Book Title: Jain Dharma na Maulik Siddhanto
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 85
________________ અનુક્રમે સમ્યકત્વ મોહ, મિશ્ર મોહ અને મિથ્યાત્વ મોહ નામ પડે છે. સમ્યકત્વ મોહનીયનો ઉદય ૪ થી ૭ ગુણઠાણામાં હોય છે. તેને ક્ષાયોપથમિક સમ્યકત્વવાળો જીવ કહેવાય છે. મિશ્ર મોહનીયનો ઉદય ત્રીજા જ ગુણઠાણે હોય છે અને મિથ્યાત્વ મોહનીયનો ઉદય ફક્ત પહેલા જ ગુણઠાણે હોય છે. ઉપશમ-સાયિક સમ્યકત્વવાળાને તથા સાસ્વાદનને આ ત્રણમાંથી એકનો પણ ઉદય હોતો નથી. હવે ચારિત્ર મોહનીયનું વર્ણન સમજીએ. આત્માના ચારિત્ર ગુણને મલીન કરે, નિદિત કરે, હલકું બનાવે એવું જે કર્મ તે ચારિત્ર મોહનીય કર્મ. તેના મુખ્યપણે બે ભેદ છે. (૧) કષાય મોહનીય અને (૨) નોકષાય મોહનીય. કષ-સંસાર, આય-વૃદ્ધિ જેનાથી જન્મમરણની પરંપરા વધે, સંસાર વધે તેનું નામ કષાય. અને જે પોતે કષાય ન હોય પરંતુ કષાયને લાવે, કષાયને પ્રેરણા કરે, મદદ કરે તે નોકષાય કહેવાય છે. (૧) અનંતાનુબંધી : અનંતા સંસારને વધારે એવો તીવ્ર કષાય તે અનંતાનુબંધી. (૨) અપ્રત્યાખ્યાનીય : જે કષાયથી કોઈપણ જાતનું પચ્ચખાણ ન આવે તે અપ્રત્યાખ્યાનીય (૩) પ્રત્યાખ્યાનીય : જે કષાયથી સર્વવિરતિ પચ્ચખાણ માત્ર ન આવે તે પ્રત્યાખ્યાનીય. (૪) સંજવલનકષાય : જે કષાય આત્માને કંઈક ડંખે, કંઈક તાપ કરે તે સંજ્વલન. ક્રોધ, માન, માયા, લોભ આ ચારે કષાયો ઉપરોક્ત ચાર ચાર પ્રકારના છે. એટલે કષાયોના કુલ ૧૬ ભેદ બને છે. તે ૧૬ ભેદો સમજાવવા માટે શાસ્ત્રમાં આ પ્રમાણે ૧૬ દૃષ્ટાન્તો આપેલ છે. (૧) જેમ હોડીથી પાણીને બે ભાગ થાય અને હોડી આગળ જાય એટલે પાણી ભેગું થઈ જાય તેની જેમ જે એક દિવસ ક્રોધથી, ઝઘડાથી જુદા પડે અને બીજા-ત્રીજા દિવસે યાવત પંદર દિવસે પણ જલ્દી ભેગા થઈ જાય તે સંજ્વલન ક્રોધ કહેવાય છે. આ ક્રોધ જલની રેખા સમાન સમજવો. ८४ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152