________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬૭ ઇન્દ્રિયજ્ઞાન...... જ્ઞાન નથી જાણગ...જાણગ...જાણગ પોતાનો સ્વભાવ છે, એમાં પરવસ્તુનો પરયનો પ્રવેશ નથી, છતાં એનું જાણવું અહીં (પોતામાં) થાય છે તે ખરેખર એનું (પરયનું) જાણવું નથી; જાણવાની પોતાની દશા છે એનુ જાણવું છે. આ ન્યાયથી તો વાત છે; એને સમજવી તો પડે ને! કોઈ થોડું સમજાવી દે?
જુઓ દર્પણના દષ્ટાંતે આ વાત સમજીએ.
જેમ દર્પણની સામે કોલસા, અગ્નિ વગેરે મૂકેલા હોય તે દર્પણમાં દેખાય છે. પણ એ દર્પણથી જુદી ચીજ છે ને ? દર્પણમાં તો તે પદાર્થોની ઝલક દેખાય છે, પણ શું કોલસા ને અગ્નિ વગેરે દર્પણમાં છે? દર્પણમાં તો દર્પણની સ્વચ્છતાનું અસ્તિત્વ છે. જે અગ્નિ વગેરે તેમાં પેઠાં હોય તો દર્પણ અગ્નિમય થઈ જાય, તેને હાથ અડકાડયે હાથ બળી જાય, પણ એમ છે નહીં. દર્પણ દર્પણની સ્વચ્છતાના પરિણામે પોતે જ પોતાથી પરિણમ્યું છે; કોલસા કે અગ્નિનું તેમાં કાંઈ જ નથી. સમજાણું કાંઈ....?
આ શું કીધું? લ્યો, ફરીથી એક બાજુ દર્પણ છે, અને તેની સામે એક બાજુ અગ્નિ ને બરફ છે. અગ્નિ અગ્નિમાં લબક-ઝબક થાય છે, ને બરફ બરફમાં પીગળતો જાય છે. તે સમયે દર્પણમાં પણ બસ એવું જ દેખાય છે. તો શું દર્પણમાં અગ્નિ કે બરફ છે? ના; અગ્નિ અને બરફનું હોવું તો બહાર પોતપોતામાં છે, દર્પણમાં તેમનું હોવાપણુ નથી.
દર્પણમાં તેઓ પઠાં નથી. દર્પણમાં તો દર્પણની તે-રૂપ સ્વચ્છદશા થઈ છે તે છે. અગ્નિ અને બરફ સંબંધી દર્પણની
* ઇન્દ્રિયજ્ઞાનના(શેયના) લશે ઇન્દ્રિય(શેય) પ્રગટે. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com