________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨૫ ઈન્દ્રિયજ્ઞાન..... જ્ઞાન નથી
ધ્યાતાને ધ્યાન કહેવાનો હેતુ ध्योयाऽर्थाऽऽलम्बनं ध्यानं ध्यातुर्यस्मान्न भिद्यते। द्रव्यार्थिकनयात्तस्माद्ध्यातैव ध्यानमुच्यते।।७०।।
અર્થ:- નિશ્ચયનયની દૃષ્ટિથી ધ્યેય વસ્તુના અવલંબનરૂપ જે ધ્યાન છે તે ખરેખર ધ્યાતાથી ભિન્ન નથી હોતું અર્થાત્ ધ્યાતા આત્માને છોડી અન્ય વસ્તુનું અવલંબન લેતો નથી માટે ધ્યાતા એ જ ધ્યાન એમ કહ્યું છે. નિશ્ચયનયની દૃષ્ટિથી ધ્યાન, ધ્યાતા, ધ્યેય અને ધ્યાનનાં સાધનોનો કોઈ વિકલ્પ ઉઠતો નથી-ઐક્યતા છે. તે ૪૩૯ો. [ શ્રી રામસેનાચાર્ય વિરચિત શ્રી તત્ત્વાનુશાસન શ્લોક ૭૦]
ધ્યાતિનું લક્ષણ इष्टे ध्येये स्थिरा बुद्धिर्या स्यात् सन्तान-वर्तिनी। ज्ञानाऽन्तराऽपरामृष्टा सा ध्यातिानमीरिता।।७२।।
અર્થ- સંતાનક્રમે અર્થાત્ પ્રવાહરૂપે ચાલી આવતી બુદ્ધિ પોતાના ઈષ્ટધ્યેયમાં સ્થિર થતી અન્ય જાણવામાં સ્પર્શ કરતી નથી એને જ ધ્યાતિરૂપ ધ્યાન કહેવામાં આવેલ છે.
ભાવાર્થ- નિશ્ચયનયે શુદ્ધ સ્વઆત્મા જ ધ્યેય છે અને પ્રવાહરૂપે શુદ્ધ સ્વઆત્મામાં વર્તનારી બુદ્ધિ જ્યારે આત્મામાં સ્થિર થાય છે ત્યારે તે બુદ્ધિ-જ્ઞાન-અન્ય કોઈ પદાર્થને સ્પર્શ કરતી નથી એવી ધ્યાનારૂઢ બુદ્ધિ એટલે ધ્યાતિ જ ધ્યાન કહેવાય છે. ૪૪Oા [ શ્રી રામસેનાચાર્ય વિરચિત શ્રી તત્ત્વાનુ શાસન શ્લોક ૭૨]
* ઇન્દ્રિયજ્ઞાન જ્ઞાન નથી, શેય છે. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com