Book Title: Jain Dharma na Maulik Siddhanto
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 111
________________ આપણે માતા કહીએ ત્યારે સમજવું જોઈએ કે આ આપણી અપેક્ષાએ માતા છે. બાકી તેમની માતાની અપેક્ષાએ તો એ પુત્રી પણ છે. આ પ્રમાણે અપેક્ષાએ બોલવું તે સ્યાદ્વાદ, અપેક્ષાવાદ કહેવાય છે. સાત નો આ પ્રમાણે છે (૧) નૈગમનય (૨) સંગ્રહનય (૩) વ્યવહારનય (૪) જુસૂત્રનય (૫) શબ્દનય (૬) સમભિરૂઢનય (૭) એવંભુતનય. તે સાત નયો અપેક્ષાવાદને સમજાવનારા છે. જ્યારે જે નય સમજીશું ત્યારે તેની વાત તદ્દન સાચી જ લાગવાની છે. પરંતુ તેની વાત અપેક્ષાએ જ સાચી સમજવી. એકાન્ત સાચી ન સમજવી. (૧) નૈગમનયઃ જે દૂર દૂર કારણને પણ કાર્યનું કારણ માને, ઉપચારને પણ સ્વીકારે, આરોપિત સ્વરૂપને પણ સ્વીકારે છે. જેમ કે પશુ ઘાસ ખાય તો જ તેમાંથી દુધ દહીં દ્વારા ઘી બને છે. માટે ઘાસ એ પરંપરાએ ઘીનું કારણ છે. તેથી ઘાસમાં ઘીની શક્તિ માનવી તે નૈગમનય. નયસારાદિના ભવોમાં ભગવાન મહાવીર સ્વામીના આત્માને ભગવાન થવાના છે એમ માનવું તે નૈગમનય. અપુનબંધકાવસ્થામાં આવેલા મન્દમિથ્યાત્વી જીવને ધર્મો સમજવો તે નૈગમનય. દૂર દૂર કારણમાં કાર્યશક્તિ માપવી તે નૈગમનય. (૨) સંગ્રહનયઃ વસ્તુનું જે એકીકરણ કરે જેમ બને તેમ વિશેષને ગૌણ કરી સામાન્યને મુખ્ય કરે તે સંગ્રહનય. જેમ બ્રાહ્મણ-ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એમ ચારે પ્રકારના મનુષ્યો “સમાન' જ છે. માનવ જ છે. એમ માને દેવ-નારકો, તિર્યંચ, મનુષ્યાદિ સર્વે જીવો સર્વે આત્માઓ સમાન છે. વ્યવહારનય : વસ્તુનું જે પૃથક્કરણ કરે, જેમ બને તેમ વિશેષને જ મુખ્ય કરે અને સામાન્યને ગૌણ કરે તે વ્યવહારનય. સંગ્રહનયની જે વાત છે તેને ભેદે તે વ્યવહારનય. જેમ કે બધા માનવ સરખા નથી. કોઈ બ્રાહ્મણ છે. કોઈ ક્ષત્રિય છે. કોઈ વૈશ્ય છે. કોઈ શૂદ્ર છે. સંસારી સર્વે જીવો સરખા જ છે. એવી સંગ્રહનયની વાત બરાબર નથી. કોઈ નારકી છે. કોઈ તિર્યંચ છે. કોઈ મનુષ્ય છે અને કોઈ દેવ છે. ઇત્યાદિ. આ નય ભૂત, ભવિષ્ય અને વર્તમાન ૧૧૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152