ત્રીજી દુર્દશા અસુજતા અને અણુએષણિક આહારાદિક વહેરાવવાવાળા અલ્પ આયુષ્ય બાંધે એમ ઠાણાંગ સૂત્રના ત્રીજા ઠાણામાં કહ્યું છે અને ભગવતી સુત્ર શ. ૫ ‘ઉદેશા ૬માં અલ્પ ઉત્કૃષ્ટ આયુષ્ય (એટલે અડતાળીશ (૪૮) મિનિટમાં ૬૫૫૩૬ વખત જન્મ અને મરે તે) બાંધે ઇત્યાદિક અનેક દાખલામાં અશુદ્ધ આહાર, પાણી વગેરે ૧૪ પ્રકારનાં દાન આપવાવાળા ધણીની દુર્દશા વર્ણવી છે. તેથી આપવાવાળા દાતારે પોતાને માટે Page #50 -------------------------------------------------------------------------- ________________ બનાવેલી વસ્તુમાંથી યથાશકિત સંતેષ કરી ધ્યાનપૂર્વક વહેરાવવું અથવા આપવું તેમજ યાચવાવાળા સાધુએ વહેતાં દરેક વખતે પૂછી સારી રીતે કરી લેવું. આનું નામ એષણા સમિતિ છે. પ્રશ્ન –કઈ ગામમાં શ્રાવકના બે ત્રણજ ઘર હોય ત્યાં દસ વીસ સાધુ વિહાર કરતાં કરતા આવ્યા તે અવસરે આધાકર્મી આહાર પાણી વહેરવાં અથવા ભેગવવાં કે નહિ? ઉત્તર–પ્રથમ તે આવવાવાળા સાધુએ પહેલાંથી તપાસ કરી વિચારીને આવવું જોઈએ. ગામમાં કપતી ગોચરીનાં ઘર ડાં હોય તે બબ્બે ત્રણ ત્રણના સાથે કરી જુદા જુદા દિવસે આવવું પણ બધાંએ એકી સાથે આવવું નહિ. ધારે કે કોઈ કારણને લીધે આવવાનું થયું તે તે ગામવાળા ગ્રહસ્થાને પહેલાંથી જણાવી દેવું કે સાધુઓ માટે વધારે કાંઈ પણ બનાવવું નહિ કારણકે અમારે માટે બનાવેલી વસ્તુ વહેરવાના કે ભેગવવાના અને પચ્ચખાણ છે છતાં જે તમે બનાવશે તે તમારા ઘરને માલ ગુમાવીને દુર્ગતિના અધિકારી થશે. આ મુજબના અશુદ્ધ આહાર વિહરાવવાનાં માઠાં ફળ પ્રથમ પ્રરૂપવાં એમ કહેવાથી કેઈ શ્રાવક Page #51 -------------------------------------------------------------------------- ________________ ૪૬ સાધુ સારૂ કે ઈ પણ વસ્તુ બનાવશે નહિ છતાં કોઈ શગાંધ થઈ બનાવે અને તેની ખબર સાધુને પડે છે તે ઘરે તેઓએ ગોચરી જવું નહિ. આ પ્રમાણે સાધુએ પિતાનાં વ્રત સાચવવાં. કેઈ પણ પ્રકારે અમુક બહાનાનું અથવા કારણનું નામ દઈ અશુદ્ધ આહાર પાણી ભેગવવાં નહિ. જેમ કષ્ટ પડે તે પણ પિતાનું શિયળ સાચવવા દ્રઢ રહે તે સતી કહેવાય તેમ સાધ પણ આવા અવસરમાં અશુદ્ધ આહાર પાણી નહિ વહેરે છે તેમાં સાધુપણું અખંડ જળવાય. આવા અવસરમાં ઉપવાસાદિક કરીને પિતાના વ્રતને સાધ અખંડ રાખી લે તે જ ખરૂંસા પણું કહેવાય. જે આવા અવસરને વખતે અશુદ્ધ આહાર પણ સાધુ લે અને પોતે લીધેદ્યાં વ્રત ભાંગે તે તેવા વ્રતના ખંડન કરનાર સાધુ સાધુ જ ન કહેવાય પરંતુ તે વ્રતના ભાગલ ભષ્ટાચારી કહેવાય ડાહ્યા હોય તે વિચારી જે જે. પ્રશ્ન કર્થ –આદાન ભંડમતની ખેવા સમિતિ એટલે શું? ઉત્તર:–આદાન ભંડમતની ખેવા સમિતિ એટલે પુસ્તક, પાનાં, વસ્ત્ર, પાતરાં, વગેરે દિવસમાં તે જોઈ જોઈને યત્નાપૂર્વક લેવાં મૂકવાં Page #52 -------------------------------------------------------------------------- ________________ અને રાતે પુંજીને ગ્રહણ કરવાં મુકવા પણ વગર જોયાં મૂક્યાં નહિ. ઉચેથી પટકવાં એ નહિ. - ઇતિઆદાન ભંડમત નીખેવણું સમિતિ પ્રશ્ન પ —ઉચ્ચાર પાસવણ સમિતિ શટલે શું? ઉત્તર–ઉચ્ચાર પાસવણ સમિતિ એટલે કે માતરે જીવજંતુ, લીલેરી વગરની જગ્યામાં નિર્વઘ જવું અને પાછલા પહોરે બે ઘડી દિવસ બાકી રહે ત્યારે રાત્રિમાં પરઠવાને માટે જગ્યા પડીલેહી દિવસમાં એક વખત તડકો આવે એવી જગ્યામાં પરઠવું. ઈતિ પાંચમી સમિતિની વ્યાખ્યા પ્રશ્ન --મન ગુલ્પિ એટલે શું? ઉત્તર –મનગુલ્પિ એટલે સાવધ, સંસારિક કામ માંથી મન ગોપવીને એટલે રોકીને રાખવું પણ સંસારિક કામમાં મન પ્રવર્તાવવું નહિ તે મન ગુપ્તિ કહેવાય. પ્રશ્ન–વચન ગુપ્તિ એટલે શું? ઉત્તર–વચન ગુપ્તિ એટલે સાધધ વચન ગેપવીને એટલે રોકીને રાખવું પણ સાવધ પાપકારી વચન સાધુ બેલે નહિ તે વચન ગુપ્તિ કહેવાય. પ્રશ્ન–કાય ગુપ્તિ એટલે શું ? Page #53 -------------------------------------------------------------------------- ________________ ૪૮ ઉત્તર–કાયગુપ્તિ એટલે સાવધ પાપવાળા કાયથી કાયા ગેપવી એટલે શેકીને રાખવી પણ પાપવાળું કઈ પણ કાર્ય કાયાથી કરવું નહિ. તે કાયાગુપ્તિ કહેવાય. ઈતિ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ વ્યાખ્યા સંપૂર્ણ ઉપરોકત પાંચ મહાવ્રત, પાંચ સમિતિ; અને ત્રણ ગુપ્તિ એ તેર બેલ ખરી રીતે સંપૂર્ણપણે પાળે તેજ સાધુ અને તેજ સ્વપરના કલ્યાણ કરનારા નીગ્રંથ ગુરૂ કહેવાય. આ વ્યાખ્યા ગુરૂતત્વ સમજવા સારૂ આત્માર્થી પુરૂષને ઘણી મદદગાર અને સંતોષજનક છે એ નિર્વિવાદપણે કહી શકાય કારણ કે ઉપલી બધી બાબતે શાસ્ત્રના ફરમાન મુજબ હોવાથી કે ઈ વાંધે કાઢી શકે જ નહી પણ આજે માનવ જાતિને સ્વભાવ કુદરતી શંકાશિળ હેવાથી કેટલાએકને એવી શંકા થઈ આવે કે આજને જમાને અને હાલ દેશકાળ જોતાં આવા કઠીણ મહાવ્રત કેઈથી પળાય નહિ કારણ કે જમાનો બદલાઈ ગયેલ છે અને શરીર સંઘયણ પણ ચોથા આરાના સાધુઓ જેવાં રહ્યાં નથી. દિવસે દિવસે બળ પરાક્રમની સ્થિતિ નબળી હોવાથી ચારિત્ર પણ તેવાજ પ્રમાણમાં પાળી શકાય એવું સામાન્ય રીતે ઘણા માણસનું ધારવું છે પણ જે શાસ્ત્રદષ્ટિથી વિચાર કરવામાં આવે તે ઉપરકત શંકા કરવાનું કાંઈજ કારણ રહેતું નથી. કારણ કે ભગવતી સૂત્રના Page #54 -------------------------------------------------------------------------- ________________ ૨૦ મા શતકમાં પ્રભુએ ફરમાવ્યું છે કે એકવીશ હજાર વરસ સુધી માહરૂં તીથ ચાલશે. વળી ઉતરધ્યયન સૂત્રના ૧૦માં અધ્યયનમાં કહ્યું છે તેને ભાવાર્થ એ છે કે હે ગૌતમ! પાંચમા આરાના આત્માથી ભવ્ય જ હશે તે એમ કહેશે તે આ જીન મારગ ઘણા તીર્થકર દેવેને પ્રરૂપેલ છે માટે આપણે આ રસ્તે ચઢી અપ્રમાદપણે વિચરો એમ નક્કી કરી ઘણા જીવો શુદ્ધ આચાર પાળી આત્મ કલ્યાણ કરશે. હવે આ ઉપર આપેલા દાખલા ઉપરથી ખુલ્લી રીતે સિદ્ધ થાય છે કે પાંચમા આરાના છેડા સુધી આત્માથી જી થશે અને શુદ્ધ સાધુપણું પાળશે. તે પછી એમ કેમ કહેવાય કે જમાનાને લીધે સંપૂર્ણ રીતનું સાધુપણું ન જ પળે. વાંચક! જમાને તે અનાદિકાનથી બદલાતું રહે છે પણ તેને લીધે સાધુપણું પાળવામાં પ્રભુએ કાંઈ છુટ જુદી આપી નથી એટલે કે કાળઆશ્રી મર્યાદા બાંધેલ નથી. વિચારીને જોવામાં આવે તે શાસ્ત્રકારે ઊલટી સખ્ત મર્યાદા બાંધી છે. જેમકે ચોથા આરામાં ૨૨ (બાવીસ) તીર્થકરના સાધુઓને ૪ (ચાર) મહાવ્રત પાળવાનાં હતાં (સ્ત્રી ત્યાગ અને પરિગ્રહના ત્યાગને એક જ મહાવ્રતમાં ગણવામાં આવેલ) તેને બદલે મહાવીર પ્રભુએ પાંચ મહાવ્રત પાળવાનું ફરમાન કર્યું વળી બાવીશ તીર્થકરના સાધુને પંચવણાં વસ્ત્ર ખવતાં હતાં તેને બદલે વીર પ્રભુએ એક શ્વેતવર્ણનાં જ વસ વાપરવાની સાધુને Page #55 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞા આપી ઈત્યાદિક અનેક મવા ચોથા આરાના સાધુની અપેક્ષાએ પાંચમા આરાના સાધુઓને માટે વિશેષ કડકાઈથી બાંધવામાં આવી છે કારણ કે ત્રિકાળ જ્ઞાની પ્રભુ પોતે જાણતા હતા કે પાંચમા આરાના સાધુઓમાં વક્રજડતા વિશેષ રહેશે અને તેથી સખ્ત મર્યાદાની જરૂર છે. વળી જે આવી સખ્તાઈ કરવામાં આવશે નહિ તે તકમાંથી તર્ક કાઢશે. માટે પાંચમા આરાના શેષ કાળ સુધી શુદ્ધ સાધુપણું પાળી શકાય એવા ઈરાદાથી આચારગ, દશવૈકાલિક વિગેરે સૂત્રમાં પૂર્વે વર્ણવ્યા તે તેર બોલ બતાવ્યા છે, કે જેથી આત્માથી સાધુ પૂર્વે બતાવ્યા તે તેર બોલ પાળવામાં જમાનાને આશ્રય લઈ, જરાએ વાંધે લઈ શકે નહિ અને ખરું જોતાં આત્માથી લે પણ નહિ. તેમ છતાં જે કોઈ પગળા નંદી બનીને દેશકાળ અથવા જમાના ઉપર વાત મૂકીને ચારિત્ર પાળવામાં છૂટ લે અને શિથિલાચારપણું ધારણ કરે તે શાસ્ત્ર દ્રષ્ટિએ સાધુએ કહેવાય જ નહિ, પણ આજ્ઞાના ઉત્થાપક કહેવાય, અને તેથી તેવા માટે શાસ્ત્રકારે પહેલેથી જ સૂચના આપી છે કે શુદ્ધ સાધુપણું નહિ પાળવાવાળાઓ દેશ કાળનું નામ લઈ આવું આવું કહેશે તે બાબત આચારંગ સત્રના અધ્યચન ૬ ઉદેશ ૪માં દર્શાવેલ છે તેને ભાવાર્થ એ છે કે “પાંચમા આરામાં ઢીલા ભાગલ સાધુ હશે તે એમ બોલશે કે પાંચમા આર માં પૂરેપૂરું સાધુપણું પાળી શકાશે નહિ” અહીં શાસ્ત્રકારે સ્પષ્ટ જણાવે છે કે Page #56 -------------------------------------------------------------------------- ________________ લાં ભાગલ હશે તે સાધુપણું સંપૂર્ણ રીતનું પાળશે નહીં અને એમ કહેશે તે સિવાય બીજા કોઈ કહેશે નહિ, કારણ કે પાંચમે આરે છે તે કાંઈ સાધુ પાસું પાળતું નથી. સંયમ પાળવાવાળે તે પિતાને આત્મા છે. સાધુના શુદ્ધ ચારિત્ર પાળવાનાં પરિત ણામ અથવા ભાવ હોય તો આ કાંઈ આવે આવે નહિ, પણ જેના આત્મામાં ચારિત્ર પાળવાના ભાવ જ ન હોય તેને તે આજના જમાનાનું નામ લઈ છુટા થવું અને શિથિલાચારી બનવુંએ એક બહુજ સહેલી વાત છે તેને માટે આ મદદકારી બહાનું છે. અને આ મુજબ પ્રરૂપવાથી હાલની કેટલીક ભેળી પ્રજા બિચારી માની પણ લે છે કે સાધુ મહારાજ ચારિત્ર પાળવામાં ઢીલા ચાલે છે તે કાંઈ સાધુ મહારાજને દોષ નથી પણ આ જમાને જ એ છે.. પરંતુ આ બાબતમાં ન્યાયપૂર્વક ડહાપણુથી વિચારવામાં આવે તો, નહિ. પાળવાવાલા માટે જમાને બિચારે શું કરે? શુદ્ધ ચારિત્ર નહિ પાળવાવાળાઓએ તે તીર્થકરોની હયાતીમાં પણ શિથિલપણું ચલાવ્યું છે તેના દાખલા નીચે મુજબ છે. (૧) શ્રી આદિનાથ ભગવાનના કેટલાએક સાધુઓ શરૂઆતમાં આહાર પાણી ન મલવાથી શિથિલાચારી બની ધર્મ પતીત થયા હતા. (૨) શ્રી પાર્શ્વનાથ ભગવાનની (૨૦૨) સાથ્વી (આયા) સાધુપણામાં હાથ પગ વસ્ત્રાદિ દેવાને અનેક દેજે Page #57 -------------------------------------------------------------------------- ________________ ' લગાવી ચારિત્ર વિરોધ થઈ હતી. શાખ-સૂત્ર જ્ઞાતાસુતસ્કંધ ૨. (8). વળી ગર્ગાચાર્યના શિષ્ય બલીહાર ગધા જેમ અવનીત થયા. શાખ–ઉત્તરાધ્યન, અધ્યન ૨૭ () અરિષ્ટ નેમનાથ ભગવાનના વખતમાં શેલકરાજ રૂષિ શિથિલાચારી થયા. જ્ઞાતા સૂત્ર અધ્યન પ. (૫) ભગવાન મહાવીર સ્વામીની હયાતીમાં જ માલી * શાળા વગેરેએ શિથિલાચારી બની અનેક શા - વિરૂદ્ધ પ્રરૂપણા કરી હતી. શાખ-સૂત્ર ભગવતી શ. ૧૫ ઈત્યાદિક ચોથા આરાના ઘણુ દાખલા છે. આ બાબતમાં વિચાર કરવાથી જણાઈ આવે છે કે પાંચમા આરાને દેશ કાંઈ નથી, દેય તે નહિ પાળવા વાળાને છે. જે પાંચમા આરાને જ દેષ હોય તે એવી માન્યતાવાળાના હિસાબે ચેથા આરામાં પેવે કહ્યા તેવા શિથિલાચારી નહિ હેવા જોઈએ. તે વખતે બધા શુદ્ધ સાધુ હેવા જોઈએ અને જે એમજ હત તે કહી શકાત કે અગાઉ જ્યારે શુદ્ધ સાધુપણું પળાતું હતું ત્યારે બધા શુદ્ધ સાધુ હતા પણ આજે અદ્ધ સાધુપણું પળાય નહિ એટલે બધા શિથિલાચારી થયા અને થાય છે, પણ ખરી વાત તે એ છે કે ચેથા આમાં શુદ્ધ ચારિત્ર નહિ જ મળ્યું તેમ હાલના ખંચમા આરામાં પણ કેટલાએક નહિ પાળવાવાળા વથી જ પાળતા અને પાળવાવાળા છે તે તે તે વખ-- Page #58 -------------------------------------------------------------------------- ________________ -તના સાધુઓ જેમ શુદ્ધ ચારિત્ર પાળતા હતા તેમ અત્યારે પણ રાારી રીતે પાળે છેજ. પૂર્વ વર્ણવ્યા તે તેર બેલ સંપૂર્ણપણે પાળવાવાળા વર્તમાનમાં સાધુઓ શોધવાથી નજરે આવે તેમ છે અને તેઓને જેવાથી અગર મળવાથી નિશ્ચય થાય છે કે આજના જમાનામાં પણ શક્તિ પ્રમાણે પાળવાવાળા સાધુઓ છેજ. જેમ શાસ્ત્રમાં ફરમાવેલ છે કે એક સાધુને મુખ્ય કરી ચોટલે એકને ગુરૂ માની સાધુએ વિચરવું તેજ પ્રમાણે તેરાપંથી સમાજમાં વર્તમાનમાં આશરે ૫૩૪ સાધુ સાળી છે તે બધાં પૂજ્ય મહારાજાધિરાજ શ્રી તુલસી રામજી સ્વામીને ગુરૂ માનીને વિચરે છે તેમની આજ્ઞા સિવાય કઈ પણ સાધુ સાવી કોઈ પણ ઠેકાણે એ મારું કરી શકે નહિ. શેષકાળ રહી શકે નહિ, દિક્ષા આપી શકે નહિ, ચેલા ચેલી પિતપોતાને નામે કરવાના બધા સાધુ સાધ્વીઓને પચ્ચખાણ હોય છે, સાધુને સારૂ સ્થાનક, ઊપાશ્રય કાયમના સ્થાપિત રાખ્યા હોય અથવા વેચાતા લીધા હોય અથવા બંધાવ્યા હોય તેમાં આ સાધુને ઊતરવાના પચ્ચખાણ હેય છે. પુસ્તક, પાનાંના ભંડારો કરી કે રાખી શકાય નહિ. જે હોય તે પિતા પોતાની પાસે જ સાથે રાખવાં અને તે પણ વર્તમાન આચાર્યની નિશ્રાચે. પોતપોતાની માલિકી કરીને રાખવાના પચ્ચખાણ હોય છે. મારું ઊતર પછી દરેક સાધુ સાધ્વી જે હિંસામાં આચાઈ ગર Page #59 -------------------------------------------------------------------------- ________________ મહારાજ વિચરતા હોય તે તરફન વિહાર કરીને તેમની હાજરીમાં હાજર થાય છે, આચાર્યનાં દર્શન કર્યા વગર તેઓના હુકમ સિવાય અન્ય ક્ષેત્રમાં કઈ સાધુ સાધ્વી વિચરતાં નથી આચાર્યના દર્શન કરી, જે જે ગામમાં જે જે સાધુ સાધ્વી વિચર્યા હોય તેનું લીસ્ટ આચા ને બતાવવામાં આવે છે. આવા લીસ્ટમાં સાધુને વિગતવાર બધી હકીકટ લખવી પડે છે કે અમુક ગામમાં આટલા દિવસ રહ્યા, અમુક ગામમાં અમુક ધમણીનાં આટલાં કપડાં