________________
પ્રકાશકનું પુરવચન
ઉચ્ચ કેળવણીનું માધ્યમ માતૃભાષા બને તે માટે યુનિવર્સિટી કક્ષાએ પ્રત્યેક વિદ્યાશાખા માટે વિપુલ ગ્રંથસામગ્રી તયાર થવી જોઈએ. આ હેતુથી કેન્દ્ર સરકારે આર્થિક સહાય આપીને પ્રાદેશિક ભાષાઓમાં યુનિવર્સિટી કક્ષાના પુસ્તકે અને સાહિત્ય પ્રકાશિત કરવાની ચેજના ઘડી અને તેને સાકાર કરવા માટે ૧૯૭૦માં આ બેડ રચવામાં આવ્યું. કેન્દ્ર સરકાર તરફથી આ કાર્ય માટે મળતાં અનુદાને ઉપરાંત એપ્રિલ ૧, ૧૯૭૬થી આ યોજનામાં રાજ્ય સરકારે પણ અમુક અનુદાન આપવાનું સ્વીકાર્યું છે.
આ યોજનામાં રાજ્યની યુનિવર્સિટીના પ્રાધ્યાપક અને અન્ય વિદ્વાનો દ્વારા યુનિવર્સિટી કક્ષાના અભ્યાસક્રમને આવરી લેતાં પાઠયપુસ્તક અને સંદર્ભગ્રંથે પ્રકાશિત કરવામાં આવ્યાં છે અને એ કાર્ય હજુ વણથંભ્ય ચાલુ જ છે.
આ પેજના અનુસાર ગુજરાત રાજ્યની યુનિવર્સિટીઓમાં વિનયન વિદ્યાશાખાના તત્ત્વજ્ઞાન વિષયને વિદ્યાર્થીઓને સુયોગ્ય ગુજરાતી ગ્રંથ આપવાની વ્યવસ્થામાં જૈનદર્શન પુસ્તક પ્રકાશિત કરતાં આનંદ અનુભવું છું. એ આનંદમાં ઉમેરે એ વાત થાય છે કે પુસ્તકના લેખક છે. ઝેડ. વી. કોઠારી આ વિષયને જ્ઞાતા છે અને એમણે પોતાના જ્ઞાન અને અનુભવને લાભ વિદ્યાર્થીઓને આપવાનું સ્વીકાર્યું છે. આ પુસ્તકનું પરામર્શન કરવા બદલ , મેહનલાલ મહેતા ને આભાર માનું છું.
આ ગ્રંથ એકલા વિદ્યાર્થી ઓને જ નહીં પણ આ વિષયમાં રસ લેતા બધા જ અભ્યાસીઓ અને જિજ્ઞાસુઓને પણ જૈન ધર્મના હાર્દને સમજવામાં ખૂબ જ ઉપયોગી નીવડે એમ છે, અને એ બધાને આવકાર આ ગ્રંથ પામશે એવી હાર્દિક અપેક્ષા છે.
જે. બી. સેંડિલ
યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ, ગુજરાત રાજ્ય, અમદાવાદ-૬ મે, ૧૯૮૪
અધ્યક્ષ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org