Book Title: Indriya Gyan
Author(s): Sandhyaben
Publisher: Digambar Jain Mumukshu Mandal

View full book text
Previous | Next

Page 308
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૭૭ ઇન્દ્રિયજ્ઞાન... જ્ઞાન નથી મીઠાની પર્યાયના અભાવરૂપે રહેતા ને પોતામાં ભાવરૂપે રહેતા પોતાને જાણું છું એમ નહિ માનતા પરને જાણું છું એમ અજ્ઞાની માને છે. જીવ સ્વાદ લઈ શકતો નથી. તે વખતની જ્ઞાનપર્યાય તે કાળે તેવી તાકાતવાળી છે એમ નહિ માનતા પરને જાણું છું તે મિથ્યાભ્રાંતિને અજ્ઞાન છે તેથી અનંત સંસારમાં રખડે છે. || પ૭૮ાા (પૂ. ગુરુદેવશ્રી, શ્રી સદ્ગુરુ પ્રવચન પ્રસાદ અંક-૩૨, પૃષ્ઠ ૧૭૪) આ પ્રકારે મિશ્રિત જ્ઞાન કર્યું છે. પણ શેય મિશ્ર થયાં નથી. એવા જ્ઞયમિશ્રિત જ્ઞાન વડે વિષયોની જ પ્રધાનતા ભાસે છે. મારો જ્ઞાનપર્યાય મારાથી પ્રત્યે એમ ન ભાસ્યું પણ વિષયોથી પ્રવર્યો એમ ભાસે છે. આને જાણ્યું, ફૂલને ચૂંથું એમ પરને પ્રધાનતા આપે છે, કલ્પનામાં જ્ઞય ને જ્ઞાન મિશ્રિત કરે છે. પાંચ ઇન્દ્રિયના વિષયો ને મનના વિષયો પોતામાં એકમેક કરે છે. આ ચીજ હોય તો જણાય તેથી તે ચીજો મેળવવા માગે છે. પરને મેળવવા માગે છે. પરને જાણવા માગે છે પણ પોતાને મળવા માગતો નથી. પોતાને ભિન્ન નહિ માનતો ન્નયમિશ્રિત જ્ઞાન વડે તે ચીજોની મુખ્યતા ભાસે છે. હું જાણનાર દેખનાર છું એમ ભાસતું નથી. આખો ભગવાન આત્મા રહી જાય છે. || પ૭૯ાાં * આ બધાનો સાર એ છે કે તારો પરને જાણવાનો રસ્તો ને પરમાં સ્વાદ માની રાગનો સ્વાદ લેવાનો રસ્તો શાંતિનો નથી, તેથી તું દુઃખી થઈ રહ્યો છો. વિષયોનો સ્વાદ નથી ને વિષયોનું જ્ઞાન નથી પણ રાગનો સ્વાદ છે ને જ્ઞાનનું જ્ઞાન છે. વિષયો પર છે. રાગ ક્ષણિક છે. સ્વભાવમાં નથી ને જ્ઞાનપર્યાય જ્ઞાનસ્વભાવવાનની છે. એમ રાગરહિત નિત્ય જ્ઞાનસ્વભાવીની દષ્ટિ થાય. આમ સમજે તો નિચિત્તબુદ્ધિ ને રાગબુદ્ધિ છૂટીને સ્વભાવબુદ્ધિ થાય-ધર્મ થાય એ સમજાવવા વાત કરી છે. તે પ૮૦ * હું પરને જાણતો નથી * Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 306 307 308 309 310