Book Title: Indriya Gyan
Author(s): Sandhyaben
Publisher: Digambar Jain Mumukshu Mandal

View full book text
Previous | Next

Page 264
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૩૩ ઇન્દ્રિયજ્ઞાન..... જ્ઞાન નથી અપેક્ષાએ તે જ જ્ઞાનના બે ભેદ થઈ જાય છે. (૧) સમ્યગ્ગાન (૨) મિથ્યાજ્ઞાન.।। ૪૫૫|| (શ્રી પંચાધ્યાયી પૂર્વાધ, પં. શ્રી મખનલાલજી, ગાથા-૫૫૮) * ટીકા:- પ્રથમ તો આ લોકમાં ભગવંત સિદ્ધો જ શુદ્ધજ્ઞાનમય હોવાથી સર્વતઃચક્ષુ છે અને બાકીનાં બધાંય ભૂતો ( –જીવો) મૂર્ત દ્રવ્યોમાં જ તેમની દૃષ્ટિ લાગતી હોવાથી, ઇન્દ્રિયચક્ષુ છે. દેવો સૂક્ષ્મત્વવાળાં મૂર્ત દ્રવ્યોને ગ્રહણ કરતા હોવાથી અધિચક્ષુ છે; અથવા તેઓ પણ માત્ર રૂપી દ્રવ્યોને દેખતા હોવાથી તેમને ઇન્દ્રિયચક્ષુવાળાંઓથી જુદા ન પાડવામાં આવે તો, ઇન્દ્રિયચક્ષુ જ છે. એ રીતે આ બધાય સંસારીઓ મોહ વડે ઉપહત હોવાને લીધે શેયનિષ્ઠ હોવાથી, જ્ઞાનનિષ્ઠપણાનું મૂળ જે શુદ્ધાત્મતત્ત્વનું સંવેદન તેનાથી સાધ્ય ( –સધાતું) એવું સર્વતઃ ચક્ષુપણું તેમને સિદ્ધ થતું નથી. હવે તેની (સર્વતઃ ચક્ષુપણાની ) સિદ્ધિને માટે ભગવંત શ્રમણો આગમચક્ષુ હોય છે. તેઓ તે આગમરૂપ ચક્ષુ વડે, જોકે શેય અને જ્ઞાનનું અન્યોન્ય મિલન હોવાને લીધે તેમને ભિન્ન કરવાં અશકય છે (અર્થાત્ શૈયો જ્ઞાનમાં ન જણાય એમ કરવું અશકય છે) તો પણ, સ્વપરનો વિભાગ કરીને, મહામોહને ’ જેમણે ભેદી નાખ્યો છે એવા વર્તતા થકા ૫૨માત્માને પામીને સતત જ્ઞાનનિષ્ઠ જ રહે છે, ૪૫૬।। (શ્રી પ્રવચનસારજી, ગાથા ૨૩૪, ટીકા ) * ટીકાઃ- આ લોકમાં ખરેખર, સ્યાત્કાર જેનું ચિહ્ન છે એવા આગમપૂર્વક તત્ત્વાર્થ શ્રદ્ધાનલક્ષણવાળી દષ્ટિથી જે શૂન્ય છે તે બધાયને * ઇન્દ્રિયજ્ઞાન આત્માથી સર્વથી ભિન્ન છે. * Please inform us of any errors on rajesh@Atma Dharma.com

Loading...

Page Navigation
1 ... 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310