Book Title: Indriya Gyan
Author(s): Sandhyaben
Publisher: Digambar Jain Mumukshu Mandal

View full book text
Previous | Next

Page 297
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ઇન્દ્રિયજ્ઞાન..... જ્ઞાન નથી ૨૬૬ લાભ માનીને પ્રવર્તે, તે કેવી વાત ? એમાં અટકી જાય છે.।। ૫૪૪।। (શ્રી દ્રવ્ય દષ્ટિ પ્રકાશ ભાગ-૩, બોલ-૧૧૬ ) * પ્રશ્ન:- દ્રવ્યલિંગી આટલું સ્પષ્ટ જાણીને ‘ ત્રિકાળીમાં ’ અહંપણું કેમ કરતા નથી ? ઉત્તર:- તેમને સુખની જરૂરત નથી. કારણ કે તેમને એક સમયની ઉઘાડ પર્યાયમાં સંતોષ છે-સુખ લાગે છે. તેથી ‘ત્રિકાળી ’ને કેમ પકડે?।। ૫૪૫૦ (શ્રી દ્રવ્ય દષ્ટિ પ્રકાશ ભાગ-૩, બોલ-૧૨૧) * આખરમાં ગમે તેટલું સાંભળો પણ સુખ તો અહીંથી (અંતરમાંથી ) જ શરૂ થાય છે. આ થોડું સાંભળી તો લઉં, તેમાં શું નુકશાન છે? પછી અંદરમાં જઈશ, તે વાત ઠીક નથી. વળી એક સમયની જ્ઞાનપર્યાયમાં વિચાર કરી કરીને પણ શું મળશે ? ત્રિકાળીની તરફ જોર દેવાથી જ ક્ષણિક પર્યાયની એકતા છૂટીને સુખ મળશે.।। ૫૪૬।। (શ્રી દ્રવ્ય દષ્ટિ પ્રકાશ ભાગ-૩, બોલ-૧૨૪) * દેવ-ગુરુ આદિ નિમિત્તનો સાંસારિક વિષયોની અપેક્ષાએ ફરક છે. કારણ કે સાંસારિક વિષયો તો પોતાની તરફ ઝૂકાવ કરવાનું કહે છે. અને દેવાદિક નિમિત્તો પોતાની તરફ ઝૂકાવનો નિષેધ કરીને ‘આત્માની ત૨ફ ઝૂકી જાઓ' એમ કહે છે. તેથી દેવાદિક નિમિત્તોમાં ફરક કહેવામાં આવે છે. પરંતુ જે જીવ પોતાની તરફ ઝૂકતા નથી, દેવાદિકની તરફ જ ઝૂકેલા રહે છે, તેમણે તો આ સાંસારિક વિષયોની જેમ આમને પણ વિષય બનાવી લીધા. તેમાં કાંઈ ફરક રહ્યો નહિ.।। ૫૪૭।। (શ્રી દ્રવ્ય દષ્ટિ પ્રકાશ ભાગ-૩, બોલ-૧૨૯ ) * ‘ જ્ઞાયક નથી ત્યમ ૫૨ તણો ’* Please inform us of any errors on rajesh@Atma Dharma.com

Loading...

Page Navigation
1 ... 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310