Book Title: Jain Darshan Author(s): Zaverilal V Kothari Publisher: University Granth Nirman Board View full book textPage 4
________________ પ્રકાશકનું પુરવચન ઉચ્ચ કેળવણીનું માધ્યમ માતૃભાષા બને તે માટે યુનિવર્સિટી કક્ષાએ પ્રત્યેક વિદ્યાશાખા માટે વિપુલ ગ્રંથસામગ્રી તયાર થવી જોઈએ. આ હેતુથી કેન્દ્ર સરકારે આર્થિક સહાય આપીને પ્રાદેશિક ભાષાઓમાં યુનિવર્સિટી કક્ષાના પુસ્તકે અને સાહિત્ય પ્રકાશિત કરવાની ચેજના ઘડી અને તેને સાકાર કરવા માટે ૧૯૭૦માં આ બેડ રચવામાં આવ્યું. કેન્દ્ર સરકાર તરફથી આ કાર્ય માટે મળતાં અનુદાને ઉપરાંત એપ્રિલ ૧, ૧૯૭૬થી આ યોજનામાં રાજ્ય સરકારે પણ અમુક અનુદાન આપવાનું સ્વીકાર્યું છે. આ યોજનામાં રાજ્યની યુનિવર્સિટીના પ્રાધ્યાપક અને અન્ય વિદ્વાનો દ્વારા યુનિવર્સિટી કક્ષાના અભ્યાસક્રમને આવરી લેતાં પાઠયપુસ્તક અને સંદર્ભગ્રંથે પ્રકાશિત કરવામાં આવ્યાં છે અને એ કાર્ય હજુ વણથંભ્ય ચાલુ જ છે. આ પેજના અનુસાર ગુજરાત રાજ્યની યુનિવર્સિટીઓમાં વિનયન વિદ્યાશાખાના તત્ત્વજ્ઞાન વિષયને વિદ્યાર્થીઓને સુયોગ્ય ગુજરાતી ગ્રંથ આપવાની વ્યવસ્થામાં જૈનદર્શન પુસ્તક પ્રકાશિત કરતાં આનંદ અનુભવું છું. એ આનંદમાં ઉમેરે એ વાત થાય છે કે પુસ્તકના લેખક છે. ઝેડ. વી. કોઠારી આ વિષયને જ્ઞાતા છે અને એમણે પોતાના જ્ઞાન અને અનુભવને લાભ વિદ્યાર્થીઓને આપવાનું સ્વીકાર્યું છે. આ પુસ્તકનું પરામર્શન કરવા બદલ , મેહનલાલ મહેતા ને આભાર માનું છું. આ ગ્રંથ એકલા વિદ્યાર્થી ઓને જ નહીં પણ આ વિષયમાં રસ લેતા બધા જ અભ્યાસીઓ અને જિજ્ઞાસુઓને પણ જૈન ધર્મના હાર્દને સમજવામાં ખૂબ જ ઉપયોગી નીવડે એમ છે, અને એ બધાને આવકાર આ ગ્રંથ પામશે એવી હાર્દિક અપેક્ષા છે. જે. બી. સેંડિલ યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ, ગુજરાત રાજ્ય, અમદાવાદ-૬ મે, ૧૯૮૪ અધ્યક્ષ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 202