________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઇન્દ્રિયજ્ઞાન. જ્ઞાન નથી ૬૦ જ્ઞાન જ જેનું એકરૂપ છે એવા આત્માનો અને જ્ઞયમય એવા ધર્માદિક રૂપોનો વિશેષ નહીં જાણવાને લીધે ભિન્ન આત્માનું અજ્ઞાન હોવાથી, તે અધ્યવસાન પ્રથમ તો અજ્ઞાન છે, ભિન્ન આત્માનું અદર્શન હોવાથી (તે અધ્યવસાન) મિથ્યાદર્શન છે અને ભિન્ન આત્માનું અનાચરણ હોવાથી (તે અધ્યવસાન) અચારિત્ર છે. માટે આ સમસ્ત અધ્યવસાનો બંધના જ નિમિત્ત છે. ૧૧૫
(શ્રી સમયસારજી ગાથા-૨૭) ની ટીકામાંથી) આ જગતમાં ચેતયિતા (ચેતનારો અર્થાત્ આત્મા) છે તે જ્ઞાનગુણથી ભરેલા સ્વભાવવાળું દ્રવ્ય છે. પુદ્ગલાદિ પરદ્રવ્ય વ્યવહાર તે ચેતયિતાનું (આત્માનું) જ્ઞય છે. હવે, “જ્ઞાયક (અર્થાત્ જાણનારો) ચેતયિતા, શેય (અર્થાત્ જણાવાયોગ્ય) જે પુદ્ગલાદિ પદ્રવ્ય તેનો છે કે નથી?”—એમ તે બન્નેનો તાત્વિક સંબંધ અહીં વિચારવામાં આવે છે:- જો ચેતયિતા પુદ્ગલાદિનો હોય તો શું થાય તે પ્રથમ વિચારીએ - “જેનું જે હોય તે તે જ હોય, જેમ આત્માનું જ્ઞાન હોવાથી જ્ઞાન તે આત્મા જ છે; '- આવો તાત્વિક સંબંધ જીવંત (અર્થાત વિધમાન) હોવાથી, ચેતયિતા જો પુદ્ગલાદિનો હોય તો ચેતયિતા તે પુદ્ગલાદિ જ હોય (અર્થાત્ ચેતયિતા પુદ્ગલાદિ સ્વરૂપ જ હોવો જોઈએ, પુદ્ગલાદિથી જુદું દ્રવ્ય ન હોવું જોઈએ ); એમ હોતાં, ચેતયિતાના સ્વદ્રવ્યનો ઉચ્છેદ થાય; પરંતુ દ્રવ્યનો ઉચ્છેદ તો થતો નથી, કારણ કે એક દ્રવ્યનું અન્ય દ્રવ્યરૂપે સંક્રમણ થવાનો તો પૂર્વે જ નિષેધ કર્યો છે. માટે (એ સિદ્ધ થયું કે) ચેતયિતા પુદગલાદિનો નથી. (આગળ વિચારીએ:) જો ચેતયિતા પુદ્ગલાદિનો નથી તો ચેતયિતા કોનો છે? ચેતયિતાનો જ ચેતયિતા છે. (આ) ચેતયિતાથી જુદો એવો
* ઇન્દ્રિયજ્ઞાનને જ્ઞાન માનવું તે જ્ઞાનની ભુલ છે. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com