જાણ્યાં, અમુક ગામમાં શરીર સબંધી કારણને લીધે સાંજથી વખતે આટલા દિવસ ગરમ આહારની ગેચરી કરી તેની પાચ વિગય આટલા દિવસ ટાલી સાધુ સાધ્વીને એક ગામમાં આચાર્યના હુકમ સિવાય શેકાળ વા માસામાં ભેગા રહેવું નહિ, ઈત્યાદિક અનેક મર્યાદા તેરાપંથ પ્રચારક ભીક્ષુગણુએ બાંધેલ છે અને તેને લીધે શાસ્ત્રોકત પ્રમાણે, પાંચ મહાવ્રત, પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ એ તેર બેલ સંપૂર્ણપણે પાળવામાં આજના જમાનામાં પણ. જરાયે ર્વાધ આવતું નથી, જે મુજબ મહાવીર સ્વામી ચારિત્ર પાળવાનું સાધુઓને ફરમાવી ગયા છે તે મુજબનું ચારિત્ર સારી રીતે પળાય છે અને તેથી પાંચમા આરામ શાકત પ્રમાણે શુદ્ધ સંયમ નહિ જ પળાય એવી શંકા લાવવાને સવાલ ઊભું રહેતું નથી. એક જીરૂની આજ્ઞામાં, ચાલવાવાળા અને શાના ફરમાન અજબ પાળવાવાળા સાધુ આજે પણ પ્રત્યક્ષપણે નજરે Page #60 -------------------------------------------------------------------------- ________________ પપ રવામાં આવે છે. ડાહ્યા હોય તે ખાત્રી કરી લેશે. પ્રશ્ન–કેટલાક કહે છે કે ઉપરોકત તેર બેલ પાળે છે કે નહિ તેની ખાત્રી કરીને શું કરવું છે? જેણે ઘરબાર, બાયડી, છેકરા, માતા પિતા બધાને છોડયાં તેઓ તે આપણા કરતાં સારાજ છે, પછી ચારિત્ર પાળે યા નહિ તેનું તે જાણે. ઉતર–ગુરૂતત્વની ખાત્રી કર્યા વગર અને તેને સમજ્યા વગર કેઈને છૂટકો જ નથી કારણ કે સુગુરૂ વગર જ્ઞાન મળતું નથી. ગુરૂ જે શુદ્ધ ચારિત્રવાન દરેક રીતે હોય તે તેઓ દેવનું સ્વરૂપ શુદ્ધ સમજાવે. કે વિતરાગ પ્રભુ રાગ દ્વેષને જીતવાવાળા, ને કલ્યાણકારી દેવ છે. પાંચ મહાવ્રત, પાંચ સમિતિ, અને ત્રણ ગુપ્તિ ખરી રીતે પાળે તેજ કલ્યાણકારીનિગ્રંથ ગુરૂ છે. કેવળી પ્રરૂપીત અહિંસામય કલ્યાણકરી તે ધર્મ છે. શાસ્ત્રોકત ફરમાન મુજબ પાળવાવાળા ગુરૂ જે હોય તેજ ઉપર બતાવ્યા પ્રમાણે દેવ, ગુરૂ અને ધર્મ એ ત્રણે તત્વનું સ્વરૂપ શુદ્ધ રીતે સમજાવે અને તેથી જ માણસે પિતાનું આત્મકલ્યાણ સારી રીતે કરી શકે અને Page #61 -------------------------------------------------------------------------- ________________ પદ શાસ્ત્રોક્ત પાળ્યું નહિ તેટલા માટે આત્મા પુરૂષોએ, ગુરૂ તત્વ સમજવાની અને તે વિષે ખાત્રી કરવાની ખાસ જરૂર છે. ખાલી વેષ પહેરવાથી સાધુ અને ગુરૂ થઇ જવાય નહિ. વેષ તે પૂર્વે દરેક જીવે અન તીવાર પહેર્યો છે. પણ ફરમાન પ્રમાણે શુદ્ધ ચારિત્ર તેથી કલ્યાણ થયું નથી માટે સમજી માણસે વિચારવુ જોઈએ કે જિન મારગમાં ગુણી ગુરૂ તે ગુરૂ છે અને તેની પૂજા છે. તે છે ગુણુ વગરના વેષ પહેરનાર તે ગુરૂ નથી તે તે સ‘સારી કરતાં ખેાટા ગણાય કારણ કે લીધેલા મહાવ્રતની મર્યાદા તેડે તે સારા હાય શકે જ નહિ. તે તે! ગૃહસ્થી કરતાં ઊતરતા જ ગણાય. તેમાં એકે ત સામાયિક લીધું મુલ્યેા છે. હુવે જે આરંભ સમા દાખલા તરીકે એ ગ્રહસ્થી છે સામાયિક કરવાનાં પચ્ચખાણુ લઇ છે અને બીજો પચ્ચખાણ વગરના ખુલ્લેા છે, તે ગ્રહસ્થ સસારના અનેક રભનાં કાર્ય કરે છે તેનું પાપ ફ્કત તેને લાગે છે, પણ સામાયિકનાં પચ્ચખાણ ન હેાવાથી, પચ્ચખાણ શાંગવાનું પાપ તેને લાગતું નથી, અને જેને સામાયિનાં પચ્ચખાણ લીધાં છે તે, આર ંભ સમારભવાળુ કાય કરે તે બેવડા ગુન્હેગાર ગણાય. આ દાખલે ધ્યાનમાં રૂખી ઉપરાત જીતત્ત્વ પર વિચાર કરવા Page #62 -------------------------------------------------------------------------- ________________ પ૭ કે બે ઘડીની સામાયિક ભાંગવાવાળે, ખુલ્લા ગૃહસી કરતાં ઘણું જ નરસો ગણાય. તે પછી સાધુને તે જીદગીની સામાયિકનાં પચ્ચખાણ હોય છે, તે પચ્ચખાણને ભાંગવાવાળા તે ગ્રહણ કરતાં સારા શી રીતે હોઈ શકે ! ન જ થઈ શકે સારાને બદલે સાધારણ રીતે ઠગારા તે કહી શકાય અને એવાને જે સારા માની ધર્મ ગુરૂ સમજે તેને ભગવાને મિથ્યાત્વી કહ્યા છે. શાખ,-સૂત્ર, ઠાણુગ ઠાણાં ૧૦માં એમ જણાવેલ છે કે અસાધુને સાધુ સરઘે તે મિથ્યાત્વ લાગે માટે ફકત વેષ જોઈને સારા ગુરૂ તરીકે માનવા નહિ. વિતરાગનાં ફરમાન મુજબનું સાધુપણું પાળે છે કે નહિ તે બાબતની પ્રથમ તપાસ કરવી, નહિ પાળે તેની કરણી તે જાણે એમ કહીને વેષધારીને ગુરૂ માનવા નહિ. જેમ સંસારમાં કુંભારને ત્યાંથી તાવડી ખરીદ કરવી હોય ત્યારે તેને ઘણું કરીને બે ત્રણ વખત કેરાથી વગાડી લેવામાં આવે છે પણ કુટેલી જાણ જોઈને કઈ લે નહિ, તે મુજબ ડાહ્યા અને સમજી માણસેએ ધર્મગુરૂની બાબતમાં પણ પરીક્ષા કરવી, કે આ સાધુની શ્રધા, આચાર, શાસ્ત્રોકત પ્રમાણે અખંડ છે કે કેમ! જે અખંડ રીતે પાળવાવાળા હેય તે તે ગુરૂ છે, પણ જો તે ચારિત્ર અખંડ શાળવાવાળા ન હોય અને માત્ર કુટેવી તાવડી જેવા Page #63 -------------------------------------------------------------------------- ________________ હોય તે સમજુ માણસે તેવાઓને ગુરૂ તરીકે માનવા, પૂજવા કે વાંચવા જોઈએ નહિ. પ્રશ્ન પહેલાંના ધારેલા ગુરૂ મુકાય કેમ? ભલેને તે શાકત પ્રમાણે સંયમ ન પાળતા હોય અને બીજા સાધુ પાળતા હોય તે પણ ગુરૂ તે તે જ મનાય કે જે અસલથી એટલે બાપદાદાથી ચાલતા આવ્યા હોયઉત્તર–શાકન પ્રમાણે નહિ ચાલે અને શિથિ. લાચારી હોય તે, તેવાઓને છેડી દેવામાં જરાયે વાંધો નથી. આગળના આત્માર્થી પુરૂએ શ્રદ્ધા આચારમાં બેટા જાણ્યા તેવા ગુરૂઓને છેડયા છે. તેના દાખલા શાસ્ત્ર પ્રમાણ સહિત નીચે મુજબ છે. શકદાળ પુત્રને ગુરૂ ગોશાલે હતું. તે લાગે એટલે તેને છેડી શ્રમણ ભગવંતશ્રી મહાવીર પ્રભુને ગુરૂ તરીકે તેણે સ્વીકાર્યો છે. શાખ સૂત્ર ઉપાસગદશાંગ, અધ્યયન ૭. સુખદેવ સન્યાસી પોતે ૧૦૦૦ એક હજાર ચેલાના ગુરૂ હતા, તેમણે પણ સ્થાવરચા પુત્ર સાધુ સાથે ચરચા કરી, અને તેઓને ધમ ગુરૂ તરીકે સ્વીકાર્યા અને તેમની પાસે દીક્ષા પણ લીધી. શાખ-સૂત્ર જ્ઞાતા, અધ્યયન ૫ ઈત્યાદિક શાસ્ત્રોમાં અનેક દાખલા છે તે ધ્યાનમાં લઈ વિચારવામાં આવે તે સમજુ. Page #64 -------------------------------------------------------------------------- ________________ ૫૯ માણસ મહાવ્રત નહિ પાળનાર સાધુઓને ગુરૂ તરીકે ન જ માને તેમ છતાં તેઓને જે કઈ એકાંત પક્ષ તાણું ગુરૂ તરીકે માનવા મૂકે નહિ તે તે વ્યકિતને શાસ્ત્ર હિસાબે | અભિગ્રહિક મિથ્યાત્વ લાગે (અભિગ્રહિક મિથ્યાત્વ એટલે બેટા જાણે તે પણ લીધેલી ટેક મૂકે નહિ) આત્માથી હોય તે વિચારી જેશે. વળી શસ્ત્રોકત પ્રમાણે નહિ પાળવાવાળા સાધુને માત્ર બાપદાદાએ ગુરૂ તરીકે માન્ય કરેલ હેવાથી દીકરાએ તેને જ માનવા જોઈએ તેવા મંતવ્યને લઈ બીજા સુ સાધુને ગુરૂ તરીકે નહી ધારવા અને ગુરૂ તત્વ નહિ સમજવું એવી વાત પણ ધર્મ મારગમાં અઘટિત છે. કારણ કે કેઈના બાપદાદાએ ગેશાળા જેવા પાંખડીને ગુરૂ માન્યા હોય અને તેનાં કરતાં દીકરાને મહાવીર પ્રભુ સારા લાગે તે ગુરૂ તરીકે તેને નહિ માનવા એમ બને નહિ. દીકરે પોતાના કલ્યાણ સારૂ ખુશીથી માની શકે છે. અને તેમાં જરાયે વાંધો નથી, સબબ દેવ, ગુરૂ, ધર્મ એ ત્રણે તત્ત્વ સને માટે સ્વતંત્ર છે. . , પિતાપિતાની આત્મા સાક્ષી ભરે અને જે સારું લાગે તે સ્વીકારી શકે છે. આત્મ Page #65 -------------------------------------------------------------------------- ________________ કહ્યાણ થતાં તને હક, બાપદાદા કે બીજા કેની પાછળ હોઈ શકે નહિ. જેમ કહ્યું છે કે “કરણ આપે આપની કેણ બેટા કેશુ બાપ” માટે ધર્મોપદેશ લેવા સારૂ શાસ્ત્રોના ફરમાન મુજબ પાળવાવાળા નિગ્રંથ સાધુને ધર્મ ગુરૂ માનવામાં વડીલ અથવા ન્યાત જાત કેઈની અડચણ, કે. અટકાયત આત્મ હિતૈષી પુરૂષને કબૂલ હેય નહિ જ કારણ કે પેલાની અટકાયત કબુલ કરી, શરમ, વા અંતરાય, રાખવામાં આવે, તે પિતાના આત્માનું, ભવનું હિત બગડે. વિવેક અને વિચારી જો જે. પ્રકા–ઉપરોકત નિગ્રંથ ગુરૂની વ્યાખ્યા લખવાને અને બહાર પાડવાનું ધ્યેય અથવા હેતુ શું હશે! ઉત્તર–આ વ્યાખ્યા લખવાને અને બહાર પાડવાનું ધ્યેય ફકત એ જ છે કે ભવિ પુરૂષ નિગ્રંથ ગુરૂનાં લક્ષણે સારી રીતે સમજી શકે, તે સિવાય કેઈની નિંદા કે કોઈને હલકા પાડવાનું ધ્યેય નથી તે વાંચક પુરૂષને આ આ આ લેખ ધ્યાનપૂર્વક વાંચવાથી આપે આપ જણાઈ આવશે. અતિ શુભમ. * Page #66 -------------------------------------------------------------------------- ________________ શ્રી પારણાની ઢાલ, (ઢારા) કરણ જોગને એલખ્યા, લાગે જીન મત છાપ; તારે ત્યાગ ભાગ બેઉ જુદા, સમજે આપે।આપ, ૧૫. પ્રથમ કરણ પાતે કરે, કરાવ્યાં બીજે જાણ; અનુમેઘાં ત્રીજો કરણ, સમજો ચતુર સુજાણ. તારા પ્રથમ મન બીજે વચન, ત્રીજો કાયા વ્હેગ; સારા નરસા છે ત્રણે. સમજો મૈં ઉપયેગ, નાડ્યા ત્યાગ મારગને ઉપરે, જો લગે કરણને દ્વેગ; તે ધમ પુન્ય બેઉ હુવે, કટે કમના રોગ. લેગ મારગને ઉપરે, જો કરણ જોગ જુટ જાય; તા ભાગ વધે ઇંદ્રિયાં તણે, ધમ પૂણ્ય નહિ થાય. આ કરણ જોગ ચાવી થકી, બધા તાળાં ખુલ જાય; સમજે ચાવી જે ચતુર, મિથ્યા મતિ ગુ ંચવાય. ük! ૪! પા || હાલ મ આ અનુકંપા જીત આજ્ઞામે “એદેશી ચાવીસ લાખ લીલેાતીની જાતિ, તેને ત્યાગ્યા વગર લાગે પાપ પીછાણા; સમજી શ્રાવક પાપ શુ ́ શકે જખ, યથાશકિત બાંધે પ્રમાણે, આ. ત્યાગ વધારી છે માના મારગ, આંકડી, ૧૫ Page #67 -------------------------------------------------------------------------- ________________ દાખલા તરીકે ધાંશ એક શ્રાવક, પચાસ સિવાય કર્યા પચ્ચખાણે, તે પહેલે કરણે થયે ત્યાગ વધારે, ત્યાગથી નિજ આત્મ કલ્યાણે. ઓ ત્યાગ વધારે, પારા મર્યાદા બાંધી તમે પિણ સુકો, બીજાને ઉપદેશ આપ્યા પ્રસિધ્ધ જબ પચાસ ઉપરાંત બીજે પણ છેડી, એ ત્યાગને લાભ બીજે કરણ લી. એ ત્યાગ વધારે. ૩ ત્રીજે માણસ કરે છે અનુમોદના, ધન્ય ધન્ય ત્યાગ કર્યો તમે ભાઈએમ ત્યાગીના ત્યાગ વખાણે, તે પિણ ત્રીજે કરણ લીધે લાભ ઉઠાઈ. એ ત્યાગ વધારો. ઇજા હવે પચાસ લીલોતરી રાખી હતી. તે પાસે મુકી પતે ખાવા બેઠે; એ પ્રથમ કરણ થયે ભેગ વધારે, પણ શ્રાવક સમજે મારો જીવ પેઠે. ઓ ભેગ વધારે છે. સંસાર ' મારગ આંકડી. પા બીજે આવ્યું તેને દસ ખવરાવી, એ બીજે કરણે થયે ભોગ વધારે Page #68 -------------------------------------------------------------------------- ________________ આપવા વાલાને જે અમદે, - તે ત્રીજે કરણે ભેગને ભાગીદારે. ઓ ભેગ વધારે. દા વળી બીજો દાખલ ત્યાગ ભેગને, એક બ્રહસ્થને આ વૈરાગ સારે; તે ચેમાસે રાત્રિ ભેજન ત્યાગે, એ પહેલે કરણે થયે ત્યાગ વધારે. એ ત્યાગ વધારે છે મોક્ષને મારગ. શા ઉપદેશ આપી બીજાને છોડાવ્યા, તે બીજે કરણે થશે લાભ પ્રસિધ્ધ; તિણ ત્યાગી વૈરાગીને જે અનુમે દે, તે ત્રીજે કરણે લાભ સેહજોહી લીધે. ઓ ત્યાગ વધારે. ૮ હવે દિવસે જમ રાખ્યો છે તેને, ભેગ મારગ પહેલે કરણે કહી જે; શરીર સારૂ આરંભ કર પડે છે, પણું ધર્મતે ત્યાગ છે તેમાં ગણી જે. એ ભેગ વધારે છે સંસાર મારગ. છેલ કેટલાએક બાલ અજ્ઞાની એમ બેલે, -બા પી એમાં શું છે ? તે ત્યાગભગ સું છે એલખે નહિ, ખાઈ ખાઈ પશુ જેમ દેહિને પિશે. . ઓ ભોગ વધારે. ૧ના Page #69 -------------------------------------------------------------------------- ________________ પિતે જન્મ્યો તે પહેલા કરણ છે, તે જમાડયો તે કરણ ભેગને બીજે; જમ જમાડ સંસાર મારગ, પણ ત્યાગને ભેગની એલખ કાજે. એ ભેગ વધારે છે સંસાર મારગ. ૧૧ કઈ જમાડણવાલાને ખૂબ વખાણ્ય, આને કે મજાને માલ જમાવે; તે ત્રીજે કરણે થયે ભેગમેં દાખિલ, ફેગટમાંહી પાપ ઉપાય. ઓ ભેગ વધારે છે સંસાર મારગ. ૧૨ કઈ આખા દહાડામાં એક જ ટાણે, જમ રાખે બાકી ક્રીયાપચ્ચખાણ; રાખે છે. ભેગને પહેલો કરણ છે, ત્યાગને નામ એકાસણું જાણ. ત્યાગ. ૧૩ એમજ બીજાને ઉપદેશ આપીને, એક ટાણા સિવાયને ભેગ છેડાયે; તે બીજે કરણે દલાલ કહિ જે, ત્યાગ વધારાને લાભ ઉઠા. એ ત્યાગ મારણ. ૧૪ ત્રીજે કરણે અનુમોદનવાળા, એ ત્રણે જણે શિવપંથ આરાધ્ધ, એક ટાણે જે જમ્યા જમાવ્યા, Page #70 -------------------------------------------------------------------------- ________________ પ તે ભાગ મારગ સ'સારના સાચે. આ ભાગ વધારી છે સંસાર મારગ, રામા વળી ઉપવાસ પારણા ત્યાગ ભાગના, ન્યાય સાંભલને નિશ્ચય કીયેા; લીલેતી રાત્રિ ભેજન જેમ જ, કરણ દ્વેગછી એલખ લીજ્યું. આ સેગ ॥૧૬॥ પેાતે ઉપવાસ કર્યું એક શ્રાવક, તે પહેલે કરણે થયે ત્યાગ વધારે; ચ્ચારૂસ આહારના ત્યાગ કર્યાં, જલ રાક દ્વીધા નિજ આશ્રયદ્વારા. આ ત્યાગ વધારે છે. મેાક્ષના મારગ ૫૧૭૧ ઉપદેશ આપી. બીજા પુરૂષને, તેનેક કાટણ ઉપવાસ કરાવ્યે; તે ત્યાંગ વધારી કરી આતમ શાતા, આ બીજે કારણે લાભ કમાગ્યે. આ ત્યાગ વધારા. ૫૧૮) જે તપસ્યાવાલાને ખૂબ વખાણ્યા, ધન્ય ધન્ય સફળ કર્યો અવતાર; તે અનુમેદવારૂપ ત્રીજે કરણે, ત્યાગ પ્રશસાના લાભ અપાર. આ ત્યાગ વધારે. ૫૧૯લા હવે ઉપાસવાળા : પારણા સાર, ખીજે દિવસ કર્યો આરંભ કુ, પછી પચ્ચખાણ પાળી ખાવા બેઠા, Page #71 -------------------------------------------------------------------------- ________________ અ થયેગમેં દાણિલ ત્યાગી રે ઓ ભેગા વધારે. મારવા પિતાને પારણે પહેલે કરણે, તે બીજાને બીજે કરણે જાણ ઓ ભાગ વધારે પાઘરે દિસે, ભેગ મેં ઘમ કહેતે અજાણે. એ ભેગ વધારે. સારા પાર કરે કરાવે તેહને કેઈ, અનુદે કહે સારે કાંધે તે ત્રીજે કરણે ભેગ વખા,. એ કરણ જેને છે સી. એ ભોગ વધારો પર પિત પિતાને ઘેર તેડી લે જાવે, જમે જમાડે સંસાર વ્યવહારે, પિણ તિણમાંહે ધર્મ ન સમજે, શ્રાવક સમજે બીજે આશ્ચવકારે. ઓ ભેગ વધારો. એમ ત્યાગ ભેગને ખુશ સાંઘળ, કઈ મેહ કમ વસ ઊલટી તાણ; અસાબ કહે રણે નહિ કરાવણ, એહવા આરોપ મૂકે પણ જાણું. ઓ વધારો. શારા પણ ભોળાભાઈ એમ ન સમજે, Page #72 -------------------------------------------------------------------------- ________________ ના પાડયાં હાણે અંતરાય કરે; હેબ ાિરી હારેજ નહિ, -ના કહ્યા કયાં રહ્યો સાધુ ઉમે. ઓ ભેગ વધારે પાપ સાધુ તે ઉપદેશ આપી ને, ત્યાગ ને ભેગને મારગ સમજાવે; લેગ વધારામાં મેહ વશ પ્રાણું, ધર્મ સમજે તે કુબુદ્ધિ છે. એ ભાગ લીધા છે. મારા ઉદેશ આપી ઉપવાસ કરાવ્યું, તે બીજે કરણે થઈ ત્યાગ દલાલી; તિણ ત્યાગ દલાલી મેં ધર્મ કહ્યો પ્રભુ, પણ ભેગની વાત સૂત્ર ન ચાલી. એ વધારે પારકા કુગુરૂ ત્યાગને લગ બેક મેં, કે મજાના ધર્મ બતાવ્યા પિંણ સમજુ માણસ પાધરો સમજે, બેઉ મેં ધમ થાયે કિણ ન્યા. એ ભાગ વધારો. શારદા પારણામાં જે ધર્મ થાવે તે, ઉપવાસ કરી કણ ભુખ્યા મરશે, પસાવાળ વગર કાયા કઠે, પારણાં કરાવી કરાવીને તરસે. ઓ ભેગ વધારે. રામ Page #73 -------------------------------------------------------------------------- ________________ ગરીબ તે પારણાં કયાંથી કરાવે, રાટલીના ફાંફાં પેાતાને હાય; ઇન ન્યાયે તે નિધન રખડે, પૈસાવાલે જાવે સ્વર્ગ મેં સાય. આ ભાગ વધારા. ૫૩૦n વિતરાગના મારગ માંહે, રાખી શકાય; આમ પક્ષપાત નથી માટે જ ત્યાગમે ધમ પ્રરૂપ્યા, ગરીમ ભાગ્યવાન કરે તિક્ષુને હાય. } આ ત્યાગ વધારા. ૩૧। કેટલાક જીવ સમજ્ગ્યા વિણ લે, મેં પારણા કરાય શાતા વપરાઇ; તિજી શાતાના ધમ થયા છે, મ્હે' ખટરસથી પેણ્યે સાધર્મી ભાઈ. આ પુદગલ શાતા સોંસારના મારગ, ૫૩૨॥ ઇપુરા ઉત્તર આપુ સીધે, હક બુદ્ધિથી થઈ તે પણ શાંતાના ભેદ સાતા ન્યાય વિચાર; પધરીદીસે, છે એ પ્રકાશ. પુદગલ શાતા. ૫૩૩ા આ ઉપવાસ કરે કરાવે તેતુથી તા, આતમ થાતા થતી જાણે; પારણામાં થઇ પુદગલ શાતા, મામ એ. શાતાના ભેદ પિછાણેા. આ પુદગલ શાતા, તા૩૪ા Page #74 -------------------------------------------------------------------------- ________________ કઈ માણસ ઉપવાસ કર્યો તે વખતે, - પુદગલને તે થઈ પરમ અશાતા; કુલ જેમ આ કાયા કુમલાઈથી, ગરમી ચઢી માથે ચકકર આત. " ' . આ પુદગલ શાતા. રૂપા -જબ આતમાથી ભિન્ન સમજી કાયા, સમભાવ રાખી કમ ખપાયા તરે આતમ શાતા થઈ મજાની, ઉપવાસથી ફલ એહવા પાયા. આ આતમ શાતા મુક્તિને મારગ. ૩૬ બીજે દહાડે થયે પારણે જબ, સુસ્તો મટી કાયા દીસે મજાની આ પુદગલ શાતા થઈ પારણામે, આને આતમ શાતા કેઈ મોહવશ માની. - આ પુદગલ શાતા, માળા આત્માને તે થઈ ઉલટી અશાતા, જે જ્ઞાનદષ્ટિથી કોઈ જોય વિચારે આ પુદગલ સારૂ કરવો પડયે આરતા, જબ જીવ થયે કમાંથી ભારે • આ પુદગલ શાતા. સારા ઉપવાસ કરાય ને કમ ખપાયા, જબ તે પિલાને થઈ આતમ શાતા; પારણાથી કરી પુદમલ uતા, જબ જીવને તે થઈ ઊલટી અશાતા. આ પુદગલ શાતા. us Page #75 -------------------------------------------------------------------------- ________________ તે પારણાની શાવાગે ધર્મ કહે તે, ડિપવાસમાં કહે પશે પાપ; કારણ કે તપસ્યાથી પુદગલ અરાતા, એ પ્રશ્ન પુછયા કુગુરૂ રહે ચુપચાપ આ પુદગલ શાતા. ૪૦ કઈ પારણે પારણે કર રહ્યા ભલા, પણ પારણાને અર્થ સમજે ન કેય; પચ્ચખાણ પુરા થયા પાળે પળાવે, તેહને નામ છે ચારણે જોય. ઓ ભેગ વધારે. ૪૧ પચ્ચખાણ કરે કરાવે એક માણસ. બીજે પચ્ચખાણ પડે પડાવે; કહો બેઉમાં જીન આજ્ઞા કેણુ પાળી, સમજુ માણસ ન્યાય મિલાવે. એ ભેગ વધારો. ૪રા વળી પારણાના ભેદ અનેક છે, સાંભલો ભવિ ચિત્ત લગાયે, ઉપવાસને પચ્ચખાણ પાળી જમે તે, ઉપવાસને પારણે કહેવાયે. એ ભાગ વધારે. ૪૩ એમ જ કેઈને રાત્રિ ચેવિહાર જ, સૂર્ય ઉગ્યે ખવે પચ્ચખાણ પાળી; તે ચેવિહારને પારણું કહી જે, સમજી સમજે ન્યાય વિચારી. ઓ લેગ વધારે. ૪૪ Page #76 -------------------------------------------------------------------------- ________________ ઈ એક મહિના સુધી લીલેત્તરીના, પચ્ચખાણ કીગ્રા દિલ સમતા ધારી; બીજે મહિને ખાવે પચ્ચખાણ પાળીને, એ પણ પારણા કહીએ સારી. એ લાગ વધારા. ાજપા ઉપવાસ લીધેાતરી ને વળી રાત્રિના, ઇત્યાદિક પારણા વિવિધ પ્રકારી; કહા કયા પારણામે આપે છત આજ્ઞા, આપે શૈાચ વિચારી. ઉત્તર આ ભાગ વધારા. ૫૪૬માં એમ પ્રશ્ન પુછ્યાના જવાબ ના આવે, જમ ટેક રાખણુ કુહેતુ લગાવે; કહે પારણા કરાવતે કરાવતે કાઇ વખતે, તીથ કરના જીવ જો જાવે. આ લેગ વધારે. ૫૪ા તા જમાડણવાલા તીથ ́કર ગેાત્ર મધે, એહુવા હીંસાયમી લાભ ખત વે; એમ અ પાપને બહુ નિર્જરા, અપ કહી કહી આડંબર ધર્મ ચલાવે. એ ભાગ. ૫૪૮ાા પણ એટલેા ભેદ ન સમજે, ભાલા જો દ્રવ્ય તીથ કર જમ્યા લાગે ધમ તદ્રવ્ય તિર્થંકર જીવજો ખાવામે આવે. તા કેટલે માટે બાંધશે પાપ કમ આ ભાગ. જા Page #77 -------------------------------------------------------------------------- ________________ તિણુરી વિગત વિવરા શુદ્ધ સાંભળે, ગિતાગતથી ય વિચારે પૃથ્વી પાણી વનસ્પતિ માંહી, દ્રવ્ય કેવલીના જીવ છે ધારે. ઓ લેગ, ૫ot તે જીવ જે ખાધામેં આવે છે, તેની શ્રદ્ધા લેખે તેને પૂછી જે તું કહેતે દ્રવ્ય તીર્થકર જમ્યા ધર્મ તે, મયથી કેટલે પાપ ગણે . એ ભેગ મારગ ૫૧ એ ન્યાય સાંભળ સમજુ એમ વિચારે, ફુગુરૂ એકતરફી વાત બતાવે; લાભ દશવે દ્રવ્ય જીન જમ્યાને, પણ દ્રવ્ય જનહિંસાની વાત છુપાવે. ઓ ભેગ. પરમા વલે દ્રવ્ય તીર્થકર જમાડયા જે ધર્મ, તે શ્રેણિકને શ્રી કૃષ્ણની રાણી દ્રવ્યે તિર્થંકર હતા પતિ પિતાના, તેને જમાડયા દિસે આહાર પાણી. ઓ ભેગ. (પિયા પણ પતિ જમાડવાના કાર્યથી તે, તીર્થકર ગોત્ર માં નહિ કેય; તે દ્રવ્ય તીર્થકરને જીવ જમ્યાથી, પારણામેં ધર્મ કસી વિધિ હાય. ઓ લેગ મારગ. ૫ Page #78 -------------------------------------------------------------------------- ________________ ૭૩ એમ ખોટી શ્રદ્ધા પગ પગ અટકે, જમ જીન આસા બાહિર ધમ બતાવે; કુચર પયા આડંબર માંહે, તમ ત્યાગ મારગ એલખાવણી નાવે. આ લેગ મારગ, ડાયા જબ સવગડીએ ને આડંબરીએ ધમ, સાધ શ્રાવક મિલ ખુખ ચલાયા; તમ પન્નુસણાંમે પારણા સાર, કાય કુટા હાંસે પાષાચે. આ ભાગ મારગ. ડાયા પછે લીલે।તરી આદીની થાયે તેમનાં છાપાં તુવેશ સાધુ કેવા એટલા એટલા પ્રભાવના, મ છપાવે; પ્રભાવશાળી, માગસા આવે. આ ભાગ મારક્. પા જખ નામના દેશ પ્રદેશેામાં લે, મહારાજ સાંભળ ષિજ્જત થાવે; પારણામે ધમ બતાવે ઇશુ કારણ, એ અંદરના ભેદતા વિરલા પાવે. એ ભાગ મારગ. ૧૫૮૫ મહારાજ તે થયા નામથી ખુશ, શ્રાવક ખુશ સહેલા સાંભળી ધમ એક મિલ આšઅર ધમ ચલાયે, પણ ત્યાગ ભાગરી ન લખ્યા મમ આ ભાગ મારગ, ઇપી Page #79 -------------------------------------------------------------------------- ________________ યાગ માગ છે આમા વસ્તુ, કાગ માગ કમલ વ્યવહારે; આતમ પુદગલ સવરૂપ જુદા જુદા સમજ્યા વિના નહિ સમકિત સારે. ઓ ભેગ વધારો. ૬૦ ભોગ મારગમે બેઠો છે શ્રાવક, જમે જમાડે આ સંસારી થાલ; પિણ ભેગ વધારામેં ધમ ન સમજે, ભેગ ત્યાગ એલખાવણ કહી આઢાળ, એ ત્યાગ મારગ ૬૧. સંવત ઓગણસે નવ્યાશી વર્ષે, પિષ વદિ છઠ મંગલવાર. પૂજ્યપ્રસાદે સૂરજ જેડી, દાદર શહેરે હર્ષ અપારે. એ ત્યાગ વધારો છે મેક્ષને મારગ દરા, ઈતિ પારણાની ઢાલ સંપૂર્ણ દ્રવ્ય સાતા અને ભાવ સાતાની ઢાલ, શાતા આપ્યા શાતા થાવે, એમ કહે બહુ પ્રાણ; તે શાતા કઈ સાંભલે ડાહ્યા, નહિ કરતા ખેંચાતાણું રે.. સમજુ શાતા અર્થ વિચારો. મુદગલ સાશાથી પ્રેમ કરી, જીવ શાતા કેમ વિસારો. છે જે સમજુ છે ૧. Page #80 -------------------------------------------------------------------------- ________________ પુદગલ શાતા સાજ્ય શરીરને તે આતમથી ભિન્ન જાણે, પાંચ ઇદ્રિના તેવીસ વિષય, જે તે પિછાણે રે. ! સમજુ છે ૨ જીવ શાતા કેઈ જીવ અજ્ઞાન, તેને જ્ઞાન આપી કરેજ્ઞાની; હિંસાદિક પાંચ આશ્રવ છુડાવે, ભાવે ડુબતાને કાઢે તાણી રે. | | સમજુ છે ૩ મુદગલ શાતા કરી પરસ્પર, એક એકને બહુ વારે; અનંતીવાર જીવ થયે ભીખારી, અનંતીવાર શેઠ સરે રે. છે સમજુ ૪. ભીખારી ભીખ માંગવા કારણ, શેઠ તણે ઘેર આવે; આ રીત છેકાલ અનાદિની, પિતાની ગરજે પેલાપુંજાવે રે. સમજુ છે ૫ ભીખારીને દુઃખી દેખી, શેઠ શાતા વપરાઈ; પુદગલ આપી પુદગલ પિષ્યો, આ પુદગલ શાતા કહેવાઈ રે. - સમજુ . ૬ દુનિયાની ભાગીદારીને ધન, શેઠે ભીખારીને આપ્યો, તેમાં નવાઈ શું કરી ભાઈ, એકએક શું સ્નેહ સ્થાપો રે. છે સમજુ છું પુદગલ શાતા સબંધ સગલાથી, જીવ કિયે બહુ વારો; પિણભાવે આતમ શાતા કિયા વિન, નથી થયે કેઈને ઉદ્ધાર છે. તે સમજી ૮ જે કદુમકને ઉપદેશ દેઈને, હિંસાદિક છોડ, જ્ઞાનદર્શન નિજ વસ્તુ આપે, આ શાતાથી શાતા થાવે રે. ' ' . સમજુ છે ૯ Page #81 -------------------------------------------------------------------------- ________________ ભાવે આતમ શાતાની એલખ, કરશે તે નહિ અથડાશે; પુદગલ શાતાને જીવ શાતા કહેશે, તે ચિંહુગનિ ગાથા ' ' ' ખાશે ૨. જે સમજી ૧૦ પુદગલ શાતા સંસારને મારગ, તેહને મેહમતવાલા વખાણે અધમ સબંધ છે આત્મા સાથે, પરમારથ વિરલા જાણે છે. સમજી : ૧૧ પુદગલ જીવને પરિચય અનાદિ, જુદા સમજ્યાશી સમક્તિ આવે, તે માંહે રહે જે રાચ્યામાચ્યા, બોધ '' '' '' બીજ નહિ પાવે છે. જે સમજુ ૧૨ નવર્ષ ઓગણીસે નવ્યાસી મિગસર મહિને, સુદ નવમી ' , " , " સેમવારે પૂજજ પ્રસાદે સૂરજ ભાખે, સાતા ભેદ વિચારે છે. છે સમજુ છે ૧૩ (સંપૂર્ણ) દુમક=કસાઈ. સાધુ કે આચાર કી ઢાલાં છેઢાલ પહલી (ભવિયણ જેવો રે હય વિમાસી એ શી) -આધાકરમી ઉદેશિક ભોગવે તિણને, નિશ્ચય કહા અણાચારી દશવકાલિક રે તીજે અધ્યયને . શંકા મ આણે લિગારી રે Page #82 -------------------------------------------------------------------------- ________________ Ga', ભનિયણ જોયન્ત્યા હૃદય વિમાસી ૧ આષાકરમી ઉદેશિક ભાગવે તિને, ભિષ્ટ કહ્યા ભગવાન । દશવૈકાલિક રે છઠ્ઠું અધ્યયને, નિરણેા કરો બુદ્ધિમાન રે ! ભ. રા આધાકરમી ઉદેશિક લેગવ્ તિને, નક ગામી કહ્યા ભગવાન । ઉત્તરાધ્યયન રે વીસમે અધ્યયને, નિર્ણો કરા બુદ્ધિમાન ૨ ॥ ૧, ૫ ૩ ૫ આધાકરમી ઉદેશિક ભાગવે, ભાંગ્યાં જાણું ! તિક્ષુરા છઊ' વ્રત આચારાંગ ૨ જે અધ્યયને, જોય કરે। પિછાણ ? ॥ ભ. ॥ ૪ ॥ આવાકરમી ઉદેશિક ભાગવે, તિણુમે' છે મેટી ખેાડ 1 આચારાત્રે પહિલે શ્રુત ખ'ધે, કહ દિયા ભગવ ંત ચાર રે ॥ સત્ ય પુ ત આધારમી ઉદેશિક ભાગને ધાગત જીવ, વહી કહ્યા છે. અનંત સસારી ! ભગવતી ? પહેલે શતક ૨ નવમે ઉદ્દેશૈ તિહુાં મઢુતયા વિસ્તારી ૨૫ ૫ દા આષાકરસી ઉદેશિક ભાગવ તિણુને, કહ્યા ગ્રહી ને લેખધારી । Page #83 -------------------------------------------------------------------------- ________________ દય પક્ષ રાજ સેવા કરી છે, સૂયગડાંગ દૂજા અા અંધ મઝારી રે ભ. પણ આધાકરમી ઉદેશિક એકવાર તિરુને, ચૈમાસી પ્રાયશ્ચિત દેણે સદા નિત નિત ઠેઠ ન્યૂ ભગવે, તિણને પ્રાયશ્ચિત રકાંઈ કેહણ રો ભ. ૮ આધાકરમી ઉદેશિક ભગવે તિણ ને, સબલે દોષ લાગે સદા નિતરે નિત ઠેઠ મ્યું ભેગ તિણુને પ્રયશ્ચિત રે કાંઇ થાગ રે. ભલે ૯ સાધુ કાજે દડ લીપે જ છે, કીડી મટેડી ડેવે દષ્ટી અનેક ત્રસ જી ને મારે ત્યાંરી, વિકલાં રી ગત હસે માઠી રે છે . ૧૦ અનેક ત્રસ જીવા ને મારે, અનેકાં પર દેવૈ દાટ ગુરૂ કાજે જીવ ઇણ વિધ મારે, ત્યાંરી અકલ આડી આઈ પાટી ૨. ભ. ૧૧ શ્વાસ ઉપવાસ રૂંધી છવ મારે, મહામહની કમ બંધાયા કહ્યૌ દશાશા બંધ સુત્ર. મેં , તે પિણ વિકલાં ને ખાર ન કાં રે ભ. ૧૨ ચીગટરે તણખે નામે જ છે, Page #84 -------------------------------------------------------------------------- ________________ e કિડિયાં લાખાં ગમે આવે । ઘર લીપે દડ રૂધે જડે, કિડિયાં લાખાં ગમે મર જાવ રે !! . ।। ૧૩ પેતી કર્મ દ્વેષ સેવે તિષ્ણુને, કહ્યા ગૃહસ્થી ને ભૈષધારી । દેય પક્ષુરા સેવનહારા કહ્યા છે, સૂયગડાંગ દૂજા શ્રુત ખંધ મઝારી રેાભા ૧૪ tu પોતી કમ' દોષમે આધાકરમી, દેષ વિશેષ છે ભાર સદા નિત નિત આધાકરી દોષ સેવૈ છે, તે નિશ્ચય નહીંઅણુગા૨ા ભ. ॥ ૧૫ ॥ આધાકરમી સ્થાનક સેવૈ ...ઉદ્યાડું, વલિ સાધુ ખાજે અનાખી । મહામેાહની કમ' આંધે છે, દશા શ્રત ખન્ય સૂત્ર છે સાખી રે ! ભ. ॥ ૧૬ શ આધાકરમી સ્થાનક સેવૈ ઉઘાડું, પૂછ્યાથી પાધરૂ' ખેલણુ' નહીં આવે । મિશ્ર ખેલ્યાંથી મહામહની ક બંધાય, ફૂડ કપટથી કામ ચલાવે રે | ભ | ૧૭ n આધારમી સ્થાનક સેવે ઉઘાડું, પૂછ્યાથી મેલે ફૂડ ત્યાંરા શ્રાવક ત્યાંરી સાખ પૂરે છે, તે ગયા વહેતી હૈં પૂર ફ્ ા શ ૪ ૧૮ ॥ Page #85 -------------------------------------------------------------------------- ________________ આધારમી સ્થાનક સેવૈ ઉઘાડું, વલી જુઠ બેલૈ જાણું જાણ ત્યાંરા જેવા સ્વામી તૈના સેવક, નિકલ ગયે જાબક દાણ રે છે , જે ૧૯ છે. કઈક શ્રાવક ત્યાંરા ભારી કર્મા, - ફુટ બેલતાં ન ડરે લિગારા આધાકરમી ને નિર્દોષ કહૈ છે, તે ડૂબ ગયા કાલીધાર રે ભ. ૨૦ , આષાકરમી ઉદેશિક ભેગવ તિણુને, સાધ સરધે તે મિથ્યાતી ઠાણાંગ રે દશ મેં ઠણે કહ્યું છે અર્થ, મેંહડે તણ મતિ જાણે બાતી રે ભ. ૨૧ આયાકરમી ઉદેશિક ભેગવે. તે છે ભારી કરમાં ' શુદ્ધ બુદ્ધ બાહિરા જીવ અજ્ઞાની, . કેમ પામૈ શ્રી જિણ ઘરમાં રે ભ. . ૨૨ આધાકરમી દેષ સૂતર સું બતાયે, સૂત્ર દોષ અનેક એલરે લિયે દેષ કહું છું, t" તે સુણજે આણવિવેક કરે છે . ૨૭ મલરો લિયો ભોગવે તિણને, નિશ્ચય કહ્યા અણચારી દશવૈકાલિક ૨ તજે અધ્યયને, * સકામ જાણે લિગારી રે. . ૨૪ it Page #86 -------------------------------------------------------------------------- ________________ મોલર લિયે ભગવે તિને, ભિષ્ટી કહ્યા ભગવાન દશવૈકાલિક રે છઠું અધ્યયને નિરણય કરે બુદ્ધિમાન રે ! . . ૨૫ : મોલ લિયે ભગવૈ તિણને, નર્કગામી કહ્યા ભગવાન ઉત્તરાધ્યાન રે વીસમેં અધ્યયને, નિરણય કરે બુદ્ધિમાન રે છે . i ૨૬ મલરે લિયે ભેગધે, તિણમે છે મોટી ખેડા આચારગે પહલે શ્રત ખધે, કહ દિયા ભગવતે ચોર રે ભ. ૨૭ | મેલો લિયો ભેગ તિણરા, સુમત ગુપ્ત મહાવ્રત ભાગા નિશીથ રે ઉગણીસમેં ઉદશૈ, કહો વ્રત વિહણ નાગા રે ભ. . ૨૮ : મલરે લિયે એક વાર ભગવૈ, તિણને ચમાસી પ્રાયશ્ચિત દેણે સદા નિત નિત ઠેઠ મ્યું ભેગવે તિણુને, પ્રાયશ્ચિત રે કાંઈ કેહણ રે . ભ. ૨૯ છે મોલરો લિયે ભગવૈ તિણને, સબલે દેષણ લાગે સદા નિત નિત ઠેઠ મ્યું ભેગવૈ, તિણુને પ્રાયશ્ચિતરે કાંઈ થાગ રે ! ભ. છે ૩૦ | Page #87 -------------------------------------------------------------------------- ________________ મલરો લિયે દેષ સૂત્ર ઢું બતા, સૂત્ર દેવું અનેક નિત પિડ રે દોષ કહું છું, II સુણો આણ વિવેક રે ભ. એ ૩૧ છે નિત રે નિત એકણ ઘર કે વહિરે, તિણને નિશ્ચય કહ્યા અણાચારી દશવૈકાલિક રે તીજૈ અધ્યયને, શંકા મ જાણેલિગારી રે ! ભ. ૩૨ નિત રે નિત એકણું ઘર કે વહિરે, . તિણને ભ્રષ્ટ કહ્યા ભગવાન દશવૈકાલિક રે છઠું અધ્યયને, જોય કરે પિછાણું રે - ભ. I ૩૩ છે નિત રે નિત એક ઘર કો વહિરે, તિણુને નર્કગામી કહ્યા ભગવાન દશવૈકાલિક રે છઠું અધ્યાયને ? . નિરણય કરે બુદ્ધિમાન રે . . ૩૪ નિત નિત એકણ ઘર કે વહિર, - તિણ મેં હૈ મેટી ખોડ .. આચારંગ પહેલે શ્રત છે, . કહ દિયા ભગવતે ચાર રે . . ૩૫ . નિત ૨ નિત એકશુ ઘરકે વહિરે એક વાર, - તિણને ચામાસી પ્રાયશ્ચિત દેણે સદા નિત નિત ઠેઠ મ્યું વહિરે તિને, પ્રાયશ્ચિત કાંઇ કેહણે રે ભ ા ૩૬ . Page #88 -------------------------------------------------------------------------- ________________ ૨૩ નિત રે નિત એકણુ ઘર કે વહિર, તિને સખલે દોષ લાગે! સદા નિત રે. ઠેઠ સ્યું વહિર, તિને પ્રાયશ્ચિત રા કાંઈ થાય રે । ભ. ૫ ૩૭ k ભાગલ ભેષધારી નિતરા નિત વહિરે, એકણુ ઘર કે આહાર । પૂછ્યાંથી પાધરા નહીં ખેાલે, ઝૂડ એલે વિવિધ પ્રકાર ૨ u . li ૩૮ ૫ ભાગલ ભેષધારી નિત રે નિત વહિર, એકણુ ઘર કે આહાર પાણી 20 પૂછ્યાં થકી પાધરા નહીં એટલે, ઝ મેલે જાણી જાણી ૨૫ ભી ૩૯ વા ' એમ માંડલે રા આહાર આહાર તણા સભાગ ન તાડયા, તે પણ ખાવા ને કા વા વા કરે છે, નિજા મૂલ ન લાઢે રે ! ભ'ઈ ૪૦ ! ના ઢાલ બીજી !! (રે મુનિવર જીવ દયા પ્રતિપાલે આધાકરસી સ્થાનક માટે સાધ વે તે, પૈડલાઈ મહાવ્રત ભાગે એ દેશી ) દયા રહિત કહ્યો સૂત્ર ભગવતી મે અનન્તા જનમ મરણુકરસી આગે ૨ સુનિવર જીવ દૈયા પ્રતિ પાલે! ॥ એ કડી ॥ ૧ ॥ Page #89 -------------------------------------------------------------------------- ________________ સવ સાવજ રા ત્યાગ કે તે જોઈ મહાવ્રત ભાગે જે કેવૈ સ્થાનક હારે કાજ ન કીધે તે, કપટ સહિત ઝઠ લાગે રે ! મું ૨ ! જે જીવ મુઆ ત્યારે શરીર ન આપે તે, અદત્ત ઉણ છવા રી લાગી આજ્ઞા લેપી શ્રીઅરિહન્ત દેવની, તિસ્ય તીજે મહાવ્રત ગયે ભાગી રે | મુ. | ૩ | થાનક ને આપણે કરિ રેખ, મમતા રહે નિત લાગી મઠ વાસી મઠ માહે વસે યું પાંચમું મહાવ્રત ગયે ભાગી રે | મુ. | ૪ | ચશે ને છો તે તે કિણ વિધ ભાગ્યા, આચાર કુશીલિયા ને લેબ એહવા ભાગલ ફિરે સાધાં ને ભેષ મેં, વિણને બુદ્ધિવન્ત ગાન લેખે રે છે મુ છે ૫ . એક કાય હણ્યાં સ્પં ઉત્કૃષ્ણે ભાંગે, હિસા છઃ કાય રી લાગી એક વ્રત ભાંગ્યાં ચૂં ઉત્કૃટે ભાંગે, વ્રત છઊં ગયા ભાગી રે | મુ. ૬ . Uણ મ્યું તે દોષ મોટા મોટા સેવે, સાધારી ભૈષ મઝારો તે ચતુર વિચક્ષણ જાણુ હુસે તે, તેને કેમ સરધે અણગાર રે ! મુ. | ૭ | Page #90 -------------------------------------------------------------------------- ________________ ૫ દ્વાષ બેતાલીસ કહ્યા સૂત્રમાં, બાવન કહ્યા માથારી 1 એ દોષ સેવ્યાં સેવામાં, મહાનત મેં પડસે બિગાડા ૨૫ મુ. ૫ ૮ ૫ આચારાંગ ૨ જે અધ્યાયને, છઠે ઉદ્દેશે નિહાલા વચન સુણ સુણને ડિયે વિમાસે મત કરે! આલ ૫'પાલે રે !! મુ. ૫ હું U કાઈ સ્થાનક નિમિતે ગ્રન્થ દેવે તિક્ષુ ને, સુખ સૂ મતિ સરાવે! આપસ મેં છઃ કાય છવાં ને, સાની રિ જીવને કાંઇ મરાવા રે ! સુ. ! ૧૦ ॥ સ્થાનક કરાવતા ને ધમ કહી ને, સેાલાને મત ભરમાવે આપ રહેવા ને જગ્યાં કારણે, જીવાં ને કાંઇ મરાવે ૨ " યુ. | ૧૧ | સાધુ કાજે છત્ર હુંછું ત્યારે, હાસે ભૂૐ જે સાધુ ઉજગ્યાં મેં રહી તા, સાધપણા તિષ્ણુ ર અડા રે । સુ. ૫ ૧૨ જિષ્ણુ સ્થાનક નિમિતે ગ્રન્થ હિંચે વિષ્ણુને એટલા જીવાં ને તેને પાપે ! થમ જાણે તે પાપ અઠારમાં, ભૂ ! હાસે ધણા સન્તા। ૨ । સુ. ૫ ૧૩ ૪ Page #91 -------------------------------------------------------------------------- ________________ સાધુ કાજે દડ ની છપરા છા, જીવ અનેક વિધ મારે આપ બે વલી વધ જવા ને, . ગુરાં રે જનમ બિગાડે રે મુ. ૧૪ ts જે ધર્મ ઠિકાણે જીવ હણે તે, ' દયા કયે ઠેકાણે પાલે કુગુરાં એ ભરમાયા તુમને . . કાંઈ લગાવે કાલે રે છે મુ. ૧૫ . રાત અલ્પારી ને જીવ ન સૂઝે તે, આડા મત જડ કિંવાડો | છકાય જે પીયર બાજે તે, ' : ' હાથ ર્યું જીવ મત મારે છે કે મું. કે ૧૬ u જે થાંને સાચી સીખ ન લાગે, ' . ' ' . તે મત લેવે સાધવિયાં રે શરણે સાધાં રહણે દ્વાર ઉઘાડે, સાધવિયાં રે ચાલ્યા છે જડણે રે | મુ. મે ૧૭ ગૃહસ્થ સાથે મેલે સંદેશા, ' ' જબ મોરી જાવે છે:કા વે જેયાં વિના ચાલે મારગ મેં, ' ' . : : ; ' એહવે મત કરે અન્યાયે રે | મુ. મે ૧૮ . એ સાધપણે થાં ચું ચલતે નદીસે તે, શ્રાવક નામ ધરાવે શકિત સારૂ વ્રત ચાખા પાલે, દેષણું મતિ લગાવે રે , મુ. મે ૧૯ Page #92 -------------------------------------------------------------------------- ________________ આચાર તમારાથી પલતે ન દીસે તે, આરાં કે માથે મતિ નાખે ભગવન્ત કેવાયત બાજે, તે જૂઠ ભેલતા કયું ન શકે ? મુ. ૨૦ વ્રત વિહુણ સાધુ બાજે, . મેં હી લેકા મેં પુજા કાલે બાદલ જ્યુ થતા બાજે, - ઓ મને અચરજ આવે રે | મુ. છે ૨૧ ઇત્યાદિક આચાર માંહી ને પૂરે કેમ કહેવાય હિન્સા માંહી જે ધર્મ થાપ તે, પિણ ખબર ન કા રે છે સુ. ૨૨ , તેલે કરે તિણ ને તીન દિન કોઈ, - ઉનું પાણી કર પાવ તિણ ને તે આગલે રી શ્રદ્ધા રે લખે, એકન્ત પાપ બતાવૈ રે છે મુ. મે ૨૩ ચોથે દિન આરમ્ભ કરી ને, છકાય હણને જમા તિણ મેં મિશ્ર ધમ પરૂપ તે એ કિશુ વિધ મિલસે ન્યાયે રે | મુ. . ૨૪ તેલા કરે તેને પાણે પાયાં, એકન્ત પાપ બતાવૈ | છે દિન આરમ્ભ કરીને જમાવૈ, - તિણ મેં મિશ્ર કિહાંથી થાવૈ રે. મુ. ૨૫ Page #93 -------------------------------------------------------------------------- ________________ મિશ્ર માહે ધર્મ કે તિણ રી સરધા રે લખે, એ ઘણે સલ કહવાયે હિસા માહે ધમ થાપ તે .. સૂત્ર સામે જે રે | મુ. મે ૨૬ છે અથ અનર્થ ને ધર્મ રે કાજે, જીવ હણે મન્દ બુદ્ધિ ધર્મ કાજે જીવ હણે ત્યારી, શ્રદ્ધા ઉધી સ્ય ઉધી રે | મુ. ૨૭ સમુચય આચાર સાધુ રે બતાયે, તિણ મેં રાગ દ્વેષ મતિ આણે એ વચન સુણ સુણ હિચે વિમાસે, - મત કરો ખાંચા તાણે રે | મુ. | ૨૮ છે પ્રીત પુરાણી થી થાં ઍ પહલી, તિરું સ્યું બિન ભિન કર સમઝા ! જે થારે મન મેં શંકા હવૈ તે, સૂત્ર કાઢી બતાઉં રે | મુ. ૨૯ | સંવત્ અઠ્ઠારે વરસ તેત્રીસે, મેડતા શહર મઝારો વૈશાખ વદી દશમ દિન થાં ને, સીખ દીની હિતકારે મુ. ૩૦ | | દેહા ને પહિલા અરિહન્ત ને નમ્, જ્યાં સાય આતમ કામ વલે વિશેષ વીર ને, તે શાસણ નાયક સ્વામ છે ૧ Page #94 -------------------------------------------------------------------------- ________________ તિણ કારજ સાઝી આપણા, પન્ના છે. નિરવાણી સિદ્ધા ને વન્દણું કરું, જ્યાં મેટયા આવ જાણ છે ૨છે આચારજ સહુ સારસા, ગુણ રતના રી ખાણ છે ઉપાધ્યાય ને સરવ સાધુજી, એ પાંચ પદ વખાણ છે. ૩ વાંદીજે નિત તેહને, નીચે શીશ નમાય છે ગુણ એલખ વન્દણ કરો, યું ભવ ભવ દુઃખ જાય પાક સુગુરૂ કુગુરૂ દેનૂ તણી, ગુણ વિના ખબર ન કાય પ્રથમ કુગુરૂને લખે, સુણે સૂતર રે ન્યાય છે ૫ સૂતર સાખ દિયા વિના, લેક ન માને વાત . સાંભલ તે નર નારિયાં, છેડે મૂવ મિથ્યાત છે ? કુગુરૂ ચરિત અનન્ત છે, તે પૂરા કેમ કહાય છેડા સા પરગટ કરું, તે સુણ ચિત્ત લાય છે ૭ છે ઢાલ ત્રીજી છે (ઊંધી સરધા કેઈ મત રાખો–એ દેશી) એલખણું દેરાં ભવ થવાં, કુગુરૂ ચરિત અનન્તજી કહિતા છેહ ન આવૈ તિણ રે, ઈમ ભાખે ભગવન્તજી ! - સાધુ મત જાણે ઈણ ચલગત સૂ આધાકરમી થાનક મેં રહે તે, પડયે ચારિત મેં ભેદ નિશીથ રે દશમેં ઉદ્દેશે, ચાર માસ રો છેદજી | સા. ૨ છે Page #95 -------------------------------------------------------------------------- ________________ અઠારે ઠાણા કહ્યા ભૂવા જવા; " એક વિરાધે કેયજી ૫ આળ કો શ્રી જિણેશ્વર, સાધમ જાણે સયાજી . સા. એ ૩ લઇ આહાર એજ્યા ને વસતર પાતર, અસુધ લિયાં નહી સત્તા દશવૈકાલિક છેઠે અધ્યયને, 1 આ ભીષ્ટ કહ્યો ભગવતજી. સા. . ૪ - અચિત વસ્તુ ને મોલ લિરા, * તે સુમત ગુપત હવે ખડજી મહાવરત પાંચ હી ભાગે, તિણ રે સૈ માસી ડંડળ સા. ૫ - એ તે ભાવ નિશીથ મેં ચાલ્યા, ઉગણીસમેં હશજી શુદ્ધ સાધુ વિણ કુણ સુણાવૈ, સુત્રની ઉડી રેશજી . સા. . ૬. પુસ્તક પાતરા ઉપાસરાદિક, * લિવરી લે લે નામજી ! આછા ભૂઠ્ઠા કહી મોલ બતાવે, કરે ગૃહસ્થ રે કામ છે સા. એ ૭ છે. ગ્રાહક ને તે કઈ કહીએ, કુગુરૂ વચ્ચે દલાલજી વેચણવાલે કહ્યા વાણીયે . તીનાં રો એક હવાલજી છે સા છે ૮ . Page #96 -------------------------------------------------------------------------- ________________ કય વિકમેં વરસે તે તે મહા દોષ છે એહજી . પંતીસમાં ઉત્તરાંધ્યયન મેં, સાધુ ન કહ્યો તેહજી છે સા છે ૯ ૨૩ નિત કે વહિરે એક ઘર કે, ચ્ચારાં મેં એક આહારજી ! દશવૈકાલિક તીજે અધ્યયને સાધુને કહ્યો અણાચારજી છે સા . ૧૦ : જો લાવૈ નિત ધાવણ પાણી, તિણ લખે સૂતર રે ન્યાયજી ! બતલાયાં બોલે નહી સુધા, દૂષણ દેવૈ છિપાયજી છે સાથે ૧૧ ! નહિં કલ્પે તે વસ્તુ વહિરે, તિણ મેં મેટી એડજી . આચારાંગ મહિલે શ્રત છે, કહિ દિયે ભગવન્ત ચોરજી | સા. ૧૨ છે. પહિલે વરત તે પૂરો પડિયે જબ આડા જડ કિંવાડજ કાંટા આગલ હોડા અટકાવૈ, તે નિશ્ચય નહીં અણગારજી છે સા ૧૩ | પિતે હાથે જ ઉઘાડે, કરે છવા રા ધનસાન છે ! ગૃહસ્થ ઉઘાડને આહાર. વહિરાવે, જદ કરે અણહતા ફેનછ . સા. ૧૪ . Page #97 -------------------------------------------------------------------------- ________________ સાધવિયાં ને જાણે ચાલે, તિણ ર મ કરે તાલુકા -ચાં લારે કઈ સાધુ જડે તો, ભાગલા અનાજી સા. ૧૫ . મન કરને જે જાણે છે, તિરું નહીં જાણું પરપીડછા પતીસમાં ઉત્તરાધ્યયનમેં, વરજ ગયા મહાવીરજી . સા. એ ૧૬ છે પરનિન્દા મેં રાતા માતા, ચિત્ત મેં નહીં સંતોષજી વિર કહ્યો દશમાં અગમાંહે, - તિણ મેં તેરે દેષજી સા. ૧૭ કહે દીક્ષા લે તે મે આગલ લીજે, ઔર કનૈ દે ટાલજી કુગુરૂ એહવા સંસ કર , આ ચોડે ઊધી ચાલજી છે સા. ૧૮ ઈણ અંધા થી મમતા લાગે, ગૃહસ્થ સં ભેલપ થાય છે નિશીથ રે ચા ઉદ્દેશે, " દંડ કરો જિનરાયજી | સા. મે ૧૯ જિમણવારમેં વહિરણ જાવે, આ સાધારી નહીં રીતજી વર આચારાંગ બૃહક૯પ મેં, વલી ઉત્તરાધ્યશન નિશીથજી સા. ૨૦ Page #98 -------------------------------------------------------------------------- ________________ આલસ નહીં આરા મેં જાતાં, બૈઠી પાંત વિશેષ સરસ આહાર લાવૈ ભર પાતરાં, ત્યાં લજ્જા છેડી લે ભેષજી સા. ૨૧ ચેલા કરણ રી ચલગત ઊધી, ચાલા બહેત ચલાયા લિયાં ફિરે ગૃહસ્થ ને સાથે, - રેકડ દામ દિરાયજી છે સા, ૨૨ : વિવેક વિકલ ને સાંગ પહિરા ભલે કરે આહારજી સામગિરિ મેં જાય વંદાવૈ, ફિર ફિર હવે ખુવાજી . સા. ૨૩ અજોગ ને દીક્ષા દીધી તે, ભગવન્તની આજ્ઞા બારજી નિશીથ રે ડર્ડ મૂલ ન માને, - તે વિટલ હવા વિકરાલજી સા. ૨૪ : વિણ પડલેહ્યાં પુસ્તક ૨ એ, તે જમૈ છવાઈ જાલજા પડે કુવા ઉપજે માંકડ, જિણ બાંધી ભાગી પાલજી . સા. ૨૫. જો વરસ છ માસ નિકલિયાં, તે પહિલ વરત હવે ખડછા નિત પડલેહ્યાં વિણ મેલૈ તિણ ને, - એક માસ રે ડડજી | સા. ૨૬IL Page #99 -------------------------------------------------------------------------- ________________ * ગૃહસ્થ સાથે કહે સંદેશે, તે ભલે હે ભેગા તિણ ને સાધુ કિમ સરધીજે.. લાગે જોગને રેગછ તે છે ર૭ સમાચાર વિવરાસુ કહી કહિ, સાની કર ગૃહસ્થ બેલાયજી. કાગદ લખાવે કરી આમના, પર હાથ દેવે ચલાય છેસા. ૨૮ આવશું જાવણ બેસણ ઉઠણુરી, જાયગા દેવે બતાયજી - ઈત્યાદિક સાધુક હૈ ગૃહસ્થ ને, તે બેહું બરાબર થાયજ છે સા છે ર૯ ગૃહસ્થને દેવ લેટ પાતરાં, પૂઠાં પરત વિશેષજી. રજોહરણ ને પંજણી દે, - તે ભિષ્ટ હવા લેઈ ભેષજ છે સા . ૩૦ છે પૂછે તે કહે પરઠ દિયા મેં, કૂટ કપટ મન માંહિ ! કામ પડૅ જબ જાય ઉરાલે, - ન મીટી અત૨ ચાહિજ છે સા રે ૩૧ છે કહૈ પરઠયાં ગૃહસ્થને દેઈ, બેલૈ બેલ. અન્યાયજી : કહ્ય આચારાંગ ઉત્તરાધ્યયન મેં ! ' છે. સાધુ પરઠે એકઃ જાયજી સા. ૩૨ Page #100 -------------------------------------------------------------------------- ________________ ૫ કરે ગૃહસ્થ સૂં સદલા બદલે પંડિત મમ ધરાયજી પૂરી પડી સગલાં વરતાં છે. મેષ લે ભૂલી જાય છે સા રે ૩૩ ! થડી ઉપાધિ ગૃહસ્થને દીધાં. * * * વરત રહે નહીં એકજી ! ચોમાસી દંડ નિશીથ મેં ગુયે, તિણ છેડી જન ધર્મ ટેકજી છે સા ૩૪ વિન આંકસ જિમ હાથી ચાલે, ઘેડે વિગર લગામજી ! એવી ચાલ કુગુરા રી જાણે, કહવાને સાધુ નામજી એ સા ૩૫ . -આણુકંપા મહીં છહું કયિની ગુણ વિન કહે અમે સાધક આ ચરચા અણુગ દુવારમેં, “ વિરલા પરમારથ લાજ છે સા ૩૬ ક આચારાંગ ઉત્તરાધ્ધન મેં, સાધુ ફરે ચાલતાં વાત છે ! ઊંચી તિરછી દિષ્ટિ જેવ, . તે હુવ છકાય ની વાત છે સા . ૩૭ સરસ આહાર લે વિન મરયાદા, . “ તે વધે હીરી થઇ Page #101 -------------------------------------------------------------------------- ________________ કાચ મણિ પરકાશ કરે જવું, કુગુરૂ માયા થથજી | સા છે ૩૮ દબક દબક ઉતાવલા ચાલે, તસ થાવર માર્યા જાયછા ઈરજ્યા સુમત જોયાં વિન ચાલે, તે કિમ સાધુ થાય છે. સા. . ૩૯ કપડાં મેં લોપી મયાદા, લાંબા ના લગાયજી ઈધકા રાખે દેય પુર ઉ3, વલે બે હૈ મૃષાવાયજી | સા. . ૪૦ રૂષ્ટપુષ્ટ નર માંસ વધારે, કરે વિગેરે પૂરા આઠ પરિણામાં નારયાં નિરખે, તે સાધુપણા થી દૂરજી સા. ૪૧ ઉપગ્રણ જે અધિકાં રાખે, તિણ મેટ કિ અન્યાયજી નિશીથ રે સલમેં ઉદેશે, ચોમાસી ચારિત જાય સા. ૪ મૂરખ ને ગુરૂ એહવા મિલિયા, તે લઈ ડુબસી લારજી સાચે મારગ સાધુ બતાવૈ, તે લડવા ને હવે ત્યારજી છે સા, ૪૩ એહવા ગુરૂ સાચા કરી માન, તે અધ અજ્ઞાની બાળા Page #102 -------------------------------------------------------------------------- ________________ ફડા પડે ઉત્કૃષ્ટ તિણ મેં, રૂલે અનન્ત કાલ સા. ૪૪ હલકરમી જીવ સુણી સુણ હરશે, કરે ભારી કમ દ્વેષ સૂતર રે ન્યાય નિન્દા કર જાને, - તે ડ્રઐ વલે વિશેષજી છે સા. ૪૫ છે દેહા છે : ભેખ પહે ભગવાન રે, સાધુ નામ ધરોય આચાર મેં ઢીલા ઘણ, તે કહ્યો કઠા લગ જાય છે ? ત્યાંને વાંદે ગુરૂ જાણને, વલે કૂડી કરે પખપાત ત્યાં જૂઠાને સાચા કરવા ખપે, ત્યારે માટે શાલમિથ્યાતા કુગુરૂ તણા પગ વાંદને, આગે. બુડા જીવ અનન્ત વલે બૂડે ને બૂડની ઘણું, ત્યારે કહેતાં ન આવે અન્ત સાધ મારગ છે સાંકડે, તિણમે ન ચાલે છેટ આગાર નહીં ત્યારે પાપરે, ત્યાં વરત કિયા નવકેટા ક ભેખધારી ભાગલ ઘણાં, ત્યાંસૂ પલૈ નહીં આચાર | કુણા કુણ અકારજ કર રહ્યા, તે સુણજે વિસતાર છે ૫ . ઢાલ ચાથી (આદર છવ ખિમ્માં ગુણ આદર એ દેશી) કુગુરૂ તણા ચરિત જાહેર કર ચું, સુતરની દેઈ સાખજી Page #103 -------------------------------------------------------------------------- ________________ સુમતા આણ સુણે ભવ જવાં, - શ્રીવીર ગયા છે ભાષજી | સાધુ મત જાણે ઈણ આચારે છે ૧ છે જે થે કુગુરૂ સેઠા કર ઝાલ્યા, તે સુણ ગુણ મ કરે દ્વેષ સાચ જૂઠ રો કરે નિવે, સૂતર સામો દેખજી . સા. ૨ | જમણવાર માંહી સું કેઈ ગૃહસ્થ, લ્ય ધાવણ પાણ માંડજી ! પછે આપ તણે ઘરે આણું વહિરાવૈ, તે કરે મેષ ને ભાંડજી છે સા. ૩ જાણું જાણુને સાધુ વહિરે, - તિણ લેપ દિયે આચારજી ! તે પ્રત્યક્ષ સામે આણ્યો લવ, ત્યાંને કિમ કહિજૈ અણગારજી છે સા. એ એ અણચાર ઉઘાડે સે, જે સામે આ લે આહારજી દશવૈકાલિક તીજો અધ્યયને, - - કોઈ ને આંખ ઉધારજી છે સા. છે ૫ સાધુ સાધવી ઠલે મા, એકણ દરવાજે જાય છે ! વીર વચન સં ઉલટા પડિયા, ચવડે કરે અન્યાયજી | સા. ૬ Page #104 -------------------------------------------------------------------------- ________________ ગાંવ નગર પુર પાટણ પાડે, તિણુરો હવૈ એક નિકાલજી ! કતિહાં સાધ સાધવી નહીં રહે ભલા, આ બાંધી ભગવન્ત પાલજી . સા. એ ૭ . એકણ દરવાજે સાધ સાધવી, જા નગરી બારજી તે અપ્રતીત ઉઠે લેક મેં, કે વરત ભાગે હુ ખુવારજી છે સા. ૮ -જુદો જુદો નિકાલ છે તે પિણ, કેઈ જાવૈ એક દરવાજજી ધેિઠા હટક ન માને કિરી, વલે ન માને મન મેં લાજજી છે સા. ૯ છે એક નિકાલ તિહાં રહિણે ઈ વરજે. તે કિમ જાએ એક દુવારજી.' એ બહતુક૯પ રે પહિલે ઉશે, તે બુધવત કરો વિચારજી | સા. ૧૦ ગૃહસ્થને ઘર જાય ગોચરી, જે જડિયે દેખે દુવારજી તિહાં સુધ સાધુ તે ફિર જાય પાછા, ભાગલ જાવૈ ખેલ કિંવારજી છે સા. ! ૧૧ છે કેઈ ભેખધાર્યો રે એવી સરધા જે જડિયે દેખે દુવારજી તે ધણું તણી આગન્યા લઈને માંહિ જાવે ખોલ કિંવારજી | સા. ૫ ૧૨ Page #105 -------------------------------------------------------------------------- ________________ ૧૮ ! હાથ સું સાધ કિંવાર ઉઘાડે માંહિ જાવ વહિરણ ને આહારજી છે, ઈસડી ઢીલી કરે પરૂપણ, તે વિટલ હુવા વિકરાલજી સા. ૧૩ . કિવાર ઉઘાડી ને આહાર વિહરણ રે, મૂલ ન સરધે પાછા કદા ન ગયા તે પણ ગયા સરીખા, આ કર રાખી છે થાપજી છે સા. ૧૪ કિંવાર ઉઘાડ ને વાઘરણ ને જાવે, તે હિંસા છવા રી થાય છે તે આવસગ સૂતર માંહિ વર, ચોથા અધ્યયન રે માંયજી છે સા. ૧૫ છે ગાંવ નગર બાર ઉતરિયે, - કટક સથવારે તાહિ છો જે સાધુ રાત રહે તિણ ઠામે, તે નહીં જિ ણ આજ્ઞા શાંહિ . સા. ૧૬ . એક રાત રહૈ કટક મેં તિણ ને ચ્ચાર માસ રે છેદજી ! એ બૃહકલ્પ રે તીજે ઉદે, સુણ મ કરે ખેદજી | સા. ૧૭ . ઇસડા દોષ જાણ ને સેવે, તિણ છેડી જીણ ધમ રીતજી ! એહવા ભિષ્ટ આચારી ભાગલ ત્યારી કુણુ કરસી પરતીતજી સા. ૧૮ Page #106 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧ બિન કારણ આંખ્યાં મેં અંજવું, જે ઘાલે આંખ મઝારજી ત્યને સાધવિયાં કેમ સરધીજે, - ત્યાં છે. દિયે આચારજી છે સા. છે ૧૯ છે બિન કારણ જે અંજણ ઘાલે તે શ્રી જિન આજ્ઞા બાર ! દશવૈકાલિક તીજે અધ્યયન, - તે ઉઘાડે અનાચાર | સા. ૨૦ વસ્ત્ર પાત્ર પિથી પાનાદિક, જાય ગૃહસ્થ રે ઘરે મેલજી ! પછી વિહાર કર દે ઘણું ભલામણું, તિણ પ્રવચન દીધા ઠેલજી છે સા. છે ૨૧ પછે ગૃહસ્થ આહમા સાંહમા મેલતાં, હિંસ્યાં જવા રી થાયજી તિણ હિંસા સે ગૃહસ્થ ને સાધુ, દેનું ભારી હવૈ તાયજી | સા. એ ૨૨ છે “ભાર ઉપર ગૃહસ્થ આગે, તે કિમ સાધુ થાયજી નિશીથ રે બાર મેં ઉદેશે, ચમાસી ચારિત જાય છે સા. ૨૩ છે વલે વિણ પડલેહ રહે સદા નિત, ગૃહસ્થ રા ઘર માં છે ! ઓ સાધપણે રહી કિમ ત્યારે, જે સુતર રે ન્યાયજી સા. ૨૪ Page #107 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ જે વિણ પડલેહાં રહે એકણ દિન, તિણને ડંડ કહે માસીકજી ! નિશીથ રે દૂજે ઉદેશે - તિહાં જોય કરો તહતીક છેસા. . ૨૫ : માતપિતાદિક સગા સનેહી, ત્યાંરા ઘર મેં દેખે ખાલજી ત્યાંને પરિગરે સાધ દિર, આ ચૈડે કુગુરૂ રી ચાલજી છે સા. ૫ ૨૬ છે સાનીકરસાધ દિરો રૂપિયા, વરત પાંચમ ભાગજી વલે પૂછયાં જૂઠ કપટ સું બેલે, ત્યાં પહિર નિગા સાંગજી . સા. ૨૭ ન્યાતીલાને દામ દિપાવૈ, તિણ રે મેહ ન મિટિ કેયજી . વલે સાર સંભાર કરાવે ત્યાંરી, તે નિશ્ચય સાથ ન હય, એ સા. . ૨૮ અનરથ રે મૂલ કો પરિગરે, ઠાણાંગ તીજે ઠાણજી તિણ રી સાધ કરૈ દલાલી, - તે પૂરા મૂઢ અજાણુજી છે સા. ૨૯ હતુ ઉન્હલે પાણી કરે, ગૃહસ્થ રા ઠામ મઝારજી મનમાને જબ પાછા સૂપ, તે શ્રી જિન આજ્ઞા બારજી છે સા. ૩૦ Page #108 -------------------------------------------------------------------------- ________________ ૧૦૩ ગૃહસ્થ રા ભાજન મેં સાધુ, જીમે અસણાદિક આહારજી તિણ ને મિષ્ટ કહ્યો દશવૈકાલિક મેં, - છઠા અધ્યયન મજારજી | સા. એ ૩૧ છે કેઈ સાંગ પહિર સાધવિયાં બાજે, પિણ ઘટ માંહિ નહીં વિવેક આહાર કરે જદ જડે કિંવાડ, વલે દિન માહિ વાર અનેકછ છે સા. ૩૨ ૫ કરડે માતરે ચરી જાવૈ, જબ આડા જડ કિંવાર વલે સાધાં કનૈ આવે તેહી જરને, છે ત્યારે બિગર ગયે આચારજી છે સા. ૩૩ સાધવિયાં ને જડણે ચાલે, - તે શીલાદિક રાખણ કાજજી ! આર કામ જે જડે સાધવી તિજી છેડી સંજમ લાજજી | સા. એ ૩૪ છે આવસગ માંહિ હિંસા કહી જડિયાં, આલવણ ખાતે તાહિ ! મન કરને જણે નહિ વ છે, ઉત્તરાધ્યયન પંતીસમાં માંહિ | સા. ૩૫ ઔષધ આદ દે વહિરી આણે. | કઈ વાસી, રાખે રાત તે જાય મેલે ગૃહસ્થરા ઘર મેં, " પછે નિત લાવે પરભાતજી સા. ૩૬ Page #109 -------------------------------------------------------------------------- ________________ ૧૪ આપ રે થકે ગૃહસ્થ ને સૂપ, એ માટે દોષ પિછાણુજી ! વલે બીજે દેષ વાસી રાખ્યાં રે, . તીજો અજૈણા રે જાણજી સા. ૩૭ વલે થે દેષ પૂછયાં ઝૂઠ બેલે, - વાસી રાખે ને કહે મૂઢજી ! કેઈ ભેખધારી છે એવા ભાગલ, | ત્યારે ઝઠ કપટ છે ગુઢજી | સા. ૫ ૩૮ છે ઔષધ આદ દે વાસી રાખ્યાં, વરતાં મેં પડે વઘારજી કહ્યો દશવૈકાલિક તીજે અધ્યયને, - વાસી રેખ તે અણાચારજી છે સા. ૩૯ કેઈ આધાકરમી પુસ્તક વહિરે, વલે તેહિ જ લીધાં મલજી તે પિણ સાહમાં આણ્યાં વડિરે, ત્યારે મોટી જાણ પોલજી | સા. કે ૪૦ | કોઈ આપ કને દીક્ષા લે તિણરે, સાની કર મેલે સાજજી પુસ્તક પાનાદિક મોલ લિરાવ, - વલે કુણા કુણ કરે અકાજજી | સા. ૪૧ છે ગચ્છવાસી પ્રમુખ આજ્ઞા , લિખાવ સૂતર જાણજી ! શહિલા મેલ કરાય પરત રે, સંચકર દિરાવૈ આણજી . સા. ૨ Page #110 -------------------------------------------------------------------------- ________________ - ૧૦૫ રૂપિયા મેહલા એર તણે ઘર, ઈસડે સૈઠ કરે કામ -તે પિણું હાથ પરત આયાં વિન, દીક્ષા દે મૂડે તામજી | સા. ૪૩ છે પછે ગચ્છવાસી વિકલાં સું ડરતાં, પરત લિખે દિન રાત જી . જીવ અનેક મરે તિણ લિખતાં, કરે ત્રસ થાવર રી ઘાતજી છે સા. ૪૪ છે Jણ વિધ સાધુ પરત લિખાવૈ, તિણ સંયમ દીધે પેયજી જે દયા રહિત છે એહવા દુષ્ટી, તે નિશ્ચય સાધ ન હોયજ છે સા. ૫, ૪૫ છે છકાય હણીને પરત લિખી તે, આધાકરની જાણજી ! તેહિજ પરત તે સાધુ વહિરે, તે ભાગલ રા એહનાણજી . સા. ૪૬ છે વલે તેહિજ પરત ટેલા મેં રામ, આધાકરની જાણજી. જે સામિલ હવા તે સઘલા ડૂબા તિણમે શંકા મત આણુજી છે સા. એ ૪૭ આધાકરમી રા લેવાય રૂટ્ય તે, ઉત્કૃષ્ટ કાલ અનન્તજી દયા રહિત કો તિણ સાધુ ને, ભગવતી મેં ભગવન્તજી છે સા. મેં ૪૮ છે Page #111 -------------------------------------------------------------------------- ________________ કઈ શ્રાવક સાધ સમીપે આએ, હરશે વાંદે પગ ઝાલા જદ સાધુ હાથ દે તિણ રે માથે, આ ચેડે કુગુરૂ રી ચાલજી ! સા. કે ૪૯ - ગૃહસ્થ રે માથે હાથ દેવૈ તે, ગૃહસ્થ બરોબર જાણછ . એવાં વિકલાં ને સાધુ સરધે તે પિણ વિકલ સમાનજી | સા. કે ૫૦ છે ગૃહસ્થ જૈ માથે હાથ દિયે તિણ, ગૃહસ્થ સૂ કીધે સંગજી તિરુને સાધુ કિમ સરધીજે, * લાગે જોગ ને રોગજી સા. એ ૫૧ . દશવૈકાલિક આચારાંગ માંહી, વલે જે સૂત્ર નિશીથજી ગૃહસ્થ ને માથે હાથ દેવ આ પ્રત્યક્ષ ઉધી રીતળ છે સા. પર છે ચેલા કરે તે ચેર તણી પરે, ઠગ પાસીગર યં તામજી ઉજબક ન્યૂ તિણ ને ઉચકાવૈ, લે જાય મૂડે ઔર ગામજી | સા. એ પ૩ it આ છે આહાર દિખાવ તિણ ને, * કપડાદિક મહીં દેખાયજી ઈત્યાદિક લાલચ લેભ બતાવે, લા ને મૂડે ભરમાય છે કે સા. એ ૫૪ Page #112 -------------------------------------------------------------------------- ________________ -૧૦૭ ઈશુ વિધ ચેલા કર મત આંધ્યા, તે ગુણ વિન કારી લેખજી । સાધ પણાં શું સાંગ પહિર ને, ભારી હુંવૈવિશેષજી ! સા ॥ ૫૫ મૂંડ મુડાય ભેલેા કીધે!, ત્યાં સૂ પલૈ નહીં આચારજી ! ભૂખ તૃષા પિણુ ક્ષમણી ન આવે, જદ લેવું, અસુધ પિણુ આહારજી ! સા. !! ૫૬ ॥ અનલ અજોગ ને દીક્ષા દીધાં, તે ચારિત્ર રા હુવે ખણ્ડજી નિશીથ રે ઉદેશે ઇગ્યાર મે', ચામાસી રાદડજી !! સા. ॥ ૫૭ I વિવેક વિકલ ખાલક મૂઢા નૈ, પહિાવ સાંગ સિતામજી ! ત્યાંને જીવાદિક પદારથ નવ રા, જાખક ન અવે જામજી ।। સા. ૫ ૫૮૫ શિષ્ય કરણા તા નિપુણ બુધ વાલા, જીવાદિક જાણે તાહિજી ! નહીંતર એકલ રહેણા ટાલા મે', ઉત્તરાધ્યયન અન્નીસમાં માંહિજી !! સા. ॥ ૫ ॥ કંઈ દડે લીપે ાથાં સ્ થાનક, તે પિણ ઢગલિયા ફૂટજી ઈસડા કામ કરે તિણુ સાધુ, પાડી લેખ માંહે ફૂટજી | સા. ॥ ૬૦ la Page #113 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ જો દડે લીપે થાનક તે સાધુ, તિષ શ્રી જિજ્ઞ આજ્ઞા ભંગજી । -તીજા વરત રી તીજી ભાવના, તિહાં વયે દશમે અંગજી !! સા. ૫ ૬૧ દ છતી સાધવિયાં છે ટાલા મે', વલે કારણ ન પડયે કેાયજી ! તે પિણુ દોય સાધવિયાં કરે ચેમાસા, આ દાષ ઉઘાડા જોયજી !! સા, ૫ ૬૨ ॥ દાય સાધવી કરે ચામાસા, તે જિન આજ્ઞા મે' નાર્હિજી । ત્યાંને વરજ્યેા છે બ્યન્નહાર સૂતર મે', પાંચમા ઉદ્દેશા માંહુજી !! સા. !! ૬૩ ૫ કારણ વિના એકલી સાધવી, અસાદિક વડિરણ જાયજી । વલે રડે પણ એકલડી જાવે, તે નહિ' જીન અજ્ઞા માંયજી ! સા. ૫ ૬૪ ૫ વલે એકલડી તે રહેશેા વરજ્યે, ઈત્યાદિક ખેલ અનેકજી ! મહત્કલ્પ રે પાંચમે ઉદેશે, તે સમઝે આણુ વિવેકજી ॥ સા. ॥ ૬૫ દ કગુરૂ એહુવા હીણુ આચારી, સાધાં સૂ' કે ભિડકાયજી 1 આપ તણાં કિરતબ સૂ ડરતાં, જિન મારગ દ્વિચા છિપાયજી ! સા. ॥ ૬૬ u Page #114 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ પસડા કુગુરાં ને ગુરૂ કર માને, ત્યારે અભિતર મેં અન્ધકારણ કે ગુરૂ મેં ખેટ પાય અજ્ઞાની, . તે ચાલ્યા જનમ બિગારજી છે સા. ૬૭ : અશુભ કમ જ્યારે ઉદય હુવા જબ, ઈસડા ગુરૂ મિલિયા આયજી દશ્યબીજ હેય જાબક બૂડા, પ છે ચિહંગત ગાતાં ખાયજી સા. ૬૮. ઈમ સાભલ ઉત્તમ નર નારી, છેડે કુગુરૂને સંગજી સતગુરુ સેવે સુધ આચારી, દિન દિન ચઢતૈ રંગછ છે સા. ૫ ૬૯ છે આ સઝાય કરી કુગુરૂ એલખાણ, શહર પીપાડ મઝારજી ! સંવત અઢારે ને વરસ ચૌંતીસ આસો જ સુદી સાતમ બુધવારજી સા. ૭૦ છે: છે દેહ છે કેઈ ભેખધારી ભૂલા થકા, કર રહ્યા કૂડી તાણ અવત બતાવે સાધુ રે, તે સૂતર અરથ અજાણ છે : ત્યાં સાધપણે નહીં એલખે, ભુલા ભ્રમ શિંવાર સર્વસાવદ્ય ત્યાગે મુખસું કહ, વલે પાપરે કહ આગાર ૨ . એહવા ભેષધારીને અવ્રત ખરી, પણ સાધુને ઈવ્રતનકાયાવાદ આહાર પણ કપડાદિક ઉપર, ઉવે સદા રહ્યા મુરઝાય Page #115 -------------------------------------------------------------------------- ________________ ચાર ગુણઠાણું ઈવ્રત કહી, ત્યાં ન દીસે વ્રત લિગાર દેશ વત ગુણઠાણે પાંચમે, આગે સરવતી અણગાર છે જે સાધાં ૨ વ્રત હવ, તે સર્વ વ્રતી કુણ હોય ! - ત્યાંરા ભાવ ભેદ પ્રગટ કરું, તે સાંભલયે સહુ કોય પા ઢાલ પાંચવી છે. (આ અનુકમ્મા જિન આજ્ઞામે એ દેશી) - વીસમાં શ્રી વીર જિનેશ્વર, નિરદેષ આહાર આણીને ખાય છે સુધ પરિણામ ઉદરમેં ઉતાર, તિણમાંહી મુરખ પાપ બતાવે છે ઈણ પાખંડ મત રે નિરણે કીજે છે ૧ | • અનન્ત ચાવીસી મુગત ગઈ તે આહાર વ્યાયા થા દોષણ ટાલ - તિણ માંહી પાપ બતાવે અજ્ઞાની, ત્યાં સગલાં રે શિર દીધે આળે છે ઈ. . ૨ સરવ સાવદ્ય જોગ રા ત્યાગ કરીને, | સરવ વતી સુધ સાધ કહાવૈ, • તિરણ તારણ પુરૂષાં રે અજ્ઞાની, ઈવ્રત રે આગાર બતાવે છે. ઈ. ૧ ૩ ૫ -તમ આદિ દે સાધ અનન્તા, સાવધિમાં રે છેહ ન પારે - સગલાં રે આહાર અધમ માંહિ ઘાલ્યો, - તિણ આંખ મીંચી ને કીધે અંધારે છે ઈ. આ જ છે Page #116 -------------------------------------------------------------------------- ________________ ( ૧૧ સાધુ રે જનમ હવે જિણ દિનથી, | કલ્પે તે વસ્તુ વહિરી ને લાવે તે પિણ અરિહન્ત ની આજ્ઞા ચૂં, - તિણ માંહી મૂરખ પાપ બતાવે છે ઇ. ૫ છે વસતર પાતરા રજૂહુરણારિક, સાધુરા ઉપધ સૂતર માંહે ચાલ્યા ! અરિહન્ત રી આગન્યા સૅ રાખ્યા, અધર્મ માટે અજ્ઞાની ઘાલ્યા . ઈ. છે ૬ દશવૈકાલિક ઠાણ અંગ મેં, પ્રશ્ન વ્યાકરણ ઉવવાઈ માહ્યો ધરમ ઉપધ સાધુ રા વરત મેં, તિણ માંહિ દુષ્ટી પાપ બતાવે છે . . ૭ કિણ હી ગૃહસ્થ લીલેરી ને ત્યાગી, - જીવે જ્યાં લગ આણ વૈરાગે છે . સાધપણે લેઈ ઇવત સરધે, તે વિવેક વિકલ ખાયવા કાંઈ લાગે છે ઈ. | ૮ | અધર્મ જાણે લીલોતરી ખાધાં. તે પચખાણ ભાગો કિણ લેખે ઘર મેં થકાં જાવજીવ ત્યાગી થી, ઈણ સાતમું મૂરખ કયું નહીં દેખે છે છે. એ લો કિણ હી ગૃહસ્થ જે જે વસ્તુ ત્યાગી થી, , તે અધમ રે ભૂલ ઈવ્રત જાણે સાધપણે લેઈ સેવવા લાગે, - તે કયું ન પાર્લ લિયા પચખાણે છે ઈ. # ૧૦ ૧ Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૧ર ઈવ્રત સરધે ને સુસ ન પાલ, તિણ ભાગલ રે છે ભારી કર્મો મારગ છેડને ઉજર પરિયા, સાધ આહાર કિયાં મેં સરધે અધર્મો ઈ. ૧૧ કરે વૈયાવચ્ચ ચેલા ગુરૂ રી, કમ તણી ક્રોડ તેહ ખપાવ તીર્થકર શેત્ર બંધે ઉત્કૃષ્ટો, ( પિણ ગુરૂ ને મૂરખ પાપ બતાવે છે ઈ. ૧૨ દશ વીસ ચેલા પડીકમણા કરને ગુરૂ રી વૈયાવચ્ચ કરવા ને આવે તે ગુરૂ ને પાપ લગાય અજ્ઞાની, દુરગત માંય કાંય પહોંચાવે છે. ઈ. | ૧૩ છે ગુરૂ ને પાપ લાગે વૈયાવચ્ચ કરાયાં, • સૂત્રમાંહિ કઠે હી ન ચાલ્યો મૂઢમતી જીવ ભારી કરમા, ઓ પિણ ઘેચે અણહત્વે ઘાલે છે ઈ. છે ૧૪ ગુરૂ ને પા૫ સૂ ભેલા કિયા મેં ચેલા કર્મ કટે કિણ લેખે અભિન્તર કુટી ને અબ્ધ થયા તે, સૂતર સાંહમે મૂઢ મૂલ ન દેખે છે ઈ. ૧૫ છે. સાધ માહામાંહે દે ને લે, વસતર પાતર આહાર ને પાણી તે પણ લીધા મેં પાપ બતાવે, એકવી કુપાતર બોલે વાણી . ઈ. ૧૯ . Page #118 -------------------------------------------------------------------------- ________________ ૧૧૩ દાતાર ને ધમ સાધાં ને વહિરાયાં, પિણ સાધ વહિરી હુવા પાપ સું ભારી દાતાર તિરિયા સાધ ડબોયા, આ પિણ સરધા કહે ભેખધારી એ ઈ. ૧૭ . જે પાપ લાગે સાધુ આહાર કિધામે, તિણ ૨ પાપ રે સાજ દિયે દાતાર તિણ રી આશ રાખેં કિણ લેખે, ભલા રે ભૂલા થે મૂઢ ગિવારો | ઈ. તે ૧૮ છે. સાધાં તો પા૫ અઠારે હી ત્યાગ્યા, ચાખી છે જ્યારી સુમતિ ને ગુપતી ! દાતાર કને સુધ જાંચ લિયા મે, પાપ કઠે સું લાગે રે મુમતી છે ઈ. છે ૧૯ છે ગુરૂ દીક્ષા દેઈ શિષ્ય કરે છે, . નિજ રા ર ભેદ માંહે ચાલ્યા . . મેહ મિથ્યાત સૂ ભારી કરમા, એ પિણ પરિગરામાં ઘાલ્યા ! ઈ છે ૨૦ છે છઠે ગુણઠાણે પરમાદ કહીને, સાધાં ઈવ્રત થા ખાવારી પૂછે તે કહૈ મહે સરવ વતી છા, ઓ પિણ ઝૂઠ બેલે ભેખધારી ! ઈ. છે ૨૧ છે છઠે ગુણઠાણે પરમાદે કહ્યું , કિશુહિક વેલાં લાગતે જાણે છે વિષે કષાય એ શુભ જેગ આયાં, પિણ મૂઢમતી કરે ઉન્ધી તાણે છે ઈ. છે ૨૨ . Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ પ્રમાદ કહું આહાર ઉપષ સૂ', : : કર રહ્યા કુબુદ્ધિ કૂડી વિષવાદ આહાર ઉપષ કેવલી પિણુ અણુ, કહૈ ગયા ત્યાંરા પરમાદી ॥ ૪. ૫ ૨૩ ॥ અપ્રમાદી કહ્યા સાતમે ગુઠાણું, પ્રમાદ નહીં તિણુ ગુણુ ઠાણા આહાર ઉપ વે પણ ભાગવતા, ત્યાં સાધાં ને પ્રમાદ કર્યું નહીં લાગે ! ઈ. ૫ ૨૪ શા કેવલી આરિયેા છદ્મસ્ય આચરે, કેવલી ત્યાગેા તે છદ્મસ્થ ત્યાગે ! આગે । આહાર ઉપધ કેવલી જ્યુ ભાગવિયાં, તિજી સાધા ને પ્રમાદ કણ ત્રણ લાગૈ ॥ ૪. ૫૨૫ સાધ આહાર કરતાં ચારિત કુશલે, સુત્ર પરિણામ સૂ* કટૈ આગલા કર્યાં । *જદ ઊષમતી કોઇ અવલા ખેલૈ, ઘણા ખાવે તે ઘણુંા હવે ધમાં ૫ ઇ. ॥ ૨૬ ॥ ? હર રાત તાંઇ સાષ ઊંચે શબ્દ, ધમ' કથા કહું. માટે માણેા । ઉણુ ઊન્ધમતી રી સરધા હૈ લેખે, આખી રાત મે કરણા વખાણા ॥ ૪. ૫ ૨૭ ॥ જેણા સૂ સાધુ કરે પરદેહ, ફાટવા ક્ર. આત્મ ને ઉદ્ધરણી । ઉણ ઊન્ધમતી રી સરખા હૈ લેખે, " આખા હી દિન પરલેહણ કરણી ॥ ઈ. ॥ ૨૮ ॥ Page #120 -------------------------------------------------------------------------- ________________ ૧૧૫ મરજાદા સૂ આહાર સાધાં ને કારણે,. મરજાદા શું કરણે. વખાણે. મરજાદા સ્પ રલેહણ કરવી, છે , સમજે રે સમજે થે મૂઢ અયાણે ઈ તા ૨૯ છે કારણ આહાર સાધાં ને કારણે, ઘણે ઘણે ખાસી કિશું લેખે છવ્વીસમાં ઉત્તરાધ્યયન મે છે, વલે છઠ્ઠો ઠાણે મૂંઢ કયું નહીં દેખ છે. ૩૦ છે કહે ધમ હવે સાધુ આહાર કિયા મેં, તે કયાને કરે આહાર પચ્ચખાણે છે પાપ જાણું ને ત્યાગ કરે છે, ' , ઉલટ બુદ્ધિ બેલે એવી વાણે ઈ છે ૩૧ | સાધુ કાઉસગ મેં ત્યાગ હાલ ચાલે, - વલે મુખ શું ન બેલે નિરવધ વાણી ઉણુ ઉલટ બુદ્ધિ રી સરધા રે એ પિણ પાપ તણા પચ્ચખાણે છે. ૩ર છે કેઈ સાધ બેલણ રા ત્યાગ કરી મૂન સાજૈ ધર્મ કથા માંડી ન કરૈ વખાણે છે ઉણુ ઉલટ બુદ્ધિ રી સરધા હૈ લેખે, , એ પિણ પાપ તણા પચ્ચખાણે છે. ૩૩ હે કેઈ સાધુ સાધાં ને આહાર દેવણ ૨, ત્યાગ કરે મન ઉછરગ આણે છે મઉણુ ઉલટ બુદ્ધિ રી સરધા રે લે છે, . એ પિણ પાપ તણા પચખાણ છે. ૩૪ Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ કઈ સાધુ સાધાં રી ન કરે વૈયાવચ્ચ, ત્યાગ કરે મન ઉછરંગ આણે છે ઉણુ ઉલટ બુદ્ધિ રી સરધા રે લેખે એ પિણ પાપ તણું પચખાણે છે છે. ૩૫ ચાધાં મૂલ ગુણ મેં સરવ સાવજ ત્યાગે, - તિણ સું નવાં પાપ ન લાગે જાણે છે આગલાં કર્મ કાટણ સાધાં રે, ઉતર ગુણ છે દશ વિધ પ્રચખાણે આ સરધા શ્રી જિનવર ભાષી છે આકડી છે ૩૬ . કઈ વાસ બેલાદિક કરૈ સંથારે, કેઈ સાધ કરે નિત નિત આહાર પાપ ર ત્યાગ યાં રે સરિખા, પિણ તપ તણે છે ભેદજી ત્યારે છે આ. કે ૩૭ જેણા સું ચાલ્યા જૈણું સ્ ઊભા, જૈણ સે બૈઠા જૈણા સું સુવંતા ! જૈણા સું ભજન કિયા જૈ શું બોલ્યા, તિણ સાધુને પાપ ન કહો ભગવન્તા છે ૩૮ . દશવિકાલિક ઐથે અધ્યયને, આઠમી ગાથા અરિહન્ત ભાખી છબેલ સાધુ જેણુ સું કિયા મેં, પાપ કહે ભારીકરમા અન્હાખી છે આ. કે ૩૯ છે. નિરવ ગોચરી જરાં રી, Page #122 -------------------------------------------------------------------------- ________________ ૧as મેક્ષરી સાધન ભગવંત ભાખી દશવૈકાલિક પાંચ મેં અધ્યયને, બાણુંમી ગાથા બેલૈ સાખી છે આ. છે સુધ આહાર કિયા સાધુ સદગત જા, - નિરદેષ દિયાં જાવે સદગત દાતા દશવૈકાલિક પાંચ મેં અધ્યયને, પહિલા ઉદેશા રી છેહલી ગાયા છે આ. કે જા | સાત કર્મ સાધુ ઢીલાં પારે, સૂજતે આહાર કરે તિણ કાલે ભગવતી સૂતર પહિલે શ્રત ખંધે, નવમે ઉદેશે જોઈ સંભાલે છે આ. એ જરા આહાર કરે ગુરૂ રી આમન્યા સું, - તિણ સાધુ ને વીર કહ્યો છે કે અઠારમે અધ્યયન સાતા રે જઈ સાસો કાઢે મેટે મનરે ધખે છે આ. ૪૩ છે શબ્દ રૂપ ગંધ રસ ફરસરી, સાંધા રે ઇવત મૂલ ન કયે સૂયગડાંગ અધ્યયન અઠાર મેં ઔર ઉવવાઈ સૂત્ર માં છે આ. કે ૪૪ છે સાધાં રે ઈવ્રત કહે પાખડી, તિણ કુમતી રી સંગત દૂર નિવાર ઈમ સાંભલ ને ઉત્તમ નરનારી, સવ ગણી ગુણ પા પા છો ૪૫ Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ છે દેહા સમદષ્ટિ આરે પાંચમે, ડી બુદ્ધિ અ૯૫ માન છે મિાદષ્ટિ જોડે હસી, બહુ ઋદ્ધ બહુ સન્માન ૧. સમણ થોડા ને મૂઢ ઘણા, પાંચ મેં આ ચૈન લેખ લેઈ સાધુ તણે, કરસી કૂડા ફેન છે ૨ u સાધુ અલ્પ પૂજા હસી, ઠાણ અંગ મૈ સાખ અસાધુ મહિમા અતિ ઘણી, શ્રી વીર ગયા છે ભાખ છે ૩ કુદેવ કુગુરૂ કુમ મેં, ઘણા લેક રહ્યા બંધ હયા એલખને નિરણે કરે, તે તો વિરલા જોય ને ૪ સાધ મારગ છે સાંકડ, ભેલા ને ખબર ન કાય જિમ દીવે પડે પતંગિ,તિમ પડૅ પગાં મેં જાય છે ઘણા સાધુ ને સાધવી, શ્રાવક શ્રાવિકા લાર ઉલટા પડી જિણ ધર્મ થી, પડસી નરક મઝાર છે ૬ . મહા નિશીથ એ મેં સુણ, ગુણ વિન ધારી લેખ લાખાં કેડાં ગમે સાવટાં, મરક પડતા દેખાય છે ? લીધા વ્રત ન પાલસી, બેટી દ્રષ્ટિ અથાણું તિણ કહી છે નારકી, કઈ આપ મ લે તાણા ૮ આગમથી અવલા વહે . સાધુ નામ ધરાયા સુધી કરણી થી વેગલા, તે કા કઠા લગ જાય છે તે છે જ Page #124 -------------------------------------------------------------------------- ________________ ૧૧૯ ॥ ઢાલ છઠ્ઠી li (ચન્દ્રગુપ્ત રાજા સુણા એ દેશી) સીધા આપે સાધુ તે, વલે ઔર કરાવે આગે ૨ 4 એહુવા ઉપસરા ભાગવ, ત્યાંને વજર કિક્રિયા લાગ ૨। તિષ્ણુને સાધુ કિમ જાણિયે ॥ ૧ ॥ આચારાંગ જે કહ્યો, મહા દુષ્ટ દોષ છે તિમે” ૨૮ જો વીર વચન સવલે કરે, તે સાધુ પણા નહીં તિષ્ણુમે રૂ ૫ તિ. ॥ ૨॥ સાધુ અરથે કરાવે ઉપાસરા, છાચે લિખે ગૃહસ્થ ખાલ રાગી રે ! તિ. શા !! તિણુ ચાનક મેં રહે તેને, સાવધ કિરિયા લાગી ? ॥ તિ. ૫ ૪ ૫. તિજીને ભાવે તે ગૃહસ્થ કહ્યો, ક્રિયા આચારાંગ સાખી ૨ । ભેખધારી ધારી કહ્યો સિદ્ધાંત મે, " તિજી રી ભગવન્ત કાણુ ન રાખી રે । તિ. ૫૪ સિન્ત્યાતર પિણ્ડ ભેગવ, વલે શુદ્ધ કુલવે કપટી રે । Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ ધણી છેડ આગ્યા લે ઔર રી, સરસ આહારાદિક રા લ"પટી રે તિ. પા It સમલૈ। દેષણુ લાગે તેહને, નિશીથ મે ડડ ભારી રે ! અણુચારી કહ્યો દશવૈકાલિકે, ભગવન્તરી સીખ ન ધારી રે તિ. ।। ૬ u અણુકંપા આણુ શ્રાવક તણી, દ્રવ દિરાવણુ લાગે રે ક્રૂજ કરણ ખંડ હુવા વ્રત પાંચમે, તીજૈ કરણ પાંચું હી ભેળે રે ! તિ. રાણા ગૃહસ્થ જિમાયણ રી કરૈ આમના, વલે કરૈ સાધુ દલાલી રે ! ચૈ માસી દંડ કહ્યા નિશીથ મે, વરત ભાંગ હુવા ખાલી ૨૫ તિ. ૫ ૮ કરે વાંસાદિક ના આંધવે, વલે ક્રિયા ભીંત ના ચેજા રે । છાયા લીપ્યા તેહને કહીજે, સારી કમ' સેજા ? ॥ તિ. ! હું ॥ એહવી વસતી ભાગવ, તે સાધુ નહીં લવલેશે। ૨ । માસિક દડ કહ્યા તેહુને, નિશીથ રે પાંચ મે ઉદ્દેશે ૨ ના તિ. ૧ ૧૦ ik આંધે પર્દા પરેચ નાત ને, વલે ચન્દ્વવા સિરી ને તાટા રે । Page #126 -------------------------------------------------------------------------- ________________ ૧૨૧ સાધુ અરથે કરાવે તે ભોગે, જ્યાંરા જ્ઞાનકિક ગુણ ન્હાઠા રે તિ. તે ૧૧ થાપીત થાનક ભેગ, ત્યાં દિયા મહાવન ભાંગે રે ભાવે સાધુ થી વેગલા, ત્યાં ને ગુણ વિન જાણ સાંગે રે છે તિ. ૧૨ માં કાચ ચસમે વર તે રાખિયો. વલે જાણે છે દોષણ થેરે રે ? પાંચમું વ્રત પૂરે પડે, વધે જિણ આગન્યા ના ચેરે રે તિ . ૧૩ ગૃહસ્થ આ દેખી મોટકા, હાવ ભાવ સૂ હરખિત હુવા રે બિછાવણ રી કરે આમના, તે સાધપણા થી જુવા રે ! તિ. આ ૧૪ ગૃહસ્થ આ સાધુ તેડવા, કપડે વહિરાવણ લઈ જાવૈ રે ! ઈવિધ વહિરે તે મેં, - ચારિત કિણ વિધ પર્વ છે તિ. ૧૫ સાહમાં લે જા તેડિયા એ દોષણ નુંઈ ભારી રે ! યાને ટલે કેડાયત વીરના. સેવ્યાં નહીં સાધ આચારી રે | વિ . ૧૨ એ વણાદિક મેં લીલોતરી, વાં સહિત કણ બિના રે Page #127 -------------------------------------------------------------------------- ________________ એહવા વહિરે શકે નહીં, તે પરભવ સું નહી. મિહના ૨ ૫ તિ. ૧૭ાા એવા અન પાણી ભાગવ, ત્યાંને સાધુ કિમ થાપીજે રે ! ૧૧ જે સુતર ને સાચા કરી. แ ત્યાંને ચેારા રી પાંત મે' આપીજે રૂ ૫ તિ. ૫૧૮ ગૃહસ્થ ના સજાય એટલ ચાકડા, સાધુ લિખ તે દોષણુ લાગે ૨૫ તિ. ૧૯ાલિખાયને અણુમાદિયાં, તિ. 1૧૯ ઢોય કરણ ઉપરલા ભાગે ફ્ પહિલે કરણ લિખ્યા મે પાપ છે, ના લિખ્યા ઢાષણ ઘારા રે । પાંચ મહાવ્રત મૂલગા, ત્યાં સુધલાં 'મે' પરિયા અઘારા રે ! તિ. તારના ઉપધ ભાલાને ગૃહસ્થને, એ નહી' સાધુ આચારે રે! પ્રવચન ન્યાય ન માનિયે, લિયે મુગત સૂ' મારગ ન્યારા રે । તિ. ૫૨૧ા แ ગૃહસ્થ ઉપધરા કરે જામતા, કિયા વ્રત ચકચુર ૨ । સેવળ હુવા સ'સારિના, સાધુપણ સાતા પૂછે પૂછાવ ગૃહસ્થ રી, ઇગત સેવ” લાગા । થી દૂરા રે । તિ. ારરા Page #128 -------------------------------------------------------------------------- ________________ ૧૨૩ અણાચારી કો દશવૈકાલિકે, વલે પાંચુહી મહાવ્રત ભાગા રે તિ. ર૩ શ્રાવક ને વલે શ્રાવિકા, કરે માંહમાંહી કારજ રે સાતા પૂછે વિને વૈયાવચ કરે, તિશ મેં ધમ પુરૂ અનાજ રે | તિ. રજા. અણચાર પૂરા નહીં એલખ્યા, નવ ભાંગા કિણ વિધ ટાલે રે ગૃહસ્થ ને સિખાવૈ સેવના. . લીધા વ્રત નહીં સંભાલે રે તિ ૨૫. કારણ પડિયાં લેણે કહે સાધને, કરે અસુધ વહિરણ થી થાપ ર દાતાર ને કહે નિજર ઘણી, વલી ડે બતાવૈ પાપે રે ! તિ. છે રહા, એવી ઉધી કરે પરૂપણ, * ઘણા જીવ ને ઉલટા નાખે રે અણ વિચારી ભાષા બોલતાં, . ભારી કમાં જીવ ન શકે છે તિ. શ૭ - ભિષ્ટ આચાર રી કરે થાપના. કહે દુખમ કાલે રે હિવડાં, આચાર છે. એહવે દેષણ રે ન હુવૈ ટાલે રે તિ. ર૮ એક પિતે તે પાવૈ નહીં, , વલે પાલે તિણ સૂ છે રે Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ દેય મુરખ કહ્યા તેહને, પહિલે આચારાંગ દેખે રે તિ. ર૯ પાટ બજેટ આણે ગ્રહસ્થ રા, પાછા દેવણ રી નહીં નીતે રે મરજાદા લોપને ભગવૈ, તિણ છેડી જિણધર્મ રી રીતે રે તિ.૩૧ તિણને દંડ કહ્યો એક માસને, નિશીથ રે ઉશૈ બીજૈ રે ન્યાય મારગ પરૂપતાં, ભારી કરમા સુણી સુણ ખીજૈ રે તિ. ૩૧ છે ઈતિ સાધુના આચાર સપૂર્ણ છે નવકડાની શ્રી મહાનશીથ, સુવની ઢાલ દેહરે ક્ષમ આરે પાંચમે, ઘણું ગડબડ જાન તેમાં ભેષ ધારી થશે ઘણા, કુડકપટની ખાન છે તે કુબુદ્ધિ ઘણું ચલાવશે, આ સાધુના વેષમાય વળી હિંસા ધર્મ પરૂપશે, પડશે નરકમાં જાય છરા તેના ભેળા શ્રાવક શ્રાવીકા, તેઓ કરે ટી પક્ષપાત તેને કુબુદ્ધિ કદાગરે શીખવી, તેને પણ લઈ - જશે સાથ લાગ્યા Page #130 -------------------------------------------------------------------------- ________________ ૧૨૫ તેને અંધ કુવામાં નાંખશે, તેને દિવસ તેવીજ રાત ઘુવડ જેવા થઈ રહ્યા, દીન દિન વિશેષ મીથ્યાત છે. તે નવ આંકના નવકડા, જશે નરક મઝાર શ્રી મહાન શીથમાં સુયા, તે સાંભળે વિસ્તાર પા. હાલ આચારજ ને સાધુ સાધવી, વલી શ્રાવક શ્રાવકા, જાણે રે ગુણ વગર નામ ધરાવીને, નરક જશે તેને પરમાણે રે એ વધ એલખે નવકડા ના પંચાવન કરેડ લાખ પંચાવન, વળી પંચાવન હઝારે રે પાંચસો પંચાવન ઉપરે, આચારજ જશે નરક મઝારો રે એક રા. છાસુંઠ કરેડ લાખ છાસુંઠ, વળી છાસુંઠ હઝાર રે છસે છાસુંઠ ઉપરે, સાધુ જશે નરક મઝારે રે એ. a. સી-તે-તેર કરોડ લાખ સી-તેતેર, વળી સી-તેતર - હઝાર રે સાતસે સીતેર ઉપરે, સાધવી જશે નરક | મઝારે એ જા. અઠયાસી કોડ લાખ અઠયાસી, વળી અઠયાસી ' હઝારો રે આઠ અઠયાસી ઉપરે, શ્રાવક જશે નરક મઝા રે અ. પા. Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૨ -નવાણું કરડ લાખ નવાણું, વળી નવાણુ હઝારે રે નવસો નવાણ ઉપરે, શ્રાવકા જશે નરક મઝારે રે . . . . એ દા આચારજ સાધુ સાધવી, પદવીધર કહેવાય મોટા રે તે નરકે જશે આ વૈષમાં, તેના લક્ષણ ઘણું છે બેટા ? જે છે એ છા તે ભ્રષ્ટ થયાં આચારથી, વળી શ્રદ્ધામાં મુળ . . . . . મીથ્યાત્વીરે પહેરે વેશ સાધુતો, પણ છે ચણાના છેતરાના , " સાથી રે એ ખાઈ પી દીવસે સુખે સુઈ રહે, વળી શરીરમાં ર બન્યા છે ઝાડા રે ગોચરી વિહાર કરે ત્યારે, જાણે રાજ્યના કુંદતા . ઘડા દેડયા રે એ લા તે તે ફરતા વચન બોલે ઘણા, વળી કુદકપટમાં રાચે રે ચર્ચા કરે તે અવસરે, જાણે નાગાઉઘાડા નાચે રે | | એ. ૧ ન્યાય નિર્ણય કર્યા વિના, કરી રહતા ફેલ દીતુરા રે જે સુત્રની ચર્ચા કરે છે, દગલે દગલે પડ જાય 0 , 1 કુરારે છે એ ૧ કુડકપટ કરે મત રાખવા, તે તે પેટ ભરાઈ કારે આચારમાં ઢલા ઘણા, તે પણ નિલજ મુળન લાજે કરે છે એવા ૧૨ Page #132 -------------------------------------------------------------------------- ________________ ૧૭ તે સાધુ નામ ધરાવીને, ઠામ ઠામ અપસરા થાનક કરાવે રે -તે ઉપદેશ દઈ ટીપ ભરાવીને, છકાય જીવ મરાવે રે ! એ॰ ll૧૩મા વલી વેષ સાધુના ધરીયા ૨ સાધુ માટે કરાવેલા ભાગવે, છ કાયાના જીવે મરાવતા, પીયર નામ પુરા પરીયા ૨ એ ॥૧૪॥ પડદા પરેચ બંધાવતા, ચંદરવા પુઠીયા ને ટાટારે વળી છાપરા લીપણુ કરાવતા, તેના જ્ઞાનાદીક ગુણુ નાયારે ! એ ૧૫મા એમ અપાશરાથાનક કારણે, જીવ મરાવે વારવારારે એવા અપશરા થાનક સાધુ ભગવે, તે ય જન્મ શ્રીગારા ના એ॰ ॥૧૬॥ સાધુ થઇ ઉદ્દેશીક ભાગવે, વળી વેચાતા લેવરાવે આહાર નીત્ય પીડ વહારે એક ઘેરથી, તે જશે નરક મઝારારે ॥ એ ॥૧ળા શ્રી ઊત્તરાધ્યેયન વીશમે, વીરના વચન સંભાલેારે જે ઉત્તેસીકાદીક ભેગવે, તે નિશ્ચય જશે નરક મઝારારે ાએના૧૮ાા ઘી, ખાંડ, લાડુ, શાકર વેચાતા લે, ભરી મુકે ચાડારે તે વહેરાવે સાધુને, તે ગલમાં આવશે આડારે ૫ એવા લા Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ ઘી, ખાંડ, લાડુ, શાયર વેચાતા લીધેલા જાણે રે વળી સાધુ કહેવાય આ લેકે માં, તે તે પુરા | મુઢ અંજાણેરે છે એવા ૨વા જે ચેલે તે હેય આપણે, તે તેને રોકડ રૂપીયા અપાવે પાંચ મહાવ્રત ભાંગીને, સાધુને નામ ધરાવે છવાદીક જાણે નહી, તેને પાંચ મહાવત ઉચોવેરે સાધુને વેષ પહેરાવીને, ભેળા લેકેને પગે લગાવેરે છે એવા રા. બાળક બુઢ જુવે નહી, જે આવે તેને મુડેરે નામદારી કરવા કારણે તે તે માન મેટાઈમાં બુડેરે પાએગા ૨૩ વળી ચેલે કરવા કારણે, મહેમાંહે લડાઈ માંડે, ફાડા તેડા કરતા લાજે નહી, આ સાધુના ભાડેરે એ ૨૪ ગામ નગર સામાચાર મોકલવા, ઈશારા કરી ગ્રહસ્થને બોલાવેરે કાગળ લખાવે તેની કને, વીગત પિતે બતાવે એનારા ગ્રહસ્થને પાશે વયાવચ્ચ કરાવીઆ, સાધુને કહ્યો અણચારે શ્રીદશકાલીક ત્રા અધ્યયન, કેઈ બુધવાર કરજે વીચારે એમા ૨૬ Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧૯ ભાગલ તુટલે તેમાં ઘણા તેને કેવું કાઢે નીકલેરે જે થોડા તેને છેડીયા, દેવે અણહતા આગેરે એ સ્થા પિતા જેવા કરવા માટે, ઉલટા દે ખાટા આળો રે તેને પરભવની ફિકર નહી, તેને જુઠને નહી આ ટાળેરે છે એ. ૨૮ સુદ્ધ સાધુને માથે આળદે, તેના મેળામાં કહેવાય સંપુતારે તે ઝુઠને નિરણે કરે નહી, તે નરક જવાના . સુતેરે છે એ મારા ગુઠા આળદે તેહને, પાયશ્ચિત ન દે તે લગારો તેની સાથે આહાર પાણે ભેગા કરે, તે ડુબી ગયા કાલી ધારે છે એ. ૩ રેણાદેવાની કુગુરૂને એપમાં, તે સાંભલા - ચીર લાયે રે કુડ કપટ કરી પાપીયા, સુદ્ધ સાધુથી ભડ કાયરે એ ૩૧ રેણાદેવી દક્ષિણના બાગમાં, અણુહુતે સરપ બતાવે રે તેમ પિતાના કૃતવ્ય ઢાંકવા, તે બોલે છે મુસાવાયે રે છે એ ૩રા તેણે છરીખ ને જનપાલ ને, ઘાલી શંકા મટી રે પણ બુદ્ધીવત જઈને જોઈએ. ત્યાં જાણી રેણાદેવીને બેટી રે એ ૩૩ Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ તેમ કુગુરૂ રેણદેવી સરખા, શંકા સાધુની ધોલેરા તે પોતાનાં કૃતવ્ય ઢાંકવા, શુદ્ધ સાધુ પાશે જતાં વારે રે છે એ ૩૪ પણ બુદ્ધિવંતે પુછી નિર્ણય કર્યો, ત્યારે જાણી લીધા તેને મેટા રે જ્ઞાન કીયામાં બેટ ઘણું, જાણે પાણી * તણા પરપોટારે છે એ રૂપા તે રેણદેવી સામે જોઈને, જીનરીખ થયે ખુવારે તેમ કુગુરૂની પ્રતીતથી, દુગતી જશે મનુષ્ય ભવ હારે રે છે એ પાયા રેણાદેવીના કપટથી ઘણે, કુગુરૂને કપટ છે ભારી રે પિતે ડુબે બીજાને ડુબવે, કઈ થઇ જાય અનંત સંસારી છે કે એ ૩ણા વેષ પહેરી સાધુ તણે, ખાધા લોકેના માલે રે જપ તપ કીરીયા વગરના સાધુ, બની રહ્યા - કુદા લાલ રે છે એ ૩૮ એમ સાંભલ નર નારીઓ, છેડી દે કુગુરૂ સતાબોરે. સુધ સાધુની સેવા કરે, જે રાખવા ચાહે ઈજજતને આબેરે છે એ કલા સંવત અઢારસે ને ત્રેત્રીશ, જેઠ સુદ પુનમ - શુકર વારો રે કહી છે કુરાની નવકડી, રીયા ગામ મઝારે રે I Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧૩૧: . ૧ જુના, વીર શાશન તા. ૧લી ડિસેમ્બર ૧૯૯, પાન–૧૪૩ લખનાર શ્રી પહ્મવિજયજી મહારાજ ફરમાવે છે કે ખાવત પીવત માત્ર જે માને • તે સરદાર સહુ જટમાં અર્થાત ખાવા પીવામાં જે મેક્ષ માને તે મુખઓમાં સરદાર છે. વધુ માટે જુવે જૈન સાધુ ચેપડી. - નવકડા દુઃખમ આરે પાંચમે, શ્રાવક શ્રાવકા નામ ધરાય ગુણ વગર ખાલી ઠીકરા. પડશે નરકમાં જાય છે? તે પણ અણચારી કુગુરૂ તણી, સેવા કરે દીનરાત તે જુઠા ને સાચા કરવા ભણી, બેટી કરે પક્ષપાત રા તે જન્માંધળાં ને મુલ સુઝે નહી, નગમે ન્યાય મારગની વાત : પાખંડ મતમાં રામી રહ્યા, ઘટ માંડે ઘેર | મીથ્યાત ૩ -જેયા ને અણજોયા કહે, ઝુહુ બોલતા ન આણે શંક આળ દેવામાં આળશ નહીં, તેના બેલીમા છે વંક આવા એહવા શ્રાવક જણે નરકમાં, તેના લક્ષણ ચારિત્ર અનેક છે ? તે છેડા એક પ્રગટ કર, તે સાંભળે રાખી વિવેક Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ હાલ (૨ જીવ મેહુ અનુકપા ન આણીએ) નવ નવ આંકના કુશુરૂ નવકરા, તે તે જ નરક મારી રે તેના શ્રાવક શ્રાવીકા તણા, સાંભલા વીસ્તારા હૈ એહુવા શ્રાવક જાણા નવકડા પહેલા તે મારગ ભુલ્યા માક્ષના, ગુરૂ માટે હણે છે જીવ રૂ. વળી ધમ જાણે હીંસા કીધા, તેને દીધી નરકની નીવરે ! એ॰ રાષ્ટ પડતા જાણે થાનક અપાશરે ગુરૂ તણે, તેની જઇ કરે સભાલ ૨ લીલાતરી ઉખેડ ઉપર નાંખે માંટીને, કરે અનંત જીવાના ખગાલરે ! એ ગા પીલી પાણી તણા જીવ મારીને, દડે લીપે થાનક અપાશરા જાયરે તે પણ કુશુરૂ માટે નીશકી, એ તે માર રહ્યા જીવ કાયરે ! એ ૫૪ાા કાઈ કરાવે થાનક અપાશરા મુળથી, પાયાથી નવી જગ્યા ચણાયરે વળી જીવ વીણાશે વિધીયે, તે કહ્યા કર્યાં લગ જાયરે !! એ ગાયા. ગામ ગામથી પૃથ્વી મગાવતા, કુવે કુવેથી પાણી મગાયરે Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧૩૩ કરે ઘમશાણ કુ છકાયને, મનગમતા થાનક અપાશરા કરાયરે ! એ॰ ંકાઇ કરે મત્તુરી હાથથી, ઉડી ઉ'ડી ખેાદાવે નીંવરે ઘરના પૈસે ખર્ચી પાપીયા, છકાયના મરાવે જીવરે ! એ શ્રા છકાય હણીને ચાનક અપાશરા કરે, તેમાં ધમ જાણે નીશંકરે તેથી ઠામ ઠામ જગ્યા ખાંધે, એહવા લાગ્યા કુગુરૂના કરે ! એ પ્રતા તેને પુછયા કાછ ખેલે પાધરા, કાઇ ઝુઝુ ખેલે તતકાલ શ્રાવક માટે થાનક કરાવ્યેા કહે, અનાખી થકા ભાષે અલાલ રે ! એ લા પુન કરાવ્યા ગુરૂ કારણે, લાગે મરતાં ખાંચે આપરે ધર્માંને ઠેકાણે ઝુહુ ખેલીને, ભારી હુવે ચીકણાં મધે પાપરે ! એ ૧૦મા ધર્મ ઠેકાણે ઝુઝુ બેલીયા, ખાંધે મહામેાહની કમરે સીત્તેર કાડા કોડી સાગર લગી, નહી પામે જીન વર ધમ રે ! એ॰ ॥૧૧॥ જેમ કોઈની મા બહેન ડાકજી હુવે, તેની વાત સાંભળ્યા પાસે ખીજરે તેને સાચી કરવા કેાશીશ કરે ઘણી, ઝુઢા થકા પણ થપે ધીજરે ! એ॰ ॥૧૨ા Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ વળી અનેક ઉપાય કરે ઘણા, ઘર જાણે પણ કરે કબુલરે પણ મેઢેથી ડાકણ કહેવી દેહલી, ઘણે દુખ થાય ભુડે કસુલ ૫ એ. ૧મા તેમ જારી કર્યા કેઈ જીવડા, બેલે કુગુરૂ . માટે ઝુકરે એને સાચા કરવા કે શીશ કરે ઘણી, ખોટા ગુણ કરે પરપુઠરે છે એ૧૪ અનંત સંસારથી ડરે નહી, નરકે જવાનું પણ કરે કબુલરે ' પણ મોઢેથી ખોટા કહેવા દેહીલા, રહ્યા પાખંડ મતમાં ઝુલરે છે એ. ૧૫ ડાકણને બદલે ધીજ કરતા થકા, કદાચ રાજા કાગ્યા ઘર જાયરે તેમ કુગુરૂ માટે ઝુઠ બોલીયા, પડે નરક નીદમાં જાય છે એ ૧૨. પિતે આદરિયાં વેણ કુગુરૂ તણા, દેવે દોષણ ' સઘલા ઢાંકરે શુદ્ધ સાધુને આળ દેતા થકાં, પાપી મુલ ન ' લાવે શંકરે છે એ વાદ શુદ્ધ સાધુની નીદા કરીને, વળી નજરે જોયા જાગે દ્વેષરે તેથી વરતે વેરીને શેક જેમ, જુવે. વળી છીદ્ર વિશેષરે એ ૧૮ Page #140 -------------------------------------------------------------------------- ________________ ૧૩૫ પતે કુગુરૂને પાકા ધારીયા, તેમાં દોષને છેહ ન પાર રે તેથી સાધુના દેવ જેવતાં, ખપકર રહ્યા મઢ ગમાર રે .એ. ૧૯ પણ સાધુના શેષ જીવે નહીં, ત્યારે બેટ દેવે આળ રે પછી ઝુહુ બેલી બકતા ફરે, તેને કેણ કાઢે.' * નીકાલ રે એક કરો કહે તુબડે હેરાવ્ય સાધુમે, નાગશ્રી બ્રાહ્મણ એકવાર રે તેથી રખડી સંસારમાં ઘણી, સાતે નરકમાં ખાધી માર રે એ. ૨૧ તેને નાંખવાના આળશથી, તબડે વહેરા - સાધુને દેવ રે તેના ફળ મળ્યા કડવા, પામી દુઃખમાં દુઃખ વીશેષ રે એપંરરા તે સાધુની કેઈ નીંદા કરે, વળી રાખે અત્યંતર ૨૩ અછતા આળ રે નિશંકથી, તે તે ડુબે વળી વીશેષ રે એ કોઈ કરડુ બોલે છેટી રીતથી, કઈ વંછે સાધુની વાત રે કોઈ પરિસાહ દેવે વચનના, કેઈ તપતા રહે દિન રાત રે એ ર૪ Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ સવ' પાખ’ડી. મળી ગયા, વળી લેાકેાને ધ્રુવે લગાય ૨ તેને મનગમતા ખેલે ઘણા, સાધુના વેરી કરવા તાય રે uએ૦ ારપા તેને કહેતા ન આવે ત રે તેને એલખો બુદ્ધિવત ૨ નાએ ૫રદા એવી નાગશ્રી થઈ ઘણી પુરી, તે તેા નરકગામી છે નવકડા, નાગશ્રી બ્રાહ્મણી દુઃખ લાગવી, મહામુશ્કેલીએ સદાવેરીની માફક વરતે હવે કહી કહીને કેટલા જે જે સાધુને માથે પાસી અતરે સાધુથી, તેને શું થશે વીરતંત રે એ નારા કહ્યું, કાંઇ બુદ્ધિવંત કરજો વિચાર રે આળ દે, તે તે ડુબ્યા કાળી ધાર રે તાએ ઘર૮ જો સાચાને સાચું કહે, તે તેા નિદા ન જાણા કાય રે સાચીને સાચી કહેની નીશ'કથી, તે પણ અવશર જોય ૨૫એ॰ રહ્યા એ તેા જીવ અજીવ જાણે નહી, આશ્રવ સવરની ખબર ન કાય રે જાણીને, એ તે ખુલ્લા ભુલ્યા જાય રે ાએ ૧૩૦ આશ્રવ સેવે. સ`વર ધમ Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧૩૭ -ઉપભોગ પરબેગ શ્રાવક તણ, તે તે અવત - આશ્રવ માંહી રે સેવાસેવરાવ્યા ભલે જાણીયા, તેમાં ધર્મ, જાણે છે તાંહી રે એ ૩૧ દેવ, ગુરૂ, એલખ્યા વીના, રહ્યા ખાલી વાદલ જેમ ગાજ રે વળી ધેરી થઈ બેઠા ધર્મના, પણ પૂરા મુઢ - અબુઝ રે એ વારા વળી ચરચામાં અટકે ઘણા, પણ સીધા ન બોલે મૂઢ રે અણુ વીચાર્ય ઉધા બેલે ઘણા, પણ છેડે નહી ખોટી રે પાએ૩૩ વળી કુગુરૂને આચાર જાણે નહી, સરથાની પણ ખબર ન કાય રે ભેષધારી ભાગલ તુટલ ભણું, ત્રીપુતે કરી વાંદે પાય રે એ ૩૪ ઘી, ખાંડ, ગોળ, શાકર, આદી દે, મેલ લેવરાવે જાણું રે વળી નીપજે જાણે વ્રત બારમે, એવા મુંઢ અયાણ રે એ રૂપા આરમે વ્રત ભાગે આપરે, સાધુને વહેરાવે હૈ મેલ તેની પણ સમઝ પડે નહીં, તેના વ્રતમાં છે મેટી પલ રે એ. ૩૬ Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ થાનક અપાશરા વેચાતા લે ગુરૂ કારણે, વળી ભાડે લે ગુરૂ કાજ રે બારમુ વ્રત ભાંગી ભાગલ થયા, નરકમાં જશે શ્રાવક વાજ રે એ પાછા કપડા માંગે સાધુ સાધવી, ત્યારે હાજર ન હોય ધરમાંય રે વેચાતું લે વહેરાવે સાધુને, ગામ પરગામથી - મંગાય રે પાએ ૩૮ વેચાતું લાવી કપડું વહેરાવીને, વળી ધર્મ જાણે મનમાંય રે એવી શ્રદ્ધાના શ્રાવક શ્રાવીક દુગતી પડશે તે " તે જાય છે એ રૂા. જમણવાર આરા તણે ઘરે, માંડ ધાવણ ઉને પાણું જાણું રે તે સાધુને હરાવવા કારણે, પિતાને ઘેર રાખે આણ રે એ૦ ૪. પછી તેડી વહેરાવે સાધુને, વળી જાણે થયે મને ધમ રે એહવા કુગુરૂના ભરમાવીયા, ભુલા છે અજ્ઞાની ભમે રે એ. ૪૧. કઈ ધાવણ જાણી વધારે કરે, સાધુને વહેરાવવા કામ રે ઉને પાણી હારે વાસણ ભરભર, તે પણ લે કુગુરૂને નામ રે એ જરા, Page #144 -------------------------------------------------------------------------- ________________ ૨૩૯ ઘણા સાધુ સાધવી જાણીને, વધારે નીપજાવે • આહાર રે પછી ભર ભર વહેરાવે પાતરાં, તે તે ભવ ભવમાં થશે ખુવાર ૨ એ ૪૩. અશુદ્ધ આહાર પાણી વહેરાવીઆ, વધે પાપ કમના પુર રે સાધુ પણ જાણી વહોરે અસુઝતે, તે તે સાધપણાથી દુર રે એ ૪૪ કેઈ આહાર પહેરાવે અસુઝતે, કઈ કપડું વહેરાવે અશુદ્ધ રે દેવે થાનક અપાશરે અસુઝતે, ભ્રષ્ટ થયી બધાની બુધ્ધ રે એ૦ ૪પા. સામાયિક સંવરષિામ, કરે સાથદ્યોગના ત્યારે તેમાં પણ ભાંગલને વંદણા કરે, સામાયક પોષા પણ ગયા ભાંગ રે એ જા . એક સામાયક ભાંગે તેહને, દંડ દેવે શામાયક અગ્યાર રે તે નીત્ય સામાયક ભાંગે, તે તે ગયા જન્મારે હાર રે એ કળા શશ ન લે તેને પાપી કહ્યો, તેને ભાંગે તે મહા પાપી હાય રે વળી જાણે હું શ્રાવક મેટે, તેને નરક તણ ગતી જોય રે એ ૪૮ Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ માને લાગલ તુટત એકલ ભણી, વિનતી કરી રાખે ચોમાસ રે -તે પણ સાધુથી ઠેષ ના ઘાલીયા, વખાણ સાંભલે તેની પાશ રે એ ૪ જે તે સાધુના અવગુણ બેલે ઘણા, તેને હરખથી દેવે દાન રે વળી પ્રશંસા કરે તેહની, ઘણા આપે આદર સન્માન રે એ પા તેને મનમાં તે સાધુ જાણે નહી, તે પણ વધારે તેનો આબ રે તે પણ વાત ચલાવવા, તેને નિશ્ચય જાણે અભાગ ૨ એ. પલા પિતે આદર્યા કુગુરૂ તેહના, ગુણ બોલાવવા કામરે તે પણ લેભના મારીયા, ગુંઠા જુઠા કરે ગુણ ગ્રામ રે એ પરા -એવા ચાળા ચારીત્ર કરે તેહને, જે પાપ ઉદે થાય આ ભવ આણે રે દુઃખ અશાતા અપજશ થાય ઘણું, પરભવમાં તે શંકા નહી જાણ રે એ પરા ભાગલના વખાણવાણી સુણ્યા, કેઈ પઢ વજે વેગે મીથ્યાત રે વળી તહત વચન કરે તેહને, તેના હુકારે મોતી વાત છે એ. ૫૪ Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૪૧ જેને કુગુરથી રાગ અતી ઘણે, વળી શુદ્ધ સાધુથી અત્યંત દ્વેષ રે બંને બાજુ દેવાળું તેહને, તે તે ડખ્યા છે વીશેષ રે એ. પપા: કરડે દૂક લાગે કુગુરૂ તણો, તેથી કરે તેની પક્ષ પાત રે તેની લીધી ટેક છોડે નહીં, તેના ઘટમાં મેટે મીથ્યાત રે એ પધા સંવત અઢારને તેત્રીશમાં, અષાઢ વદ નવમી શ્રાવક નરક ગામી છે નવકડા, જેડી રીયા ગામ મઝાર રે એ પછા. કુપાત્ર ત્થા અપાત્રને પરિવાર વર્ષ ૧૧ અંક ૨૨-૨૩ શં. ૧૯૯૬ ફાગણ સુદ. ૧૨ ગુરૂવાર તા. ૨૧=૩-૧૯૪૦ પ્રવચનકાર શ્રીમદ વિજય રામચંદ્રસુરીશ્વરજી મહારાજ. મક્ષ ફલક દાન માટે કુપાત્ર તથા અપાત્રને પરિહાર કરવાને છે. Page #147 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ ઓળખાણ દેશ માળવા ગામ બરનગરમાં બનાવનાર શ્રી ૧૦૮ શ્રી તુલશીરામજી સ્વામી હાલ શ્રી ૧૦૦૮ શ્રી તુલશીશુરીજી મહારાજ જન્મ ૧૯૭૧ દીક્ષા ૧૯૮૨ સુરી પદ સં. ૧૯૩ આશરે મુનીરાજ, ૧૫૮ મહાસની ૩૭૭ કુલથાણા ૫૩૫ ને “પંચેન્દી સમવરણે તહનવવીયા બંભર્યું ગુત્તીધરો, ચહવહ કસાય મુકે એ અઠારહસ્ય ગુણહી સંજુ તે, પંચ મહાવય જુતે, પંચવીહાયાર પાલણ સંમતે, પંચસમીતીકુ તે એ છત્રીશ ગુણે ગુરૂમઝ” મુજબ પોતે આચાર પાળી બધાને પળાવે છે. ને આશરે થાણા ૫૩૫ અખંડ આણા પાલતા વિચરે છે. તે દર્શન કરવાથી અથવા દર્શન કર્યા હોય તેને પૂછી ખાત્રી કરવી. લેક બહેકાન હેત, વાત યુ બનાય કહે તેરાપંથી દાન દયા, મુળશે ઉખાડ દી ગોવન કે વાડે તામે, આગ કે લગાઈ નીચ તકે કેઊ એળે, તામે મનાઈ પિકાર દી ભુખે આરૂ પ્યાસે દીન, દેહગકુ દેવે દાન Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૪૩ . તાકો મત દે, એસી અંતરાય ડાર દી તુલશી ભણંત તાકે, તેરા પંથે મતહુકી વાકબી ન પુરી યુહી, કુડી ગ૫ માર દી એસી એસી વ્યર્થ વાત, તાણમત પક્ષપાત કરતે હંમેશ જાકી, બુદ્ધી જે બીગડગે તાકી સુણવાત નહી, સાચ જુઠ જાયક લોકનમાં એક, લેહતાણ પડગે. એક ભેદ બેલે જ્યાં, દુજી પણ બેલે જ્યાં ત્રીજી એર ચેથી, સબ ભાજ ભાજ ભડગે તુલશી ભણંત સમજાવે, અબ કાંક કાંકે સાહી જહાન આતે, કુવે ભાંગ પૌ૨ા ભક્ષા લેન હેત, જે ગૃહસ્થ ઘરજાત ભીક્ષુ આગે કઈ રાંક, ભીક્ષા માંગત દીખાતા હે તાહી ઊલઘ નહી, ઘરમે પ્રવેશ કરે મધ્ય જાત તકે ચીત, અંતર દુખાત છે એતી અંતરાય ભી, ન કરે મુનીરાજ તાપે તે મના કરના તે, એક મેટીશી વાત છે તુલશી ભણંત અંત, તંતકે વિચારે એસે સહી ઈસુકાળ પ્રભુ, તેરાપંથ પાત હે ૩ વાડે કે બેલે તાકે, કરત મનાઈ કઈ વે સાધુના કસાઈ, સેભી નીચ કહલાતહે સ્વેચ્છા નીજ ગેહડી, લુટાવે સબ લોકનકુ તેરાપંથી કેઊ તહાં, અડે નહી આતહે Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ પત્ર વે કુપાત્ર એક, માત્રને ન કરે તારે ખેત્ર અરૂ ઊખર, સે અંતર બતાતહે તુલશી ભણંત અંત, તંત કે વિચારે એસે સેહી ઈણકાળ પ્રભુ, તેરાપંથ પાનહ૪ શ્લેકનું આશરે બનાવેલું ગુજરાતી લેકને બહેકાવવા માટે, વાત કહે બનાવી એમ તેરાપંથી દાન દયા, મુળથી ઉખાડે એમ ગાયને વાડે જે હોય, તેમાં આગ લગાવે કે તેને જઈ ખેલે કે, તેમાં મનાઈ પિકાર દઈ ભુખ તરસ્યા દુઃખી દીન, તેને દાન આપે જે કઈ તે તેને નહિ આપે કેઈ, એવી અંતરાય નાંખ દીધું તુલશી ભણંત તેરાપંથની, તેને પુરી સમજ નહી જેથી આવે બેટી પેટી, લોકોમાં ગપ માર દીઠ ૧ આવી ખેતી વાતે સુણી, પક્ષપાત મત આણે કઈ કરે છે આવી ખોટી વાતે, જેની બુદ્ધી બગડ ગઈ આવી ખોટી વાત સાંભળી, ડાહ્યા વિચારી જુઓ સાચ જુઠને નણર્ય કરે, બેટી ખેંચા તાણનાં નહિ પડે લેકેમાં કહેવત છે એમ, ગાડર એક બોલે મેં જેમ ભડકી બીજા કરે એમ, સમજુઓ નહી કરે તેમ તુળશી કહે છે એમ, સમજાવે હવે કોને કોને આતે આખા ૯ોમાં, કુવે ભાંગ પડી ગઈ ૨૦ ભીક્ષા લેવા ગૃહસ્થ વરે, જાતે સાધુ જાય છે Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૪૫ હૈ પ્રભુ જો ભીખારી કાઈ ત્યાં, માંગતા ક્રૃખાય છે તેને થાય અંતરાય તેથી, ને ઘરમાં પ્રવેશે નાહી જો સાધુ જાય તે ઘરમાંહી, દીલ ભીખારીનુ' દુઃખાયે તાંહી આવી અતરાય જે થાય, તે સમજી મુનીને કલ્પે નાંહી તે આપવામાં કરે કેમ મનાઇ, સમજીએ વિચાર તાંડી તુલશી કહત આ, તત્વને વિચારી જે આ કાળમાં, તેરાપંથી થાય Û તે ૩ વાડા જઇ ખાલે કાઇ, તેને સાધુ ો કરે મનાઈ તે સાધુ સાધુ નહિ, પણ કસાઇથી નીચ કહેવાય સહી સ્વેચ્છાથી પેાતાનું ઘર, જગત માંહી લુટાવે કોઇ તા તરાપથી તેમાં, આડા નહિ આવે કાઇ પાત્ર કુંપાત્ર છે, એક સરીખા ગણે નહિ ફકત ક્ષેત્ર અક્ષેત્રના, અંતર બતાવે શહી તુળથી ભણત એમ, આ તત્ત્વને વિચારે તે હૈ પ્રભુ આ કાળમાં, તેરાપંથ (તમારાંપથ) પામે છે ૪ સમાસ Page #151 -------------------------------------------------------------------------- ________________ શ્વામીજીની ભાષા મારવાડી છે તે સમજવા માત્રા જોડણી વ્યાકરણના અજાણે ગુજરાતી ઉમંગથી કર્યું છે ભૂલ હોય તે સુધારી વાંચવું. પ્રેસને લખવું. ફરી સુધારી છપાશે.” Page #152 -------------------------------------------------------------------------- ________________ જે લી ) નો ) માં હા ના 69 ) . જો ગાંડીવ બાળ | ખ વ ડ ક એના પહેલા અનેક જોઇ સ્વ. શ્રી ગિજુભાઈ આપે પ બાલી પડેલાઃ (1-8-34) આ તો સૌ કરતાં ચડિયાતું છે. સૌ બાળપત્રાને એ જ સુધરવું પડશે શ્રી ઇન્દુલાલ સેવકલાલ દવે: ( મેડીકલ ઍક્રિસર, વડોદરા ) લખે છે: " ગાંડીવ પાક્ષિક ધણું જ લા કપ્રિય થવા ઉપરાંત જેને માટે તે પ્રસિદ્ધ થાય છે, તે લોકોમાં- '':1ળકામાં પ્રિય થયું છે... ... છોકરાં રાહ જોયા કરે છે...વાંચવા માટે હરિફાઈ ચાલે છે. " વાર્ષિક લવાજમ રૂા. પાંચ પરદેશ શિલિગ 12 વીર નર્મદનું પુરાણુ' સાપ્તાહિક ધ ડાં થો " નાગરિક દૃષ્ટિથી સુરતના અને ગુજરાતના વિષયોને છણતું, રસાળ બાનીમાં લખાતુ, આ પત્ર ઘણું" લોકપ્રિય થઈ પડયું છે. નમૂના મફત મોકલવામાં આવે છે. વાર્ષિક લવાજમ ટે. ખ. સાથે રૂા. 3aaaa ડીવ સાહિત્ય એ દિર, સુરત